કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૯.મારા રે હૈયાને તેનું પારખું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯.મારા રે હૈયાને તેનું પારખું|}} <poem> ક્યારે રે બુઝાવી મારી દ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૮.એક છોરી | ||
|next = | |next = ૧૦.એક દિવસ તો આવ પ્રભાત! | ||
}} | }} |
Latest revision as of 08:44, 24 June 2022
૯.મારા રે હૈયાને તેનું પારખું
ક્યારે રે બુઝાવી મારી દીવડી, ક્યારે તજી મેં કુટિર;
કઈ રે ઋતુના આભે વાયરા, કઈ મેં ઝાલી છે દિશ :
નહીં રે અંતર મારું જાણતું.
કેવાં રે વટાવ્યાં વન મેં આકરાં, ઊંચા ઊંચા પહાડ;
કેમ રે વટાવી, ઊભી માર્ગમાં, અંધારાની એ આડ :
નહીં રે અંતર મારું જાણતું.
વગડે ઊભી છે નાની ઝૂંપડી, થર થર થાયે છે દીપ;
તહીં રે જોતી મારી વાટડી, વસતી મારી ત્યાં પ્રીત :
મારા રે હૈયાને તેનું પારખું.
પડ્યા રે મારા પગ જ્યાં બારણે, સુણિયો કંકણનો સૂર;
મૃદુ એ હાથો દ્વારે જ્યાં અડ્યા, પળમાં બંધન એ દૂર.
મારા રે હૈયાને તેનું પારખું.
ફરીને કુટિરદ્વારો વાસિયાં, રાખી દુનિયા બહાર;
પછી રે હૈયાં બેઉ ખોલિયાં, જેમાં દુનિયા હજાર!
મારા રે હૈયાને તેનું પારખું.
(બારી બહાર, પૃ. ૭૦)