ભારતીયકથાવિશ્વ−૪/મત્સ્યપુરાણ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| મત્સ્યપુરાણ | }} {{Poem2Open}} === શંકર અને પાર્વતી-વીરકની કથા === એક વ...")
 
No edit summary
Line 68: Line 68:
‘તમે મારા પિતા પર્વતરાજનાં કુળદેવી છો, એટલે તમારો અહીં નિત્ય નિવાસ છે. તમારો મારા ઉપર અનહદ પ્રેમ છે. એટલે અત્યારે જે કરવાનું છે તે હું તમને કહું. અહીં તમારે સાવધાન રહેવાનું, શંકર ભગવાન પાસે ભૂલેચૂકે કોઈ સ્ત્રી આવી ન ચઢે તે જોજો. અને જો કોઈ આવે તો મને વિના વિલંબે જાણ કરજો.’ પછી તે દેવી એમાં સંમતિ બતાવી પર્વતની દિશામાં ગયાં. ગિરિરાજકુમારી પણ વાદળમાં ચમકતી વીજળીની જેમ આકાશમાર્ગે થઈ પિતાના ઉદ્યાનમાં પહોેંચ્યાં. આભૂષણો ઉતારી તેમણે વલ્કલ પહેરી લીધાં. પાર્વતી ગ્રીષ્મ ઋતુમાં પંચાગ્નિ તપ કરવા લાગ્યાં, વર્ષાકાલે પાણીમાં ઊભાં રહ્યાં અને શિયાળામાં સૂકી ધરતી પર સૂૂઈ રહ્યાં. વનનાં ફળ-મૂળ તેમનો ખોરાક, વચ્ચે વચ્ચે તે નિરાહાર પણ રહેતાં. આમ કઠોર સાધના કરતાં કરતાં તેઓ તપ કરવા બેઠાં.  
‘તમે મારા પિતા પર્વતરાજનાં કુળદેવી છો, એટલે તમારો અહીં નિત્ય નિવાસ છે. તમારો મારા ઉપર અનહદ પ્રેમ છે. એટલે અત્યારે જે કરવાનું છે તે હું તમને કહું. અહીં તમારે સાવધાન રહેવાનું, શંકર ભગવાન પાસે ભૂલેચૂકે કોઈ સ્ત્રી આવી ન ચઢે તે જોજો. અને જો કોઈ આવે તો મને વિના વિલંબે જાણ કરજો.’ પછી તે દેવી એમાં સંમતિ બતાવી પર્વતની દિશામાં ગયાં. ગિરિરાજકુમારી પણ વાદળમાં ચમકતી વીજળીની જેમ આકાશમાર્ગે થઈ પિતાના ઉદ્યાનમાં પહોેંચ્યાં. આભૂષણો ઉતારી તેમણે વલ્કલ પહેરી લીધાં. પાર્વતી ગ્રીષ્મ ઋતુમાં પંચાગ્નિ તપ કરવા લાગ્યાં, વર્ષાકાલે પાણીમાં ઊભાં રહ્યાં અને શિયાળામાં સૂકી ધરતી પર સૂૂઈ રહ્યાં. વનનાં ફળ-મૂળ તેમનો ખોરાક, વચ્ચે વચ્ચે તે નિરાહાર પણ રહેતાં. આમ કઠોર સાધના કરતાં કરતાં તેઓ તપ કરવા બેઠાં.  
આ દરમિયાન અંધકાસુરનો પુત્ર અને બકાસુરનો ભાઈ આડિ પાર્વતીને તપ કરતાં સાંભળી તે ત્યાં આવી ચઢ્યો! તે ભગવાનનો વાંક જોયા કરતો હતો, દેવતાઓનો શત્રુ હતો, પોતાના પિતાના મૃત્યુને યાદ કરી, યુદ્ધભૂમિ પર જ્વલંત વિજય મેળવી ત્રિપુરારિ શંકર ભગવાનના નગરમાં આવી પહોેંચ્યો. ત્યાં દ્વાર આગળ વીરકને જોયો. ભૂતકાળમાં બ્રહ્માએ આપેલા વરદાન વિશે વિચારવા લાગ્યો. શંકર ભગવાને દેવશત્રુ અન્ધકાસુરનો વધ કર્યો એટલે આડિએ ઘણો સમય તપ કરી બ્રહ્માને પ્રસન્ન કર્યા. ‘દાનવશ્રેષ્ઠ આડિ, તપ દ્વારા તારે શું જોઈએ છે?’
આ દરમિયાન અંધકાસુરનો પુત્ર અને બકાસુરનો ભાઈ આડિ પાર્વતીને તપ કરતાં સાંભળી તે ત્યાં આવી ચઢ્યો! તે ભગવાનનો વાંક જોયા કરતો હતો, દેવતાઓનો શત્રુ હતો, પોતાના પિતાના મૃત્યુને યાદ કરી, યુદ્ધભૂમિ પર જ્વલંત વિજય મેળવી ત્રિપુરારિ શંકર ભગવાનના નગરમાં આવી પહોેંચ્યો. ત્યાં દ્વાર આગળ વીરકને જોયો. ભૂતકાળમાં બ્રહ્માએ આપેલા વરદાન વિશે વિચારવા લાગ્યો. શંકર ભગવાને દેવશત્રુ અન્ધકાસુરનો વધ કર્યો એટલે આડિએ ઘણો સમય તપ કરી બ્રહ્માને પ્રસન્ન કર્યા. ‘દાનવશ્રેષ્ઠ આડિ, તપ દ્વારા તારે શું જોઈએ છે?’
