કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૨.અમે અંધારું શણગાર્યું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨.અમે અંધારું શણગાર્યું|પ્રહ્લાદ પારેખ}} <poem> આજ અમે અંધાર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૧.આજ | ||
|next = | |next = ૧૩.ચાંદરણાં | ||
}} | }} |
Latest revision as of 08:47, 24 June 2022
૧૨.અમે અંધારું શણગાર્યું
પ્રહ્લાદ પારેખ
આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું.
ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;
ફૂલોએ ફોરમને આલી આલીને એનું અંગે અંગ મહેકાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું...
પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા ખળખળ બોલે :
ધરણીના હૈયાના હરખે જાણે આજ અંધારાને યે નચાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું;
વીતી છે વર્ષા ને ધરતી છે તૃપ્ત આજ, આસમાન ખીલી ઊઠ્યું;
ઊડે આનંદરંગ ચોમેર અમારો, એમાં અંધારું આજે રંગાયું !
હો આજ અમે અંધારું શણગાર્યું...
થાયે છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાનાંયે વ્રત થાતાં :
આનંદઘેલાં હૈયે અમારાં આજ અંધારાને યે અપનાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું...
(બારી બહાર, પૃ. ૭૬)