ગ્રંથ અને ગ્રંથકાર/નંદકુમાર જેઠાલાલ પાઠક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(Corrected Inverted Comas)
 
Line 6: Line 6:
શ્રી નંદકુમાર પાઠકનો જન્મ પંચમહાલ જિલ્લાના દેવગઢબારિયા રાજ્યના રાજગઢ મુકામે તા. ૨૩-૧-૧૯૧૫ ના રોજ થયો હતો. પિતાનું નામ શ્રી જેઠાલાલ પાઠક અને માતાનું નામ ઝવેરબા. જ્ઞાતિએ શ્રીગૌડ બ્રાહ્મણ. એમનાં લગ્ન ૧૯૪૨માં શ્રીમતી સુશીલાબહેન સાથે થયાં હતાં.
શ્રી નંદકુમાર પાઠકનો જન્મ પંચમહાલ જિલ્લાના દેવગઢબારિયા રાજ્યના રાજગઢ મુકામે તા. ૨૩-૧-૧૯૧૫ ના રોજ થયો હતો. પિતાનું નામ શ્રી જેઠાલાલ પાઠક અને માતાનું નામ ઝવેરબા. જ્ઞાતિએ શ્રીગૌડ બ્રાહ્મણ. એમનાં લગ્ન ૧૯૪૨માં શ્રીમતી સુશીલાબહેન સાથે થયાં હતાં.
એમણે ધોરણ ૧થી ૫ સુધીનું શિક્ષણ વડોદરાની સયાજી હાઈસ્કૂલમાં લીધું હતું, અને પછીનું મેટ્રિક સુધીનું મુંબઈની આનંદીલાલ પોદાર હાઈસ્કૂલ (સાન્તાક્રુઝ)માં. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં જોડાયા હતા, અને ત્યાંથી મુંબઈ યુનિ.ની ૧૯૩૮માં લેવાયેલ બી. એ.ની પરીક્ષામાં ગુજરાતી મુખ્ય વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને કાંટાવાળા પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું. સેંટ ઝેવિયર્સ કૉલેજમાં દક્ષિણા ફેલો તરીકે પણ તેમની નિયુક્તિ થઈ હતી. હાલ તેઓ આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પર કાર્યક્રમ-નિયોજક તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે.
એમણે ધોરણ ૧થી ૫ સુધીનું શિક્ષણ વડોદરાની સયાજી હાઈસ્કૂલમાં લીધું હતું, અને પછીનું મેટ્રિક સુધીનું મુંબઈની આનંદીલાલ પોદાર હાઈસ્કૂલ (સાન્તાક્રુઝ)માં. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં જોડાયા હતા, અને ત્યાંથી મુંબઈ યુનિ.ની ૧૯૩૮માં લેવાયેલ બી. એ.ની પરીક્ષામાં ગુજરાતી મુખ્ય વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને કાંટાવાળા પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું. સેંટ ઝેવિયર્સ કૉલેજમાં દક્ષિણા ફેલો તરીકે પણ તેમની નિયુક્તિ થઈ હતી. હાલ તેઓ આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પર કાર્યક્રમ-નિયોજક તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે.
અભ્યાસકાળ દરમ્યાન શ્રી રામપ્રસાદ બક્ષી, પ્રા. ગૌરીપ્રસાદ ઝાલા, શ્રી નારાયણ વળામે એમના આદર્શ શિક્ષકો હતા અને એમના પ્રત્યે શ્રી પાઠકને સદ્ભાવભરી લાગણી છે. એમની લેખનપ્રવૃત્તિના મૂળમાં કૌટુમ્બિક સંસ્કારનો પણ ફાળો છે. એમણે પોતાનું પ્રથમ કાવ્ય 'કાવ્યદેવીને’ નામે લખેલું, અને તે ‘ઊર્મિ’માં પ્રગટ થયેલું. કાવ્ય અને નાટક એ બંને સાહિત્યપ્રકારો તરફ એમને વિશેષ પક્ષપાત છે-એ એમના પ્રિય પ્રકારો છે.
અભ્યાસકાળ દરમ્યાન શ્રી રામપ્રસાદ બક્ષી, પ્રા. ગૌરીપ્રસાદ ઝાલા, શ્રી નારાયણ વળામે એમના આદર્શ શિક્ષકો હતા અને એમના પ્રત્યે શ્રી પાઠકને સદ્ભાવભરી લાગણી છે. એમની લેખનપ્રવૃત્તિના મૂળમાં કૌટુમ્બિક સંસ્કારનો પણ ફાળો છે. એમણે પોતાનું પ્રથમ કાવ્ય ‘કાવ્યદેવીને’ નામે લખેલું, અને તે ‘ઊર્મિ’માં પ્રગટ થયેલું. કાવ્ય અને નાટક એ બંને સાહિત્યપ્રકારો તરફ એમને વિશેષ પક્ષપાત છે-એ એમના પ્રિય પ્રકારો છે.