તેણે બ્રહ્મા પાસે અમરતાનું વરદાન માગ્યું. એટલે બ્રહ્માએ કહ્યું, ‘આ સૃષ્ટિમાં કોઈ મનુષ્ય અમર નથી. શરીરધારીએ એક ને એક દિવસ તો મૃત્યુ પામવું જ પડે.’ આ સાંભળી આડિએ પદ્મોદ્ભવ બ્રહ્માને કહ્યું, ‘જ્યારે મારું રૂપપરિવર્તન થાય ત્યારે મારું મૃત્યુ થાય, ત્યાં સુધી હું અમર રહું.’  
તેણે બ્રહ્મા પાસે અમરતાનું વરદાન માગ્યું. એટલે બ્રહ્માએ કહ્યું, ‘આ સૃષ્ટિમાં કોઈ મનુષ્ય અમર નથી. શરીરધારીએ એક ને એક દિવસ તો મૃત્યુ પામવું જ પડે.’ આ સાંભળી આડિએ પદ્મોદ્ભવ બ્રહ્માને કહ્યું, ‘જ્યારે મારું રૂપપરિવર્તન થાય ત્યારે મારું મૃત્યુ થાય, ત્યાં સુધી હું અમર રહું.’  
આમ સાંભળી બ્રહ્માએ પ્રસન્ન થઈને તેને કહ્યું, ભલે. જ્યારે તારું રૂપપરિવર્તન થશે ત્યારે તારું મૃત્યુ થશે, ત્યાં સુધી નહીં થાય.’ પછી તો આડિ પોતાને અમર માનવા લાગ્યો. તેણે પોતાના મૃત્યુનો એ ઉપાય જાણી વીરકના દૃષ્ટિપથમાંથી બચવા સાપનું રૂપ ધારણ કરી એક દરમાં પ્રવેશ્યો. અને એ રીતે શંકર ભગવાન પાસે પહોેંચી ગયો. પછી શંકર ભગવાનને છેતરવા સાપના રૂપનો ત્યાગ કરી ઉમાનું રૂપ ધારણ કર્યું. તેણે માયાની સહાયથી પાર્વતીનું અકલ્પ્ય અને મનોહર રૂપ ધારણ કરી લીધું. પછી તે દૈત્યે મેંની અંદર સુદૃઢ અને તીક્ષ્ણ અગ્રભાગવાળા દાંતોનું નિર્માણ કર્યું, પછી મૂર્ખ બનીને શંકરનો વધ કરવા તત્પર થયો.  
આમ સાંભળી બ્રહ્માએ પ્રસન્ન થઈને તેને કહ્યું, ભલે. જ્યારે તારું રૂપપરિવર્તન થશે ત્યારે તારું મૃત્યુ થશે, ત્યાં સુધી નહીં થાય.’ પછી તો આડિ પોતાને અમર માનવા લાગ્યો. તેણે પોતાના મૃત્યુનો એ ઉપાય જાણી વીરકના દૃષ્ટિપથમાંથી બચવા સાપનું રૂપ ધારણ કરી એક દરમાં પ્રવેશ્યો. અને એ રીતે શંકર ભગવાન પાસે પહોેંચી ગયો. પછી શંકર ભગવાનને છેતરવા સાપના રૂપનો ત્યાગ કરી ઉમાનું રૂપ ધારણ કર્યું. તેણે માયાની સહાયથી પાર્વતીનું અકલ્પ્ય અને મનોહર રૂપ ધારણ કરી લીધું. પછી તે દૈત્યે મેંની અંદર સુદૃઢ અને તીક્ષ્ણ અગ્રભાગવાળા દાંતોનું નિર્માણ કર્યું, પછી મૂર્ખ બનીને શંકરનો વધ કરવા તત્પર થયો.  
સુંદર રૂપ અને ચિત્રવિચિત્ર આભૂષણો, વસ્ત્રો વડે ઉમાનું રૂપ લીધું અને તે ભગવાન પાસે ગયો. તેને જોઈ ભગવાન તો આનંદિત થઈ ગયા. તેને પાર્વતી માનીને આલિંગન આપ્યું. ‘ગિરિજા, હવે તો મારા માટે સાચી લાગણી છે ને? પાર્વતી, તું મારું મન જાણીને અહીં આવી ગઈ છે, એ તારું ઉચિત જ કાર્ય છે.’ આમ સાંભળી દાનવેન્દ્ર આડિ સ્મિતપૂર્વક ધીરે રહીને બોલ્યો. શંકરે પાર્વતીના શરીરે કરેલાં ચિહ્નો તે જાણતો ન હતો.  
સુંદર રૂપ અને ચિત્રવિચિત્ર આભૂષણો, વસ્ત્રો વડે ઉમાનું રૂપ લીધું અને તે ભગવાન પાસે ગયો. તેને જોઈ ભગવાન તો આનંદિત થઈ ગયા. તેને પાર્વતી માનીને આલિંગન આપ્યું. ‘ગિરિજા, હવે તો મારા માટે સાચી લાગણી છે ને? પાર્વતી, તું મારું મન જાણીને અહીં આવી ગઈ છે, એ તારું ઉચિત જ કાર્ય છે.’ આમ સાંભળી દાનવેન્દ્ર આડિ સ્મિતપૂર્વક ધીરે રહીને બોલ્યો. શંકરે પાર્વતીના શરીરે કરેલાં ચિહ્નો તે જાણતો ન હતો.