કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૫૦. ગાંધીજીનું સ્મૃતિસ્મારક — જિન્જા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
{{ | {{HeaderNav | ||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૯. કમ્પાલા|૪૯. કમ્પાલા]] | |previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૯. કમ્પાલા|૪૯. કમ્પાલા]] | ||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૫૧. ચન્દ્રફૂલ|૫૧. ચન્દ્રફૂલ]] | |next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૫૧. ચન્દ્રફૂલ|૫૧. ચન્દ્રફૂલ]] | ||
}} | }} |
Latest revision as of 10:30, 18 September 2021
ગાંધીજીનું સ્મૃતિસ્મારક — જિન્જા
નલિન રાવળ
નાઈલ નદીનાં જળસ્રોતને
કાંઠે
પર્ણછાયા વૃક્ષની ચોફેર દોડતા સસલા
અને
આભમાં ઊડતા સારસ પંખીને
નીરખતો
આવી ઊભો
ગાંધીજીની કાંસ્ય પ્રતિમાથી સોહતા
સંગેમરમરના સ્મારકની સંમુખ
પરમ શાન્તિમાં લીન ગાંધીજીની
કરુણામય દૃષ્ટિ
અખિલ વિશ્વને અવલોકતી
નાઈલ નદીના જળતરંગ પર સ્હેલતી
ઍલેક્ઝાન્ડ્રિયાની ભૂમિમાં પોઢેલ
ક્લિયોપેટ્રાના રૂહને તર્પતી
સમગ્ર માનવલોકને સ્નેહ-પ્લાવિત કરતી
અનંત સૃષ્ટિમાં વિહરી રહી છે.
૮-૫-૨૦૦૯
(અવકાશપંખી, પૃ. ૪૧૨)
- ૧૯૪૮માં ગાંધીજીના પાર્થિવ દેહની ભસ્મનું વિસર્જન નાઈલ નદીમાં મૂળમાં કરવામાં આવ્યું હતું