હનુમાનલવકુશમિલન/પ્રારંભિક: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 120: Line 120:
ભૂપેશની આ વાર્તાઓ વાર્તારસિકોને જ નહીં, વાર્તાકલાના જાણકારોને પણ આકર્ષશે ને એની ચર્ચાની અનેકવિધ શક્યતાઓ ખૂલશે એમાં કોઈ સંદેહ નથી.
ભૂપેશની આ વાર્તાઓ વાર્તારસિકોને જ નહીં, વાર્તાકલાના જાણકારોને પણ આકર્ષશે ને એની ચર્ચાની અનેકવિધ શક્યતાઓ ખૂલશે એમાં કોઈ સંદેહ નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
                                           


{{dhr}}{{page break|label=}}{{dhr}} 
                                         
<center><big>'''સર્જકની કલ્પકશક્તિ વિશે ભૂપેશ અધ્વર્યુ'''</big></center>


સર્જકની કલ્પકશક્તિ એ પણ સર્જકના વ્યક્તિત્વની બહારની વસ્તુ તો નથી જ. અને એ રીતે જોતાં તો કૃતિની સમગ્ર ચૈતન્યસૃષ્ટિ સર્જકવ્યક્તિત્વમાંથી જ પ્રગટે છે. તો ‘શૈલીમાં પ્રગટતું’ સર્જકવ્યક્તિત્વ ‘કૃતિમાં પ્રગટતા’ સર્જકવ્યક્તિત્વના પ્રબળ ભાગરૂપે શા માટે ન આવી શકે?  સર્જન એ એક સભાન પ્રવૃત્તિ છે. વ્યક્તિત્વ માટે સીમાબદ્ધતા એ જો મર્યાદા હોય અને સર્જક પોતાની સર્જકતાની નિસ્સીમતા જ સિદ્ધ કરવા માંગતો હોય તો શબ્દસિદ્ધિ સિવાય પોતાનું અન્ય કશું જ વ્યક્તિત્વ ન હોય એવું નિગરણ એક આદર્શ સ્થિતિ બની રહે. શબ્દ અને કૃતિને જ પરસ્પર કાર્ય કરવા દેવા જેટલો એ તટસ્થ હશે અને એને ચૈતન્યથી છલકાવી દેવા જેટલો એ, એની કલ્પકશક્તિની પ્રખરતા સમેત, તદાત્મ હશે. એની આ પ્રખરતા એના વ્યક્તિત્વનો નહીં, પણ શબ્દસિદ્ધિનો જ એક ભાગ હશે. કૃતિએ કૃતિએ એ જે અવનવું સિદ્ધ કરશે એનું અનુસંધાન વીતી ચૂકેલા શબ્દસંદર્ભો સાથે હોય પણ ખરું, ન પણ હોય; પોતે માનતો હોય એથી વિરુદ્ધ પ્રકારના વિચારને પણ એ કૃતિમાં ઉપસાવે ને એમ વિચારને પણ સાધનલેખે જ વાપરે – જે કંઈ એ કરશે તે કૃતિના સ્વયંપર્યાપ્ત રૂપસંદર્ભમાં મહત્તમ થઈ શકે એમ હોય તે.


{{સ-મ|‘કૃતિનિષ્ઠ સર્જન’,||પરબ, માર્ચ ૧૯૭૪-માંથી}}
<br>
{{HeaderNav2
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
|next = કર્તા-પરિચય
}}