4,502
edits
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (19 intermediate revisions by 3 users not shown) | |||
| Line 71: | Line 71: | ||
</poem></center> | </poem></center> | ||
<hr> | |||
== અનુક્રમ == | == અનુક્રમ == | ||
| Line 88: | Line 86: | ||
{{color|Sienna|» પગલાં}} {{Color|RoyalBlue|~}} {{color|#003399|સુન્દરમ્}} | {{color|Sienna|» પગલાં}} {{Color|RoyalBlue|~}} {{color|#003399|સુન્દરમ્}} | ||
{{color|Sienna|» અંતરપટ}} {{Color|RoyalBlue|~}} {{color|#003399|જુગતરામ દવે}} | {{color|Sienna|» અંતરપટ}} {{Color|RoyalBlue|~}} {{color|#003399|જુગતરામ દવે}} | ||
{{color|Sienna|» | {{color|Sienna|» માબાપને}} {{Color|RoyalBlue|~}} {{color|#003399|ગુલામમોહમ્મદ શેખ}} | ||
{{color|Sienna|» ઢીંચણ પર માખી બેઠીને...}} {{Color|RoyalBlue|~}} {{color|#003399|રાવજી પટેલ}} | {{color|Sienna|» ઢીંચણ પર માખી બેઠીને...}} {{Color|RoyalBlue|~}} {{color|#003399|રાવજી પટેલ}} | ||
{{color|Sienna|» તમે આવો તો...}} {{Color|RoyalBlue|~}} {{color|#003399|રમણ સોની}} | {{color|Sienna|» તમે આવો તો...}} {{Color|RoyalBlue|~}} {{color|#003399|રમણ સોની}} | ||
| Line 312: | Line 310: | ||
[[File:Sanchayan 63 Image 8.jpg|center|300px]] | [[File:Sanchayan 63 Image 8.jpg|center|300px]] | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color|#003399|''' | <center><big><big>{{color|#003399|'''માબાપને'''}}</big></big> | ||
<big>{{Color|#008f85|'''ગુલામમોહમ્મદ શેખ'''}}</big></center> | <big>{{Color|#008f85|'''ગુલામમોહમ્મદ શેખ'''}}</big></center> | ||
સૂરજ અને ચાંદો ઓલવાયા | સૂરજ અને ચાંદો ઓલવાયા | ||
| Line 366: | Line 364: | ||
<center><big><big>{{color|#003399|''' તમે આવો તો... '''}}</big></big> | <center><big><big>{{color|#003399|''' તમે આવો તો... '''}}</big></big> | ||
<big>{{Color|#008f85|'''રમણ સોની'''}}</big></center> | <big>{{Color|#008f85|'''રમણ સોની'''}}</big></center> | ||
તમારી વાતોનાં | તમારી વાતોનાં સરવર મહીં પંખી તરતાં | ||
અમારી આંખોનાં, હળુહળુ વહે વાયુ સ્મિતનો; | અમારી આંખોનાં, હળુહળુ વહે વાયુ સ્મિતનો; | ||
પ્રતિબિંબાયેલાં ઉષઃકિરણો, સાન્ધ્યસુરખી | પ્રતિબિંબાયેલાં ઉષઃકિરણો, સાન્ધ્યસુરખી | ||
| Line 420: | Line 418: | ||
