અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'વિશ્વરથ' /સોળ શણગાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> તરસને ઝાંઝવાંના એક અણસારે નજર લાગી; વિરહને ચાંદનીના સોળ શણગારે...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સોળ શણગાર|વિશ્વરથ}}
<poem>
<poem>
તરસને ઝાંઝવાંના એક અણસારે નજર લાગી;
તરસને ઝાંઝવાંના એક અણસારે નજર લાગી;
Line 29: Line 32:
{{Right|(મલયાનિલ, ૧૯૮૫, પૃ. ૪)}}
{{Right|(મલયાનિલ, ૧૯૮૫, પૃ. ૪)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’  /મિલનની ઝંખના  | મિલનની ઝંખના ]]  | અનાદિમય થકી પીધું હતું મેં આચમન તારું,]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભોગીલાલ ગાંધી/આત્મદીપો ભવ | આત્મદીપો ભવ]]  | તું તારા દિલનો દીવો થા ને, ઓ રે ઓ રે  ]]
}}

Latest revision as of 12:13, 20 October 2021


સોળ શણગાર

વિશ્વરથ

તરસને ઝાંઝવાંના એક અણસારે નજર લાગી;
વિરહને ચાંદનીના સોળ શણગારે નજર લાગી.

કમળને સાંધ્યના રંગી અંધારે નજર લાગી;
કુમુદને પણ ઉષાના તેજ-અંબારે નજર લાગી.

ચકોરીએ નજર ઊંચી કરીને મીટ માંડી તો —
શશીની પાંપણોના પ્રેમ-પલકારે નજર લાગી.

નજર લાગી હજારો વાર હળવાંફૂલ હેયાંને;
કહો પાષાણ દિલને કોઈની ક્યારે નજર લાગી?

અમારી નાવડીની કમનસીબી શું કહું તમને?
બચી મજધારથી તો છેક ઓવારે નજર લાગી.

પ્રથમ ઉપચાર હું કોનો કરું, સમજાવશો કોઈ?
હૃદય ને આંખડી બન્નેયને હારે નજર લાગી?

લથડિયું ખાઈને આકાશથી ગબડી પડ્યો તારો;
ધરા પરથી શું એને કોઈની ભારે નજર લાગી?

અછકલાં રૂપરાણીએ અરીસામાં નિહાળ્યું તો —
નયનમાં ડોકિયું કરતા અહંકારે નજર લાગી.

દીવાનો ‘વિશ્વરથ’ ઘૂમી વળ્યો નવ ખંડમાં, તોપણ —
નથી એને સફરમાં ક્યાંય તલભારે નજર લાગી.

(મલયાનિલ, ૧૯૮૫, પૃ. ૪)