કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૦. સમંદરમાં કસ નથી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૦. સમંદરમાં કસ નથી| }} <poem> એવું નથી ઓ કાળ! કે મંથનમાં રસ નથી, અમૃત રહ્યું નહીં તો સમંદરમાં કસ નથી. દેખાય છે હજીય મને રણમાં ઝાંઝવાં, દાવો અમસ્તો કેમ કરું કે તરસ નથી. સાકીને ખાસ માર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૧૨)}} | {{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૧૨)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૯. ઐક્ય-વિધાતા_પ્રાસંગિક | |||
|next = ૪૧. અલ્લા બેલી | |||
}} |
Latest revision as of 10:45, 14 November 2022
૪૦. સમંદરમાં કસ નથી
એવું નથી ઓ કાળ! કે મંથનમાં રસ નથી,
અમૃત રહ્યું નહીં તો સમંદરમાં કસ નથી.
દેખાય છે હજીય મને રણમાં ઝાંઝવાં,
દાવો અમસ્તો કેમ કરું કે તરસ નથી.
સાકીને ખાસ મારા વતી એટલું કહો;
મુજને શરાબે-આમમાં છાંટોય રસ નથી.
જૂઠાં પડે ન ક્યાંક તબીબોનાં ટેરવાં!
પ્રેમીની નાડ છે, કોઈ મામૂલી નસ નથી.
લીલી-સૂકી તો શૂન્ય છે ચૈતન્યનું પ્રમાણ,
કબ્રોના ભાગ્યમાં કોઈ માઠું વરસ નથી.
(શૂન્યનો વૈભવ, પૃ. ૪૧૨)