7,932
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 18: | Line 18: | ||
{{Right|(શેષનાં કાવ્યો, પૃ. ૩૪)}} | {{Right|(શેષનાં કાવ્યો, પૃ. ૩૪)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
<center>◼ | |||
<br> | |||
<div class="toccolours mw-collapsible" style="width:400px; overflow:auto;"> | |||
<div style="font-weight:bold;line-height:1.6;">આસ્વાદ: ધમાલ ન કરો – હરીન્દ્ર દવે</div> | |||
<div class="mw-collapsible-content"> | |||
{{Poem2Open}} | |||
જ્યારે જીવનમાં સૌથી વધુ સંક્ષુબ્ધતા પથરાઈ જાય છે, એ ક્ષણનું આ ચિત્ર છે: જ્યારે મન અશાંત બની જાય, હૃદય કકળી રહ્યું હોય ત્યારે, અચાનક જ કોઈ કહી ઊઠે—‘ધમાલ ન કરો’ અને આપણે સ્તબ્ધ બની જઈએ છીએ; પછી જ્યારે ચોધાર આંસુ નેત્રમાંથી પ્રગટવા મથી રહ્યાં હોય ત્યારે અચાનક જ કોઈ આજ્ઞાના રણકા સાથે કહે — ‘નહીં નેનભીનાં થશો…’ ત્યારે થોડુંક કરુણ વિસ્મય અનુભવીએ છીએ. | |||
વિષાદની પરમ ક્ષણનું આ ચિત્ર છે. એ ક્ષણ રુદનથી ભીની ન કરવા માટે કવિ કહે છેઃ આ વૈયક્તિક અનુભૂતિની તીવ્રતમ સંવેદન-ક્ષણમાં મન સાથે કરાયેલો સંવાદ છે. | |||
આ જે થોડીક ક્ષણો મળી છે એને નેત્રનાં જળથી ધોઈ નાખવાનો કોઈ જ અર્થ નથી. | |||
કોઈક આત્મીય સ્વજનનું મૃત્યુ થયું છે—એ સ્વજન કોણ એ જાણવા માટે એક ઉતાવળી નજરે સોનેટની છેલ્લી બે પંક્તિ સુધી જઈ આવવું પડશે. જેની સાથે અગ્નિની સાક્ષીએ મળ્યા અને અગ્નિની સાક્ષીએ છૂટા પડ્યા એ સ્વજન પત્નીના અવસાન પ્રસંગે લખાયેલી આ કૃતિ છે. | |||
મૃત્યુ માણસને સ્તબ્ધ બનાવી દે છે — અને પછી અશ્રુતર, પણ એ ક્ષણે અશ્રુને ખાળીને કંઈક ગંભીર વિચારણા કરનારને જ એ અવસરની કૃતાર્થતા સમજાય છે. અશ્રુ સારી લેવાં એ વેદનાને ભૂલવા માટેનો સૌથી સરળ રસ્તો છે. પણ કશુંક જે મૂર્ત હતું તે હવે અમૂર્ત બની રહ્યું છે. એની છેલ્લી જ ઝાંખી હવે મળી શકે એમ છે. આ ક્ષણે આંસુનો પડદો આંખની આડે આવશે તો કશું જ નહીં દેખાય. જે મંગળતાનું વાચક તત્ત્વ હતું તેની ચિરવિદાયની ક્ષણ હમણાં જ લોપાઈ જશે. | |||
આ ક્ષણને આંસુની અર્ચના ન આપોઃ અગરુ, દીપ, ચંદન, ગુલાલ અને કુંકુમથી એને અર્ચો. એને શ્રીફળ અને પુષ્પ ધરોઃ આ જીવનો ફરી યોગ થવો શક્ય જ નથી. તો આ જે ક્ષણ છે એને એળે ન જવા દો. | |||
જ્યારે કોઈક ચિરવિદાય લઈ રહ્યું હોય ત્યારે આપણો પ્રયત્ન એનાં સ્મરણ-ચિહ્નો જાળવવાનો હોય છે — પરંતુ કોઈ પણ સ્થૂળ વસ્તુ ક્યારેય આપણા એ નિકટના સ્વજનનું પૂરક બની શકે ખરી? સ્મરણચિહ્નો ફોગટ હોય છે — ‘મરીઝ’નો એક શેર અત્યારે યાદ આવે છેઃ | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
તને ભૂલી જઈશ હું એવી | |||
શંકા હોય છે એમાં | |||
મને ના યાદ રૂપે આપજે કોઈ | |||
નિશાનીને. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
અહીં કવિ એથી પણ આગળ જાય છે અને કહે છે કે પ્રિયજનનું હૃદયસ્થાન હવે કોઈ સ્મરણ લઈ શકે એમ નથી. — એમના સ્મરણ માટે હવે કોઈ જ ચિહ્ન જરૂરી નથી. | |||
પરંતુ કોઈ ચિહ્ન નથી હોતું ત્યારે જ સ્મરણ સૌથી વધારે તીવ્ર હોય છેઃ છબી દીવાલનો નાનકડો ખંડ જ રોકે છે; પરંતુ છબી ઉઠાવી લો, પ્રિયજનનો એ ચહેરો આખી યે દીવાલને ભરી દેશે. તમે જ્યારે આંખનાં આંસુને અટકાવો છો ત્યારે જ એ વધારે વેગથી વહે છે, તમે ધમાલ ન કરવા કહો છો ત્યારે જ અસ્વસ્થતા સૌથી વધારે હોય છેઃ આ ભારેલી વેદનાની સ્વસ્થ અભિવ્યક્તિની પરાકાષ્ઠા છેલ્લી બે પંક્તિઓમાં આવે છેઃ | |||
અગ્નિમાં પ્રિયજનના પાર્થિવ અવશેષો વિલય પામી રહ્યા છેઃ જે અગ્નિની સાક્ષીએ પ્રિયજનનું મિલન થયું હતું — એની જ સાક્ષીએ આ વિદાયનું દૃશ્ય પણ ભજવાઈ રહ્યું છે — અને અશાંત મનમાંથી ચિત્કાર જાગે છે — | |||
ધમાલ ન કરો— | |||
{{Right|(કવિ અને કવિતા)}} | |||
{{Poem2Close}} | |||
</div></div> |