અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/જઠરાગ્નિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 36: Line 36:
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/નીરવ-પટેલ/|આસ્વાદ: એક સૌંદર્યવાદી કવિની ચરમ ચેતવણી — ડૉ. નીરવ પટેલ]
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/નીરવ-પટેલ/|આસ્વાદ: એક સૌંદર્યવાદી કવિની ચરમ ચેતવણી — ડૉ. નીરવ પટેલ]
<br>
<br>
{{HeaderNav2
|previous = નખી સરોવર ઉપર શરત્ પૂર્ણિમા
|next =ઝંખના
}}

Latest revision as of 12:40, 20 October 2021


જઠરાગ્નિ

ઉમાશંકર જોશી

રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા!

રચો, રચો ચંદનવાટિકાઓ,
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે!
               અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ન લાધશે!

વીસાપુર જેલ, એપ્રિલ ૧૯૩૨
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૫)



ઉમાશંકર જોશી • જઠરાગ્નિ • કવિના સ્વમુખે કાવ્યપઠન:


એક સૌંદર્યવાદી કવિની ચરમ ચેતવણી — ડૉ. નીરવ પટેલ