અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી)/હોય છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હોય છે|પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી)}} <poem> ::::::::::::સમજી નહ...")
 
No edit summary
 
Line 22: Line 22:
::::::::::::આ પંથમાં લાખો, ‘પ્રણય’ દીવાલ હોય છે.
::::::::::::આ પંથમાં લાખો, ‘પ્રણય’ દીવાલ હોય છે.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી)/રાત કરે ઝકઝોરા | રાત કરે ઝકઝોરા]]  | અણોસરી ઓસરિયો નાચી ઊઠે છે અવસરમાં ]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેશ વ્યાસ ‘મિસ્કીન’/તું (છોડીને આવ તું) | તું (છોડીને આવ તું)]]  | તારું કશું ન હોય તો છોડીને આવ તું, ]]
}}

Latest revision as of 10:31, 29 October 2021


હોય છે

પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી)

સમજી નહીં સમજાય એવી ચાલ હોય છે,
એ આપણા, આ મનને કદી ખ્યાલ હોય છે!

મૂંગા રહીને સાંભળે તેઓ સુખી રહે,
અહીં તો બધાના સ્કંધ પર વૈતાલ હોય છે.

માણી નથી શકતા કદી; એ સ્હેજ આજને,
ઘૂમરાતી જેના મન મહીં ગઈ કાલ હોય છે.

વેરાનમાંય વસ્તી એ ઊભી કરી શકે,
આ શબ્દ પણ સાચે અહીં કમાલ હોય છે.

સહેલાઈથી એ પણ નથી ઊકલી જતો અહીં,
ને સાવ નાનો આમ તો સવાલ હોય છે.

સહેલાઈથી ઓળંગવી મુશ્કેલ છે અહીં,
આ પંથમાં લાખો, ‘પ્રણય’ દીવાલ હોય છે.