19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 13: | Line 13: | ||
પણ મૂર્ત-અમૂર્તના આ વિકારશીલ juxtapositionને લેખકે, અંતે, બરાબરનું synchronize કરી આપ્યું છે, ને માલાની એક અત્યંત કરુણ ક્ષણને આકારીને કૃતિનું સમાપન કર્યું છે. જે ખંડમાં- ‘આંધળી ઓરડી’માં- અજયને આપણે પહેલા ટુકડામાં બેઠેલો-બોલતો જોઈએ-સાંભળીએ છીએ તે જ સ્થળવિશેષમાં, અજયની હાજરીમાં, અશોક જેવા એકદમ ચંચલ છીછરા પુરુષમિત્રને હાથે માલાનું શરીર ભોગવાતું બતાવીને લેખકે એની યાતનામાં પરાકાષ્ઠા આણી છે. માલા એ સમયે અજયનાં સંખ્યાબંધ સ્મરણોથી ભાવવિભોર બનેલી હતી અને મકાનમાંના અંતિમ સ્મરણઆલોકમાં ખોવાયેલી નિઃસ્તબ્ધ શૂન્ય હતી. તેવી ભાવમૂર્છનાની પળોમાં એનો આવો સ્થૂળ હ્રાસ અને પરાભવ, કરુણ તો છે જ; પણ ત્યાર પછીની ક્ષણે અજયનો જ શબ્દ આકાર લે છે–"My love, you yield, to absences. I will not return.’<ref>એજન, પૃ. ૮૬</ref> -તેમાં, કૃતિનું એક કલાત્મક અને પ્રાણવંત સમાપન પણ છે. | પણ મૂર્ત-અમૂર્તના આ વિકારશીલ juxtapositionને લેખકે, અંતે, બરાબરનું synchronize કરી આપ્યું છે, ને માલાની એક અત્યંત કરુણ ક્ષણને આકારીને કૃતિનું સમાપન કર્યું છે. જે ખંડમાં- ‘આંધળી ઓરડી’માં- અજયને આપણે પહેલા ટુકડામાં બેઠેલો-બોલતો જોઈએ-સાંભળીએ છીએ તે જ સ્થળવિશેષમાં, અજયની હાજરીમાં, અશોક જેવા એકદમ ચંચલ છીછરા પુરુષમિત્રને હાથે માલાનું શરીર ભોગવાતું બતાવીને લેખકે એની યાતનામાં પરાકાષ્ઠા આણી છે. માલા એ સમયે અજયનાં સંખ્યાબંધ સ્મરણોથી ભાવવિભોર બનેલી હતી અને મકાનમાંના અંતિમ સ્મરણઆલોકમાં ખોવાયેલી નિઃસ્તબ્ધ શૂન્ય હતી. તેવી ભાવમૂર્છનાની પળોમાં એનો આવો સ્થૂળ હ્રાસ અને પરાભવ, કરુણ તો છે જ; પણ ત્યાર પછીની ક્ષણે અજયનો જ શબ્દ આકાર લે છે–"My love, you yield, to absences. I will not return.’<ref>એજન, પૃ. ૮૬</ref> -તેમાં, કૃતિનું એક કલાત્મક અને પ્રાણવંત સમાપન પણ છે. | ||
‘છિન્નપત્ર’માં અગાઉના પચાસ ટુકડાઓમાં અજયનું મનોવિશ્વ narrative addressની પદ્ધતિએ આલેખન પામે છે; ને એમાં માલા-લીલા અને તેમનાં રહસ્યો સાથેના અજયના સમ્બન્ધો, એનાં સ્વરૂપો અને ત્રણેયના વ્યક્તિત્વ પણ ઉપસ્યા કરે છે. આ સંબોધન ‘એક હતો રાજા ને તેને બે હતી રાણી પ્રકારે ગતસમયના એકમોને ક્રમબદ્ધ કહેનારું નથી– સ્મૃતિ અને ભૂતકાળની, અને કલ્પન-પ્રતીકથી વ્યક્ત થતી મનોસ્થિતિઓ, કે જેમાં વિચાર, ચિંતન, લાગણી વગેરે ઓતપ્રોત