આત્માની માતૃભાષા/47: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 149: Line 149:
‘પ્રભુ વિના દુ:ખ ક્યાં જઈ ગાવું?
‘પ્રભુ વિના દુ:ખ ક્યાં જઈ ગાવું?
::: આંસુ બીજું કોણ લૂછે?’
::: આંસુ બીજું કોણ લૂછે?’
</poem>
{{Poem2Open}}
મનુષ્યોની સમસ્યા જાણી નંદી કૂણો પડે છે. પાર્ષદનો મિજાજ છોડી મનુષ્યોની સમસ્યા પ્રભુ સમક્ષ રજૂ કરવા એ તૈયાર થાય છે. નંદી લોકોને કહે છે:
મનુષ્યોની સમસ્યા જાણી નંદી કૂણો પડે છે. પાર્ષદનો મિજાજ છોડી મનુષ્યોની સમસ્યા પ્રભુ સમક્ષ રજૂ કરવા એ તૈયાર થાય છે. નંદી લોકોને કહે છે:
{{Poem2Close}}
‘શિવજીનો તો ગૌરી સાથે
‘શિવજીનો તો ગૌરી સાથે
::: ચાલે છે સંલાપ
::: ચાલે છે સંલાપ
કહો તો હું જઈ પૂછી આવું.’
:: કહો તો હું જઈ પૂછી આવું.’
</poem>
</poem>
{{Poem2Open}}
નંદીની સહાનુભૂતિ સાંપડતાં લોકો તરત બોલી ઊઠે છે:
નંદીની સહાનુભૂતિ સાંપડતાં લોકો તરત બોલી ઊઠે છે:
‘પૂછી આવોને, બાપ!’
‘પૂછી આવોને, બાપ!’
Line 179: Line 184:
— પ્રભુનો આ પ્રશ્ન નંદીને અપ્રસ્તુત લાગે છે. એને સહેજ માઠું પણ લાગે છે. નંદી કહે છે:
— પ્રભુનો આ પ્રશ્ન નંદીને અપ્રસ્તુત લાગે છે. એને સહેજ માઠું પણ લાગે છે. નંદી કહે છે:
‘દીધો બીજો હોય ઉત્તર મેં શો?
‘દીધો બીજો હોય ઉત્તર મેં શો?
પૂછવાનું શું એય?’ —
:::::: પૂછવાનું શું એય?’ —
નંદીનું ભોળપણ, પોતાની જાત પરનો અતિવિશ્વાસ — નિર્દોષ અને નિર્મળ હાસ્યનો અનુભવ કરાવે છે.
નંદીનું ભોળપણ, પોતાની જાત પરનો અતિવિશ્વાસ — નિર્દોષ અને નિર્મળ હાસ્યનો અનુભવ કરાવે છે.
પ્રભુનો સંદેશો પહોંચાડવામાં પોતે ભાંગરો વાટ્યો છે એ હકીકતથી અજાણ નંદી પ્રભુ સમક્ષ પોતાના ઉત્તરનો પોપટપાઠ કરે છે. આ સાંભળી પ્રભુ એકદમ ચિંતામાં પડી જાય છે. પ્રભુને થાય છે કે આ તો મહા-અનર્થ થયો! માણસો ‘એક વાર’ ખાય એટલી મર્યાદામાં જ અનાજ ઉત્પન્ન કરવાનું પ્રભુનું આયોજન હતું. પ્રભુ નંદીને ઠપકો આપતાં કહે છે:
પ્રભુનો સંદેશો પહોંચાડવામાં પોતે ભાંગરો વાટ્યો છે એ હકીકતથી અજાણ નંદી પ્રભુ સમક્ષ પોતાના ઉત્તરનો પોપટપાઠ કરે છે. આ સાંભળી પ્રભુ એકદમ ચિંતામાં પડી જાય છે. પ્રભુને થાય છે કે આ તો મહા-અનર્થ થયો! માણસો ‘એક વાર’ ખાય એટલી મર્યાદામાં જ અનાજ ઉત્પન્ન કરવાનું પ્રભુનું આયોજન હતું. પ્રભુ નંદીને ઠપકો આપતાં કહે છે:
{{Poem2Close}}
<poem>
‘માનવીની તેં જિન્દગી, નંદી,
‘માનવીની તેં જિન્દગી, નંદી,
કરી દીધી શી ઝેર?
