પુરાતન જ્યોત/૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|['''૫''']|}} {{Poem2Open}} ગિરનારનાં શિખરો પરથી સંધ્યાની લીલા ઊતરી જઈને...")
 
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 19: Line 19:
અમરબાઈના મોં ઉપર શરમ અને આત્મધિક્કારનું રુધિર ધમપછાડા કરતું હતું. ધીરે ધીરે એનાં નેત્રોમાંથી પાણી તબક્યાં.  
અમરબાઈના મોં ઉપર શરમ અને આત્મધિક્કારનું રુધિર ધમપછાડા કરતું હતું. ધીરે ધીરે એનાં નેત્રોમાંથી પાણી તબક્યાં.  
દેવીદાસ ઊઠ્યા. દીવાલની ખીંટી પર એકતારો લટકતો હતો. પિતા પુત્રને લે તે રીતે એકતારાને ખોળામાં બેસારી દેવીદાસે બીજા હાથમાં મંજીરા વીંટાળ્યા. ઘેરા અને ગંભીર સ્વરે એણે ભજન ઉપાડ્યું :  
દેવીદાસ ઊઠ્યા. દીવાલની ખીંટી પર એકતારો લટકતો હતો. પિતા પુત્રને લે તે રીતે એકતારાને ખોળામાં બેસારી દેવીદાસે બીજા હાથમાં મંજીરા વીંટાળ્યા. ઘેરા અને ગંભીર સ્વરે એણે ભજન ઉપાડ્યું :  
ગોધન હાલ્યાં જાય,  
{{Poem2Close}}
આ નવલખ તારાસૂરજ કેરાં
 
ગોધન હાલ્યાં જાય.  
<Poem>
એકલ ધરતી ઊભી ભાંભરે
'''ગોધન હાલ્યાં જાય,'''
વાછરડાં ખવાય.  
:'''આ નવલખ તારાસૂરજ કેરાં'''
સુનમાં ધરતી શોધ કરે રે
'''ગોધન હાલ્યાં જાય.'''
વાછરડાં ખોવાય.  
:'''એકલ ધરતી ઊભી ભાંભરે'''
પ્રથમીનાં વાછરડાં ખવાય,
'''વાછરડાં ખવાય.'''
માતનાં બાળકડાં ખોવાય.  
:'''સુનમાં ધરતી શોધ કરે રે'''
'''વાછરડાં ખોવાય.'''
ઊઠે ગોવાલા! નંદદુલારા!
:'''પ્રથમીનાં વાછરડાં ખવાય,'''
રજની ખાવા ધાય;  
'''માતનાં બાળકડાં ખોવાય.'''
કાળી રજનીમાં તમ વિણ કાના,
 
કોણ શોધવા જાય?  
<center>''''''</center>
ધરતીનાં વાછરડાં ખોવાય. – સુનમાં૦  
 
'''ઊઠે ગોવાલા! નંદદુલારા!'''
લીલી એક ડાંખળનું લોભી
'''રજની ખાવા ધાય;'''
ભેખડ ચડી ઊભું બાળ :  
:'''કાળી રજનીમાં તમ વિણ કાના,'''
ઊતરી ન શકે, પગલું ન કરે,
'''કોણ શોધવા જાય?'''
હેઠળ જળ ભેંકાર  
:'''ધરતીનાં વાછરડાં ખોવાય. – સુનમાં૦'''
ઊઠો હો ધરતીના મતવાલ! – સુનમાં૦  
 
<center>''''''</center>
 
'''લીલી એક ડાંખળનું લોભી'''
'''ભેખડ ચડી ઊભું બાળ :'''
:'''ઊતરી ન શકે, પગલું ન કરે,'''
'''હેઠળ જળ ભેંકાર'''
:'''ઊઠો હો ધરતીના મતવાલ! – સુનમાં૦'''
</Poem>
 
