અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/એક ઝાડ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by one other user not shown)
Line 18: Line 18:


{{Right|અમદાવાદ, ૯-૮-૧૯૭૧}}
{{Right|અમદાવાદ, ૯-૮-૧૯૭૧}}
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૩૧)}}
</poem>
</poem>
<br>
<br>
<center>&#9724;
<center>&#9724;
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/આત્માનાં-ખંડેર-નિરંજન|આસ્વાદ: જીવનના આશ્લેષમાં ઊછરતું મૃત્યુફળ — રમણીક સોમેશ્વર]
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/એક-ઝાડ-જીવનના-આશ્લેષમાં/ આસ્વાદ: જીવનના આશ્લેષમાં ઊછરતું મૃત્યુફળ — રમણીક સોમેશ્વર]
<br>
<br>
{{HeaderNav2
|previous = માઈલોના માઈલો મારી અંદર
|next = મૂળિયાં
}}

Latest revision as of 13:09, 20 October 2021


એક ઝાડ

ઉમાશંકર જોશી

મારા બારણા સામે એક ઝાડ સુકાઈ રહ્યું છે.
હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો.
નર્યું રેખાઓનું માળખું છે એ.

એને ચરણે ઊભીને એને જોઉં છું.
પીધુંલીધુંદીધું એ ખંખેરીને ઊભું ન હો.

અટારીએથી રાત્રિઓના આછાઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું
વ્યક્તિત્વની ભિન્ન ભિન્ન અદાઓ એની:
મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની...

શાખાબાહુઓ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે
મૃત્યુફળ.

અમદાવાદ, ૯-૮-૧૯૭૧
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૩૧)


આસ્વાદ: જીવનના આશ્લેષમાં ઊછરતું મૃત્યુફળ — રમણીક સોમેશ્વર