{{gap|5em}}અંતકડીની જેમ અડોઅડ વાતનો મેલે કોઈ ના કેડો | {{gap|5em}}અંતકડીની જેમ અડોઅડ વાતનો મેલે કોઈ ના કેડો | ||
{{gap|5em}}આમ શરૂ સૉનેટથી કરી પહોંચીએ ત્યારે હોય સનેડો | {{gap|5em}}આમ શરૂ સૉનેટથી કરી પહોંચીએ ત્યારે હોય સનેડો | ||
વાતને જરા વાયડી કરી ફેર | વાતને જરા વાયડી કરી ફેર ઉપાડે લાપસી ઉપર ભભરાવીને મરચું મીઠું સ્પેનનું કેસર | ||
પેટછૂટી જ્યાં કરવા મથે વાત કે વાછૂટ, લાગલી દેશી વાલના વાંકે વકરીને થૈ જાય વતેસર | પેટછૂટી જ્યાં કરવા મથે વાત કે વાછૂટ, લાગલી દેશી વાલના વાંકે વકરીને થૈ જાય વતેસર | ||
{{gap|5em}}વાતનો વાયુ વાય ને ખસે નળિયું, ભસે કૂતરું, અખા | {{gap|5em}}વાતનો વાયુ વાય ને ખસે નળિયું, ભસે કૂતરું, અખા | ||
| Line 742: | Line 740: | ||
‘કહું?’ | ‘કહું?’ | ||
‘કહો.’ | ‘કહો.’ | ||
‘કંઈ નથી. | ‘કંઈ નથી.’dhr | ||
‘કંઈ નથી જુઓ આ શું છે?’ મેં એની હથેલીમાં છીપ જોઈ... ખાલી છીપ... મેં કહ્યું: ‘બચુ, આ તો ખાલી છીપ છે!’ | ‘કંઈ નથી જુઓ આ શું છે?’ મેં એની હથેલીમાં છીપ જોઈ... ખાલી છીપ... મેં કહ્યું: ‘બચુ, આ તો ખાલી છીપ છે!’ | ||
‘ખોટી વાત... છીપ ખાલી ન હોય...!’ | ‘ખોટી વાત... છીપ ખાલી ન હોય...!’ | ||
| Line 748: | Line 746: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|(નિરીક્ષક: ૬–૧૨–૧૯૭૦)}} | {{right|(નિરીક્ષક: ૬–૧૨–૧૯૭૦)}} | ||
== ॥ વિવેચન ॥ == | |||
<big><big>{{right|{{color|#003399|''' ગીતમાં લયવિધાન '''}} }}</big></big><br> | |||
<big>{{right|{{Color|RoyalBlue|ꕥ લાભશંકર પુરોહિત ꕥ}} }}</big><br> | |||
{{rule|width=15em|height=1em|align=right|style=background-color:#eda475;color:inherit;border:0px solid black;}} | |||
{{Poem2Open}} | |||
‘લય’ જેવી સંગીતકળાની પારિભાષિક સંજ્ઞાને આપણે જ્યારે કાવ્યચર્ચાને અનુષંગે પ્રયોજીએ ત્યારે એના વિભાવસંકેતોની ચોકસાઈ હોવી ઘટે. સમવિષમ તમામ ઘટકોનો ઉપચયાત્મક સંવાદ, એવો યૌગિક અર્થ સંસ્કૃત ‘લય’ સંજ્ઞામાં નિહિત (यास्मिन् लीनो भवेत्तदुभयं लय इति व्यवरहन्ति) અંગ્રેજી ‘રીધમ’ સંજ્ઞાના પર્યાય તરીકે એને પ્રયોજવાનું બનતાં અંગ્રેજી સંકેતો પણ એમાં ઉમેરાયા. હવે બન્યું એવું કે, ‘rhythm’નો ‘નિયમિત ધબકાર’ (beat) – એ અર્થ વધારે ચલણી બન્યો જ્યારે ‘આંદોલ’, ‘સંચરણ’(movement) – એ સંકેત પાછળ રહી ગયો. આવું બનવામાં સંગીત અને કવિતા– બંનેમાં સમાનપણે પ્રવર્તતા તાલના અનુશાસનનો પ્રભાવ કારણરૂપ હોઈ શકે. હકીકતે તો શબ્દની કળામાં પ્રવર્તતા વાગ્લયની ઘટનામાં, ઉક્તિમાં વરતાતા ધ્વનિથડકાર લયઅંતર્ગત પ્રાથમિક દ્રવ્ય છે. આવા થડકાર અને વિરામની પ્રવાહિતાથી નીપજતાં ગત્યાત્મક આંદોલનમાં લયનું સાચું સ્વરૂપ છે. | |||
