ગ્રંથ અને ગ્રંથકાર/મૂળશંકર મોહનલાલ ભટ્ટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(Corrected Inverted Comas)
 
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
શ્રી મૂળશંકર ભટ્ટનો જન્મ ઈ.સ. ૧૯૦૭ના જૂન માસની ૨૫મી તારીખે ભાવનગરમાં થયો હતો. એમનું મૂળવતન રાજકા-ધંધુકા. પિતાનું નામ શ્રી મોહનલાલ શંકરલાલ ભટ્ટ અને માતાનું નામ રેવાબહેન. તેમનું લગ્ન થયું ૧૯૨૯માં હંસાબહેન સાથે. એમણે પ્રાથમિક શિક્ષણ વતનમાં તથા ભાવનગરમાં લીધેલું. માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ વિનયમંદિર, ભાવનગરમાં અને ઉચ્ચ શિક્ષણ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં લીધેલ. તેઓ ૧૯૨૭માં 'અ' વર્ગમાં વિદ્યાપીઠના સ્નાતક થયા. તેમણે સંગીત ખાસ વિષય તરીકે પસંદ કરેલ. તેમને લલિત-કલાવિશારદનું પ્રમાણપત્ર પણ મળેલું.
શ્રી મૂળશંકર ભટ્ટનો જન્મ ઈ.સ. ૧૯૦૭ના જૂન માસની ૨૫મી તારીખે ભાવનગરમાં થયો હતો. એમનું મૂળવતન રાજકા-ધંધુકા. પિતાનું નામ શ્રી મોહનલાલ શંકરલાલ ભટ્ટ અને માતાનું નામ રેવાબહેન. તેમનું લગ્ન થયું ૧૯૨૯માં હંસાબહેન સાથે. એમણે પ્રાથમિક શિક્ષણ વતનમાં તથા ભાવનગરમાં લીધેલું. માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ વિનયમંદિર, ભાવનગરમાં અને ઉચ્ચ શિક્ષણ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં લીધેલ. તેઓ ૧૯૨૭માં ‘અ' વર્ગમાં વિદ્યાપીઠના સ્નાતક થયા. તેમણે સંગીત ખાસ વિષય તરીકે પસંદ કરેલ. તેમને લલિત-કલાવિશારદનું પ્રમાણપત્ર પણ મળેલું.
મૂળશંકરભાઈ એ ૧૯૩૦થી શરૂ કરીને આજ સુધી છાત્રાલયમાં ગૃહપતિ તરીકે તથા વિનયમંદિરમાં, અધ્યાપનમંદિરમાં તથા લોકભારતીના લોકસેવા મહાવિદ્યાલયમાં અધ્યાપક તરીકે મુખ્યત્વે કામ કર્યું છે. આ વ્યવસાય એમની લેખકપ્રવૃત્તિને ખૂબ જ પૂરક, પ્રેરક અને પોષક રહ્યો છે. આ ઉપરાંત નઈ તાલીમસંઘ, સઘન ક્ષેત્રયોજના, ગ્રામસેવાને લગતી રચનાત્મક પ્રવૃત્તિઓમાં તેઓ સદાય ગૂંથાયેલા રહ્યા છે. એમના કેળવણીવિષયક લેખો તથા પ્રૌઢો માટેનું સાહિત્ય આ પ્રવૃત્તિઓનું કંઈક પ્રતિબિંબ પાડે છે.
મૂળશંકરભાઈ એ ૧૯૩૦થી શરૂ કરીને આજ સુધી છાત્રાલયમાં ગૃહપતિ તરીકે તથા વિનયમંદિરમાં, અધ્યાપનમંદિરમાં તથા લોકભારતીના લોકસેવા મહાવિદ્યાલયમાં અધ્યાપક તરીકે મુખ્યત્વે કામ કર્યું છે. આ વ્યવસાય એમની લેખકપ્રવૃત્તિને ખૂબ જ પૂરક, પ્રેરક અને પોષક રહ્યો છે. આ ઉપરાંત નઈ તાલીમસંઘ, સઘન ક્ષેત્રયોજના, ગ્રામસેવાને લગતી રચનાત્મક પ્રવૃત્તિઓમાં તેઓ સદાય ગૂંથાયેલા રહ્યા છે. એમના કેળવણીવિષયક લેખો તથા પ્રૌઢો માટેનું સાહિત્ય આ પ્રવૃત્તિઓનું કંઈક પ્રતિબિંબ પાડે છે.
