અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/મૂળિયાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 26: Line 26:


{{Right|૨૯-૧૦-૧૯૭૧}}
{{Right|૨૯-૧૦-૧૯૭૧}}
{{(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૩૨)}}
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૩૨)}}
</poem>
</poem>
<br>
<br>
Line 32: Line 32:
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/મૂળિયાં-ઋજુ-કાવ્યત્વની-ટ/ આસ્વાદ: ઋજુ કાવ્યત્વની ટકાઉ શબ્દમૂર્તિ — સુમન શાહ]
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/મૂળિયાં-ઋજુ-કાવ્યત્વની-ટ/ આસ્વાદ: ઋજુ કાવ્યત્વની ટકાઉ શબ્દમૂર્તિ — સુમન શાહ]
<br>
<br>
{{HeaderNav2
|previous = એક ઝાડ
|next = અમે ઇડરિયા પથ્થરો
}}

Latest revision as of 13:09, 20 October 2021


મૂળિયાં

ઉમાશંકર જોશી

લોકો કહેતાં: ઝાડ છે,
         એમને મન અમે ન હતાં.
લો કો કહે છે: ઝાડ નથી,
         એમને મન અમેય નથી.
         અમે હતાં, અમે છીએ.
         અમે તો આ રહ્યાં.

         રસ કો ધસી અમોમાં
                  ઊડ્યો આકાશે.
                           ધબકતો સ્થિરવત્ ફુવારો.

કિરણોનો કસ અમે ચૂસ્યો અંધકારમાં,
નસનસમાં ઘૂમી વળ્યો હવાનો મહાસમુદ્ર,
પાંદડાંના પોપચાં મિચકાવતાં હસી રહ્યાં
અમે, ક્યારેક આભ આગળ કૈં બબડી રહ્યાં
એકમેકનેય અહીં ખબર ના પડે તેમ.
હવે આ ગાઢ ભીંસ સહી જશે કેમેય ના,
આધાર આપવાનું જતાં અમે નર્યાં નિરાધાર,
તેજોયાત્રા પૂર્ણ થઈ અમારી.
         હવે ધૂળિયાં,
         અમે મૂળિયાં.

૨૯-૧૦-૧૯૭૧
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૩૨)


આસ્વાદ: ઋજુ કાવ્યત્વની ટકાઉ શબ્દમૂર્તિ — સુમન શાહ