 
{{Poem2Open}}
અમરબાઈ એકધ્યાને સાંભળી રહી. એને લાગ્યું કે જાણે પોતે જ પૃથ્વીમાતાનું ભૂલું પડેલું વાછરડું છે : પોતે જ કોઈ વિકટ ભેખડ ઉપર ચડીને નીચે ઊતરવાના રસ્તા વગર ઊભેલ છે. એનું અંતઃકરણ પણ કોઈ ગોપાલનું આરાધન કરે છે, એવામાં —  
અમરબાઈ એકધ્યાને સાંભળી રહી. એને લાગ્યું કે જાણે પોતે જ પૃથ્વીમાતાનું ભૂલું પડેલું વાછરડું છે : પોતે જ કોઈ વિકટ ભેખડ ઉપર ચડીને નીચે ઊતરવાના રસ્તા વગર ઊભેલ છે. એનું અંતઃકરણ પણ કોઈ ગોપાલનું આરાધન કરે છે, એવામાં —  
"આ બેઠી એ તો આંહીં!” એકાએક બોલ સંભળાયો.  
"આ બેઠી એ તો આંહીં!” એકાએક બોલ સંભળાયો.  
Line 65: Line 76:
દેવીદાસ હજુ વિમાસણમાં મગ્ન હતા. અમરબાઈ હજુ એ ને એ હાલમાં બેઠી હતી. દેવીદાસે એક જ વચને કહ્યું :  
દેવીદાસ હજુ વિમાસણમાં મગ્ન હતા. અમરબાઈ હજુ એ ને એ હાલમાં બેઠી હતી. દેવીદાસે એક જ વચને કહ્યું :  
"મા, આ તે શું કર્યું?”  
"મા, આ તે શું કર્યું?”  
"સંતજી, મેં શોધી લીધું, કે માનવીને રોમે રોમે રક્તપીત ગંધાય છે."*[૧]
"સંતજી, મેં શોધી લીધું, કે માનવીને રોમે રોમે રક્તપીત ગંધાય છે."<ref>લોકકથા તો એટલું જ ભાખે છે કે રક્તપતિયાની સેવા કરનારી આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ, સાસરે જતાં જતાં કોણ જાણે શો પ્રભાવ અનુભવ્યો કે વસ્ત્રાભરણો ઉતારીને સદાનું રોકાણ સ્વીકાર્યું. અમરબાઈનું આવું પગલું, કોઈ સેવાધર્મની લગનીથી બનેલા હૃદયપરિવર્તનનું પરિણામ હતું કે સાસરવાસીના કોઈ અસહ્ય કલહજ્ઞાનથી ઊગરવાની ઇચ્છાનું પરિણામ હતું, તે વિશે લેકકથા ચૂપ જ રહે છે. અહીં જે રીતનું પરિવર્તન આલેખવામાં આવ્યું છે તે માટે આલેખનાર પોતે જવાબદાર છે. મુદ્દાની વાત તો એક જ છે, કે સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ છેક કાશીથી મગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનારા આભડછટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર એક ભરજુવાન આહીર સ્ત્રી હતી. </Ref>
{{Poem2Close}}
 
 
<br>
{{HeaderNav2
|previous = ૪
|next = ૬
}}


{{Poem2Close}}
 
----------------------------------------------

Latest revision as of 07:27, 7 January 2022


[]


