સોરઠી સંતવાણી/શિષ્ય કોને કરવો?: Difference between revisions
Jump to navigation
Jump to search
[ગંગાસતી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શિષ્ય કોને કરવો?|}} <poem> અંતઃકરણથી પુજાવાની આશા રાખે ને :::: એન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
:::: એવાનો કરવો નહીં ઈતબાર રે. — અંતકરણથી. | :::: એવાનો કરવો નહીં ઈતબાર રે. — અંતકરણથી. | ||
</poem> | </poem> | ||
<center>'''[ગંગાસતી]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = સંસ્કાર જોવા | |||
|next = ઉપદેશનું પાત્ર | |||
}} |
Latest revision as of 10:59, 28 April 2022
શિષ્ય કોને કરવો?
અંતઃકરણથી પુજાવાની આશા રાખે ને
એને કેમ લાગે હરિનો સંગ રે
શિષ્ય કરવા નહીં એવા જેને
પૂરો ચડ્યો ન હોય રંગ રે —
ભાઈ રે અંતર નથી જેનું ઊજળું ને
જેને મોટાપણું મનમાંય રે —
તેને બોધ નવ દીજીએ ને
જેની વૃત્તિ હોય આંઈ ને ત્યાંય રે. — અંતઃકરણથી.
ભાઈ રે શઠ નવ સમજે સાનમાં ને
ભલે કોટિ કરે ઉપાય રે
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય ને
એવાની અંતે ફજેતી થાય રે. — અંતઃકરણથી.
ભાઈ રે એવાને ઉપદેશ કદી નવ દેવો ને
ઊલટી ઉપાધિ વધતી જાય રે,
ગંગાસતી એમ બોલિયાં ને
એવાનો કરવો નહીં ઈતબાર રે. — અંતકરણથી.