એમના જીવન પર એમની માતા શ્રી રેવાબહેન અને ગાંધીજીની અસર ઠીક ઠીક પડી હતી. બાળપણમાં માતાની અસર અને શિક્ષણમાં ગાંધીજીની. લેખનવૃત્તિ તો અનાયાસે પ્રગટ થઈ. એમને સાહિત્યનાં શુદ્ધ સ્વરૂપોને આસ્વાદ કરવાની રુચિ સ્વ. રામનારાયણ વિ. પાઠકના પરિચયથી થઈ. પોતામાં શુદ્ધ સાહિત્યસર્જનની કોઈ શક્તિ નથી એની પ્રતીતિ એઓ વિદ્યાપીઠમાં ભણતા હતા ત્યારે થઈ. દક્ષિણામૂર્તિ સંસ્થામાં જોડાયા પછી એમને દૃઢ ખાતરી થઈ કે એમની રુચિ શિક્ષણના ક્ષેત્રની છે. એમની શિક્ષણપ્રવૃત્તિમાં સાહિત્યના સંસ્કારો ભળ્યા અને એ રીતે એમની લેખનપ્રવૃત્તિનો આરંભ થયો. આમ, એમનું લેખન સદા હેતુલક્ષી રહ્યું છે. એમનાં લખાણોમાં મોટા ભાગની કૃતિઓ ભાષાન્તરો કે રૂપાંતરો કે સંક્ષેપો છે તેનું કારણ પણ આમાં જ રહેલું છે.  
એમના જીવન પર એમની માતા શ્રી રેવાબહેન અને ગાંધીજીની અસર ઠીક ઠીક પડી હતી. બાળપણમાં માતાની અસર અને શિક્ષણમાં ગાંધીજીની. લેખનવૃત્તિ તો અનાયાસે પ્રગટ થઈ. એમને સાહિત્યનાં શુદ્ધ સ્વરૂપોને આસ્વાદ કરવાની રુચિ સ્વ. રામનારાયણ વિ. પાઠકના પરિચયથી થઈ. પોતામાં શુદ્ધ સાહિત્યસર્જનની કોઈ શક્તિ નથી એની પ્રતીતિ એઓ વિદ્યાપીઠમાં ભણતા હતા ત્યારે થઈ. દક્ષિણામૂર્તિ સંસ્થામાં જોડાયા પછી એમને દૃઢ ખાતરી થઈ કે એમની રુચિ શિક્ષણના ક્ષેત્રની છે. એમની શિક્ષણપ્રવૃત્તિમાં સાહિત્યના સંસ્કારો ભળ્યા અને એ રીતે એમની લેખનપ્રવૃત્તિનો આરંભ થયો. આમ, એમનું લેખન સદા હેતુલક્ષી રહ્યું છે. એમનાં લખાણોમાં મોટા ભાગની કૃતિઓ ભાષાન્તરો કે રૂપાંતરો કે સંક્ષેપો છે તેનું કારણ પણ આમાં જ રહેલું છે.  
મૂળશંકરભાઈની લેખનપ્રવૃત્તિ હમેશાં એમની શિક્ષણપ્રવૃત્તિના એક ભાગરૂપે જ રહી છે. એમણે મુખ્યત્વે કિશોરવર્ગ તથા સામાન્ય ભણેલ પ્રૌઢોને લક્ષમાં રાખીને-તેમનાં રસ, રુચિ, કક્ષા ને વિકાસને લક્ષમાં રાખીને જ લખ્યું છે. લખવાની શરૂઆત ગૃહપતિ તરીકેના કામની એમની ફરજમાંથી અકસ્માત્ ઊભી થઈ. રાતે કિશોરવયના વિદ્યાર્થીઓને કહેવા માટેની વાર્તાઓની માંગમાંથી મૂળશંકરભાઈ વાર્તાઓના ખજાનાની શોધમાં નીકળ્યા, અને અચાનક એમની નજર તે કાળ સુધી ગુજરાતીઓને બિલકુલ અજાણ એવી જુલે વર્નની સાહસકથાઓ પર પડી. એ વાર્તાઓ એમણે કિશોરોને સંભળાવી અને પછી લખવા માંડી. તેમાં એમને મિત્રો તેમ જ વિદ્યાર્થીઓ તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું. આ વાત લગભગ ૧૯૩૩ની. વિદ્યાર્થીઓનો નિત્ય અને જીવંત સહવાસ મૂળશંકરભાઈને વાર્તાકથન અને લેખન ભણી અનાયાસે ખેંચી ગયો.  
મૂળશંકરભાઈની લેખનપ્રવૃત્તિ હમેશાં એમની શિક્ષણપ્રવૃત્તિના એક ભાગરૂપે જ રહી છે. એમણે મુખ્યત્વે કિશોરવર્ગ તથા સામાન્ય ભણેલ પ્રૌઢોને લક્ષમાં રાખીને-તેમનાં રસ, રુચિ, કક્ષા ને વિકાસને લક્ષમાં રાખીને જ લખ્યું છે. લખવાની શરૂઆત ગૃહપતિ તરીકેના કામની એમની ફરજમાંથી અકસ્માત્ ઊભી થઈ. રાતે કિશોરવયના વિદ્યાર્થીઓને કહેવા માટેની વાર્તાઓની માંગમાંથી મૂળશંકરભાઈ વાર્તાઓના ખજાનાની શોધમાં નીકળ્યા, અને અચાનક એમની નજર તે કાળ સુધી ગુજરાતીઓને બિલકુલ અજાણ એવી જુલે વર્નની સાહસકથાઓ પર પડી. એ વાર્તાઓ એમણે કિશોરોને સંભળાવી અને પછી લખવા માંડી. તેમાં એમને મિત્રો તેમ જ વિદ્યાર્થીઓ તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું. આ વાત લગભગ ૧૯૩૩ની. વિદ્યાર્થીઓનો નિત્ય અને જીવંત સહવાસ મૂળશંકરભાઈને વાર્તાકથન અને લેખન ભણી અનાયાસે ખેંચી ગયો.  
એમના મનગમતા વિષયો છે. સાહસકથા, પ્રવાસકથા, જીવનચરિત્રો, પ્રૌઢો માટેની નાની વાર્તાઓ. ઉત્તમ સાહિત્યકૃતિઓનું વારંવાર પરિશીલન કરવાનું એમને ખૂબ ગમે છે. મનોવિજ્ઞાનનાં પુસ્તકો વાંચવાનો પણ એમને શાખ છે. એમની પહેલી સાહિત્યકૃતિ તે 'સાગરસમ્રાટ' નામના જુલે વર્નના પુસ્તકનું સંક્ષિપ્ત ભાષાંતર, શ્રી દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિરના સંચાલક શ્રી ગોપાલભાઈની પ્રેરણા તથા તેમની કાર્યદક્ષતાએ આ પ્રકાશનમાં ઘણો મોટો ફાળો આપ્યો હતો.
એમના મનગમતા વિષયો છે. સાહસકથા, પ્રવાસકથા, જીવનચરિત્રો, પ્રૌઢો માટેની નાની વાર્તાઓ. ઉત્તમ સાહિત્યકૃતિઓનું વારંવાર પરિશીલન કરવાનું એમને ખૂબ ગમે છે. મનોવિજ્ઞાનનાં પુસ્તકો વાંચવાનો પણ એમને શાખ છે. એમની પહેલી સાહિત્યકૃતિ તે ‘સાગરસમ્રાટ' નામના જુલે વર્નના પુસ્તકનું સંક્ષિપ્ત ભાષાંતર, શ્રી દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિરના સંચાલક શ્રી ગોપાલભાઈની પ્રેરણા તથા તેમની કાર્યદક્ષતાએ આ પ્રકાશનમાં ઘણો મોટો ફાળો આપ્યો હતો.