ગિરનારનાં શિખરો પરથી સંધ્યાની લીલા ઊતરી જઈને આથમતા કાળની આસમાની ક્યારે છવાઈ જાય છે તેની જાણ પડતી નથી. અમરબાઈના મોં ઉપર પણ ઊભરાતી આશાના જોબનરંગો ક્યારે નીતરી ગયા, ગમગીની ક્યારે પથરાઈ ગઈ, પરિવર્તન દેખાયું પણ પરિવર્તન ક્યારે બની ગયું, તેની પળ ન જડી. એને પોતાને જ ન જડી. કેટલાક પલટાઓને લાંબા સમય લાગે છે. કેરીની રંગબદલીને માટે ઋતુઓ રાહ જોઈ જોઈ ખતમ થાય છે પણ બધા જ પલટા એટલો સમય નથી લેતા. ભાદરવા માસનો પ્રાણ ઘડી તપે છે, ઘડી ભીંજાય છે. “તમે કોણ છો બેન? ક્યાંનાં છો? બહાર ચાલો.” દેવીદાસનો અચંબો ઊંડો ગયો. “આયર છીએ, મને આંહીં થોડી વાર ઊભી રહેવા દેશો? આંહીં મારું મન ઠરે છે.” આખી દુનિયા ભાગી નીકળી છે, ત્યાં આ એક માનવીનું મન મારી પાસે આ ગંદકીની ને ભયંકર રોગની વચ્ચે ઠરે છે! દેવીદાસની સન્મુખ એક અકળ સમસ્યા ઊભી થઈ. "ભલે દીકરી, બેસો, આંહીં આવો આ પરસાળમાં.” કહીને એણે અમરબાઈને એક કામળ પાથરીને બેસારી. સામી ગમાણમાં આવળની સાંઠીઓને છાંયડે કવલી નાની ગાય બાંધી હતી. ગાય એના બે મહિનાના વાછરડાના શરીરે જીભથી ચાટીને ચળ કરતી હતી. દેવીદાસ ઠીકરાનું રામપાત્ર લઈને ગાય પાસે ગયા. પૂછ્યું : “માતાજી, મે'માન છે. બે શેDya પાડી લઉં?" ગાયે દેવીદાસનો હાથ ચાટ્યો. આઠદશ શેડ્યો પાડતાં તો રામપાત્ર છલકાઈ ઊઠ્યું : દેવીદાસે જઈને એ પાત્ર અમરબાઈ પાસે ધર્યું. ધેનુના આંચળો હજુ ટપકતા હતા. માટીપાત્રમાં દૂધ હસતું હતું. દેવીદાસનો ચહેરો પ્રસન્નતાથી છલકતો હતો. અમરબાઈ એ ઠેર ઠેર નિર્મળતા છલકતી દેખી. એણે રામપાત્ર પી લીધું. "તમારી સાથે કોણ છે?” દેવીદાસે પૂછ્યું. અમરબાઈએ જવાબ ન દીધો. એ જુદી જ ચેષ્ટાઓમાં પડી હતી. એ પોતાનાં કાંડાંમાંથી સોને મઢેલી ચૂડલીઓ ઉતારવા લાગી હતી. થોડી વાર થઈ ત્યાં એની સન્મુખ ચૂડલીઓની, કાનની વાળીઓ તથા નાકની ચૂકની, કપાળ પરથી સોનાની પાંદડીઓની ને પગના અણવટ-વીંછિયાની ઢગલીઓ થઈ ગઈ. "બોન!” દેવીદાસ ઊંધું સમજ્યા હતા : “આ જગ્યામાં એવું દાન અમે નથી લેતા. નાહક ન ઉતારો. અને કોઈને વરદાન વેચતા નથી. આશીર્વાદ તો મારા છે જ બેટા, કે પુત્રની જનેતા થા. હું તારા દુઃખની વાત ઉકેલી શકતો નથી. પણ દુનિયા ઝંખે છે, તેમ તુંય ઝંખતી હઈશ. . ..” અમરબાઈના મોં ઉપર શરમ અને આત્મધિક્કારનું રુધિર ધમપછાડા કરતું હતું. ધીરે ધીરે એનાં નેત્રોમાંથી પાણી તબક્યાં. દેવીદાસ ઊઠ્યા. દીવાલની ખીંટી પર એકતારો લટકતો હતો. પિતા પુત્રને લે તે રીતે એકતારાને ખોળામાં બેસારી દેવીદાસે બીજા હાથમાં મંજીરા વીંટાળ્યા. ઘેરા અને ગંભીર સ્વરે એણે ભજન ઉપાડ્યું :

ગોધન હાલ્યાં જાય,
આ નવલખ તારાસૂરજ કેરાં
ગોધન હાલ્યાં જાય.
એકલ ધરતી ઊભી ભાંભરે
વાછરડાં ખવાય.
સુનમાં ધરતી શોધ કરે રે
વાછરડાં ખોવાય.
પ્રથમીનાં વાછરડાં ખવાય,
માતનાં બાળકડાં ખોવાય.