શબ્દને ઉપાદન વા ઉદ્દિષ્ટ લેખે સ્વીકારતી કાવ્યકળામાં લયનિબંધનનાં વિવિધ સ્તરો-કક્ષાઓ પ્રતીત થતાં હોય છે. સૌંદર્યવિષયક વિભાવ તરીકે લયનાં સર્વસાધારણ ઘટકોની વાણીગત ઉપસ્થિતિ એ કાવ્યલયની પ્રાથમિક શરત છે. ગદ્ય અને છાંદસ વાણીમાં પ્રતીત થતા વાગ્લયને મુકાબલે ગીતમાં લયપ્રવર્તનનું સ્વરૂપ થોડુંક વિલક્ષણ અને નિરાળું હોય છે. લયની અનુનેયતા (flexibility),ગતિશીલતા અને સેન્દ્રિયતાનો પરિચય આપણને ગીતમાં પ્રયોજાતો લય સંપડાવી રહે છે. | |||
ગીતમાં લયનો વિભાવ અત્યંત સંકુલ, સર્વતઃ સ્પર્શી અને બહુપરિમાણીય સત્તા ધરાવતો હોય છે. ગીતને સાદ્યન્તપણે સંચારિત કરનારું અને વાણીગત દ્રવ્યને સૌંદર્યરસિત કરનારું મહત્ત્વનું ઘટક છે આ લય. પણ લય કેવળ છાંદસ સંધિએકમોની મિલાવટનો જ મામલો નથી કેમ કે એનો રસાત્મક પુદ્ગલ જેમાંથી બંધાતો હોય છે તે શબ્દ ‘અવાજ’ અને ‘અર્થ’ની સૌંદર્યસંપૃક્ત પદઘટના છે. એટલે એમાં પ્રત્યક્ષ મૂતર્તાની કક્ષાએ ધ્રુવપદ/અંતરાની આંતરુક્તિ, યમકાદિ પ્રાસ ને અર્થશૂન્ય પૂરકો (suppliments)થી નિયંત્રિત થતા પંક્તિબંધોને સમાવતા અને માત્રિક સંધિએકમોના અંતરાલમાં સંગીતસંધિઓના મેળવણથી રસાયેલા પદ્યબંધોની બાહ્ય આકૃતિ તરત નજરે-કાને ચડતી ચીજ છે; તો ગીતના કેન્દ્રીય ભાવને રચનાના સાદ્યંતપટમાં વિલસાવવાની નોખનોખી તરેહો, ચરણોના પારસ્પરિક અન્વયમાંથી બંધાતા પાસાદાર અર્થસ્ફટિકો અને સમગ્ર નિબંધનમાંથી ઊપસતા ભાવવિવર્તોની ધ્વનનપ્રતીતિ રચનાના આંતરલયની અમૂર્તતાનો અણસાર આપે છે. ઊર્મિના સરલતરલ સંવેદનમાંથી ઉ્દભવેલું ગીત આજે માનવીય સંવેદનાના સૂક્ષ્મ-સંકુલ અનેકાનેક ભાવપ્રદેશોને વ્યક્ત કરવામાં સમર્થ નીવડ્યું છે. એમાં લયની પ્રાણપ્રદતા મહત્ત્વની રહી છે. કહો કે, લય ગીતની સમગ્ર કાવ્યચેતનાનું મૂલધારકચક્ર છે. ગીતની કવિતાકોટીમાં રચનાગત લયપ્રવર્તન ‘અવાજ’ (Sound) અને ‘અર્થ’ (meaning) – ‘ભાષા’ અને ‘ભાવ’ની દ્વિ-સ્તરીય ભૂમિકા સંપૃક્તપણે સંચરણશીલ રહે છે. શ્રુતિ અને શ્રુતિખંડકોના કાલમાન પર આધારિત આરોહ-અવરોહનાં ધ્વનિકંપનો તથા સ્વર-વ્યંજનોની અન્વિતિમાંથી ઊઠતાં નાદસંચલનોની જુગલબંદી નાદાત્મક-અવાજ-ની લયસંસૃષ્ટિ નિષ્પન્ન કરે છે; તો ગીતની નાદાત્મક સપાટી તળે આંતરસ્તરે સ્ફુટ-અસ્ફુટપણે વહેતો ‘અર્થ’ ભાવનિબંધનની વિવિધ રચનાતરેહો દ્વારા જ્યાં વ્યંજનાપ્રતીતિ પામતો હોય છે ત્યાં અર્થાત્મક-ભાવ-ની લ્યસંસિદ્ધિ પ્રકાશિત થતી હોય છે. ધ્રુવપદમાં સૂત્રરૂપે રહેલું ભાવબિંદુ અંતરાઓમાં તરંગાયિત થઈને ભાવશબલતા પામતું પામતું વિસ્તરતું જાય અને ધ્રુવપદનાં આવર્તનો એને ઘૂંટતાં જાય એવી ધ્રુવપદ/અંતરાની અતિપ્રચલિત તરેહનાં અનેક ઉદાહરણો મળી રહેશે. ન્હાનાલાલનું ‘ફૂલડાંકટોરી’, વેણીભાઈ પુરોહિતનું ‘ઊનાં રે પાણીનાં...’ રમેશ પારેખનું ‘તારો મેવાડ મીરાં છોડશે’, વિનોદ જોશીનું ‘ઝાલર વાગે જૂઠડી’ – તરત કલમે ચડતાં દૃષ્ટાંતો છે. ટૂંકા ધ્રુવપદથી અન્વિત થતી પંક્તિમાલા કે ચરણયુગ્મોમાં વ્યંજક પુદ્ગલોની વિવર્તયુતિઓ આકારાતી જાય એવી તરેહ પણ જાણીતી છે. દયારામનું ‘બિહારીલાલ’, સુન્દરમ્ નું ‘કોણ’, ન્હાનાલાલનું ‘હરિ આવો ને’, બાલમુકુન્દ દવેનું ‘શ્રાવણ નીતર્યો’માં એની સાહેદી મળી રહેશે. સામસામે તોળાતાં ભાવબિંબોનાં દ્વંદ્વથી ગ્રથિત તરેહ દયારામના ‘લોચન-મનનો ઝઘડો’માં, તો ભાવ-યમકની આંતરસંકલનાની સાવ નવી તરેહ જયેન્દ્ર શેખડીવાળાની ‘કોણ’ ભલે સંલક્ષ્યક્રમવ્યંગ્ય પ્રકારે હોય; પણ ‘અર્થ’ લયનો જે અનુભવ ભાવક તરીકે આપણને સાંપડતો હોય છે તે તો ભાવનપ્રક્રિયાના સંલક્ષ્યક્રમવ્યંગ્ય સ્તરે જ સંભવી શકે; કહો કે ભાવબોધના ક્રમ-ઉપક્રમની સંલક્ષ્યતાની પ્રક્રિયા એ જ એના અંતરલયના ઉઘાડની અવસ્થા હોય છે; ભાવક્રમની સંલક્ષ્યતા ઊકલતી થાય એ જ લય પ્રતીતિ રસવ્યાપાર નીવડે. | |||
{{Poem2Close}} | |||
{{right|'''(ફલશ્રુતિ,૧૯૯૯)'''}}<br> | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<big><big>{{right|{{color|#003399|''' સર્જકની નજરે સર્જકો '''}} }}</big></big><br> | |||
<big>{{right|{{Color|RoyalBlue|ꕥ ચુનીલાલ મડિયા ꕥ}} }}</big><br> | |||
{{rule|width=15em|height=1em|align=right|style=background-color:#eda475;color:inherit;border:0px solid black;}} | |||
{{Poem2Open}} | |||
એક કલાકૃતિ વિષે કલાકાર પોતે શું કહે છે એ જાણવું રસપ્રદ થઈ પડે છે. એક સર્જક વિષે બીજા સર્જકનો અભિપ્રાય રસશાસ્ત્રીઓના અભિપ્રાય કરતાં વધારે મહત્ત્વનો બની રહે છે. અગાઉ ફૅબર પ્રકાશકોએ ‘કવિઓ વિષે કવિતાઓ’ નામની પુસ્તકશ્રેણી પ્રગટ કરેલી, એ પણ આ પ્રકારના એક વિશિષ્ટ રસાસ્વાદનો જ પ્રયોગ હતો. આપણે ત્યાં ‘દર્શક’કૃત ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ પણ સર્જકતા વિશેનું એક સર્જકનું દૃષ્ટિબિંદુ સમજવામાં સહાયભૂત થાય એવો વિવેચનગ્રંથ છે. | |||