થઈ ગયાં છે, તેની સંકુલ ભાતો થતું સ્વૈર અને નિરાકાર છે. ચેતનાના વિવિધ સ્તરો પર જિવાતી આ સૃષ્ટિ એના વેદનશીલ સર્જક-નાયકની જ મનોભૂમિની લીલા છે ને તેથી સર્વથા નિર્વાહ છે. ‘છિન્નપત્ર’ને અજયના આ વિશિષ્ટ વ્યક્તિત્વના સંદર્ભમાં જ મુલવી શકાય. | ‘છિન્નપત્ર’માં અગાઉના પચાસ ટુકડાઓમાં અજયનું મનોવિશ્વ narrative addressની પદ્ધતિએ આલેખન પામે છે; ને એમાં માલા-લીલા અને તેમનાં રહસ્યો સાથેના અજયના સમ્બન્ધો, એનાં સ્વરૂપો અને ત્રણેયના વ્યક્તિત્વ પણ ઉપસ્યા કરે છે. આ સંબોધન ‘એક હતો રાજા ને તેને બે હતી રાણી પ્રકારે ગતસમયના એકમોને ક્રમબદ્ધ કહેનારું નથી– સ્મૃતિ અને ભૂતકાળની, અને કલ્પન-પ્રતીકથી વ્યક્ત થતી મનોસ્થિતિઓ, કે જેમાં વિચાર, ચિંતન, લાગણી વગેરે ઓતપ્રોત થઈ ગયાં છે, તેની સંકુલ ભાતો થતું સ્વૈર અને નિરાકાર છે. ચેતનાના વિવિધ સ્તરો પર જિવાતી આ સૃષ્ટિ એના વેદનશીલ સર્જક-નાયકની જ મનોભૂમિની લીલા છે ને તેથી સર્વથા નિર્વાહ છે. ‘છિન્નપત્ર’ને અજયના આ વિશિષ્ટ વ્યક્તિત્વના સંદર્ભમાં જ મુલવી શકાય. | ||
* | <center>*</center> | ||
પ્રેમાનુભવમાં તથા પ્રકૃતિ કે સંસાર સાથેના તમામ સન્નિકર્ષોમાં જે કંઈ પણ જ્યારે transcendental ગોચર થાય ત્યારે તેને પકડીને શબ્દમાં મૂર્ત કરનારી સર્ગશક્તિ અજયમાં નોંધપાત્ર લક્ષણવિશેષ છે. અનુભૂતિની પાર જનારી એની મેધામાંથી જ અહીં માનુષ્યિક પ્રેમનું એક મૌલિક સ્વરૂપ સ્ફુર્યું છે. લેખકે એને સુન્દરમાં રૂપાન્તરીને ભાષામાં મૂકી આપ્યું છે. | પ્રેમાનુભવમાં તથા પ્રકૃતિ કે સંસાર સાથેના તમામ સન્નિકર્ષોમાં જે કંઈ પણ જ્યારે transcendental ગોચર થાય ત્યારે તેને પકડીને શબ્દમાં મૂર્ત કરનારી સર્ગશક્તિ અજયમાં નોંધપાત્ર લક્ષણવિશેષ છે. અનુભૂતિની પાર જનારી એની મેધામાંથી જ અહીં માનુષ્યિક પ્રેમનું એક મૌલિક સ્વરૂપ સ્ફુર્યું છે. લેખકે એને સુન્દરમાં રૂપાન્તરીને ભાષામાં મૂકી આપ્યું છે. | ||
માલાના સઘળા રહસ્યની માયા, એની મર્મકાયાની ઓળખ – બધું, અજય માટે ‘જીવન’ બની ગયું છે. માલા પોતાના મર્મ માટે મમત્વ ધરાવતી થાય, એની વ્યક્તિમત્તાનું પૂરું દર્શન પ્રગટે, એ પોતે પોતાને પામે, એવી આશાથી અજય પરોવાયો છે. પણ એ પોતાના પ્રેમનું સ્વરૂપ જાણવા ઝંખે છે ત્યારે એના ‘અહં’ની ભૂમિકા પર અજય-માલાનું વિશ્વ ભારે બનવા માંડે છે – સાહજિકતાનો નાશ થવા માંડે છે. પણ અજયની દૃષ્ટિએ એમ થવું એ જ સહજ છે. લીલાની જેમ, અજય અથવા માલા અહંકારને