::: કરી દીધી શી ઝેર?
ખાઈ ખાઈ બધું ખુટાડશે ને
ખાઈ ખાઈ બધું ખુટાડશે ને
વસ્તીનો વધશે કેર.
::: વસ્તીનો વધશે કેર.
અરે ભોળા, તેં આ શું કીધું?
અરે ભોળા, તેં આ શું કીધું?
એક વેળાનું જ અન્ન મેં દીધું.
એક વેળાનું જ અન્ન મેં દીધું.
ત્રણ વેળા સુધી એટલું સીધું
ત્રણ વેળા સુધી એટલું સીધું
પ્હોંચે તે કઈ પેર?’
::: પ્હોંચે તે કઈ પેર?’
</poem>
{{Poem2Open}}
પ્રભુને ચિંતા છે કે લોકો ત્રણ-ત્રણ વાર ખાઈને અનાજ ખુટાડશે. અનાજનું પ્રમાણ તો માણસો એક વાર ખાય એટલું જ છે! કેવી અનવસ્થા સર્જાશે! માણસોની જિંદગી ઝેર જેવી થઈ જશે!
પ્રભુને ચિંતા છે કે લોકો ત્રણ-ત્રણ વાર ખાઈને અનાજ ખુટાડશે. અનાજનું પ્રમાણ તો માણસો એક વાર ખાય એટલું જ છે! કેવી અનવસ્થા સર્જાશે! માણસોની જિંદગી ઝેર જેવી થઈ જશે!
‘ઝેર-કેર-પેર’ અને ‘કીધું-દીધું-સીધું'ના પ્રાસાનુપ્રાસ જુઓ. સમગ્ર કાવ્યમાં પ્રાસાનુપ્રાસની આવી તરેહ (pattern) એકદમ સહજતાથી સચવાઈ છે. કાવ્યના લયની સંતુલિત જાળવણીમાં આ પ્રાસયોજનાનો અમૂલ્ય ફાળો છે. ‘સીધું’ શબ્દના પ્રયોગમાં કેટલું બધું ઔચિત્ય રહેલું છે! ‘સીધું’ એટલે ‘રાંધી રાખવા જેટલું કાચું અનાજ વગેરે સામગ્રી.’ પ્રભુએ અનાજ જરૂર પૂરતું ઉત્પન્ન કર્યું છે — તે પણ દરરોજ એક વાર ખાવા જેટલું! અનાજનો સંઘરો એ પ્રભુના વિધાનની વિરુદ્ધની પ્રવૃત્તિ છે એ આ ‘સીધું’ શબ્દ દ્વારા કેટલું સ્વાભાવિક રીતે સૂચવાય છે!
‘ઝેર-કેર-પેર’ અને ‘કીધું-દીધું-સીધું'ના પ્રાસાનુપ્રાસ જુઓ. સમગ્ર કાવ્યમાં પ્રાસાનુપ્રાસની આવી તરેહ (pattern) એકદમ સહજતાથી સચવાઈ છે. કાવ્યના લયની સંતુલિત જાળવણીમાં આ પ્રાસયોજનાનો અમૂલ્ય ફાળો છે. ‘સીધું’ શબ્દના પ્રયોગમાં કેટલું બધું ઔચિત્ય રહેલું છે! ‘સીધું’ એટલે ‘રાંધી રાખવા જેટલું કાચું અનાજ વગેરે સામગ્રી.’ પ્રભુએ અનાજ જરૂર પૂરતું ઉત્પન્ન કર્યું છે — તે પણ દરરોજ એક વાર ખાવા જેટલું! અનાજનો સંઘરો એ પ્રભુના વિધાનની વિરુદ્ધની પ્રવૃત્તિ છે એ આ ‘સીધું’ શબ્દ દ્વારા કેટલું સ્વાભાવિક રીતે સૂચવાય છે!
Line 195: Line 204:
બસ! તે દિવસથી નંદી પૃથ્વી પર બળદનો અવતાર ધારણ કરીને ફરે છે. કાવ્યના પ્રારંભમાં ‘કાંધ કંપાવતો ને પૂછ ઉછાળતો’ ગર્વીલો દેખાતો નંદી કાવ્યના અંતે સાવ રાંક થઈ ગયેલો દેખાય છે.
બસ! તે દિવસથી નંદી પૃથ્વી પર બળદનો અવતાર ધારણ કરીને ફરે છે. કાવ્યના પ્રારંભમાં ‘કાંધ કંપાવતો ને પૂછ ઉછાળતો’ ગર્વીલો દેખાતો નંદી કાવ્યના અંતે સાવ રાંક થઈ ગયેલો દેખાય છે.
કાવ્યના પ્રારંભે —
કાવ્યના પ્રારંભે —
{{Poem2Close}}
<poem>
કંપાવી કાંધ ને પૂછ ઉછાળી,
કંપાવી કાંધ ને પૂછ ઉછાળી,
નંદી સૌને પૂછે —
::: નંદી સૌને પૂછે —
—માં કંઈક ગર્વીલો નંદી દેખાય છે.
—માં કંઈક ગર્વીલો નંદી દેખાય છે.
કાવ્યના મધ્યે —
કાવ્યના મધ્યે —
‘શિવજીનો તો ગૌરી સાથે
‘શિવજીનો તો ગૌરી સાથે
ચાલે છે સંલાપ;
::: ચાલે છે સંલાપ;
કહો તો જઈ પૂછી આવું’
કહો તો જઈ પૂછી આવું’
</poem>
{{Poem2Open}}
—માં પોતાની સત્તાની રુએ પૃથ્વીવાસીઓ પર મહેરબાની દાખવતો નંદી દેખાય છે.
—માં પોતાની સત્તાની રુએ પૃથ્વીવાસીઓ પર મહેરબાની દાખવતો નંદી દેખાય છે.
કાવ્યના અંતે —
કાવ્યના અંતે —
{{Poem2Close}}
<poem>
‘આંખો મીંચીને ડોલતો નંદી
‘આંખો મીંચીને ડોલતો નંદી
થઈ ગયો ઊંચેકાન.’
::: થઈ ગયો ઊંચેકાન.’
</poem>
{{Poem2Open}}
—માં પ્રથમ પંક્તિમાં હજુ પોતાની મસ્તીમાં મહાલતો દેખાતો નંદી — પોતે કેવી ભયંકર ભૂલ કરી છે તેનો ખ્યાલ આવતાં સ્તબ્ધ થઈ જાય છે. ‘ઊંચેકાન’ એક જ શબ્દ દ્વારા સ્તબ્ધ થઈ ગયેલો ભોળો નંદી કેવો ઊપસી આવે છે! નંદીએ ભયંકર છબરડો વાળ્યો હોવા છતાં ભોળપણને કારણે એના તરફ ભાવકનાં ચિત્તમાં અનુકંપા જાગે છે. આ દરેક ચિત્રમાં નંદીના મિજાજના જુદા જુદા રંગો કેવળ એનાં અંગોનાં વિવિધ સંચલનો દ્વારા સૂચવાયા છે એ સહૃદયો અવશ્ય નોંધશે.
—માં પ્રથમ પંક્તિમાં હજુ પોતાની મસ્તીમાં મહાલતો દેખાતો નંદી — પોતે કેવી ભયંકર ભૂલ કરી છે તેનો ખ્યાલ આવતાં સ્તબ્ધ થઈ જાય છે. ‘ઊંચેકાન’ એક જ શબ્દ દ્વારા સ્તબ્ધ થઈ ગયેલો ભોળો નંદી કેવો ઊપસી આવે છે! નંદીએ ભયંકર છબરડો વાળ્યો હોવા છતાં ભોળપણને કારણે એના તરફ ભાવકનાં ચિત્તમાં અનુકંપા જાગે છે. આ દરેક ચિત્રમાં નંદીના મિજાજના જુદા જુદા રંગો કેવળ એનાં અંગોનાં વિવિધ સંચલનો દ્વારા સૂચવાયા છે એ સહૃદયો અવશ્ય નોંધશે.