ઈ.સ.૧૯૪૨માં 'સંવેદના' નામના કાવ્યસંગ્રહના પ્રકાશનથી કવિ તરીકે તેઓ ખ્યાતિ પામ્યા. એમાં મુક્તક, સૉનેટ, ખંડકાવ્ય, ગીતો અને -સુદીર્ઘ વૃત્તબદ્ધ કૃતિઓ સંગ્રહાઈ છે. એમનાં સ્વસંવેદનનાં કાવ્યોમાં વિષાદનો વ્યાપક ભાવ દૃષ્ટિગોચર થાય છે, તો કેટલાંક ગીતોમાં ઉલ્લાસનું વાતાવરણ છવાયેલું છે. એમાંનું 'હું' કાવ્ય એમની સબળ ચિત્રણશક્તિનો સારો નમૂનો છે. એ પછી નવલકથા, નાટક, વિવેચન, ચરિત્ર-એમ અનેક -સાહિત્યપ્રકારો એમણે ખેડ્યા છે. નાટકના સાહિત્યપ્રકાર વિશે શ્રી પાઠકે ઊંડો અભ્યાસ કર્યો છે વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં એકાંકીના સ્વરૂપ અને સાહિત્ય વિશે એમણે આપેલાં વ્યાખ્યાને 'એકાંકી : સ્વરૂપ અને સાહિત્ય' એ નામે પ્રકટ થયાં છે. ગુજરાતી સાહિત્યમાં સ્વરૂપચર્ચાના સળંગ ગ્રંથોની ખોટ છે; આ પુસ્તક એમાં આશ્વાસન સમું છે. સંસ્કૃત સાહિત્યમાં અને પશ્ચિમમાં એકાંકીની ઉત્પત્તિ, તેના પ્રકારો, વિકાસ, રંગભૂમિ પર તેનું અભિનયન, રેડિયો-એકાંકી વગેરે અનેક મુદ્દાઓને આવરી લેતી એમની ચર્ચા ખૂબ ઉપયોગી છે. ઉપરાંત, એમણે અનેક નાટકોનાં રૂપાન્તરો ('ફેરફુદરડી’-સ્વેરિન્ગ ધી સર્કલ; ‘માન ન માન’-ઑડ. મૅન ઈન: 'એક બે ત્રણ’– માઉસ ટ્રેપ વગેરે) પણ કર્યા છે અને તે ભજવાયાં પણ છે. પરંતુ એ હજી સુધી અપ્રસિદ્ધ છે. વલ્લભભાઈ, અબુલકલામ, રાજેન્દ્રપ્રસાદ વગેરે આપણા નેતાઓ વિશેના યુસુફ મહેરઅલીના પુસ્તકનો અનુવાદ કરીને એ ચિત્રાંકનો એમણે આપણને સુલભ કરી આપ્યાં છે. નાટક વિશે પણ એમણે અનેક લેખો લખ્યા છે. હાલ તેઓ 'પાશ્ચાત્ય નાટયસાહિત્યનાં સ્વરૂપો' પર પુસ્તક તૈયાર કરી રહ્યા છે અને નવલિકાઓ પણ લખે છે. સાહિત્યસંસદ્ અને ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે તેઓ સંકળાયેલા છે અને સંસ્કારપ્રવૃત્તિઓમાં ઉત્કટ રસ ધરાવે છે.
ઈ.સ.૧૯૪૨માં ‘સંવેદના' નામના કાવ્યસંગ્રહના પ્રકાશનથી કવિ તરીકે તેઓ ખ્યાતિ પામ્યા. એમાં મુક્તક, સૉનેટ, ખંડકાવ્ય, ગીતો અને -સુદીર્ઘ વૃત્તબદ્ધ કૃતિઓ સંગ્રહાઈ છે. એમનાં સ્વસંવેદનનાં કાવ્યોમાં વિષાદનો વ્યાપક ભાવ દૃષ્ટિગોચર થાય છે, તો કેટલાંક ગીતોમાં ઉલ્લાસનું વાતાવરણ છવાયેલું છે. એમાંનું ‘હું' કાવ્ય એમની સબળ ચિત્રણશક્તિનો સારો નમૂનો છે. એ પછી નવલકથા, નાટક, વિવેચન, ચરિત્ર-એમ અનેક -સાહિત્યપ્રકારો એમણે ખેડ્યા છે. નાટકના સાહિત્યપ્રકાર વિશે શ્રી પાઠકે ઊંડો અભ્યાસ કર્યો છે વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં એકાંકીના સ્વરૂપ અને સાહિત્ય વિશે એમણે આપેલાં વ્યાખ્યાને ‘એકાંકી : સ્વરૂપ અને સાહિત્ય' એ નામે પ્રકટ થયાં છે. ગુજરાતી સાહિત્યમાં સ્વરૂપચર્ચાના સળંગ ગ્રંથોની ખોટ છે; આ પુસ્તક એમાં આશ્વાસન સમું છે. સંસ્કૃત સાહિત્યમાં અને પશ્ચિમમાં એકાંકીની ઉત્પત્તિ, તેના પ્રકારો, વિકાસ, રંગભૂમિ પર તેનું અભિનયન, રેડિયો-એકાંકી વગેરે અનેક મુદ્દાઓને આવરી લેતી એમની ચર્ચા ખૂબ ઉપયોગી છે. ઉપરાંત, એમણે અનેક નાટકોનાં રૂપાન્તરો (‘ફેરફુદરડી’-સ્વેરિન્ગ ધી સર્કલ; ‘માન ન માન’-ઑડ. મૅન ઈન: ‘એક બે ત્રણ’– માઉસ ટ્રેપ વગેરે) પણ કર્યા છે અને તે ભજવાયાં પણ છે. પરંતુ એ હજી સુધી અપ્રસિદ્ધ છે. વલ્લભભાઈ, અબુલકલામ, રાજેન્દ્રપ્રસાદ વગેરે આપણા નેતાઓ વિશેના યુસુફ મહેરઅલીના પુસ્તકનો અનુવાદ કરીને એ ચિત્રાંકનો એમણે આપણને સુલભ કરી આપ્યાં છે. નાટક વિશે પણ એમણે અનેક લેખો લખ્યા છે. હાલ તેઓ 'પાશ્ચાત્ય નાટયસાહિત્યનાં સ્વરૂપો' પર પુસ્તક તૈયાર કરી રહ્યા છે અને નવલિકાઓ પણ લખે છે. સાહિત્યસંસદ્ અને ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે તેઓ સંકળાયેલા છે અને સંસ્કારપ્રવૃત્તિઓમાં ઉત્કટ રસ ધરાવે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>

Latest revision as of 03:20, 13 June 2024

નંદકુમાર જેઠાલાલ પાઠક

[૨૩-૧-૧૯૧૫]

શ્રી નંદકુમાર પાઠકનો જન્મ પંચમહાલ જિલ્લાના દેવગઢબારિયા રાજ્યના રાજગઢ મુકામે તા. ૨૩-૧-૧૯૧૫ ના રોજ થયો હતો. પિતાનું નામ શ્રી જેઠાલાલ પાઠક અને માતાનું નામ ઝવેરબા. જ્ઞાતિએ શ્રીગૌડ બ્રાહ્મણ. એમનાં લગ્ન ૧૯૪૨માં શ્રીમતી સુશીલાબહેન સાથે થયાં હતાં. એમણે ધોરણ ૧થી ૫ સુધીનું શિક્ષણ વડોદરાની સયાજી હાઈસ્કૂલમાં લીધું હતું, અને પછીનું મેટ્રિક સુધીનું મુંબઈની આનંદીલાલ પોદાર હાઈસ્કૂલ (સાન્તાક્રુઝ)માં. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં જોડાયા હતા, અને ત્યાંથી મુંબઈ યુનિ.ની ૧૯૩૮માં લેવાયેલ બી. એ.ની પરીક્ષામાં ગુજરાતી મુખ્ય વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને કાંટાવાળા પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું. સેંટ ઝેવિયર્સ કૉલેજમાં દક્ષિણા ફેલો તરીકે પણ તેમની નિયુક્તિ થઈ હતી. હાલ તેઓ આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પર કાર્યક્રમ-નિયોજક તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. અભ્યાસકાળ દરમ્યાન શ્રી રામપ્રસાદ બક્ષી, પ્રા. ગૌરીપ્રસાદ ઝાલા, શ્રી નારાયણ વળામે એમના આદર્શ શિક્ષકો હતા અને એમના પ્રત્યે શ્રી પાઠકને સદ્ભાવભરી લાગણી છે. એમની લેખનપ્રવૃત્તિના મૂળમાં કૌટુમ્બિક સંસ્કારનો પણ ફાળો છે. એમણે પોતાનું પ્રથમ કાવ્ય ‘કાવ્યદેવીને’ નામે લખેલું, અને તે ‘ઊર્મિ’માં પ્રગટ થયેલું. કાવ્ય અને નાટક એ બંને સાહિત્યપ્રકારો તરફ એમને વિશેષ પક્ષપાત છે-એ એમના પ્રિય પ્રકારો છે. ઈ.સ.૧૯૪૨માં ‘સંવેદના' નામના કાવ્યસંગ્રહના પ્રકાશનથી કવિ તરીકે તેઓ ખ્યાતિ પામ્યા. એમાં મુક્તક, સૉનેટ, ખંડકાવ્ય, ગીતો અને -સુદીર્ઘ વૃત્તબદ્ધ કૃતિઓ સંગ્રહાઈ છે. એમનાં સ્વસંવેદનનાં કાવ્યોમાં વિષાદનો વ્યાપક ભાવ દૃષ્ટિગોચર થાય છે, તો કેટલાંક ગીતોમાં ઉલ્લાસનું વાતાવરણ છવાયેલું છે. એમાંનું ‘હું' કાવ્ય એમની સબળ ચિત્રણશક્તિનો સારો નમૂનો છે. એ પછી નવલકથા, નાટક, વિવેચન, ચરિત્ર-એમ અનેક -સાહિત્યપ્રકારો એમણે ખેડ્યા છે. નાટકના સાહિત્યપ્રકાર વિશે શ્રી પાઠકે ઊંડો અભ્યાસ કર્યો છે વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં એકાંકીના સ્વરૂપ અને સાહિત્ય વિશે એમણે આપેલાં વ્યાખ્યાને ‘એકાંકી : સ્વરૂપ અને સાહિત્ય' એ નામે પ્રકટ થયાં છે. ગુજરાતી સાહિત્યમાં સ્વરૂપચર્ચાના સળંગ ગ્રંથોની ખોટ છે; આ પુસ્તક એમાં આશ્વાસન સમું છે. સંસ્કૃત સાહિત્યમાં અને પશ્ચિમમાં એકાંકીની ઉત્પત્તિ, તેના પ્રકારો, વિકાસ, રંગભૂમિ પર તેનું અભિનયન, રેડિયો-એકાંકી વગેરે અનેક મુદ્દાઓને આવરી લેતી એમની ચર્ચા ખૂબ ઉપયોગી છે. ઉપરાંત, એમણે અનેક નાટકોનાં રૂપાન્તરો (‘ફેરફુદરડી’-સ્વેરિન્ગ ધી સર્કલ; ‘માન ન માન’-ઑડ. મૅન ઈન: ‘એક બે ત્રણ’– માઉસ ટ્રેપ વગેરે) પણ કર્યા છે અને તે ભજવાયાં પણ છે. પરંતુ એ હજી સુધી અપ્રસિદ્ધ છે. વલ્લભભાઈ, અબુલકલામ, રાજેન્દ્રપ્રસાદ વગેરે આપણા નેતાઓ વિશેના યુસુફ મહેરઅલીના પુસ્તકનો અનુવાદ કરીને એ ચિત્રાંકનો એમણે આપણને સુલભ કરી આપ્યાં છે. નાટક વિશે પણ એમણે અનેક લેખો લખ્યા છે. હાલ તેઓ 'પાશ્ચાત્ય નાટયસાહિત્યનાં સ્વરૂપો' પર પુસ્તક તૈયાર કરી રહ્યા છે અને નવલિકાઓ પણ લખે છે. સાહિત્યસંસદ્ અને ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે તેઓ સંકળાયેલા છે અને સંસ્કારપ્રવૃત્તિઓમાં ઉત્કટ રસ ધરાવે છે.

કૃતિઓ
૧. સંવેદના : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૪૨.
પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી એન્ડ કુ., મુંબઈ.
૨. આપણા નેતાઓ : અનુવાદ, ચરિત્ર; પ્ર. સાલ ૧૯૪૪.
પ્રકાશક : પદ્મ પબ્લકેશન, મુંબઈ.
૩. મોભનાં પાણી : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૪૭.
પ્રકાશક: એન. એમ. ત્રિપાઠી એન્ડ કુાં., મુંબઈ.
૪. પારકી જણી : મૌલિક, નાટક; પ્ર. સાલ ૧૯૫૦.
પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી એન્ડ કુાં., મુંબઈ.
૫. ભાડે આપવાનું છે : મૌલિક, નાટક; પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : નવચેતન સાહિત્ય મંદિર, અમદાવાદ.
૬. એકાંકી : સ્વરૂપ અને સાહિત્ય : મૌલક, વિવેચન: પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા.
૭. વૈશાખી વાદળ : મૌલિક, એકાંકી: પ્ર. સાલ ૧૯૫૯.
પ્રકાશક : લક્ષ્મી પુસ્તક ભંડાર, અમદાવાદ.
અભ્યાસ-સામગ્રી :
(૧) ‘સંવેદના’નો પ્રવેશક, શ્રી રામપ્રસાદ લક્ષી.
(૨) સર્જનને આરે (ધનસુખલાલ મહેતા).
(૩) ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૫૬.

સરનામું : માથેરાન સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.