ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતીમાં અનુવાદસાહિત્ય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">ગુજરાતીમાં અનુવાદસાહિત્ય: આ ૨૧મી સદીમાં — વ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
<span style="color:#0000ff">ગુજરાતીમાં અનુવાદસાહિત્ય: આ ૨૧મી સદીમાં — વૈશ્વિકીકરણના યુગમાં ‘અનુવાદ’ની ઘણી મહત્તા છે. આપણા ભારત જેવા બહુભાષી દેશની સંસ્કૃતિ જાળવી રાખવી હોય, યુરોપના કે પૂર્વના દેશોની સંસ્કૃતિનાં સ્થિત્યંતરોની ઓળખ કરવી હોય કે ઘણાં ભારતીયો જ્યારે અમેરિકન કે ઑસ્ટ્રેલિયન નાગરિક બન્યાં હોય — ઉપરાંત સામૂહિક માધ્યમોનો જ્યારે આટલો વિસ્ફોટ થયો હોય ત્યારે ‘અનુવાદ’ આપણી મદદે આવે છે. સામાજિક, રાજકીય, આર્થિક, વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક ઇત્યાદિ ક્ષેત્રોમાં સમય અને સંજોગોની સાથે સાથે વ્યક્તિની માનસિકતા બદલાય છે તેથી સમાજમાં પરિવર્તન આવે છે. પરિણામે રાષ્ટ્રની વિભાવના વિકાસ પામે છે અને એટલે દુનિયાભરના લોકો એકબીજાથી અજાણ કે પરાયા નથી રહેતા. આ માટે સેતુ બને છે જે તે ભાષામાં લખાયેલા પુસ્તકોનાં ભાષાંતર કે અનુવાદ.
<span style="color:#0000ff">'''ગુજરાતીમાં અનુવાદસાહિત્ય'''</span>: આ ૨૧મી સદીમાં — વૈશ્વિકીકરણના યુગમાં ‘અનુવાદ’ની ઘણી મહત્તા છે. આપણા ભારત જેવા બહુભાષી દેશની સંસ્કૃતિ જાળવી રાખવી હોય, યુરોપના કે પૂર્વના દેશોની સંસ્કૃતિનાં સ્થિત્યંતરોની ઓળખ કરવી હોય કે ઘણાં ભારતીયો જ્યારે અમેરિકન કે ઑસ્ટ્રેલિયન નાગરિક બન્યાં હોય — ઉપરાંત સામૂહિક માધ્યમોનો જ્યારે આટલો વિસ્ફોટ થયો હોય ત્યારે ‘અનુવાદ’ આપણી મદદે આવે છે. સામાજિક, રાજકીય, આર્થિક, વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક ઇત્યાદિ ક્ષેત્રોમાં સમય અને સંજોગોની સાથે સાથે વ્યક્તિની માનસિકતા બદલાય છે તેથી સમાજમાં પરિવર્તન આવે છે. પરિણામે રાષ્ટ્રની વિભાવના વિકાસ પામે છે અને એટલે દુનિયાભરના લોકો એકબીજાથી અજાણ કે પરાયા નથી રહેતા. આ માટે સેતુ બને છે જે તે ભાષામાં લખાયેલા પુસ્તકોનાં ભાષાંતર કે અનુવાદ.
મધ્યકાળમાં વૈદિક-પૌરાણિક, ધાર્મિક, આધ્યાત્મિક સાહિત્યને ગુજરાતીમાં ઉતારવાની પ્રવૃત્તિ પ્રબળરૂપમાં જોવા મળે છે. આ સમયગાળામાં રચાયેલ પરોપજીવી સાહિત્ય પૈકી કેટલુંક અનુવાદ ગણી શકાય એવું છે. આ સંદર્ભે રામાયણ-મહાભારતનાં પર્વો, ભગવદ્ગીતા, ભાગવતના સ્કંધો, માર્કંડેયપુરાણ, શિવપુરાણ, ગીતગોવિંદ, ગંગાલહરી, શિવમહિમ્નસ્તોત્ર, ચાણક્યનીતિ જેવી કેટલીક રચનાઓ નિર્દેશી શકાય. ‘દુર્ગાસપ્તશતી’ તથા ‘દશમસ્કંધ’નો કડવાંબદ્ધ પદ્યાનુવાદ આપ્યા પછી ભાલણનો વિશિષ્ટ કોટિનો પ્રયત્ન તો સમગ્ર ‘કાદમ્બરી’નો આખ્યાનરૂપના કડવાંબંધમાં આપેલો સારાનુવાદ છે. ‘વાગ્ભટ્ટાલંકાર’ અને ‘વિદગ્ધમુખમંડન’ જેવા અલંકારગ્રન્થોના ગદ્યાનુવાદો પ્રાપ્ત થયા છે એ બાબત પણ ઉલ્લેખનીય છે. ‘બિલ્હણપંચાશિકા’ના ગદ્યમાં અને પદ્યમાં અનુવાદો મળે છે. એ જ રીતે ‘બૃહદકથા’ તથા ‘પંચતંત્ર’ના પણ પદ્ય અને ગદ્યમાં સારસંગ્રહો કે અનુવાદો પ્રાપ્ત થયા છે. મધ્યકાળમાં મળેલા ઉપર્યુક્ત અનુવાદોમાં અભિવ્યક્તિ કરતાં વસ્તુસામગ્રીની બોધનિષ્ઠ રજૂઆત પર વધુ ભાર મુકાયેલો જોવા મળે છે. આ સમયમાં ધર્મ, અધ્યાત્મ, જ્યોતિષ, વૈદક વગેરે વિષયોની સરખામણીમાં અન્ય વિષયોના, સાહિત્યશાસ્ત્રના ગ્રન્થોના અનુવાદો અલ્પ પ્રમાણમાં થયા છે.
