અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/માણસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> કરવતથી વહેરેલાં ઝેરણીથી ઝેરેલાં, કાનસથી છોલેલાં, તોય અમે લાગણી...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|માણસ|વેણીભાઈ પુરોહિત}}
<poem>
<poem>
કરવતથી વહેરેલાં
કરવતથી વહેરેલાં
Line 28: Line 31:
{{Right|(આચમન, પૃ. ૩૭)}}
{{Right|(આચમન, પૃ. ૩૭)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = પારાવાર
|next = માયાપાશ
}}

Latest revision as of 09:06, 21 October 2021


માણસ

વેણીભાઈ પુરોહિત

કરવતથી વહેરેલાં
ઝેરણીથી ઝેરેલાં,
કાનસથી છોલેલાં,
તોય અમે લાગણીનાં માણસ.

બોમ બોમ બીડેલાં પંખાળાં સાંબેલાં,
ધણધણ ધુમાડાના
બહેરા ઘોંઘાટ તણી ઘાણીમાં પીલેલાં :
તોય અમે લાવણીનાં માણસ.

ખેતરનાં ડૂંડામાં
લાલ લાલ ગંજેરી,
શ્યામ શ્યામ સોનેરી,
ભડકે ભરખાયલ છે : દાણા દુણાયલ છે :
ઊગવાના ઓરતામાં વણસેલાં કણસેલાં —
તોય અમે વાવણીનાં માણસ.

ભૂખરાં ને જાંબુડિયાં… દૂધિયાં પિરોજાં,
દીઠા ને અણદીઠા દરિયાનાં મોજાં,
માતેલાં મસ્તાનાં ઘૂઘરિયાં સોજાં :
કાંઠેથી મઝધારે
સરગમને સથવારે,
તોય અમે આવણી ને જાવણીનાં માણસ.
ચડતી ને ઊતરતી ભાંજણીનાં માણસ.
કરવતથી…

(આચમન, પૃ. ૩૭)