ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કવિતા અને રાજકીય સંચલન – નરસિંહરાવ દીવટિયા, 1859: Difference between revisions

Jump to navigation Jump to search
No Referencing
No edit summary
(No Referencing)
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading| 4. નરસિંહરાવ દીવટિયા | (3.9.1859 14.1.1937)}}
{|style="background-color: ; border: ;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:4 NARSINHRAO.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૪'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|નરસિંહરાવ દીવટિયા}}<br>{{gap|1em}}(..૧૮૫૯ ૧૪..૧૯૩૭)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|કવિતા અને રાજકીય સંચલન અથવા કવિતાસાહિત્યનું તાત્ત્વિક સ્વરૂપ શું?}}'''}}}}
{{dhr|1em}}
 


<center>  '''કવિતા અને રાજકીય સંચલન અથવા કવિતાસાહિત્યનું તાત્ત્વિક સ્વરૂપ શું?''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
“રાજકીય સંચલનમાં સાહિત્યને શા માટે ઘસડવું?” – આ પ્રશ્ન મને પૂછવામાં આવ્યો. પ્રશ્ન વિષમ છે અને નથી. આ પ્રશ્ન આપણા ગુર્જર સાહિત્યને અનુલક્ષીને પૂછ્યો હતો તે સાથે ગુજરાતી ભાષામાં કેટલાંક રાષ્ટ્રીય ગીતો ગુજરાતી ભાષાને લજવાવે એવાં ઢંગધડા વિનાનાં છે – એમ પણ વિચાર દર્શાવવામાં આવ્યો. અર્થાત્, આ પ્રશ્ન બહુ અંશે કવિતાસાહિત્યને વિશે જ પુછાયો જણાય છે. તો મારી ચર્ચાની એ મર્યાદા હું સાચવીને ચાલીશ. એટલે રાજકીય વિષયોની ચર્ચા માટે જે ખાસ સાહિત્ય ઉત્પન્ન થાય, એ વિષયોની સાથે સાક્ષાત્ સંબંધ રાખનારું સાહિત્ય, તેનો આ ચર્ચામાં સંગ્રહ અનિષ્ટ જ છે. એ પ્રકારનું સાહિત્ય અવશ્યમેવ રાજકીય સંચલનમાં પ્રવૃત્ત થાય જ. સાહિત્યનો અર્થ ત્યારે ગદ્ય કિંવા પદ્ય રૂપમાં કવિતાને યોગ્ય વાણીમાં ઉદ્ગાર સાથે જ જોડાયલો ગણવાનો છે.
“રાજકીય સંચલનમાં સાહિત્યને શા માટે ઘસડવું?” – આ પ્રશ્ન મને પૂછવામાં આવ્યો. પ્રશ્ન વિષમ છે અને નથી. આ પ્રશ્ન આપણા ગુર્જર સાહિત્યને અનુલક્ષીને પૂછ્યો હતો તે સાથે ગુજરાતી ભાષામાં કેટલાંક રાષ્ટ્રીય ગીતો ગુજરાતી ભાષાને લજવાવે એવાં ઢંગધડા વિનાનાં છે – એમ પણ વિચાર દર્શાવવામાં આવ્યો. અર્થાત્, આ પ્રશ્ન બહુ અંશે કવિતાસાહિત્યને વિશે જ પુછાયો જણાય છે. તો મારી ચર્ચાની એ મર્યાદા હું સાચવીને ચાલીશ. એટલે રાજકીય વિષયોની ચર્ચા માટે જે ખાસ સાહિત્ય ઉત્પન્ન થાય, એ વિષયોની સાથે સાક્ષાત્ સંબંધ રાખનારું સાહિત્ય, તેનો આ ચર્ચામાં સંગ્રહ અનિષ્ટ જ છે. એ પ્રકારનું સાહિત્ય અવશ્યમેવ રાજકીય સંચલનમાં પ્રવૃત્ત થાય જ. સાહિત્યનો અર્થ ત્યારે ગદ્ય કિંવા પદ્ય રૂપમાં કવિતાને યોગ્ય વાણીમાં ઉદ્ગાર સાથે જ જોડાયલો ગણવાનો છે.
Line 61: Line 69:
