રચનાવલી/૨૧૨: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૨૧૨. પાયાનો ખાડો (આન્દ્રેઈ પ્લાનોતોવ) |}} {{Poem2Open}} ‘તમારા માટે મનુષ્ય હોવું માત્ર એક ટેવ હશે, મારે માટે તો એ આનંદ ઉત્સવ છે.’ આવું કહેનારો કોઈ અન્ય ગ્રહથી ઊતરી આવેલો જીવ જ હોઈ શકે...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 7: Line 7:
‘તમારા માટે મનુષ્ય હોવું માત્ર એક ટેવ હશે, મારે માટે તો એ આનંદ ઉત્સવ છે.’ આવું કહેનારો કોઈ અન્ય ગ્રહથી ઊતરી આવેલો જીવ જ હોઈ શકે અને આ જીવ તે અન્ય કોઈ નહિ પણ વીસમી સદીનો રશિયાનો અત્યંત અસાધારણ લેખક આન્દ્રેઈ પ્લાનોતોય છે. પશ્ચિમના સાહિત્યમાં હજી એ એટલો જાણીતો નથી એનું કારણ કદાચ એ છે કે એનાં લખાણોનો અનુવાદ કરવો એ ખૂબ અઘરી વાત છે. વળી એ રશિયન રાજકીય જમાતનો પણ લેખક નથી, કે એનું ઝટ નામ લેવાય એ જુદા પ્રકારનો લેખક છે. કથાવસ્તુ પાત્રો પરાકાષ્ઠા કે ઉપસંહાર જેવું એની કૃતિઓમાં એકદમ ઓછું હોય છે. અનુભવો પણ એવા મૂકે છે કે જેને સંવેદવા પાંચ ઇન્દ્રિયોની બહારની ઇન્દ્રિયો જોઈએ. ભાષા તો એ બોલાતી રશિયન ભાષા જ વાપરે છે પણ એમાં એવા નાના નાના ફેરફારો કરી બેસે છે કે વાક્યે વાક્યે ફકરાએ ફકરાએ અર્થ ખોળવાઈ જતાં નવી જ લાગણી અને નવા વિચારનો સામનો કરવો પડે છે.  
‘તમારા માટે મનુષ્ય હોવું માત્ર એક ટેવ હશે, મારે માટે તો એ આનંદ ઉત્સવ છે.’ આવું કહેનારો કોઈ અન્ય ગ્રહથી ઊતરી આવેલો જીવ જ હોઈ શકે અને આ જીવ તે અન્ય કોઈ નહિ પણ વીસમી સદીનો રશિયાનો અત્યંત અસાધારણ લેખક આન્દ્રેઈ પ્લાનોતોય છે. પશ્ચિમના સાહિત્યમાં હજી એ એટલો જાણીતો નથી એનું કારણ કદાચ એ છે કે એનાં લખાણોનો અનુવાદ કરવો એ ખૂબ અઘરી વાત છે. વળી એ રશિયન રાજકીય જમાતનો પણ લેખક નથી, કે એનું ઝટ નામ લેવાય એ જુદા પ્રકારનો લેખક છે. કથાવસ્તુ પાત્રો પરાકાષ્ઠા કે ઉપસંહાર જેવું એની કૃતિઓમાં એકદમ ઓછું હોય છે. અનુભવો પણ એવા મૂકે છે કે જેને સંવેદવા પાંચ ઇન્દ્રિયોની બહારની ઇન્દ્રિયો જોઈએ. ભાષા તો એ બોલાતી રશિયન ભાષા જ વાપરે છે પણ એમાં એવા નાના નાના ફેરફારો કરી બેસે છે કે વાક્યે વાક્યે ફકરાએ ફકરાએ અર્થ ખોળવાઈ જતાં નવી જ લાગણી અને નવા વિચારનો સામનો કરવો પડે છે.  
આન્દ્રેઈ પ્લાનોતોવની નામના તો એના મરણ પછી થઈ છે. ૧૯૫૧માં ખૂબ ગરીબીમાં ક્ષય રોગથી એનું અવસાન થયું. જીવનનાં છેલ્લા વર્ષોમાં તો એ કોઈ સાહિત્ય સંસ્થાના મકાનમાં ચોકીદારની કોટડીમાં રહેતો હતો. પાનખરમાં પીળાં પાંદડાંના ઢગલા વાળતો. વર્ગો ભરવા માટે આવતા વિદ્યાર્થીઓ એને જોતાં, ખાસ તો સાંભળતાં પણ કોઈનું એના તરફ ધ્યાન નહોતું. કોઈક કહેતું કે આ ગાંડાએ થોડી વાર્તાઓ લખેલી છે.  
