સોરઠી સંતવાણી/ઉપદેશનું પાત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉપદેશનું પાત્ર

સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું ને
ઈ ચાર વાણી થકી પાર રે,
સ્વપ્નામાં પણ એ ચળે નહીં ને
એ તો નિર્ભય નર ને નાર રે —
ભાઈ રે ભેદવાદીપણાનો સંશય ઢળી ગયો ને
મટી ગયો વર્ણવિકાર રે
તનમનધન પોતાનું નથી માન્યું ને
સતગુરુ સાથે એકતાર રે. — સત્ય.
ભાઈ રે એવાને ઉપદેશ તરત લાગે ને
જેખે પાળ્યો સાંગોપાંગ અધિકાર રે
આ અલૌકિક વસ્તુ એવાને કે’જોને
નહીં તો સમજીને રહેજો સમાઈ રે. — સત્ય.
ભાઈ રે હરિગુરુ સંતને એકરૂપ જાણજો ને
રહેજો સ્વરૂપમાં લીન રે,
ગંગાસતી એમ બોલિયાં ને
તમે સમજુ છો મહાપ્રવીણ રે. — સત્ય

[ગંગાસતી]