જનાન્તિકે/ઓગણત્રીસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(+નેવિગેશન ટૅબ)
 
Line 6: Line 6:
સમર્થ સર્જકો પોતાના જમાનાની સાહિત્યિક આબોહવાને ઘડવામાં સૌથી મોટો ફાળો આપે છે. એ આબોહવા ખૂણે પડેલા, ઉપેક્ષિત, ઉદાસીન સર્જક સુધી પહોંચી જઈ શકે એવી વ્યાપકતા ધરાવતી હોય છે. એને બદલે પ્રમુખ શિષ્ટમાન્ય ધુરિણો પોતાના વર્ચસ્‌નો ઉપયોગ પોતાની રુચિને અનુકૂળ કોષ્ટકોમાં સર્જકોને પૂરી દેવામાં કરે તો કદાચ એમનો કોઈ હાથ નહીં પકડે, પણ એમ કરતાં વારનાર બળ એમના પોતાનામાં જ રહ્યું હોવું જોઈએ. આ વિષે એઓ સદા જાગૃત રહેવા જોઈએ. નવીન સર્જકોની મોટાભાગની શક્તિ પરંપરાનો ભાર ઝીલવામાં, સમકાલીન કાલજ્યેષ્ઠોને માનની ખંડણી ભરવામાં, એમણે આંકેલી સુરેખતાની સીમાને ઉલ્લંઘી ન જવાની તકેદારી રાખવામાં જ, ખરચાઈ જતી હોય તો એ અત્યંત કરુણ પરિસ્થિતિ બની રહે.
સમર્થ સર્જકો પોતાના જમાનાની સાહિત્યિક આબોહવાને ઘડવામાં સૌથી મોટો ફાળો આપે છે. એ આબોહવા ખૂણે પડેલા, ઉપેક્ષિત, ઉદાસીન સર્જક સુધી પહોંચી જઈ શકે એવી વ્યાપકતા ધરાવતી હોય છે. એને બદલે પ્રમુખ શિષ્ટમાન્ય ધુરિણો પોતાના વર્ચસ્‌નો ઉપયોગ પોતાની રુચિને અનુકૂળ કોષ્ટકોમાં સર્જકોને પૂરી દેવામાં કરે તો કદાચ એમનો કોઈ હાથ નહીં પકડે, પણ એમ કરતાં વારનાર બળ એમના પોતાનામાં જ રહ્યું હોવું જોઈએ. આ વિષે એઓ સદા જાગૃત રહેવા જોઈએ. નવીન સર્જકોની મોટાભાગની શક્તિ પરંપરાનો ભાર ઝીલવામાં, સમકાલીન કાલજ્યેષ્ઠોને માનની ખંડણી ભરવામાં, એમણે આંકેલી સુરેખતાની સીમાને ઉલ્લંઘી ન જવાની તકેદારી રાખવામાં જ, ખરચાઈ જતી હોય તો એ અત્યંત કરુણ પરિસ્થિતિ બની રહે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = અઠ્યાવીસ
|next = ત્રીસ
}}

Latest revision as of 01:44, 8 August 2023


ઓગણત્રીસ

સુરેશ જોષી

સમર્થ સર્જકો પોતાના જમાનાની સાહિત્યિક આબોહવાને ઘડવામાં સૌથી મોટો ફાળો આપે છે. એ આબોહવા ખૂણે પડેલા, ઉપેક્ષિત, ઉદાસીન સર્જક સુધી પહોંચી જઈ શકે એવી વ્યાપકતા ધરાવતી હોય છે. એને બદલે પ્રમુખ શિષ્ટમાન્ય ધુરિણો પોતાના વર્ચસ્‌નો ઉપયોગ પોતાની રુચિને અનુકૂળ કોષ્ટકોમાં સર્જકોને પૂરી દેવામાં કરે તો કદાચ એમનો કોઈ હાથ નહીં પકડે, પણ એમ કરતાં વારનાર બળ એમના પોતાનામાં જ રહ્યું હોવું જોઈએ. આ વિષે એઓ સદા જાગૃત રહેવા જોઈએ. નવીન સર્જકોની મોટાભાગની શક્તિ પરંપરાનો ભાર ઝીલવામાં, સમકાલીન કાલજ્યેષ્ઠોને માનની ખંડણી ભરવામાં, એમણે આંકેલી સુરેખતાની સીમાને ઉલ્લંઘી ન જવાની તકેદારી રાખવામાં જ, ખરચાઈ જતી હોય તો એ અત્યંત કરુણ પરિસ્થિતિ બની રહે.