નષ્ટ કરી શકતાં નથી, પણ ‘હું’ના વિલોપનમાં પ્રેમની વ્યાપ્તિ જરૂર જુએ છે – જો કે એ વ્યાપ્તિ તે શૂન્ય છે એમ માનતા અજયની જ નહિ, બલકે આ કદાચ, માનવ-નિયતિની જ કરુણતા છે, જેમાંથી છટકવાનો માર્ગ નથી. અજય પ્રેમની અસીમતા કે પૂર્ણતા જાતના વિગલનમાં જુએ છે ને માલા પાસે એવા જ સમર્પણની અપેક્ષા રાખે છે. જો કે એ બધું સહજતયા સંભવે તેમાં જ એને રસ છે. અજયનો પ્રેમ કોઈ બંધન કે ફાંસો નથી જે માલાને હંમેશને માટે ગ્રસી લે. ઊલટું સામેથી અજયે માલાના સમગ્ર વ્યક્તિત્વને અકબંધ રાખીને જ ચાલ્યા કર્યું છે : ‘પણ તારું એક સ્વતન્ત્ર અસ્તિત્વ છે. ગમે તેટલું મથીએ તો ય બીજાના અસ્તિત્વની આ પૃથક્તાને પૂરેપૂરી ભેદી શકાતી નથી કે નથી પોતાનું પૂરું વિગલન થઈ શકતું. જે આ પૃથક્તાના પાયા પર જ કંઈક ખરું કરી શકે તે સાચો.<ref> | માલાના સઘળા રહસ્યની માયા, એની મર્મકાયાની ઓળખ – બધું, અજય માટે ‘જીવન’ બની ગયું છે. માલા પોતાના મર્મ માટે મમત્વ ધરાવતી થાય, એની વ્યક્તિમત્તાનું પૂરું દર્શન પ્રગટે, એ પોતે પોતાને પામે, એવી આશાથી અજય પરોવાયો છે. પણ એ પોતાના પ્રેમનું સ્વરૂપ જાણવા ઝંખે છે ત્યારે એના ‘અહં’ની ભૂમિકા પર અજય-માલાનું વિશ્વ ભારે બનવા માંડે છે – સાહજિકતાનો નાશ થવા માંડે છે. પણ અજયની દૃષ્ટિએ એમ થવું એ જ સહજ છે. લીલાની જેમ, અજય અથવા માલા અહંકારને નષ્ટ કરી શકતાં નથી, પણ ‘હું’ના વિલોપનમાં પ્રેમની વ્યાપ્તિ જરૂર જુએ છે – જો કે એ વ્યાપ્તિ તે શૂન્ય છે એમ માનતા અજયની જ નહિ, બલકે આ કદાચ, માનવ-નિયતિની જ કરુણતા છે, જેમાંથી છટકવાનો માર્ગ નથી. અજય પ્રેમની અસીમતા કે પૂર્ણતા જાતના વિગલનમાં જુએ છે ને માલા પાસે એવા જ સમર્પણની અપેક્ષા રાખે છે. જો કે એ બધું સહજતયા સંભવે તેમાં જ એને રસ છે. અજયનો પ્રેમ કોઈ બંધન કે ફાંસો નથી જે માલાને હંમેશને માટે ગ્રસી લે. ઊલટું સામેથી અજયે માલાના સમગ્ર વ્યક્તિત્વને અકબંધ રાખીને જ ચાલ્યા કર્યું છે : ‘પણ તારું એક સ્વતન્ત્ર અસ્તિત્વ છે. ગમે તેટલું મથીએ તો ય બીજાના અસ્તિત્વની આ પૃથક્તાને પૂરેપૂરી ભેદી શકાતી નથી કે નથી પોતાનું પૂરું વિગલન થઈ શકતું. જે આ પૃથક્તાના પાયા પર જ કંઈક ખરું કરી શકે તે સાચો.<ref>એજન, પૃ. ૫૭</ref> આમ અજય પાર્થક્ય ભૂંસી નાખનારો પ્રેમી નથી. તમામ ચીલાચાલુ નવલોના પ્રણય-પ્રેમ-પદાર્થથી અહીં ‘છિન્નપત્ર'નું પ્રેમવિશ્વ અને તેની મીમાંસા જુદાં પડી જાય છે, એટલે કે સમ્યક્રૂપમાં અહીં એના સ્વરૂપોને પામી શકીએ છીએ. | ||
આમ પાર્થકયનો પાર્થક્યરૂપે સ્વીકાર કરીને જ અજય માલાને પૂર્ણતયા પ્રગટાવવા માગે છે. પરંતુ એનો આ પ્રમાભિગમ કે પ્રણયાભિગમ સ્વના વિલોપનથી કે સ્વની આહુતિથી ચરિતાર્થ થયો નથી. એ જણાવે છે તેમ, ‘આપણને કોઈ નિઃશેષ થઈ જવા દે, નથી, અહીં તો સૌને અંશોનો ખપ હોય છે. | આમ પાર્થકયનો પાર્થક્યરૂપે સ્વીકાર કરીને જ અજય માલાને પૂર્ણતયા પ્રગટાવવા માગે છે. પરંતુ એનો આ પ્રમાભિગમ કે પ્રણયાભિગમ સ્વના વિલોપનથી કે સ્વની આહુતિથી ચરિતાર્થ થયો નથી. એ જણાવે છે તેમ, ‘આપણને કોઈ નિઃશેષ થઈ જવા દે, નથી, અહીં તો સૌને અંશોનો ખપ હોય છે.’<ref>એજન, પૃ. ૫૭</ref> સ્વથી જે કોઈ ઈતર છે તેના અભિગમની સ્વાર્થપરાયણ ન્યૂનતાઓનો પ્રશ્ન પણ અહીં એવા જ મહત્ત્વનો છે. છિન્ન અંશોની એષણા કે પ્રાપ્તિમાં દુઃખ, વ્યથા અને વેદના જ હોય છે. લેખકે અહીં અસ્તિત્વમૂલક, વર્તુળમાં ઘૂંટાતા રહેતા માનુષ્યિક પ્રેમની મર્યાદા ચીંધી છે, ને સાથે જ, એમાંથી એની અનિવાર્ય કરુણતા કેવી રીતે પ્રગટે છે તે બતાવ્યું છે. જોકે પ્રકૃતિમૂલક વિવશતાઓને વશ એવાં માલા-અજયનાં અસહજ વ્યક્તિત્વોની સરખામણીએ લીલાની સાહજિક પ્રકૃતિ ‘અગ્રાહ્ય’<ref>એજન, પૃ. ૪૫</ref> છે. અજયની દૃષ્ટિએ લીલા ‘અમાનુષી’ છે- ‘એની સાથે માયા જોડી ના શકાય જો કે, પણ, આ અભિગમે ય એનો પોતાનો છે. લીલા એવી ન પણ હોય. અજયની પારદર્શક અને પારગામી દૃષ્ટિ-પ્રકૃતિ જ એની. વેદના અને કરુણતાનું કારણ છે. જોકે જન્મોજન્મ સુધી વિસ્તરેલી આ પ્રેમપ્રક્રિયા સૂચવે છે તેમ, ને અજય માને છે તેમ, એમનો પ્રેમ બૃહત્ છે : બૃહત્ના રહસ્યમય અપ્રકટ અંશની જ આ વેદના છે, ને તેથી જ કદાચ પ્રેમનું પણ રહસ્ય જ, પ્રગટીને અજય-માલાને જકડી રાખે છે. આમ વેદના પ્રેમનો પર્યાય બની જાય છે – અજય માટે એ જીવનનો પર્યાય બની રહી છે. વેદનાને ભૂંસી નાખવી કે પ્રેમમાં બાંધછોડ ઊભી કરી એને સંકોચવો, એવી હીનતા અજય આચરી શકે નહિ. એનો પ્રેમ માનુષી હોવા છતાં એની flight જન્મજન્માંતર એટલે કે મૃત્યુને પણ ભેદી જવા ઝંખે છે. એ મૂર્ત ન થવા છતાં, એના પુરુષાર્થનું ગૌરવ પામવું એ તો માનવીના બસની બાબત છે. | ||
જેમાંથી આ બધું ઊગ્યું અને પછી જેમાં આ બધું સંચિત થતું રહ્યું તેવા પોતાના હૃદયને અને એની બધી જ અવળચંડાઈઓને અજય પૂરી જાગ્રતિથી વફાદાર છે. સંભવ છે કે લીલા પણ પોતાના હૃદયની આબોહવામાં જ શ્વસતી હોય, માલાનું પણ તેમ જ હોઈ શકે છે. બે પૃથક્ હૃદયને એક કરવામાં જ ઝંઝાવાત સૂસવી ઊઠે છે. | જેમાંથી આ બધું ઊગ્યું અને પછી જેમાં આ બધું સંચિત થતું રહ્યું તેવા પોતાના હૃદયને અને એની બધી જ અવળચંડાઈઓને અજય પૂરી જાગ્રતિથી વફાદાર છે. સંભવ છે કે લીલા પણ પોતાના હૃદયની આબોહવામાં જ શ્વસતી હોય, માલાનું પણ તેમ જ હોઈ શકે છે. બે પૃથક્ હૃદયને એક કરવામાં જ ઝંઝાવાત સૂસવી ઊઠે છે.<ref>એજન, પૃ. ૬૪</ref> એવું માનતો અજય હૃદય, મન, પ્રકૃતિ આદિમાં અનુભવાતા અસ્તિત્વનો અને ત્સ્ફુરિત વ્યક્તિત્વનો વિસ્તાર ઈચ્છે છે જે માનવી માટે એક દુરારાધ્ય આદર્શ છે. કેમ કે વિલયન પૂર્ણપણે થતું જ નથી. થાય તો તે એક એવી રિક્તતાનો, શૂન્યનો, અનુભવ છે જેની ઉપસ્થિતિમાં જીવવાનો કશો સ્વાદ નથી. તેથી જ અજય માને છે તેમ અસ્તિત્વનાં અતલ ઊંડાણોમાં પડેલો ભાર તો માનવીનું ‘નીરમ’<ref>એજન, પૃ. ૬૪</ref> છે એના વિના વહી ન શકાય : ‘થોડી વેદના, થોડું શૂન્ય આપણને આ સંસારમાં સાચા બનાવવાનું જરૂરી છે,’<ref>એજન, પૃ. ૩૬</ref> એવી અજયની સમજ છે... વ્યાપ્તિ શકય હોય તોપણ એને જિરવવાની અજયમાં હામ નથી. માલા સાથેના પોતાના યોગનું પરિણામ એણે આ રીતે વર્ણવ્યું છે : ‘રેસ્ટોરાંમાં બેઠો બેઠો સમુદ્ર ને ક્ષિતિજની ભેગી થતી રેખાને જોઉં છું. ભેગા થવું હોય તો આમ અફાટ રીતે વિસ્તરી જવું પડે. ને માલા, વિસ્તાર એટલે જ દૂરતા. એથી જ તો આપણે ભડકી ઊઠીએ છીએ. હાથથી હાથ છૂટો પડે, રસ્તાનો વળાંક આવે, દૃષ્ટિ પણ પાછી ફરે ત્યારે હૃદય કેવું ગભરાઈ ઊઠે છે!’<ref>એજન પૃ. ૫૭</ref> ધુમ્મસ ધૂંધળાશ અને અન્ધકાર સાથેનું અજયનું તાદાત્મ્ય પણ આ સંદર્ભમાં યથાર્થ ભાસશે. પૂરી પારદર્શકતા, અજય કહે છે, આપણે જિરવી શકતા નથી. જે ભાવ, યા સ્થિતિ, મરણનેય પ્રત્યક્ષ કરે- તેવી પારદર્શકતા અજયને મંજૂર નથી.<ref>એજન, પૃ. ૩૮</ref> આ બધાના અનિવાર્ય પરિણામરૂપે સર્વ કાંઈથી વિચ્છેદ અને તજ્જન્ય વિષાદ, વેદના જ અજયનો સ્થાયીભાવ બની રહે છે. આબોહવારૂપ વેદનાને જ રમાડીને, વિવાદને જ ગાઈ-ઘૂંટીને પોતામાં એવી કશીક હામ જન્માવવાની અજયને એષણા છે. એનું ગર્જનકર્મ આ આંતરિક જરૂરતમાંથી જન્મે છે. જો કે તેનાયે મિથ્યાત્વનું આ મેધાવીને પૂર્વજ્ઞાન છે- લેખનને એ આત્મપીડનનો પ્રકાર કહે છે. ક્ષણે ક્ષણે નવી સૃષ્ટિ સર્જવી એ અજય જેવા માટે જીવનજરૂરિયાત છે, તેમ છતાં પણ, એકલતાની આ રુદિષા અને અરણ્યરુદનની વિવશતા પછી પણ આ જ સૃષ્ટિમાં શ્વાસ લેવાના છે તેથી, અજયમાં ઈતર કે અન્યનો બહિષ્કાર નથી- બલકે સમજદારીભર્યો સ્વીકાર છે. એ સૃષ્ટિ ક્યાંયે નહિ ને માલાની આંખમાં મળે તો યે અજયને સંતોષ છે. પણ માલા ક્યાં? | ||