માનવીના વિષમ જીવનના વર્ણન સાથે કાવ્ય પૂરું થાય છે:
માનવીના વિષમ જીવનના વર્ણન સાથે કાવ્ય પૂરું થાય છે:
{{Poem2Close}}
<poem>
ત્રણ ત્રણ વેળા ખાતાં માનવ
ત્રણ ત્રણ વેળા ખાતાં માનવ
વધ્યાં, ધરામાં ન માતાં માનવ,
વધ્યાં, ધરામાં ન માતાં માનવ,
ખાઉં ખાઉં કરે ન ધરાતાં માનવ
ખાઉં ખાઉં કરે ન ધરાતાં માનવ
એને કંઈ દાણો પૂરે.
:::: એને કંઈ દાણો પૂરે.
</poem>
{{Poem2Open}}
પ્રભુએ તો માણસજાત નિરાંતે જીવે એનું આયોજન કર્યું હતું. પણ નંદીની સામાન્ય ભૂલે એ આયોજન વિફળ થયું!
પ્રભુએ તો માણસજાત નિરાંતે જીવે એનું આયોજન કર્યું હતું. પણ નંદીની સામાન્ય ભૂલે એ આયોજન વિફળ થયું!
*
<center>*</center>
‘વૃષભાવતાર’ કાવ્યનો આસ્વાદ અહીં અટકાવી દઈએ તોપણ પૂર્ણ તૃપ્તિનો અનુભવ થાય જ. પરંતુ ઉત્તમ કાવ્યોમાં નવા નવા અર્થો પ્રગટાવવાની ગુંજાશ રહેલી હોય છે. કાવ્યમાંથી ભાવકને મળતા નવા નવા અર્થો જે-તે કાવ્યના સર્જન સમયે કવિના મનમાં સંપ્રજ્ઞાતપણે ન પણ હોય તે તદ્દન શક્ય છે. આ કાવ્યમાંથી પ્રગટતા કેટલાક નવા અર્થોના ઉપલક્ષ્યમાં પણ કાવ્યનો વિશેષ આસ્વાદ લઈએ?
‘વૃષભાવતાર’ કાવ્યનો આસ્વાદ અહીં અટકાવી દઈએ તોપણ પૂર્ણ તૃપ્તિનો અનુભવ થાય જ. પરંતુ ઉત્તમ કાવ્યોમાં નવા નવા અર્થો પ્રગટાવવાની ગુંજાશ રહેલી હોય છે. કાવ્યમાંથી ભાવકને મળતા નવા નવા અર્થો જે-તે કાવ્યના સર્જન સમયે કવિના મનમાં સંપ્રજ્ઞાતપણે ન પણ હોય તે તદ્દન શક્ય છે. આ કાવ્યમાંથી પ્રગટતા કેટલાક નવા અર્થોના ઉપલક્ષ્યમાં પણ કાવ્યનો વિશેષ આસ્વાદ લઈએ?
બ્રહ્માંડમાં વિલસી રહેલું ચૈતન્યતત્ત્વ આનંદરૂપ છે. આ જ ચૈતન્યતત્ત્વનો અંશ મનુષ્યમાં છે. એટલે મનુષ્યની ચેતના પરમ ચેતના સાથે એકરૂપ થાય તો એ પરમ આનંદની અનુભૂતિ કરી શકે. આ માટે મનુષ્યચેતનાનું શુદ્ધીકરણ આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. ‘દેહભાવ’ કે ‘જીવભાવ'ને કારણે મનુષ્યની ચેતના સતત અશુદ્ધ થતી રહે છે — અને તેથી જ એના શુદ્ધીકરણની પ્રક્રિયા પણ સતત થતી રહેવી જોઈએ. મનુષ્યનું ધ્યાન સતત આ શુદ્ધીકરણ પરત્વે રહે એ માટે પ્રભુએ સર્વ મનુષ્યો માટે —
