ભારતીયકથાવિશ્વ−૪/હિતોપદેશની કથાઓ/મુનિ અને ઉંદરની કથા: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 17:16, 17 January 2024
મુનિ અને ઉંદરની કથા
મહર્ષિ ગૌતમના તપોવનમાં મહાતપ નામે એક મુનિ હતા. તે મુનિએ પોતાના આશ્રમમાં કાગડાના મોેંમાંથી નીચે પડી ગયેલું ઉંદરનું બચ્ચું જોયું. સ્વાભાવિક દયાથી તે મુનિએ તેને અનાજના દાણા ખવડાવી પાળ્યું પોષ્યું. પછી એક બિલાડો તેને ખાઈ જવા દોડી આવ્યો. તે ઉંદર મુનિના ખોળામાં બેસી ગયો. એટલે મુનિએ કહ્યું, ‘તું બિલાડો થઈ જા.’ એટલે તે બિલાડો થઈ ગયો. હવે તેને કૂતરાની બીક લાગી. ‘જો તને કૂતરાની બીક લાગે છે તો તું કૂતરો થઈ જા.’ એટલે તે કૂતરો થઈ ગયો પણ હવે તેને વાઘની બીક લાગી. મુનિ તો સમજતા હતા કે આ વાઘ નથી પણ ઉંદર છે. બધા પણ કહેતા હતા કે આ મુનિએ ઉંદરને જ વાઘ કર્યો છે. આવું બધું સાંભળીને ઉંદરમાંથી વાઘ બનેલાને પોતાની અપકીર્તિ થતી લાગી. એટલે તેણે મુનિ ઉપર જ હુમલો કર્યો, મુનિએ એનો આશય જાણીને કહ્યું, ‘પાછો ઉંદર થઈ જા.’ એટલે તે હતો તેવો જ ઉંદર થઈ ગયો.