દર્શકે આ ગ્રંથમાં ટૉલ્સ્ટોયથી વિભૂતિભૂષણ બંદોપાધ્યાય સુધીના નવ નવલકથાકારોની કૃતિઓનું સૌન્દર્યદર્શન કરાવ્યું છે. એમાં ‘ઘરે બાહિરે’થી માંડીને ‘ડૉ. ઝિવાગો’ જેવી ભિન્નભિન્ન ભૂમિ અને તાસીરની કથાઓનો સમાવેશ થાય છે. ‘મીરાંની સાધના’ નામક અધ્યયન એ કવયિત્રીના જીવન અને કવનને નવીન નજરે મૂલવવા મથે છે. આ ઉપરાંત ‘સાહિત્યકારની સાધના’, ‘સર્જનમાં સાવચેતી’ અને ‘સ્વાંતઃસુખાય’ એ ત્રણ લેખોમાં લેખકે પોતાની સર્જનપ્રવૃત્તિ અને અેનાં ચાલકબળોની ચર્ચાવિચારણા કરી છે. | |||
‘શિક્ષણ અને રચનાકાર્યમાં પડ્યો હોવા છતાં સાહિત્ય એ મારા હૃદયના આનંદની વસ્તુ રહી છે,’ એમ આરંભમાં જ કબૂલનાર લેખકે અહીં જે જે કૃતિઓ હૃદયનો આનંદ વ્યક્ત કરવા માટે પસંદ કરી છે તે તે કૃતિઓ એના પ્રકારોમાં શિરટોચે સ્થાન પામેલી છે. એ દૃષ્ટિએ એમની એ પસંદગી પોતે જ એક પ્રશિષ્ટપૂજક ઉન્નતભ્રૂ ને દુરારાધ્ય રસવૃત્તિની શાખ પૂરી રહે છે. | |||
તો, બીજી દૃષ્ટિએ જોતાં અહીં પસંદગી પામેલી કૃતિઓ અને અહીં ગેરહાજર જણાતી અન્ય રચનાઓ ઉપરથી વિવેચકના ગમા-અણગમા, આગ્રહો અને અભિગમોનો પણ અંદાજ બાંધી શકાય એમ છે. દાખલા તરીકે આરંભિક અધ્યયન ‘યુદ્ધમાંથી શાંતિ’ના આરંભમાં જ શ્રી દર્શક કલા અંગેનું પોતાનું એક વલણ સોઈ ઝાટકીને જણાવી દે છેઃ ‘આનંદ પણ આનંદ ખાતર નથી પણ મંગળના અનુભવ માટે છે. તો કલાએ પણ તે જ કર્તવ્ય અદા કરવાનું છે.’ | |||
શ્રી દર્શક પોતે ટૉલ્સ્ટોયને આ રીતે મૂલવવા મથે છેઃ | |||
‘ટૉલ્સ્ટોયને મન કલા એ માત્ર મોજનો વિષય નથી; તે ચિત્તને વ્યાપક કરવા સારુ ચિત્ર શુદ્ધ કરે તેવી અપેક્ષા છે. સાચી કલા સત્યને કે વાસ્તવને છેહ દીધા વિના ચાલે છે. રસશુદ્ધિની જોડાજોડ રસતૃપ્તિ કરી જ શકે છે.’ | |||
‘યુદ્ધ અને શાંતિનો’નો કથાવિકાસ, પાત્રવિકાસ ને તેનું પર્યવસાન જોતાં એવા અનુમાન પર આવવું પડે તેમ છે કે કલા અને નીતિને અનિવાર્ય સંબંધ હોવો જોઈએ. કલા ભલે કલાની રીતે તે સંબંધની અભવ્યક્તિ કરે, તે આંડબરી તટસ્થતા ધારણ ન કરી શકે... આખરે નૈતિક સમસ્યાઓની ખોજ દ્વારા જ માનવસમાજનાં ધોરણ, પોષણ ને સત્યની સંશુદ્ધિ થયા છે. | |||
બીજે એક સ્થળે લેખક કહે છેઃ | |||
‘દરેક મહાન કલા એના પૂર્ણ સ્વરૂપને ત્યારે જ પામે છે, જ્યારે એ વ્યષ્ટિની કથાને સમષ્ટિનાં સુખદુઃખોનું વાહન બનાવે છે.’ | |||
‘સાહિત્યકારની સાધના’માં શ્રી, દર્શક એક અભિપ્રાય દર્શાવે છેઃ ‘...માનવીના ચિત્તને વ્યાપક કરવું, અભેદનો અનુભવ કરાવવો તે જ સાહિત્યકારનું ઇતિકર્તવ્ય છે. જેનું લખાણ ચિત્તને સંકુચિત કરે, મલિન કરે, અહંબુદ્ધિ ને ભેદને જન્માવે કે પોષે તેનું લખાણ ગમે તેવું જોરદાર હોય, ગમે તેવી તેની પદવિન્યાસચાતુરી હોય તો પણ તેને મનીષી નહિ કહેવાય...’ | |||
