આત્માની માતૃભાષા/48: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|Ex-eternityથી eternity|પ્રવીણ દરજી}} <poem> શું શું સાથે લઈ જઈશ હું? કહું? લઈ...")
 
No edit summary
Line 33: Line 33:
{{Right|અમદાવાદ, ૨૩-૧૨-૧૯૫૪}}
{{Right|અમદાવાદ, ૨૩-૧૨-૧૯૫૪}}
</poem>
</poem>
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘શું શું સાથે લઈ જઈશ હું?’ એવું શીર્ષક વાંચીને કાવ્યમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે એક શ્વાસે વાંચતાં વાંચતાં આપણે અંતિમ પંક્તિ ઉપર અટકીએ છીએ. આરંભની પંક્તિના પ્રશ્નાર્થથી કહો કે અંતિમ પંક્તિના પ્રશ્નાર્થ ઉપર! આરંભનો પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ છે, અંતનો પ્રશ્નાથ પ્રશ્ન રહીને પણ એક સભર ઉત્તર છે. આ બે વચ્ચે કવિની સૂક્ષ્મ આંતરકથા છે. આ કવિ જેટલો માનવકુળનો છે, ‘યથાર્થ'નો છે, એટલો જ ઋષિકુળનો પણ છે. ‘દેવોનું કાવ્ય’ આ ‘અમૃતપુત્રે’ કવિની નજરથી નિહાળ્યું છે, તેના મર્મકોષો સુધી તે પહોંચ્યા છે, આગળ વધીને કહીએ તો તે એ સર્વમાં એકાકાર થઈ ચૂક્યા છે. ‘યથાર્થ’ ખરું પણ ભર્યું ભર્યું, કૃતાર્થ કરી મૂકે, પ્રસન્ન કરી મૂકે તેવું. કવિની એવી ‘દૃષ્ટિ'એ જોતાં ભાવક માટે પણ જગતનો અર્થ બદલાઈ જતો હોય છે. કવિ અહીં કાવ્ય લઈને, એક રીતે તો આપણી સાથે ગોષ્ઠી જ માંડે છે. આરંભની પ્રથમ પંક્તિનો પ્રશ્નાર્થ ભાવકમાં કુતૂહલ જગવે, પાંખમાં લે અને તરત જ બીજી પંક્તિનો ‘કહું?’ એવો પ્રશ્ન કરી તે આપણી સાથે સહજ રૂપે સંવાદ રચી રહે છે. અને પછી સળંગ કટાવને બદલે યથેચ્છ રૂપે અભ્યસ્ત કરી કટાવની જેમ જ સૃષ્ટિના અનેક પદાર્થો ઉપર તેમની નજર ઊડાઊડ થઈ રહે છે. હાથ ભલે લોકનજરે ખુલ્લા હોય, પણ ધરતીને અલવિદા કરતાં એ હાથમાં હશે ધરતીની હૃદયભર રિદ્ધિ, વસન્તની મહેક અને સુષમા, મેઘાચ્છાદિત સાંજે તરુશાખામાં ઝિલાયેલો તડકો, અઢળક હૃદયઉછાળ, માનવની ગતિ અને શાંતિ, પક્ષીઓનાં નૃત્ય, પશુઓની સહિષ્ણુતા, શિલાઓનું શાશ્વત મૌન, માનવીય વિરહ-મિલનની ક્ષણે, તેની શોભા, રાત્રિના તારકવૃંદની આભા, પ્રિયહૃદયોની ચાહના, અને સાથે જ્યાં ‘આહ’ છે ત્યાં પહોંચી જવાની વૃત્તિ, મિત્રો સાથેની મસ્ત ગોષ્ઠીઓ, અજાણ્યાઓનું લૂછેલું અશ્રુબિન્દુ, નિદ્રા, સ્વપ્નો, અસિદ્ધ રહે તો પણ એવા સ્વપ્નનો સાજ, બાળકનાં આશાભર્યાં નયન… અને એવું ઘણુંક…