બ્રહ્માંડમાં વિલસી રહેલું ચૈતન્યતત્ત્વ આનંદરૂપ છે. આ જ ચૈતન્યતત્ત્વનો અંશ મનુષ્યમાં છે. એટલે મનુષ્યની ચેતના પરમ ચેતના સાથે એકરૂપ થાય તો એ પરમ આનંદની અનુભૂતિ કરી શકે. આ માટે મનુષ્યચેતનાનું શુદ્ધીકરણ આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. ‘દેહભાવ’ કે ‘જીવભાવ'ને કારણે મનુષ્યની ચેતના સતત અશુદ્ધ થતી રહે છે — અને તેથી જ એના શુદ્ધીકરણની પ્રક્રિયા પણ સતત થતી રહેવી જોઈએ. મનુષ્યનું ધ્યાન સતત આ શુદ્ધીકરણ પરત્વે રહે એ માટે પ્રભુએ સર્વ મનુષ્યો માટે —
Line 220: Line 241:
— એવું આયોજન કર્યું હતું. ‘નાહવું’ એટલે માત્ર શરીરશુદ્ધિ — બાહ્યશુદ્ધિ એટલો જ અર્થ નથી — ‘નાહવું’ એટલે ‘આત્મશુદ્ધિ’ પણ. જળ રૂપે પરમ તત્ત્વની કૃપાનો અભિષેક થઈ રહ્યો છે એવા ભાવથી જો સ્નાન થાય તો શરીરશુદ્ધિ સાથે આત્મશુદ્ધિ પણ થતી રહે. આવું ‘આત્મસ્નાન’ જો દિવસમાં ત્રણ વાર થાય — એટલે કે દિવસભર એનું સાતત્ય જળવાઈ રહે — તો મનુષ્યનું ધ્યાન ‘આત્મશુદ્ધિ’ પર સતત રહી શકે અને તો ‘આનંદતત્ત્વ’ સાથે એ એકરૂપ બની શકે. પરંતુ મનુષ્યમાત્રમાં રહેલો ‘નંદી’ — ‘દેહભાવ’ કે ‘જીવભાવ’ એને ભુલાવામાં નાખતો રહે છે. ત્રણ વાર નાહવાને બદલે — સતત આત્મશુદ્ધિને બદલે — મનુષ્યમાં રહેલા નંદીના પ્રભાવને કારણે એ ‘ત્રણ વાર ખાવા’ તરફ — ભોગવિલાસ તરફ ઘસડાઈ ગયો છે. ગંગાસતીના એક ભજનમાં આવે છે:
— એવું આયોજન કર્યું હતું. ‘નાહવું’ એટલે માત્ર શરીરશુદ્ધિ — બાહ્યશુદ્ધિ એટલો જ અર્થ નથી — ‘નાહવું’ એટલે ‘આત્મશુદ્ધિ’ પણ. જળ રૂપે પરમ તત્ત્વની કૃપાનો અભિષેક થઈ રહ્યો છે એવા ભાવથી જો સ્નાન થાય તો શરીરશુદ્ધિ સાથે આત્મશુદ્ધિ પણ થતી રહે. આવું ‘આત્મસ્નાન’ જો દિવસમાં ત્રણ વાર થાય — એટલે કે દિવસભર એનું સાતત્ય જળવાઈ રહે — તો મનુષ્યનું ધ્યાન ‘આત્મશુદ્ધિ’ પર સતત રહી શકે અને તો ‘આનંદતત્ત્વ’ સાથે એ એકરૂપ બની શકે. પરંતુ મનુષ્યમાત્રમાં રહેલો ‘નંદી’ — ‘દેહભાવ’ કે ‘જીવભાવ’ એને ભુલાવામાં નાખતો રહે છે. ત્રણ વાર નાહવાને બદલે — સતત આત્મશુદ્ધિને બદલે — મનુષ્યમાં રહેલા નંદીના પ્રભાવને કારણે એ ‘ત્રણ વાર ખાવા’ તરફ — ભોગવિલાસ તરફ ઘસડાઈ ગયો છે. ગંગાસતીના એક ભજનમાં આવે છે:
‘સૂક્ષ્મ સૂવું ને સૂક્ષ્મ ચાલવું ને
‘સૂક્ષ્મ સૂવું ને સૂક્ષ્મ ચાલવું ને
સૂક્ષ્મ કરવો આહાર રે.’
::: સૂક્ષ્મ કરવો આહાર રે.’
