9,291
edits
(Created page with "{{SetTitle}} {{Heading| | }} {{Poem2Open}} પ્રકરણ ૭ સરસ્વતીચંદ્ર સરસ્વતીચંદ્રનો બાપ લક્ષ...") |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading| પ્રકરણ ૭ : સરસ્વતીચંદ્ર | }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સરસ્વતીચંદ્રનો બાપ લક્ષ્મીનંદન મુંબઈનો ધનાઢ્ય વેપારી હતો. એ ઝાઝું ભણ્યો ન હતો, પણ સરસ્વતીચંદ્રની મા ચંદ્રલક્ષ્મી ડાહી અને સુશીલ હોવાથી તેના સંસ્કાર લક્ષ્મીનંદનમાં આવ્યા હતા. ચંદ્રલક્ષ્મીની સાસુ ઈશ્વરકોર સ્વભાવે તીખી હતી, દીકરા ઉપર વહુનું ચલણ સાંખી શકતી ન હતી, પણ સરસ્વતીચંદ્રના જન્મ પછી ડોશીનો પણ સ્વભાવ ફર્યો અને વહુનાં માન વધ્યાં. પણ પુત્ર ચાર-પાંચ વર્ષનો થયો એટલામાં ચંદ્રલક્ષ્મી ગુજરી ગઈ અને તે દિવસે ગુમાન નામની એક કન્યા સાથે લક્ષ્મીનંદનનો વિવાહ થયો. ગુમાન ઘેર આવી. તે હલકા કુટુંબની હતી અને ઓરમાન દીકરા ઉપર તથા તેને જાળવનાર ડોશી ઉપર વૈર રાખતી. | સરસ્વતીચંદ્રનો બાપ લક્ષ્મીનંદન મુંબઈનો ધનાઢ્ય વેપારી હતો. એ ઝાઝું ભણ્યો ન હતો, પણ સરસ્વતીચંદ્રની મા ચંદ્રલક્ષ્મી ડાહી અને સુશીલ હોવાથી તેના સંસ્કાર લક્ષ્મીનંદનમાં આવ્યા હતા. ચંદ્રલક્ષ્મીની સાસુ ઈશ્વરકોર સ્વભાવે તીખી હતી, દીકરા ઉપર વહુનું ચલણ સાંખી શકતી ન હતી, પણ સરસ્વતીચંદ્રના જન્મ પછી ડોશીનો પણ સ્વભાવ ફર્યો અને વહુનાં માન વધ્યાં. પણ પુત્ર ચાર-પાંચ વર્ષનો થયો એટલામાં ચંદ્રલક્ષ્મી ગુજરી ગઈ અને તે દિવસે ગુમાન નામની એક કન્યા સાથે લક્ષ્મીનંદનનો વિવાહ થયો. ગુમાન ઘેર આવી. તે હલકા કુટુંબની હતી અને ઓરમાન દીકરા ઉપર તથા તેને જાળવનાર ડોશી ઉપર વૈર રાખતી. | ||
લક્ષ્મીનંદન જેવો દ્રવ્યવાન તેવો જ સત્તાવાળો હતો. વિદ્યાને ઉત્તેજન આપવાનો તેને શોખ હોવાથી તેને ઘેર વિદ્વાનોનું મંડળ ભરાતું. આથી સરસ્વતીચંદ્ર રમાડવા જેવો થતાં જ વિદ્વાનોના ખોળામાં પડવા લાગ્યો. ગુમાનની ખુશામત કરનાર ગુમાસ્તા તથા ચાકરો ચંદ્રલક્ષ્મીના બાળકને ઝાઝું બોલાવતા ન હતા અને તેથી તેમની અધમ સંગતિથી બચી નિર્મળ સંગતિમાં ઊછરવાનો ગર્ભશ્રીમંત બાળકથી દૂર રહેતો લાભ લક્ષ્મીનંદનના પુત્રને ઈશ્વરે આપ્યો. | લક્ષ્મીનંદન જેવો દ્રવ્યવાન તેવો જ સત્તાવાળો હતો. વિદ્યાને ઉત્તેજન આપવાનો તેને શોખ હોવાથી તેને ઘેર વિદ્વાનોનું મંડળ ભરાતું. આથી સરસ્વતીચંદ્ર રમાડવા જેવો થતાં જ વિદ્વાનોના ખોળામાં પડવા લાગ્યો. ગુમાનની ખુશામત કરનાર ગુમાસ્તા તથા ચાકરો ચંદ્રલક્ષ્મીના બાળકને ઝાઝું બોલાવતા ન હતા અને તેથી તેમની અધમ સંગતિથી બચી નિર્મળ સંગતિમાં ઊછરવાનો ગર્ભશ્રીમંત બાળકથી દૂર રહેતો લાભ લક્ષ્મીનંદનના પુત્રને ઈશ્વરે આપ્યો. | ||
| Line 111: | Line 109: | ||
ચંદ્રકાંતની વાતો નાની કુસુમસુંદરીએ માબાપની પાછળ બેસી છાનીમાની સાંભળી લીધી હતી અને કુમુદને તે પહોંચાડવા ચંદ્રકાંતના શબ્દેશબ્દ પત્ર ઉપર ટપકાવી દીધા હતા. | ચંદ્રકાંતની વાતો નાની કુસુમસુંદરીએ માબાપની પાછળ બેસી છાનીમાની સાંભળી લીધી હતી અને કુમુદને તે પહોંચાડવા ચંદ્રકાંતના શબ્દેશબ્દ પત્ર ઉપર ટપકાવી દીધા હતા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | <hr> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૬ | |||
|next = ૮ | |||
}} | |||