આન્દ્રેઈ પ્લાનોતોવની નામના તો એના મરણ પછી થઈ છે. ૧૯૫૧માં ખૂબ ગરીબીમાં ક્ષય રોગથી એનું અવસાન થયું. જીવનનાં છેલ્લા વર્ષોમાં તો એ કોઈ સાહિત્ય સંસ્થાના મકાનમાં ચોકીદારની કોટડીમાં રહેતો હતો. પાનખરમાં પીળાં પાંદડાંના ઢગલા વાળતો. વર્ગો ભરવા માટે આવતા વિદ્યાર્થીઓ એને જોતાં, ખાસ તો સાંભળતાં પણ કોઈનું એના તરફ ધ્યાન નહોતું. કોઈક કહેતું કે આ ગાંડાએ થોડી વાર્તાઓ લખેલી છે.  
પ્લાનોતોવનો જન્મ ૧૮૯૯માં કોઈ નાના ગામમાં થયેલો. કુટુંબનો એ સૌથી મોટો દીકરો, દસ સભ્યોના પરિવારનું ભરણપોષણ નાની વયે એને માથે આવ્યું. પહેલાં ટ્રેન મિકેનિક, છાપખાનામાં ફોરમેન અને પછી કોઈ છાપામાં પત્રકાર તરીકે એ જુદાં જુદાં કામોમાં જોતરાયેલો રહ્યો. એની યુવાવસ્થા દરમ્યાન જ રશિયન ક્રાન્તિ થઈ. એની આસપાસનું જગત મોટી સામજિક ઊથલપાથલમાંથી પસાર થતું હતું, જેમાં ભાંગફોડ ઝાઝી અને રચનાત્મક કાર્ય ઓછું થઈ રહ્યું હતું. સમાજમાં ઠેરઠેર નવા માણસો નવા વર્ગો તા પર આવ્યા. નવી ભાષામાં વાત કરવા લાગ્યા. આ બૉલ્વેશિકોએ નવા વિશ્વનું વચન આપ્યું. ધરતી પર સ્વર્ગ ઉતારવાની, સંપૂર્ણ સુખની ખાતરી આપી પણ આ અંગે પ્લાનોતોવે એવી રીતે લખ્યું કે સાહિત્યના ક્ષેત્રમાં એને હાંસિયામાં ફેંકી દેવામાં આવ્યો. પ્લાનોતોવમાં રચનાત્મક કાર્યોનો ઉત્સાહ હતો પણ એ કોઈ સંપૂર્ણપણે રશિયન સામ્યવાદી વિચારસરણીને વરેલો નહોતો.
પ્લાનોતોવનો જન્મ ૧૮૯૯માં કોઈ નાના ગામમાં થયેલો. કુટુંબનો એ સૌથી મોટો દીકરો, દસ સભ્યોના પરિવારનું ભરણપોષણ નાની વયે એને માથે આવ્યું. પહેલાં ટ્રેન મિકેનિક, છાપખાનામાં ફોરમેન અને પછી કોઈ છાપામાં પત્રકાર તરીકે એ જુદાં જુદાં કામોમાં જોતરાયેલો રહ્યો. એની યુવાવસ્થા દરમ્યાન જ રશિયન ક્રાન્તિ થઈ. એની આસપાસનું જગત મોટી સામજિક ઊથલપાથલમાંથી પસાર થતું હતું, જેમાં ભાંગફોડ ઝાઝી અને રચનાત્મક કાર્ય ઓછું થઈ રહ્યું હતું. સમાજમાં ઠેરઠેર નવા માણસો નવા વર્ગો તખ્તા પર આવ્યા. નવી ભાષામાં વાત કરવા લાગ્યા. આ બૉલ્વેશિકોએ નવા વિશ્વનું વચન આપ્યું. ધરતી પર સ્વર્ગ ઉતારવાની, સંપૂર્ણ સુખની ખાતરી આપી પણ આ અંગે પ્લાનોતોવે એવી રીતે લખ્યું કે સાહિત્યના ક્ષેત્રમાં એને હાંસિયામાં ફેંકી દેવામાં આવ્યો. પ્લાનોતોવમાં રચનાત્મક કાર્યોનો ઉત્સાહ હતો પણ એ કોઈ સંપૂર્ણપણે રશિયન સામ્યવાદી વિચારસરણીને વરેલો નહોતો.