આટલાં અવતરણો પરથી લેખકનું કલા અને સૌન્દર્ય અંગેનું વલણ જાણી શકાય છે. આરંભમાં એમણે ‘મંગલ’ની વાત કરી છે એથી કોઈ વાચકને ગેરસમજ થવાનો પણ ભય છે. શ્રી દર્શક ‘શુભ’ના પુરસ્કર્તા છે. છતાં ‘મંગલ’ની વાત કરીએ તેઓ આજકાલ બજારુ થઈ પડેલા ‘માંગલ્ય’ની માગણી કરનારાઓમાંના એક નથી જ. | |||
એમની સૌન્દર્યદૃષ્ટિ સાફ છે અને પારગામી છે, નહિતર ‘યુદ્ધ અને શાંતિ’ કે ‘ઘરે બાહિરે’ જેવી નવલકથાઓનાં સૌન્દર્યબિંદુઓને તેઓ પામી જ ન શકત. પણ એ અને અન્ય સમર્થ નવલકથાઓનું કલાસામર્થ્ય તેઓ નિરૂપી શક્યા છે એ જ બતાવે છે કે કલા અને નીતિ બાબતમાં પણ તેઓ ધોકાપંથી નથી. પોતે શિક્ષક છે અને એ પ્રવૃત્તિમાં સમાજસુધારક કે સેવકની કામગીરી આપોઆપ જ એમને ભાગે આવે છે, છતાં તેઓ સાહિત્ય કે કલા પાસેથી સસ્તી સુધારકશાઈ કામગીરી લેવામાં માનતા નથી. વ્યવસાયી Do gooder જેવા બનવાનું એમના સ્વભાવમાં જ નથી. શ્રી ‘દર્શક’ની પોતાની નવલકથાઓ વાંચનાર સાખ પૂરી શકશે કે આ લેખક સાહિત્યસર્જનમાં નીતિના ડોળઘાલુ કે મરજાદી કે ચોખલિયા નથી. ‘દીપનિર્વાણ’ કે ‘ઝેર તો પીધાં છે...’નાં ઘણાંયે પ્રકરણો ને ખંડો કહી આપે છે કે લેખકને શુદ્ધ સૌન્દર્યથી ઓછું કશુંય સંતોષી શકે એમ નથી. | |||
કલા કનેથી આ લેખક તેઓ સસ્તી પાદરીશાઈ કામગીરી લેવામાં માનતા જ નથી. અને છતાં ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’માં વિશ્વસાહિત્યની કેટલીક પ્રશિષ્ટ કૃતિઓનો રસાસ્વાદ કરાવતી વેળા એમને કેટલાંક વળગણો નડતાં હોય એમ વાચકને લાગ્યા વિના રહેતું નથી. | |||
શ્રી દર્શક પોતે ગાંધીયુગની નીપજ છે. આશ્રમજીવન, જેલજીવન આદિનો એમને પ્રત્યક્ષ પરિચય છે. ગાંધીવાદી વિચારધારા ઉપર એમણે ભાષ્યો પણ લખ્યાં છે, એની મૂલવણી કરી જોઈ છે. છતાં તેઓ મૂઢમતિ કે વેદિયા ગાંધીવાદી નથી. એવું હોત તો લેજરક્વિસ્ટકૃત ડેલ્ફીની દેવદર્શિનીની કથાને તેઓ સ્પર્શ પણ ન કરત. અથવા ‘ગુજરાતનો નાથ’ કે ‘માનવીની ભવાઈ’માંના શૃંગારભરપૂર, લગ્નબાહ્ય મિલનપ્રસંગોને ઝાડી નાખત. એવું કશું કરવાને બદલે એ નવલકથાઓનાં એમણે ભરપેટ વખાણ કર્યાં છે, એ જ બતાવે છે કે એમની સૌન્દર્યદૃષ્ટિને સુધારકદૃષ્ટિનાં કે પાદરીવેડાનાં પડળ બાઝી શક્યાં નથી. એવું હોત તો, ‘ઘરે બાહિરે’માંના સંદીપ-વિમલાના નાજુક મિલનપ્રસંગોને એમણે આડો વહેવાર, અનાચાર, ભ્રષ્ટાચાર, વ્યભિચાર આદિ નામો વડે નવાજ્યા હોત. પણ એમ કરવાને બદલે તેઓ એક સમાનધર્મી સર્જકની જ હેસિયતથી સંદીપ અને વિમલાના એ પતનને સહાનુકમ્પાથી અવલોકી શકે છે એ પણ એમની શુદ્ધ કલાદૃષ્ટિની સાહેદી જ ગણાય. | |||