ઊઠે ગોવાલા! નંદદુલારા!
રજની ખાવા ધાય;
કાળી રજનીમાં તમ વિણ કાના,
કોણ શોધવા જાય?
ધરતીનાં વાછરડાં ખોવાય. – સુનમાં૦



લીલી એક ડાંખળનું લોભી
ભેખડ ચડી ઊભું બાળ :
ઊતરી ન શકે, પગલું ન કરે,
હેઠળ જળ ભેંકાર
ઊઠો હો ધરતીના મતવાલ! – સુનમાં૦


અમરબાઈ એકધ્યાને સાંભળી રહી. એને લાગ્યું કે જાણે પોતે જ પૃથ્વીમાતાનું ભૂલું પડેલું વાછરડું છે : પોતે જ કોઈ વિકટ ભેખડ ઉપર ચડીને નીચે ઊતરવાના રસ્તા વગર ઊભેલ છે. એનું અંતઃકરણ પણ કોઈ ગોપાલનું આરાધન કરે છે, એવામાં — "આ બેઠી એ તો આંહીં!” એકાએક બોલ સંભળાયો. છઆઠ જણા અંદર ધસી આવ્યા. મોખરે સાસુ હતાં. પછવાડે એક જુવાન હતો. બીજા છ હથિયારબંધ સાથીઓ હતા. સહુ અમરબાઈના દીદાર દેખી ચમકી ઊઠ્યા. દેહ પરના દાગીનાની ઢગલીઓ થઈ ગઈ હતી. ચૂંદડી માથા પરથી ને ખભા પરથી ક્યારે સરી ગઈ તેનું અમરબાઈને ભાન નહોતું. "આવે મા! તમે હતાં મા?” દેવીદાસે એકતારાને દીવાલ પર ટેકવતે ટેકવતે હસી આદર દીધા. એ આદરના શબ્દોએ આયરાણીનાં નેત્રોમાંથી જવાબ તો જ્વાલાઓનો જ દીઠો : “આ શું માંડ્યું છે તમે મા'રાજ?” એટલું બોલીને સાસુ અમરબાઈ તરફ ફરી. “અમર," એણે કરડો અવાજ કાઢ્યો : “માથું તો ઢાંક! તારો ધણી આવીને ઊભો છે તેટલું તો વિચાર.” અમરબાઈ સાસુની સામે જોઈને હસવા લાગી. "ને આ દાગીના કેમ ઉતાર્યા છે વેરાગણ?” સાસુના એ સખ્ત પ્રશ્નનો ઉત્તર પણ અમરબાઈએ હસીને આપ્યો: "મા, તમને સોંપવા માટે જ." "મા મા કોને કરછ? ને સોંપવા છે શા સારુ?" "મા, મારા અંતરમાંના તમામ બોલ એક જ બોલમાં સમાઈ ગયા છે. મને મારી મા — મારી ધરતીમાતા ગોતે છે. ગોવાળ મને લેવા આવ્યા છે.” "આ તને શું થઈ ગયું?” કહીને સાસુએ અમરબાઈનું શિર ઢંઢળ્યું. “તમે આ શું કરી નાખ્યું દેવીદાસજી?” "કાંઈ નહીં મા! હુંય નથી સમજી શકતો કે આ શું થઈ ગયું. આ તમારી દીકરા-વહુ છે મા?" “આઈ” દૂરથી બૂમ પડી. એ બૂમ અમરબાઈના વરની હતી : “તમે ત્યાંથી ખસી જાવ. હું એ વેરાગણને અને આ ત્યાગીને પાધરાંદોર કરું છું.” અમરબાઈએ આ વચનો ઉચ્ચારનારની સામે મીટ માંડી. એણે કહ્યું: “આવા રૂડા મોઢામાં એવા બોલ ન સામે આયર! ને મારો વાંક તો એટલો બધો વળી ગયો કે હવે હું પાધરી નહીં થઈ શકું. લ્યો આયર, આ તમારા શણગાર; સુખેથી બીજે ચડાવજો.” નાકની ચૂંક અને સૌભાગ્યની બે ચૂડીઓ અમરબાઈએ જુદી પાડીને પોતાના પતિની સામે ધરી. “અરે ઊઠ ઊઠ હવે ભગતડી!” કહીને જુવાને અમરબાઈના છૂટી ગયેલ ચોટલાના કેશ ખેંચ્યા. "હા, હા, એ ચોટલો પણ તમારો ખરો હો આયર! લાવો