માલા ન ભેદી શકાતી દૂરતાના વેષ્ટનમાં લપેટાયેલી છે. એ મૌનથી જ અભિવ્યકત થાય છે. એ મૌન અશ્રુધૂસર છે ને પ્રેમની, અપરિમેય છતાં નિશ્ચિતભાવે અનુભવાતી બૃહતતાને કયા ભાજનમાં સંભરવી એ સમસ્યાથી અને પ્રેમની વિકટતા ન જિરવાતાં જન્મેલી વિવશ હતાશામાંથી ફૂટ્યું છે. ભલે અજયને એમાં કશાયની પણ અભિવ્યક્તિ ન વરતાતી હોય, છતાં, એ જ એની પ્રામાભિવ્યક્તિ છે. માલા માલારૂપે -રહસ્યમય અસ્તિત્વરૂપે જ- સતત રજૂ થઈ છે. પોતાના હૃદયની અને અહંકારની ગરમીઓમાં માલા પ્રેમપ્રાકટ્ય-સમયની મુગ્ધાવસ્થાને ચોળાઈ જતી અટકાવી શકી નથી. પ્રેમ આત્મપરિચયની અને આત્મવિસ્તૃતિની પ્રક્રિયા છે છતાં માલાને સ્વનો પરિચય થતો નથી. આખી વાતમાં માલામાં રહેલી માલા જ સમસ્યારૂપ છે. એના વ્યક્તિત્વમાં ઘણા મિશ્ર અંશો છે : અહંકાર નિશ્ચય હઠ અને એની સામે છેડેનું બાલિશ પરગામી ચાંચલ્ય પણ છે; આત્મરતિ છે તો વિખેરાઈ જઈ નિશ્ચિંત થવાની લાપરવાહી પણ છે. પોતે રહસ્યમયી છે ને અજય એના રહસ્યથી ઘવાયો છે એ જણાય તેવું છે. છતાં માલા પોતાના જ કેન્દ્રમાં બિડાયેલી, આત્મનિહિત છે. અજયનાં નિવેદનો કે લીલાની શિખામણો પછી પણ એ પુષ્પ ખીલી શકતું નથી. એનાં અસ્તિત્વમૂલક જીવનોમાં પડેલી આ બેહોશી, જડતા, એની વેદનાને એક મૌલિક પરિમાણ બક્ષે છે. માલાની વેદનાથી, એ, આધુનિક માનવસ્થિતિનું કેવું તો સુપેરે પ્રતિનિધિત્વ કરે છે અને એના લેખક એ વિશેષને કેવી સભરતાથી મૂર્ત કરે છે તેનો સઘન પરિચય થાય છે. નારીસહજ આંસુનો રાહ લીધા પછી પણ, ગૂંચો ઊકલે કે કેમ, સહજતા સિદ્ધ થાય કે કેમ, આત્મવિસ્તાર શકય બને કે કેમ વગેરે પ્રશ્નોની જાગ્રત તીખી અનુભૂતિઓ એના વ્યક્તિત્વની છિન્નતાને જ ઓળખાવે છે. પરિશિષ્ટની માલા પ્રક્રિયામાંથી કદી મુક્ત ન થનારો જીવ છે ને ભૂતકાળના બોજા હેઠળ ત્રસ્ત છે. કશીક અનિર્ણયની સ્થિતિમાં એ ક્ષણો સાચવી શકી નથી- એ કહે છે : ‘મેં ગૂંચનો હાઉ ખોટ્ટો તો ઊભો નહોતો કર્યો ને? ના કહેવી જોઈએ ત્યાં ના કહેવાની હિંમત કરી હોત, હા પાડવાની ક્ષણે હા પાડી હોત તો? પણ આ જ તો સહેલું નથી. હૃદય દગો દે છે, ખંધુ બનીને કશું બોલતું નથી. ને એ દરમ્યાન ક્ષણ ચાલી જાય છે. પણ એ ક્ષણ આગળ જિંદગી તો પૂરી થતી નથી! | માલા ન ભેદી શકાતી દૂરતાના વેષ્ટનમાં લપેટાયેલી છે. એ મૌનથી જ અભિવ્યકત થાય છે. એ મૌન અશ્રુધૂસર છે ને પ્રેમની, અપરિમેય છતાં નિશ્ચિતભાવે અનુભવાતી બૃહતતાને કયા ભાજનમાં સંભરવી એ સમસ્યાથી અને પ્રેમની વિકટતા ન જિરવાતાં જન્મેલી વિવશ હતાશામાંથી ફૂટ્યું છે. ભલે અજયને એમાં કશાયની પણ અભિવ્યક્તિ ન વરતાતી હોય, છતાં, એ જ એની પ્રામાભિવ્યક્તિ છે. માલા માલારૂપે -રહસ્યમય અસ્તિત્વરૂપે જ- સતત રજૂ થઈ છે. પોતાના હૃદયની અને અહંકારની ગરમીઓમાં માલા પ્રેમપ્રાકટ્ય-સમયની મુગ્ધાવસ્થાને ચોળાઈ જતી અટકાવી શકી નથી. પ્રેમ આત્મપરિચયની અને આત્મવિસ્તૃતિની પ્રક્રિયા છે છતાં માલાને સ્વનો પરિચય થતો નથી. આખી વાતમાં માલામાં રહેલી માલા જ સમસ્યારૂપ છે. એના વ્યક્તિત્વમાં ઘણા મિશ્ર અંશો છે : અહંકાર નિશ્ચય હઠ અને એની સામે છેડેનું બાલિશ પરગામી ચાંચલ્ય પણ છે; આત્મરતિ છે તો વિખેરાઈ જઈ નિશ્ચિંત થવાની લાપરવાહી પણ છે. પોતે રહસ્યમયી છે ને અજય એના રહસ્યથી ઘવાયો છે એ જણાય તેવું છે. છતાં માલા પોતાના જ કેન્દ્રમાં બિડાયેલી, આત્મનિહિત છે. અજયનાં નિવેદનો કે લીલાની શિખામણો પછી પણ એ પુષ્પ ખીલી શકતું નથી. એનાં અસ્તિત્વમૂલક જીવનોમાં પડેલી આ બેહોશી, જડતા, એની વેદનાને એક મૌલિક પરિમાણ બક્ષે છે. માલાની વેદનાથી, એ, આધુનિક માનવસ્થિતિનું કેવું તો સુપેરે પ્રતિનિધિત્વ કરે છે અને એના લેખક એ વિશેષને કેવી સભરતાથી મૂર્ત કરે છે તેનો સઘન પરિચય થાય છે. નારીસહજ આંસુનો રાહ લીધા પછી પણ, ગૂંચો ઊકલે કે કેમ, સહજતા સિદ્ધ થાય કે કેમ, આત્મવિસ્તાર શકય બને કે કેમ વગેરે પ્રશ્નોની જાગ્રત તીખી અનુભૂતિઓ એના વ્યક્તિત્વની છિન્નતાને જ ઓળખાવે છે. પરિશિષ્ટની માલા પ્રક્રિયામાંથી કદી મુક્ત ન થનારો જીવ છે ને ભૂતકાળના બોજા હેઠળ ત્રસ્ત છે. કશીક અનિર્ણયની સ્થિતિમાં એ ક્ષણો સાચવી શકી નથી- એ કહે છે : ‘મેં ગૂંચનો હાઉ ખોટ્ટો તો ઊભો નહોતો કર્યો ને? ના કહેવી જોઈએ ત્યાં ના કહેવાની હિંમત કરી હોત, હા પાડવાની ક્ષણે હા પાડી હોત તો? પણ આ જ તો સહેલું નથી. હૃદય દગો દે છે, ખંધુ બનીને કશું બોલતું નથી. ને એ દરમ્યાન ક્ષણ ચાલી જાય છે. પણ એ ક્ષણ આગળ જિંદગી તો પૂરી થતી નથી!<ref>એજન, પૃ. ૭૨</ref> સ્મૃતિના ક્ષારમાં ધોવાતી માલાને અહીં એવી પણ ક્ષણનો અનુભવ થાય છે જેમાં એને, પોતાની, અજયે વાંચેલી રહસ્યમયતાના પોતામાં હોવાપણા વિશેની પણ શંકા થાય છે. આ કટોકટી એને પ્રબળ પ્રેમની અનિવાર્યતા સમજાવે છે, પણ માલા કોણ જાણે શેના ભયે, આ પ્રબળતા ને પ્રચણ્ડતાથી દૂર ભાગતી આવી છે.’<ref>એજન, પૃ. ૭૮-૭૯</ref> એને પ્રશ્ન થાય છે : ‘મરણ પોતે જ એક એવો ઊછળતો જુવાળ નથી?