અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિલ જોશી/ખાલી શકુંતલાની આંગળી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ખાલી શકુંતલાની આંગળી|અનિલ જોશી}} <poem> કેમ સખી, ચીંધવો પવંનને...")
 
No edit summary
 
Line 18: Line 18:
(બરફનાં પંખી, પૃ. ૩૧)
(બરફનાં પંખી, પૃ. ૩૧)
</poem>
</poem>
{{HeaderNav2
|previous =કીડીએ ખોંખારો ખાધો
|next =બરફનાં પંખી
}}

Latest revision as of 11:36, 23 October 2021


ખાલી શકુંતલાની આંગળી

અનિલ જોશી

કેમ સખી, ચીંધવો પવંનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી.

ઝંઝાના સુસવાટા પાંખમાં ભરીને ઊડું આખ્ખું ગગન મારી ઇચ્છા
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખરતાં પરભાતિયાનાં પીંછાં
ઉરમાં તે માય નહીં ઊઠતો ઉમંગ, મને આવીને કોઈ ગયું સાંભળી
કેમ સખી, ચીંધવો પવંનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઈ એવું તો મંન ભરી ગાતો
કાંઈ એવું તો વંન ભરી ગાતો,
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર! ક્યાંક કાગડો થઈ ન જાય રાતો
આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઈ ઊડી જાય વાંસળી
કેમ સખી, ચીંધવો પવંનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી.
(બરફનાં પંખી, પૃ. ૩૧)