સોરઠી સંતવાણી/ગુપત રસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગુપત રસ|}} <poem> ગુપત રસ આ તો જાણી લેજો, પાનબાઈ, :::: જેથી જાણવું ર...")
 
No edit summary
 
Line 21: Line 21:
:::: વરસાવો નિરમળ નૂર. — ગુપત
:::: વરસાવો નિરમળ નૂર. — ગુપત
</poem>
</poem>
<center>'''[ગંગાસતી]'''</center>
<br>
{{HeaderNav2
|previous = છાનામાં છાની
|next = ગજવાનો લાડવો
}}

Latest revision as of 09:48, 28 April 2022


ગુપત રસ

ગુપત રસ આ તો જાણી લેજો, પાનબાઈ,
જેથી જાણવું રહે નહીં કાંય,
ઓઘ રે આનંદના કાયમ રહે ને,
સેજે સેજે સંશય બધા મટી જાય —
ભાઈ રે! શૂરવીર થૈને સંગ્રામે ચડવું, પાનબાઈ,
માયલું મન ફરી ઊભું ન થાય;
કવલ ભગતિને તમે એમ પામો, પાનબાઈ,
જેથી જનમ મરણ સેજે મટી જાય. — ગુપત.
પરપંચનાં તોડી નાખો પડળ, પાનબાઈ,
તો તો પચરંગી પાર જણાય;
જથારથ પદને જાણ્યા પછી, પાનબાઈ!
ભાવ કભાવ મનમાં નહીં થાય. — ગુપત.
ભાઈ રે! મેદાનમાં હવે મામલો મચાવો, પાનબાઈ
ભજન કરો ભરપૂર;
ગંગા રે સતી એમ બોલિયાં રે
વરસાવો નિરમળ નૂર. — ગુપત

[ગંગાસતી]