<ref>એજન, પૃ. ૭૯</ref> પણ મરણ આગળ બધી વાતોનો છેડો આવતો નથી, પ્રેમમીમાંસામાં, છિન્નપત્ર, મૃત્યુનો તંતુ, બધું યાથાર્થ્ય સાચવીને સતત વ્યકત કરે છે, ને તેથી, મીમાંસાને એક આવશ્યક પરિમાણ મળે છે. માલાને થાય છે : આપણી ચેતનાને સંચિત કરવાને મરણનું પાત્ર પણ કદાચ નાનું પડતું હશે.<ref>એજન, પૃ. ૬ર</ref> કેમકે ચેતનાનો સ્વભાવ પોતાનું આગવાપણું ગુમાવવાનો નથી. પણ અજયનો પડકાર અહીં જ છે- ૪૪મા ટુકડામાં એના મરણ વિશેના ખ્યાલો વિસ્તારથી વાંચી શકાય છે. એને મન મૃત્યુ બધું એકાકાર, એકરૂપ, કરી નાખનારી ઘટના છે. પણ તેથી જ એનો ભય છે. અજય સર્જક હોઈને સંસાર પ્રકૃતિની તમામ માયિક રૂપાવલિઓથી લુબ્ધ છે. છતાં મરણભય અને રૂપરમણા વચ્ચે સમતુલા ઊભી કરવાની એની ખ્વાહિશ છે, અને એમાં એ માલાનો સહયોગ ઝંખે છે, સમાન્તર સહસ્થિતિ ઝંખે છે. એ ચિંતિત છે કે, એવા પરમાનુભવમાં આ માલા સાથે હશે ખરી? આમ મરણ એમના સ્નેહને ‘વળ’<ref>એજન, પૃ. ૫૯</ref> ચઢાવે છે, જીવન-જનિત વેદનાની પરિપૂર્ણ અનુભૂતિના ફળરૂપે અજય મરણને માલા સાથે ભોગવવા માગે છે. પ્રેમવેંકટ્યમાંથી જન્મેલી આ સહજ અમુર્ષા છિન્નપત્રમાં ગૂંચવાયેલી એક બળવાન સુંદર રેખા છે. | ||
‘જે આ ક્ષણે આંસુ બનવા જેટલું નિકટ આવે છે તે જ બીજી ક્ષણે દૂરનું નક્ષત્ર બનીને ચમકે છે. | ‘જે આ ક્ષણે આંસુ બનવા જેટલું નિકટ આવે છે તે જ બીજી ક્ષણે દૂરનું નક્ષત્ર બનીને ચમકે છે.<ref>એજન, પૃ. ૩</ref> અજયની આ ઉક્તિમાં માનુષ્યિક પ્રેમની સ્થિતિ અને આદર્શ બેય વણાયાં છે. આખરે તો ‘છિન્નપત્ર’માં માનુષ્યિક પ્રેમનું ગૌરવ જ ગવાયું છે : અજયના નિર્ભ્રાન્ત પ્રેમભાવની અને માલાના કેન્દ્રસ્થ પ્રેમમર્મની રજૂઆતોમાં બળવત્તા છતાં નબળાઈ, શિખરો ચૂમતી ગરવાઈ છતાં ખાઈના અન્ધકારમાં ચૂપ એવી માણસતાનાં દર્શન થાય છે ને તેથી રચના સાહિત્યકૃતિની કક્ષાએ રહે છે. (આધુનિક સંદર્ભમાં થયેલી આ પ્રેમમીમાંસા ‘સરસ્વતીચન્દ્ર’ પછીનું લાંબા ગાળાનું એ વિશેનું સર્જનાત્મક ચિંતન છે. એના લેખકે જાણ્યે-અજાણ્યે પણ ‘સરસ્વતીચન્દ્ર’ જોડે સન્ધાન સાંધ્યું, તે એમને પોતાને ગમ્યું હશે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center>***</center> | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = અમૃતા અને અસ્તિત્વવાદ | |previous = અમૃતા અને અસ્તિત્વવાદ | ||
|next = | |next = ભાવ–અભાવનો ગૌતમ | ||
}} | }} | ||
<br> | <br> | ||
edits