મૂળશંકરભાઈને શુદ્ધ સાહિત્યનો રસાસ્વાદ કાલિદાસ, રવીન્દ્રનાથ શરદબાબુ, ગોવર્ધનરામ અને પ્રેમાનંદમાંથી ઠીક ઠીક મળ્યા કરે છે. શાકુન્તલ, ઘરે બાહિરે, શ્રીકાંત, સરસ્વતીચંદ્ર, નળાખ્યાન એ. ગ્રંથો એમને વારંવાર વાંચવા ગમે છે. એમને દરેક વખતે તે ગ્રંથોના વાચનથી 'કંઈક નવીન'ની પ્રાપ્તિ થયાનો આનંદ મળ્યો છે. કૉનન ડોઈલનો 'શેરલોક હોમ્સ' પણ એમને વારંવાર વાંચવો ગમે છે.
મૂળશંકરભાઈને શુદ્ધ સાહિત્યનો રસાસ્વાદ કાલિદાસ, રવીન્દ્રનાથ શરદબાબુ, ગોવર્ધનરામ અને પ્રેમાનંદમાંથી ઠીક ઠીક મળ્યા કરે છે. શાકુન્તલ, ઘરે બાહિરે, શ્રીકાંત, સરસ્વતીચંદ્ર, નળાખ્યાન એ. ગ્રંથો એમને વારંવાર વાંચવા ગમે છે. એમને દરેક વખતે તે ગ્રંથોના વાચનથી ‘કંઈક નવીન'ની પ્રાપ્તિ થયાનો આનંદ મળ્યો છે. કૉનન ડોઈલનો ‘શેરલોક હોમ્સ' પણ એમને વારંવાર વાંચવો ગમે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>

Latest revision as of 01:51, 14 June 2024

મૂળશંકર મોહનલાલ ભટ્ટ

[૨૫-૬-૧૯૦૭]

શ્રી મૂળશંકર ભટ્ટનો જન્મ ઈ.સ. ૧૯૦૭ના જૂન માસની ૨૫મી તારીખે ભાવનગરમાં થયો હતો. એમનું મૂળવતન રાજકા-ધંધુકા. પિતાનું નામ શ્રી મોહનલાલ શંકરલાલ ભટ્ટ અને માતાનું નામ રેવાબહેન. તેમનું લગ્ન થયું ૧૯૨૯માં હંસાબહેન સાથે. એમણે પ્રાથમિક શિક્ષણ વતનમાં તથા ભાવનગરમાં લીધેલું. માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ વિનયમંદિર, ભાવનગરમાં અને ઉચ્ચ શિક્ષણ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં લીધેલ. તેઓ ૧૯૨૭માં ‘અ' વર્ગમાં વિદ્યાપીઠના સ્નાતક થયા. તેમણે સંગીત ખાસ વિષય તરીકે પસંદ કરેલ. તેમને લલિત-કલાવિશારદનું પ્રમાણપત્ર પણ મળેલું. મૂળશંકરભાઈ એ ૧૯૩૦થી શરૂ કરીને આજ સુધી છાત્રાલયમાં ગૃહપતિ તરીકે તથા વિનયમંદિરમાં, અધ્યાપનમંદિરમાં તથા લોકભારતીના લોકસેવા મહાવિદ્યાલયમાં અધ્યાપક તરીકે મુખ્યત્વે કામ કર્યું છે. આ વ્યવસાય એમની લેખકપ્રવૃત્તિને ખૂબ જ પૂરક, પ્રેરક અને પોષક રહ્યો છે. આ ઉપરાંત નઈ તાલીમસંઘ, સઘન ક્ષેત્રયોજના, ગ્રામસેવાને લગતી રચનાત્મક પ્રવૃત્તિઓમાં તેઓ સદાય ગૂંથાયેલા રહ્યા છે. એમના કેળવણીવિષયક લેખો તથા પ્રૌઢો માટેનું સાહિત્ય આ પ્રવૃત્તિઓનું કંઈક પ્રતિબિંબ પાડે છે. એમના જીવન પર એમની માતા શ્રી રેવાબહેન અને ગાંધીજીની અસર ઠીક ઠીક પડી હતી. બાળપણમાં માતાની અસર અને શિક્ષણમાં ગાંધીજીની. લેખનવૃત્તિ તો અનાયાસે પ્રગટ થઈ. એમને સાહિત્યનાં શુદ્ધ સ્વરૂપોને આસ્વાદ કરવાની રુચિ સ્વ. રામનારાયણ વિ. પાઠકના પરિચયથી થઈ. પોતામાં શુદ્ધ સાહિત્યસર્જનની કોઈ શક્તિ નથી એની પ્રતીતિ એઓ વિદ્યાપીઠમાં ભણતા હતા ત્યારે થઈ. દક્ષિણામૂર્તિ સંસ્થામાં જોડાયા પછી એમને દૃઢ ખાતરી થઈ કે એમની રુચિ શિક્ષણના ક્ષેત્રની છે. એમની શિક્ષણપ્રવૃત્તિમાં સાહિત્યના સંસ્કારો ભળ્યા અને એ રીતે એમની લેખનપ્રવૃત્તિનો આરંભ થયો. આમ, એમનું લેખન સદા હેતુલક્ષી રહ્યું છે. એમનાં લખાણોમાં મોટા ભાગની કૃતિઓ ભાષાન્તરો કે રૂપાંતરો કે સંક્ષેપો છે તેનું કારણ પણ આમાં જ રહેલું છે. મૂળશંકરભાઈની લેખનપ્રવૃત્તિ હમેશાં એમની શિક્ષણપ્રવૃત્તિના એક ભાગરૂપે જ રહી છે. એમણે મુખ્યત્વે કિશોરવર્ગ તથા સામાન્ય ભણેલ પ્રૌઢોને લક્ષમાં રાખીને-તેમનાં રસ, રુચિ, કક્ષા ને વિકાસને લક્ષમાં રાખીને જ લખ્યું છે. લખવાની શરૂઆત ગૃહપતિ તરીકેના કામની એમની ફરજમાંથી અકસ્માત્ ઊભી થઈ. રાતે કિશોરવયના વિદ્યાર્થીઓને કહેવા માટેની વાર્તાઓની માંગમાંથી મૂળશંકરભાઈ વાર્તાઓના ખજાનાની શોધમાં નીકળ્યા, અને અચાનક એમની નજર તે કાળ સુધી ગુજરાતીઓને બિલકુલ અજાણ એવી જુલે વર્નની સાહસકથાઓ પર પડી. એ વાર્તાઓ એમણે કિશોરોને સંભળાવી અને પછી લખવા માંડી. તેમાં એમને મિત્રો તેમ જ વિદ્યાર્થીઓ તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું. આ વાત લગભગ ૧૯૩૩ની. વિદ્યાર્થીઓનો નિત્ય અને જીવંત સહવાસ મૂળશંકરભાઈને વાર્તાકથન અને લેખન ભણી અનાયાસે ખેંચી ગયો. એમના મનગમતા વિષયો છે. સાહસકથા, પ્રવાસકથા, જીવનચરિત્રો, પ્રૌઢો માટેની નાની વાર્તાઓ. ઉત્તમ સાહિત્યકૃતિઓનું વારંવાર પરિશીલન કરવાનું એમને ખૂબ ગમે છે. મનોવિજ્ઞાનનાં પુસ્તકો વાંચવાનો પણ એમને શાખ છે. એમની પહેલી સાહિત્યકૃતિ તે ‘સાગરસમ્રાટ' નામના જુલે વર્નના પુસ્તકનું સંક્ષિપ્ત ભાષાંતર, શ્રી દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિરના સંચાલક શ્રી ગોપાલભાઈની પ્રેરણા તથા તેમની કાર્યદક્ષતાએ આ પ્રકાશનમાં ઘણો મોટો ફાળો આપ્યો હતો. મૂળશંકરભાઈને શુદ્ધ સાહિત્યનો રસાસ્વાદ કાલિદાસ, રવીન્દ્રનાથ શરદબાબુ, ગોવર્ધનરામ અને પ્રેમાનંદમાંથી ઠીક ઠીક મળ્યા કરે છે. શાકુન્તલ, ઘરે બાહિરે, શ્રીકાંત, સરસ્વતીચંદ્ર, નળાખ્યાન એ. ગ્રંથો એમને વારંવાર વાંચવા ગમે છે. એમને દરેક વખતે તે ગ્રંથોના વાચનથી ‘કંઈક નવીન'ની પ્રાપ્તિ થયાનો આનંદ મળ્યો છે. કૉનન ડોઈલનો ‘શેરલોક હોમ્સ' પણ એમને વારંવાર વાંચવો ગમે છે.