કવિતાનાં પ્રયોજનમાં એકદમ પરમ આનન્દ ઉત્પન્ન કરવો, सद्य: परनिर्वृत्ति। – એ પ્રયોજન બીજાં સર્વ પ્રયોજન કરતાં ઉત્તમ છે; મમ્મટ એને सकलप्रयोचानमौलिभूत કહે છે; रसास्वाद न समुद्भूतविगलितवेद्यान्तर આનંદ કહે છે; મોક્ષકાલના બ્રહ્માનંદના સરખો આનંદ કહે છે. રસના સ્વરૂપના અન્વીક્ષણમાં પણ रह्मास्वादभिवानुभावयन् अलौकिकचमत्कारकारी रस: એમ તત્ત્વદર્શન કર્યું છે. જગન્નાથ પંડિત પણ કાવ્યલક્ષણના આવશ્યક અંશ રમણીયતા – વિશે લોકોત્તર આહ્લાદજનક જ્ઞાનગોચરતા, એમ કહે છે. રસને પણ निचास्वरूपानन्देन सहगोचरीक्रियमाण: અને ब्रह्मास्वादसविधवती કહે છે. આ અલૌકિક આનન્દ — आत्मन: अमृता कलाને છાજતો આનન્દ-રાજકીય સંચલનના ઘોષપૂર્ણ ઉદ્દામ ભાવપ્રવાહો સાથે કદી સંગત થઈ ના શકે; કલાવિધાનના અસાધારણ ચાતુર્યથી એ ભાવને ભાવનામય જ્યોતિમાં બોળી શકાય ત્યારે કાંઈક એ દિવ્ય પરમાત્માની કલાની સમીપ આવે તો આવે, ઉપર નવ રસમાં ગુણપ્રમાણની સૂચના કરી તે તે રસમાં આ આનન્દની દિવ્યતાના અંશના પ્રમાણને લક્ષીને જ.
કવિતાનાં પ્રયોજનમાં એકદમ પરમ આનન્દ ઉત્પન્ન કરવો, सद्य: परनिर्वृत्ति। – એ પ્રયોજન બીજાં સર્વ પ્રયોજન કરતાં ઉત્તમ છે; મમ્મટ એને सकलप्रयोचानमौलिभूत કહે છે; रसास्वाद न समुद्भूतविगलितवेद्यान्तर આનંદ કહે છે; મોક્ષકાલના બ્રહ્માનંદના સરખો આનંદ કહે છે. રસના સ્વરૂપના અન્વીક્ષણમાં પણ रह्मास्वादभिवानुभावयन् अलौकिकचमत्कारकारी रस: એમ તત્ત્વદર્શન કર્યું છે. જગન્નાથ પંડિત પણ કાવ્યલક્ષણના આવશ્યક અંશ રમણીયતા – વિશે લોકોત્તર આહ્લાદજનક જ્ઞાનગોચરતા, એમ કહે છે. રસને પણ निचास्वरूपानन्देन सहगोचरीक्रियमाण: અને ब्रह्मास्वादसविधवती કહે છે. આ અલૌકિક આનન્દ — आत्मन: अमृता कलाને છાજતો આનન્દ-રાજકીય સંચલનના ઘોષપૂર્ણ ઉદ્દામ ભાવપ્રવાહો સાથે કદી સંગત થઈ ના શકે; કલાવિધાનના અસાધારણ ચાતુર્યથી એ ભાવને ભાવનામય જ્યોતિમાં બોળી શકાય ત્યારે કાંઈક એ દિવ્ય પરમાત્માની કલાની સમીપ આવે તો આવે, ઉપર નવ રસમાં ગુણપ્રમાણની સૂચના કરી તે તે રસમાં આ આનન્દની દિવ્યતાના અંશના પ્રમાણને લક્ષીને જ.
છેવટે, એક વિચારિયે: કવિતા પાર્થિવ ભાવનાની ક્ષુદ્રતામાં હોળી રમતી નથી: દિવ્યભૂમિમાં વિહાર કરે છે; તેટલું ના બને તોપણ એ ભૂમિના આંગણામાં જઈ અમૃતની ઝાંખી કરે છે; અને કાંઈ નહીં તો એ ભૂમિના બારણા આગળ જઈ કંકુના થાપા મારી આવે છે. કવિતાની આ ભાવના સ્વીકાર્યા પછી આપણે રાજકીય સંચલનના અતિ કનિષ્ઠ વાતાવરણમાં आत्मन: अमृता कलाને શી રીતે ઉતારી શકીશું? હું તો એ ભાવનાનો ભક્ત થઈ એટલું જ કહીશ કે – वन्देऽं देवतां वा चममुतामात्मनः कलाम्।
છેવટે, એક વિચારિયે: કવિતા પાર્થિવ ભાવનાની ક્ષુદ્રતામાં હોળી રમતી નથી: દિવ્યભૂમિમાં વિહાર કરે છે; તેટલું ના બને તોપણ એ ભૂમિના આંગણામાં જઈ અમૃતની ઝાંખી કરે છે; અને કાંઈ નહીં તો એ ભૂમિના બારણા આગળ જઈ કંકુના થાપા મારી આવે છે. કવિતાની આ ભાવના સ્વીકાર્યા પછી આપણે રાજકીય સંચલનના અતિ કનિષ્ઠ વાતાવરણમાં आत्मन: अमृता कलाને શી રીતે ઉતારી શકીશું? હું તો એ ભાવનાનો ભક્ત થઈ એટલું જ કહીશ કે – वन्देऽं देवतां वा चममुतामात्मनः कलाम्।
{{Poem2Close}}
{{Right|1922}}<br>
{{Right|1922}}<br>
{{Right|[મનોમુકુર-4, 1938]}}<br>
{{Right|[મનોમુકુર-4, 1938]}}<br>
{{Right|[કવિતાવિચાર, સંપા. ભૃગુરાય અંજારિયા, 1969]}}<br>
{{Right|[કવિતાવિચાર, સંપા. ભૃગુરાય અંજારિયા, 1969]}}<br>
{{Poem2Close}}
 


{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu