અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /અમારી બાદશાહી છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> અમારા કર મહીં છે જામ, તારે કર સુરાહી છે, કોઈ શું જાણશે, કેવી અમારી...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|અમારી બાદશાહી છે|`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી}}
<poem>
<poem>
અમારા કર મહીં છે જામ, તારે કર સુરાહી છે,
અમારા કર મહીં છે જામ, તારે કર સુરાહી છે,
Line 23: Line 26:
{{Right|(બંદગી, બીજી આ. ૨૦૦૦, પૃ. ૪૭)}}
{{Right|(બંદગી, બીજી આ. ૨૦૦૦, પૃ. ૪૭)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = અમને ગુરુ મળ્યા છે ગરવા
|next =કેટલો વખત
}}

Latest revision as of 08:32, 21 October 2021


અમારી બાદશાહી છે

`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી

અમારા કર મહીં છે જામ, તારે કર સુરાહી છે,
કોઈ શું જાણશે, કેવી અમારી બાદશાહી છે?

ન એને સાથની પરવા, ન એને રાહથી નિસ્બત,
ન એને મનથીયે મસલત, કોઈ એવોય રાહી છે.

પવન કેરા સપાટે આઘી પાછી થઈ હશે કિંતુ,
દિશા ચૂકી નથી નૈયા, સિતારાની ગવાહી છે.

ઘડો જે ઘાટ ઘડવો હોય તે, ગમતાં બીબાં ઢાળો,
અમારી આગ છે તે આગ છે, કિંતુ પ્રવાહી છે.

તમારી દેન માનીને સ્વીકારી છે મળી એવી,
પૂછી જુઓ ને ખુદ અમ જિંદગીને, કેવી ચાહી છે!

અમે તમ મ્હેરના વરસાદથી નાહ્યા છીએ એવા,
કે જેવી શ્રાવણી વરસાદથી આ સૃષ્ટિ નાહી છે.

ગમે ન્હૈ કેમ ‘ગાફિલ’ની ગઝલ હર એક હૈયાને?
કે એનો શેર એકેકો અલખનો ભાવવાહી છે.

(બંદગી, બીજી આ. ૨૦૦૦, પૃ. ૪૭)