કૃતિઓ
૧. સાગરસમ્રાટ : સંક્ષેપ-અનુવાદ (Twenty Thousand Leagues Under the Sea by Jules Vern), સાહસકથા; પ્ર. સાલ ૧૯૩૩.
૨. સાહસિકોની સૃષ્ટિ : સંક્ષેપ-અનુવાદ (Secret of the Island by Jules Vern)-સાહસકથા; પ્ર. સાલ ૧૯૩૪.
૩. પાતાળપ્રવેશ : સંક્ષેપ-અનુવાદ (Journey to the Centre of the Earth by Jule Vern), સાહસકથા; પ્ર. સાલ ૧૯૩૫.
૪. ખજાનાની શોધમાં: સંક્ષેપ-અનુવાદ (Treasure Island by R. L. Stevenson), સાહસકથા: પ્ર. સાલ ૧૯૩૬.
બધાંના પ્રકાશક : દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર, ભાવનગર.
૫. મહાન મુસાફરો : મૌલિક, પ્રવાસકથા; પ્ર. સાલ ૧૯૩૭.
પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ.
૬. ધરતીને મથાળે : અનુવાદ (On the Top of the Earth),
પ્રવાસકથા: પ્ર. સાલ ૧૯૩૯.
પ્રકાશક : સંરકાર સાહિત્ય મંદિર, રાજકોટ.
૭. ૮૦ દિવસમાં પૃથ્વી-પ્રદક્ષિણા: સંક્ષેપ-અનુવાદ (Eighty Days Round the World by Jule Vern), સાહસકથા પ્ર. સાલ ૧૯૪૦.
૮. ચંદ્રલોકમાં : સંક્ષેપ-અનુવાદ (Journey to the Moon and Round the Moon), સાહસકથા; પ્ર. સાલ ૧૯૪૧.
પ્રકાશક (બન્નેના) : ઘરશાળા પ્રકાશન મંદિર, ભાવનગર.
૯. લા મિઝરેબલ : સંક્ષેપ-અનુવાદ (Les Meserables by Victor Hugo), નવલકથા; પ્ર. સાલ ૧૯૪૬.
પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર, રાજકોટ.
૧૦. અંધારના સીમાડા : રૂપાંતર (Power of Darkness by Tolstoy), નાટક, પ્ર. સાલ ૧૯૪૬.
૧૧. નાનસેન : મૌલિક, જીવનચરિત્ર: પ્ર. સાલ ૧૯૪૭.
૧૨ . ગગનરાજ : અનુવાદ, સાહસકથા; પ્ર. સાલ ૧૯૪૮.
પ્રકાશક (ત્રણેના) : ગ્રામ દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર, ભાવનગર.
૧૩. વાંચનપટ : મૌલિક, પ્રૌઢો માટે અક્ષરજ્ઞાન: પ્ર. સાલ ૧૯૫૦.
પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર, રાજકોટ.
૧૪. વાંચતાં આવડી ગયું: મૌલિક, પ્રૌઢો માટે અક્ષરજ્ઞાન: પ્ર. સાલ ૧૯૫૭.
૧૫. દલપતરામની વાતો : મૌલિક, પ્રૌઢો માટે અક્ષરજ્ઞાન: પ્ર. સાલ ૧૯૫૭.
૧૬. વાંચવા જેવી વાર્તા : મૌલિક, પ્રૌઢો માટે અક્ષરજ્ઞાન: પ્ર. સાલ ૧૯૫૭.
ત્રણેના પ્રકાશક : લોકભારતી વિદ્યા વિસ્તાર, સણોસરા.
૧૭. બાળકોને વાર્તા કેમ કહેશો? : મૌલિક, બાલ-મનોવિજ્ઞાન, પ્ર. ૧૯૫૮.
પ્રકાશક: પરિચય ટ્રસ્ટ, મુંબઈ.
અભ્યાસી–સામગ્રી :
ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૪૬, ૧૯૫૮,

સરનામું : લોકભારતી, સણોસરા (ભાવનગર).