સોરઠી સંતવાણી/શિષ્ય કોને કરવો?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શિષ્ય કોને કરવો?|}} <poem> અંતઃકરણથી પુજાવાની આશા રાખે ને :::: એન...")
 
No edit summary
 
Line 21: Line 21:
:::: એવાનો કરવો નહીં ઈતબાર રે. — અંતકરણથી.
:::: એવાનો કરવો નહીં ઈતબાર રે. — અંતકરણથી.
</poem>
</poem>
<center>'''[ગંગાસતી]'''</center>
<br>
{{HeaderNav2
|previous = સંસ્કાર જોવા
|next = ઉપદેશનું પાત્ર
}}

Latest revision as of 10:59, 28 April 2022


શિષ્ય કોને કરવો?

અંતઃકરણથી પુજાવાની આશા રાખે ને
એને કેમ લાગે હરિનો સંગ રે
શિષ્ય કરવા નહીં એવા જેને
પૂરો ચડ્યો ન હોય રંગ રે —
ભાઈ રે અંતર નથી જેનું ઊજળું ને
જેને મોટાપણું મનમાંય રે —
તેને બોધ નવ દીજીએ ને
જેની વૃત્તિ હોય આંઈ ને ત્યાંય રે. — અંતઃકરણથી.
ભાઈ રે શઠ નવ સમજે સાનમાં ને
ભલે કોટિ કરે ઉપાય રે
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય ને
એવાની અંતે ફજેતી થાય રે. — અંતઃકરણથી.
ભાઈ રે એવાને ઉપદેશ કદી નવ દેવો ને
ઊલટી ઉપાધિ વધતી જાય રે,
ગંગાસતી એમ બોલિયાં ને
એવાનો કરવો નહીં ઈતબાર રે. — અંતકરણથી.

[ગંગાસતી]