છરી.” કહીને અમરબાઈએ જુવાનના કમરબંધમાંથી છરી ખેંચી લીધી. એ છરીથી પોતે પોતાનો ચોટલો કાપવા લાગી. સાસુ અને પતિ: અમરબાઈની નજરમાં દુનિયાનાં એ સુંદરમાં સુંદર માનવીઓઃ એ બેઉનાં રૂપ આટલાં બધાં બગડી ગયાં છે કે અમરબાઈને પહેલી જ વાર જ્ઞાન મળ્યું. જ્ઞાન એ મળ્યું કે બેઉનો સ્નેહ, એ ફક્ત માલિકીનો સ્નેહ હતો. થોડી વાર પહેલાં મને ખોળામાં સુવાડનારી વત્સલ સાસુ અત્યારે મને ગળાટૂંપો દેવાનો હોય તો દેવા તૈયાર છે! થોડી વાર પહેલાં મને ઝંખતો દોડ્યો આવેલ જુવાન મારા ખોળિયાને આ રક્તપિત્તના ચેપમાંથી બચાવવા માગતો હતો તે તો આ શરીર પોતાને ભોગ ભોગવવાનું સાધન હતું તેટલા સારુ જ ને! હું અમરબાઈ તરીકે અને દુનિયાના એક માનવી તરીકે તે પ્રેમ કરવા લાયક નહોતી, ખરું ને? ચમકતી વીજળીના સળાવા જેવા આ વિચારોએ અમરબાઈને વિશેષ દ્રઢ કરી. એણે પોતાની ચુદડી ખેંચવા માંડી. "કજાત! બસ થયું કજાત!” કહેતાં, આ નફટાઈ ન જોઈ શકાયાથી મા ને પુત્ર મોઢું ફેરવી ગયાં. પુત્રે કહ્યું : "મા, ભલે રહી એ આ બાવાને; હવે તો એ ઊતરેલ ધાનનું હાંડલું છે.” વેગીલે પગલે એ જગ્યાની બહાર નીકળી ગયો. સાસુ પણ ‘તને મૂઈ સમજું છું' એટલા બોલ બોલી છાતી પર ત્રણ વાર હાય, હાય હાય, એ શબ્દ હાથ પટકતી બહાર નીકળી ગઈ. થોડી વાર પછી જગ્યાનાં ઝાડની ઘટામાં લલ્કડખોદ પક્ષીના ઠકઠકાટ સિવાય બીજો કઈ બોલાશ નહોતો રહ્યો. દેવીદાસ હજુ વિમાસણમાં મગ્ન હતા. અમરબાઈ હજુ એ ને એ હાલમાં બેઠી હતી. દેવીદાસે એક જ વચને કહ્યું : "મા, આ તે શું કર્યું?” "સંતજી, મેં શોધી લીધું, કે માનવીને રોમે રોમે રક્તપીત ગંધાય છે."[1]





  1. લોકકથા તો એટલું જ ભાખે છે કે રક્તપતિયાની સેવા કરનારી આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ, સાસરે જતાં જતાં કોણ જાણે શો પ્રભાવ અનુભવ્યો કે વસ્ત્રાભરણો ઉતારીને સદાનું રોકાણ સ્વીકાર્યું. અમરબાઈનું આવું પગલું, કોઈ સેવાધર્મની લગનીથી બનેલા હૃદયપરિવર્તનનું પરિણામ હતું કે સાસરવાસીના કોઈ અસહ્ય કલહજ્ઞાનથી ઊગરવાની ઇચ્છાનું પરિણામ હતું, તે વિશે લેકકથા ચૂપ જ રહે છે. અહીં જે રીતનું પરિવર્તન આલેખવામાં આવ્યું છે તે માટે આલેખનાર પોતે જવાબદાર છે. મુદ્દાની વાત તો એક જ છે, કે સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ છેક કાશીથી મગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનારા આભડછટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર એક ભરજુવાન આહીર સ્ત્રી હતી.