અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાપુભાઈ ગઢવી/પહેરણ ફકીરનું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પહેરણ ફકીરનું|બાપુભાઈ ગઢવી}} <poem> મનનુંય શું કરું, હું કરું શ...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(ગુજરાતી કવિતાસંચય : ૧૯૮૧, સંપા. હર્ષદ ત્રિવેદી, પૃ. ૪૨)}}
{{Right|(ગુજરાતી કવિતાસંચય : ૧૯૮૧, સંપા. હર્ષદ ત્રિવેદી, પૃ. ૪૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લલિત ત્રિવેદી/શ્રુતિ પ્રગટો હવે — | શ્રુતિ પ્રગટો હવે —]]  | આ સમાધિની ક્ષણો, શ્વાસો, શ્રુતિ પ્રગટો હવે, ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહર તળપદા/તમે જ્યારે જ્યારે... | તમે જ્યારે જ્યારે...]]  | તમે જ્યારે જ્યારે મુજ નયનમાં જાવ ફરકી]]
}}

Latest revision as of 13:12, 27 October 2021


પહેરણ ફકીરનું

બાપુભાઈ ગઢવી

મનનુંય શું કરું, હું કરું શું શરીરનું?
ક્યાં જઈ શકે ખસીને કશે વૃક્ષ તીરનું?

એવા જ ગુના મેંય કર્યા છે કબૂલ, હા,
મારુંય ભલે થાય, થયું જે કબીરનું!

ટીપેટીપું નિચોવીને તારી ગઝલ લખી,
આથી વધુ શું થાય બીજું કંઈ રુધિરનું?

આ વાત, વેણ, શબ્દનો શો અર્થ નીકળ્યો?
ગૂંગાનું ગાવણું અને સુણવું બધિરનું!

રહેવા દે બાપુભાઈ, તું સમજી નહીં શકે,
મેલું શું કામ હોય છે પહેરણ ફકીરનું?
(ગુજરાતી કવિતાસંચય : ૧૯૮૧, સંપા. હર્ષદ ત્રિવેદી, પૃ. ૪૨)