મધ્યકાળમાં વૈદિક-પૌરાણિક, ધાર્મિક, આધ્યાત્મિક સાહિત્યને ગુજરાતીમાં ઉતારવાની પ્રવૃત્તિ પ્રબળરૂપમાં જોવા મળે છે. આ સમયગાળામાં રચાયેલ પરોપજીવી સાહિત્ય પૈકી કેટલુંક અનુવાદ ગણી શકાય એવું છે. આ સંદર્ભે રામાયણ-મહાભારતનાં પર્વો, ભગવદ્ગીતા, ભાગવતના સ્કંધો, માર્કંડેયપુરાણ, શિવપુરાણ, ગીતગોવિંદ, ગંગાલહરી, શિવમહિમ્નસ્તોત્ર, ચાણક્યનીતિ જેવી કેટલીક રચનાઓ નિર્દેશી શકાય. ‘દુર્ગાસપ્તશતી’ તથા ‘દશમસ્કંધ’નો કડવાંબદ્ધ પદ્યાનુવાદ આપ્યા પછી ભાલણનો વિશિષ્ટ કોટિનો પ્રયત્ન તો સમગ્ર ‘કાદમ્બરી’નો આખ્યાનરૂપના કડવાંબંધમાં આપેલો સારાનુવાદ છે. ‘વાગ્ભટ્ટાલંકાર’ અને ‘વિદગ્ધમુખમંડન’ જેવા અલંકારગ્રન્થોના ગદ્યાનુવાદો પ્રાપ્ત થયા છે એ બાબત પણ ઉલ્લેખનીય છે. ‘બિલ્હણપંચાશિકા’ના ગદ્યમાં અને પદ્યમાં અનુવાદો મળે છે. એ જ રીતે ‘બૃહદકથા’ તથા ‘પંચતંત્ર’ના પણ પદ્ય અને ગદ્યમાં સારસંગ્રહો કે અનુવાદો પ્રાપ્ત થયા છે. મધ્યકાળમાં મળેલા ઉપર્યુક્ત અનુવાદોમાં અભિવ્યક્તિ કરતાં વસ્તુસામગ્રીની બોધનિષ્ઠ રજૂઆત પર વધુ ભાર મુકાયેલો જોવા મળે છે. આ સમયમાં ધર્મ, અધ્યાત્મ, જ્યોતિષ, વૈદક વગેરે વિષયોની સરખામણીમાં અન્ય વિષયોના, સાહિત્યશાસ્ત્રના ગ્રન્થોના અનુવાદો અલ્પ પ્રમાણમાં થયા છે.
મધ્યકાળમાં ગુજરાતમાં મુસ્લિમ શાસન હતું. છતાં અરબી-ફારસી કે ઉર્દૂ સાહિત્યમાંથી બહુ ઓછી કૃતિઓ ગુજરાતીમાં અનૂદિત થઈ છે. કવિ નશરવાનજી દુરબીને ‘અરેબિયન નાઇટ્સ’નો ફારસી તથા અરેબિકમાંથી વાર્તા સ્વરૂપે ગુજરાતી અનુવાદ પ્રગટ કર્યો હતો. વળી ઉર્દૂ ભાષાના પ્રસિદ્ધ કવિ અમીર ખુસરોના ફારસી કાવ્ય ‘ખઈઆલાતે ખુસરવી’નો અનુવાદ એવી સરળતાથી કર્યો છે કે તે કાવ્યો કવિની મૌલિક કૃતિઓ જેવાં જ લાગે છે. મધ્યકાળમાં પારસીઓ અને છેલ્લે છેલ્લે ખ્રિસ્તીઓએ થોડાંક ધાર્મિક પુ્સતકોના ગુજરાતી અનુવાદ આપ્યા છે. એર્વદ રાણા કામદીન નામક પારસીએ ૧૪૧૫માં પોતાના પૂર્વજોએ સંસ્કૃત ભાષામાં અનૂદિત કરેલા ‘ખોરદેહ અવસ્તા’ , ‘બેહમનયશ્ત’ અને ‘અર્દા વિરાફનામા’ના તત્કાલીન જૂની ગુજરાતીમાં અનુવાદો કર્યા હતા. ૧૪૫૧માં બહિરામસુત લક્ષ્મીધરે ‘અર્દા વિરાફનામા’નો અનુવાદ કર્યો હતો. ૧૮૧૭માં રેવ. ફૈપી અને સ્ક્રીન્નર નામક પાદરીઓએ બાઇબલના કેટલાક અંશોનું ભાષાન્તર પ્રગટ કરેલું. અલબત્ત, તેમાં અવિશદતા, ક્લિષ્ટતા ઠીક ઠીક પ્રમાણમાં હતી. નવા કરારનામા (ન્યૂ ટેસ્ટામેન્ટ)નો ગુજરાતીમાં અનુવાદ વર્ષોથી પ્રચલિત છે. પ્રોટેસ્ટન્ટ દેવળે પણ ગુજરાતીમાં અનુવાદ કરાવ્યા છે. પરંતુ ૧૬ વર્ષની સાધનાને અંતે નગીનદાસ પારેખે ફાધર ઈસુદાસ કવેલીના સહયોગમાં અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં આપેલો ‘બાઇબલ’નો અનુવાદ નવમા દાયકાનો શકવર્તી અનુવાદ છે. આ અનુવાદની વિશેષતા એ છે કે તેમણે કેટલાક ઊર્મિમય ખંડો જેવા કે ‘બુક ઑફ જૉબ’, ‘સૉન્ગ ઑફ સૉલોમન’, ‘સામ્સ’ના અનુવાદ કવિઓ નિરંજન ભગત, ચંદ્રકાન્ત શેઠ, યૉસેફ મેકવાન પાસે કરાવ્યા છે.
મધ્યકાળમાં ગુજરાતમાં મુસ્લિમ શાસન હતું. છતાં અરબી-ફારસી કે ઉર્દૂ સાહિત્યમાંથી બહુ ઓછી કૃતિઓ ગુજરાતીમાં અનૂદિત થઈ છે. કવિ નશરવાનજી દુરબીને ‘અરેબિયન નાઇટ્સ’નો ફારસી તથા અરેબિકમાંથી વાર્તા સ્વરૂપે ગુજરાતી અનુવાદ પ્રગટ કર્યો હતો. વળી ઉર્દૂ ભાષાના પ્રસિદ્ધ કવિ અમીર ખુસરોના ફારસી કાવ્ય ‘ખઈઆલાતે ખુસરવી’નો અનુવાદ એવી સરળતાથી કર્યો છે કે તે કાવ્યો કવિની મૌલિક કૃતિઓ જેવાં જ લાગે છે. મધ્યકાળમાં પારસીઓ અને છેલ્લે છેલ્લે ખ્રિસ્તીઓએ થોડાંક ધાર્મિક પુ્સતકોના ગુજરાતી અનુવાદ આપ્યા છે. એર્વદ રાણા કામદીન નામક પારસીએ ૧૪૧૫માં પોતાના પૂર્વજોએ સંસ્કૃત ભાષામાં અનૂદિત કરેલા ‘ખોરદેહ અવસ્તા’ , ‘બેહમનયશ્ત’ અને ‘અર્દા વિરાફનામા’ના તત્કાલીન જૂની ગુજરાતીમાં અનુવાદો કર્યા હતા. ૧૪૫૧માં બહિરામસુત લક્ષ્મીધરે ‘અર્દા વિરાફનામા’નો અનુવાદ કર્યો હતો. ૧૮૧૭માં રેવ. ફૈપી અને સ્ક્રીન્નર નામક પાદરીઓએ બાઇબલના કેટલાક અંશોનું ભાષાન્તર પ્રગટ કરેલું. અલબત્ત, તેમાં અવિશદતા, ક્લિષ્ટતા ઠીક ઠીક પ્રમાણમાં હતી. નવા કરારનામા (ન્યૂ ટેસ્ટામેન્ટ)નો ગુજરાતીમાં અનુવાદ વર્ષોથી પ્રચલિત છે. પ્રોટેસ્ટન્ટ દેવળે પણ ગુજરાતીમાં અનુવાદ કરાવ્યા છે. પરંતુ ૧૬ વર્ષની સાધનાને અંતે નગીનદાસ પારેખે ફાધર ઈસુદાસ કવેલીના સહયોગમાં અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં આપેલો ‘બાઇબલ’નો અનુવાદ નવમા દાયકાનો શકવર્તી અનુવાદ છે. આ અનુવાદની વિશેષતા એ છે કે તેમણે કેટલાક ઊર્મિમય ખંડો જેવા કે ‘બુક ઑફ જૉબ’, ‘સૉન્ગ ઑફ સૉલોમન’, ‘સામ્સ’ના અનુવાદ કવિઓ નિરંજન ભગત, ચંદ્રકાન્ત શેઠ, યૉસેફ મેકવાન પાસે કરાવ્યા છે.
Line 48: Line 48:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ગુજરાતી ભાષાનો ઉદ્દગમ અને વિકાસ
|next = ગુજરાતીમાં અનુસ્વાર
}}
26,604

edits