આમ છતાં એ રશિયન સ્વપ્નસેવીઓથી જુદો નહોતો. રશિયન સ્વપ્નસેવી પોતાને અને પરિવારને જ સુખી કરવા નહોતો માગતો પણ માનવજાતને સુખી કરવાને અધીર હતો. એવું કહેવાય છે કે પશ્ચિમનો માણસ કોઈ નાનું યંત્ર શોધવાનું પસંદ કરે, જે ખરેખર કામ કરતું હોય, પછી ભલે એનું સામૂહિક ઉત્પાદન થાય. પણ રશિયનોને તો ભવ્યતાનો તાવ ચઢેલો હોય. અધીર થઈને જેવું તેવું આયોજન કરી નાંખે, મસમોટું, મહત્ત્વકાંક્ષી કદી કોઈએ કર્યું ન હોય તેવું ઊભું કરી નાંખે પણ એ ખરેખર કામ કરતું ન હોય.  
આમ છતાં એ રશિયન સ્વપ્નસેવીઓથી જુદો નહોતો. રશિયન સ્વપ્નસેવી પોતાને અને પરિવારને જ સુખી કરવા નહોતો માગતો પણ માનવજાતને સુખી કરવાને અધીર હતો. એવું કહેવાય છે કે પશ્ચિમનો માણસ કોઈ નાનું યંત્ર શોધવાનું પસંદ કરે, જે ખરેખર કામ કરતું હોય, પછી ભલે એનું સામૂહિક ઉત્પાદન થાય. પણ રશિયનોને તો ભવ્યતાનો તાવ ચઢેલો હોય. અધીર થઈને જેવું તેવું આયોજન કરી નાંખે, મસમોટું, મહત્ત્વકાંક્ષી કદી કોઈએ કર્યું ન હોય તેવું ઊભું કરી નાંખે પણ એ ખરેખર કામ કરતું ન હોય.  
રશિયનેનો આ મિજાજ પ્લાનોતોવમાં વિચિત્ર રીતે ઊતર્યો છે.ગૌણ ગણાતી બાબતો પ્લાનોતોવનાં લખાણોમાં મુખ્ય બનીને આવે છે. પાત્રો કારણ વિના પ્રવેશે છે અને અદશ્ય થઈ જાય છે. એના નાયકો કોઈ મહત્ત્વની કામગીરીમાં સંડોવાયેલા હોય છે અને એમનું સમગ્ર ચિત્ત એમાં મૂકી દેતાં હોય છે પણ ભૂલભરી ગણતરી કે આપત્તિ એમની કામગીરીનું પરિણામ પૂરેપૂરું નષ્ટ કરી દે છે. અલબત્ત એમનું જીવન કીડી કે માખીની જેમ ભાંગી પડતું નથી પણ તરત એ નાયકો નવી સમજ અને સૂઝ સાથે નવા કામમાં લાગી જાય છે. પ્લાનોતોવનાં લખાણોમાં મુખ્ય વાત બુદ્ધિના અને હૃદયના સુખની છે. સુખ ખરેખર શું છે, સુખ કઈ રીતે અને શા માટે આવે છે, સુખને કઈ રીતે મેળવી શકાય, કઈ રીતે જાળવી વગેરેમાં રચ્યોપચ્યો પ્લાનોતોવ કોઈ મનુષ્ય નહીં પણ કોઈ અન્ય પ્રકારનો જીવ ભાસે છે.  
રશિયનેનો આ મિજાજ પ્લાનોતોવમાં વિચિત્ર રીતે ઊતર્યો છે.ગૌણ ગણાતી બાબતો પ્લાનોતોવનાં લખાણોમાં મુખ્ય બનીને આવે છે. પાત્રો કારણ વિના પ્રવેશે છે અને અદશ્ય થઈ જાય છે. એના નાયકો કોઈ મહત્ત્વની કામગીરીમાં સંડોવાયેલા હોય છે અને એમનું સમગ્ર ચિત્ત એમાં મૂકી દેતાં હોય છે પણ ભૂલભરી ગણતરી કે આપત્તિ એમની કામગીરીનું પરિણામ પૂરેપૂરું નષ્ટ કરી દે છે. અલબત્ત એમનું જીવન કીડી કે માખીની જેમ ભાંગી પડતું નથી પણ તરત એ નાયકો નવી સમજ અને સૂઝ સાથે નવા કામમાં લાગી જાય છે. પ્લાનોતોવનાં લખાણોમાં મુખ્ય વાત બુદ્ધિના અને હૃદયના સુખની છે. સુખ ખરેખર શું છે, સુખ કઈ રીતે અને શા માટે આવે છે, સુખને કઈ રીતે મેળવી શકાય, કઈ રીતે જાળવી વગેરેમાં રચ્યોપચ્યો પ્લાનોતોવ કોઈ મનુષ્ય નહીં પણ કોઈ અન્ય પ્રકારનો જીવ ભાસે છે.  
Line 17: Line 17:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૨૧૧
|next =  
|next = ૨૧૩
}}
}}