અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પિનાકિન ઠાકોર /વિરહ અભિસાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 15: Line 15:
જનમે જનમે ઝંખવા, ઝૂરવા, દૂર ને દૂરના મેળા.
જનમે જનમે ઝંખવા, ઝૂરવા, દૂર ને દૂરના મેળા.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પિનાકિન ઠાકોર /દિયો | દિયો]]  | હે ભુવન ભુવનના સ્વામી! આ ઝરે આંસુની ધાર, ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/આવવા ન દે  | આવવા ન દે ]]  | જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,  ]]
}}

Revision as of 09:29, 21 October 2021


વિરહ અભિસાર

પિનાકિન ઠાકોર

આપણે શું કદી એકબીજા કેરાં દેખવાનાં નહીં દ્વાર?
કોઈને આંગણ મારગ, મંદિરે, મળી જવાં કોઈ વાર.

ક્ષણિક મિલાપની એક ઘડી વહે લાખ વિરહના ભાર,
ઓ પ્રિય, કેવા અલૌકિક આપણે આદર્યા છે અભિસાર!

સ્વપ્નભરી એક અંતર અંજલિ ઝૂરતી ઝરવા પાય,
પાંપણ મોતી પરોવ્યાં સોહામણાં કંઠ ક્યારે એ સોહાય!

જુગ જુગ લગીયે આપણી શું કદી ના’વશે મિલનની વેળા,
જનમે જનમે ઝંખવા, ઝૂરવા, દૂર ને દૂરના મેળા.