— પરંતુ ‘સૂક્ષ્મ’ આહારને સ્થાને વધુ ને વધુ ‘આહાર’ તરફ — વધુ ને વધુ ભોગ તરફ માણસ ઘસડાતો રહ્યો છે. એક સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે તે પ્રમાણે અગ્નિમાં ઘી નાખો તો અગ્નિ શમે નહિ, વધુ પ્રદીપ્ત થાય એ રીતે ‘ભોગ’ અભિમુખ મન વધુ ને વધુ ‘ભોગ’ તરફ ખેંચાતું રહે છે.S એટલે મનુષ્યમાં રહેલા ‘નંદી'ને નાથીને — ‘ભોગ'માંથી મન પાછું વાળીને ‘યોગ’ તરફ મન વાળવામાં આવે તો પરમ તત્ત્વ સાથે એકરૂપ થઈ શકાય. ‘યોગ'ના અનેક અર્થોમાં એક અર્થ છે ‘મિશ્રણ’. પરમ ચૈતન્ય સાથે મનુષ્યની ચેતનાનું ‘મિશ્રણ’ થઈ જાય તો ગંગાસતીએ મનુષ્યમાત્ર પાસે જે અપેક્ષા રાખી છે,
— પરંતુ ‘સૂક્ષ્મ’ આહારને સ્થાને વધુ ને વધુ ‘આહાર’ તરફ — વધુ ને વધુ ભોગ તરફ માણસ ઘસડાતો રહ્યો છે. એક સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે તે પ્રમાણે અગ્નિમાં ઘી નાખો તો અગ્નિ શમે નહિ, વધુ પ્રદીપ્ત થાય એ રીતે ‘ભોગ’ અભિમુખ મન વધુ ને વધુ ‘ભોગ’ તરફ ખેંચાતું રહે છે.S એટલે મનુષ્યમાં રહેલા ‘નંદી'ને નાથીને — ‘ભોગ'માંથી મન પાછું વાળીને ‘યોગ’ તરફ મન વાળવામાં આવે તો પરમ તત્ત્વ સાથે એકરૂપ થઈ શકાય. ‘યોગ'ના અનેક અર્થોમાં એક અર્થ છે ‘મિશ્રણ’. પરમ ચૈતન્ય સાથે મનુષ્યની ચેતનાનું ‘મિશ્રણ’ થઈ જાય તો ગંગાસતીએ મનુષ્યમાત્ર પાસે જે અપેક્ષા રાખી છે,
‘ભાઈ રે, આઠે પહોર રહેવું આનંદમાં ને
‘ભાઈ રે, આઠે પહોર રહેવું આનંદમાં ને
વધુ ને વધુ જાગે જેથી પ્રેમ રે…’
::: વધુ ને વધુ જાગે જેથી પ્રેમ રે…’
— એવું થઈ શકે. પણ નિયતિતત્ત્વ ઘણું બળવાન છે. આ નિયતિતત્ત્વના પ્રભાવને કારણે પેલા
— એવું થઈ શકે. પણ નિયતિતત્ત્વ ઘણું બળવાન છે. આ નિયતિતત્ત્વના પ્રભાવને કારણે પેલા
‘નંદી'ને નાથવાનું સહેલાઈથી બની શકતું નથી. નિયતિના પ્રભાવ હેઠળ ‘નંદી’ મનુષ્યને સતત ભુલાવામાં નાખતો રહે છે — ભોગવાદ તરફ ખેંચતો રહે છે, પરિણામે મનુષ્ય પેલા અનિર્વચનીય ‘આનંદ'થી વધુ ને વધુ દૂર જતો જાય છે.
‘નંદી'ને નાથવાનું સહેલાઈથી બની શકતું નથી. નિયતિના પ્રભાવ હેઠળ ‘નંદી’ મનુષ્યને સતત ભુલાવામાં નાખતો રહે છે — ભોગવાદ તરફ ખેંચતો રહે છે, પરિણામે મનુષ્ય પેલા અનિર્વચનીય ‘આનંદ'થી વધુ ને વધુ દૂર જતો જાય છે.
ઉત્તમ કવિ ને ઉત્તમ કવિતા ભાવકને ક્યાંથી ક્યાં સુધી લઈ જવાનું સામર્થ્ય ધરાવે છે!
ઉત્તમ કવિ ને ઉત્તમ કવિતા ભાવકને ક્યાંથી ક્યાં સુધી લઈ જવાનું સામર્થ્ય ધરાવે છે!
{{Poem2Close}}
{{Poem2Close}}


<br>
<br>
18,450

edits