‘શું શું સાથે લઈ જઈશ હું?’ એવું શીર્ષક વાંચીને કાવ્યમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે એક શ્વાસે વાંચતાં વાંચતાં આપણે અંતિમ પંક્તિ ઉપર અટકીએ છીએ. આરંભની પંક્તિના પ્રશ્નાર્થથી કહો કે અંતિમ પંક્તિના પ્રશ્નાર્થ ઉપર! આરંભનો પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ છે, અંતનો પ્રશ્નાથ પ્રશ્ન રહીને પણ એક સભર ઉત્તર છે. આ બે વચ્ચે કવિની સૂક્ષ્મ આંતરકથા છે. આ કવિ જેટલો માનવકુળનો છે, ‘યથાર્થ'નો છે, એટલો જ ઋષિકુળનો પણ છે. ‘દેવોનું કાવ્ય’ આ ‘અમૃતપુત્રે’ કવિની નજરથી નિહાળ્યું છે, તેના મર્મકોષો સુધી તે પહોંચ્યા છે, આગળ વધીને કહીએ તો તે એ સર્વમાં એકાકાર થઈ ચૂક્યા છે. ‘યથાર્થ’ ખરું પણ ભર્યું ભર્યું, કૃતાર્થ કરી મૂકે, પ્રસન્ન કરી મૂકે તેવું. કવિની એવી ‘દૃષ્ટિ'એ જોતાં ભાવક માટે પણ જગતનો અર્થ બદલાઈ જતો હોય છે. કવિ અહીં કાવ્ય લઈને, એક રીતે તો આપણી સાથે ગોષ્ઠી જ માંડે છે. આરંભની પ્રથમ પંક્તિનો પ્રશ્નાર્થ ભાવકમાં કુતૂહલ જગવે, પાંખમાં લે અને તરત જ બીજી પંક્તિનો ‘કહું?’ એવો પ્રશ્ન કરી તે આપણી સાથે સહજ રૂપે સંવાદ રચી રહે છે. અને પછી સળંગ કટાવને બદલે યથેચ્છ રૂપે અભ્યસ્ત કરી કટાવની જેમ જ સૃષ્ટિના અનેક પદાર્થો ઉપર તેમની નજર ઊડાઊડ થઈ રહે છે. હાથ ભલે લોકનજરે ખુલ્લા હોય, પણ ધરતીને અલવિદા કરતાં એ હાથમાં હશે ધરતીની હૃદયભર રિદ્ધિ, વસન્તની મહેક અને સુષમા, મેઘાચ્છાદિત સાંજે તરુશાખામાં ઝિલાયેલો તડકો, અઢળક હૃદયઉછાળ, માનવની ગતિ અને શાંતિ, પક્ષીઓનાં નૃત્ય, પશુઓની સહિષ્ણુતા, શિલાઓનું શાશ્વત મૌન, માનવીય વિરહ-મિલનની ક્ષણે, તેની શોભા, રાત્રિના તારકવૃંદની આભા, પ્રિયહૃદયોની ચાહના, અને સાથે જ્યાં ‘આહ’ છે ત્યાં પહોંચી જવાની વૃત્તિ, મિત્રો સાથેની મસ્ત ગોષ્ઠીઓ, અજાણ્યાઓનું લૂછેલું અશ્રુબિન્દુ, નિદ્રા, સ્વપ્નો, અસિદ્ધ રહે તો પણ એવા સ્વપ્નનો સાજ, બાળકનાં આશાભર્યાં નયન… અને એવું ઘણુંક…
Line 40: Line 40:
કાવ્યમાંના સંવાદતત્ત્વને, વિશેષે તો પ્રશ્નાલંકારને વટીને આગળ વધો. ‘સાથે', ‘હાથે', ‘તડકો', ‘ઉમળકો', ‘ક્રાન્તિ', ‘શાંતિ', ‘ચિરંતન', ‘સંતન', ‘શોભા', ‘આભા', ‘ચાહ', ‘આહ', ‘બંધુ', ‘અશ્રુ’ વગેરે પ્રાસનું કામણ જુઓ — કાવ્ય ઝગમગી ઊઠશે, કટાવનું અને કવિની અભીપ્સા — સ્વપ્નોનું નર્તન પ્રત્યક્ષ થશે. ગતિ અને દૃઢીભૂતતાનો પણ અનુભવ કરાવશે. ‘કહું?'થી કવિએ આપણને એની પાંખમાં લઈ જે પૃથ્વી-મનુષ્યકથા વિસ્તારી છે તે અંત ઉપર આવતા સુધીમાં આપણે મૂંગામૂંગા એકલય થઈ સાંભળીએ છીએ, પણ છેલ્લી પંક્તિના પ્રશ્નમાં તે આપણું મૌન તોડે છે. આપણે તે સાથે તેમના સંવાદમાં સામેલ થઈ જઈએ છીએ. કાવ્ય પૂરું થવાની ક્ષણે આપણે આપણા ખુલ્લા હાથને ‘ખાલી’ તો નહીં રાખીએ ને? — એવા પ્રશ્ન સાથે આપણું જ કાવ્ય રચવામાં પરોવાઈ જઈએ છીએ! કવિ — નિર્ભાર કવિ, આપણી પાસેથી દૂર સરકી ગયો છે. પણ તે તેની સુગંધ આપણા હૃદયમાં ભરી ગયો હોય છે. Ex-eternityથી eternity સુધીનું વર્તુળ પૂરું થાય છે… આપણે કવિની જેમ પછી આપણી ‘યાદી'ની શોધ આદરીએ છીએ…
કાવ્યમાંના સંવાદતત્ત્વને, વિશેષે તો પ્રશ્નાલંકારને વટીને આગળ વધો. ‘સાથે', ‘હાથે', ‘તડકો', ‘ઉમળકો', ‘ક્રાન્તિ', ‘શાંતિ', ‘ચિરંતન', ‘સંતન', ‘શોભા', ‘આભા', ‘ચાહ', ‘આહ', ‘બંધુ', ‘અશ્રુ’ વગેરે પ્રાસનું કામણ જુઓ — કાવ્ય ઝગમગી ઊઠશે, કટાવનું અને કવિની અભીપ્સા — સ્વપ્નોનું નર્તન પ્રત્યક્ષ થશે. ગતિ અને દૃઢીભૂતતાનો પણ અનુભવ કરાવશે. ‘કહું?'થી કવિએ આપણને એની પાંખમાં લઈ જે પૃથ્વી-મનુષ્યકથા વિસ્તારી છે તે અંત ઉપર આવતા સુધીમાં આપણે મૂંગામૂંગા એકલય થઈ સાંભળીએ છીએ, પણ છેલ્લી પંક્તિના પ્રશ્નમાં તે આપણું મૌન તોડે છે. આપણે તે સાથે તેમના સંવાદમાં સામેલ થઈ જઈએ છીએ. કાવ્ય પૂરું થવાની ક્ષણે આપણે આપણા ખુલ્લા હાથને ‘ખાલી’ તો નહીં રાખીએ ને? — એવા પ્રશ્ન સાથે આપણું જ કાવ્ય રચવામાં પરોવાઈ જઈએ છીએ! કવિ — નિર્ભાર કવિ, આપણી પાસેથી દૂર સરકી ગયો છે. પણ તે તેની સુગંધ આપણા હૃદયમાં ભરી ગયો હોય છે. Ex-eternityથી eternity સુધીનું વર્તુળ પૂરું થાય છે… આપણે કવિની જેમ પછી આપણી ‘યાદી'ની શોધ આદરીએ છીએ…
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 47
|next = 49
}}
18,450

edits