અને છતાં આ પુસ્તકમાં વારેવારે ચિત્તની સંશુદ્ધિ, ચિત્તની વ્યાપકતા, રસશુદ્ધિ વગેરેની વાત આવ્યા જ કરે છે એ શાથી ભલા? | |||
એક ખુલાસો કલ્પી શકાય. લેખક પોતે આજન્મ શિક્ષક છે, આચાર્ય છે. સમાજ સુધારક બન્યા, સુધારક બન્યા વિના પણ, અજ્ઞાતપણે તેઓ જીવનસુધારણા, સમાજસુધારણા માટે મથતા જ હોય. એ એમના વ્યવસાયની જોડે અભિન્નપણે જોડાયેલી સ્વાભાવિક કામગીરી છે. સંભવ છે એમણે કરેલી કલાકૃતિઓના રસાસ્વાદમાં એ ‘શુભંકર’ દૃષ્ટિબિંદુ અસંપ્રજ્ઞાતપણે કામ કરતું જ હોય. અથવા કદાચ એમ પણ બન્યું હોય કે એ શુભલક્ષી, મંગલલક્ષી દૃષ્ટિએ જ એમણે આ પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ અધ્યયન અને આસ્વાદ માટે પસંદ કરી હોય. | |||
જો એમ જ હોય તો, શ્રી ‘દર્શક’ની કલાદૃષ્ટિનો હજી વધારે પરચો પામવા માટે એમને એક પડકાર આપવો જોઈએ. | |||
આ ગ્રંથમાં એમણે વાગીશ્વરીનાં જે કર્ણફૂલો પસંદ કર્યાં છે એમાં સૌન્દર્ય બેશક ઘણું છે, પણ એ મહદઅંશે એકાંગી છે. કલામાં તો કૃત્સિતતાનું પણ સૌન્દર્ય હોઈ શકે. એવાં કર્ણફૂલો લેખકે બહુ પસંદ કર્યાં નથી. | |||
તેથી જ એમની કલાદૃષ્ટિને હજી વધારે નાણવા માટે આ પડકારનું કરવાનું મન થાય છેઃ જેમ્સ જૉઈસકૃત ‘યુલિસિસ’ને તે આન્દ્ર જિદકૃત ‘કાઉન્ટરફિટર્સ’ કે ‘લેડી ચે.’ નહિ તોયે હેન્રી મિલરકૃત ‘ટ્રોપિક ઑફ કૅન્સર’ (પ્રતિબંધ ઉવેખીને વાંચી શકાય તો જ!) જેવી નવલકથાઓની દેખીતી અસુંદરતામાંથી સુંદરતા સારવી આપો તો તમને રંગ ભણીએ. | |||
ફ્રાન્સ કાફકાને ખાસ્સા એક યુગ જેટલો ઉવેખીને, દુર્બોધતાની અને અનીતિમયતાની ગાળો ભાંડીભાંડીને છેક હવે જ વિવેચકોએ કાનબૂટ પકડી છે કે કાફકા અત્યંત નીતિમય નવલકથાકાર હતો, ઈસુપરાયણ હતો. પાપભીરુ હતો. એની ‘ધ કૅસલ’ કે ‘ધ ટ્રાયલ’ જેવી નવલકથાઓ કે ‘ધ મેટેમોર્ફોસિસ’ જેવી વાર્તાઓને આપણા લેખક કઈ રીતે આસ્વાદે છે એ જાણવું પણ બહુ રસપ્રદ થઈ પડશે. | |||
દેવી વાગીશ્વરીનાં કર્ણફૂલોમાં તો ‘વૉર ઍન્ડ પીસ’ કે ‘સરસ્વતીચન્દ્ર’ જેવી મહાનવલોની જોડાજોડ જ, દુનિયાદારીએ જેને અનીતિમય આલેખન કહેલુ એ ‘માદામ બોવારી’નું પણ માનભર્યું સ્થાન છે જ. તેથી જ, ફ્લૉબેર અને પ્રુસ્ત જેવા નવલકથાકારોની કૃતિઓની ખામી-ખૂબીઓ સમજાવવાનું, ભલે જરા અવિનય લાગે તો પણ, શ્રી દર્શકને આહ્વાન આપવાનું મન થાય છે. | |||
{{Poem2Close}} | |||
{{right|‘કથાલોક'માંથી}} | |||
==॥ કલાજગત ॥ == | |||
<big><big>{{right|{{color|#003399|''' ક્લાદૃષ્ટિ '''}} }}</big></big><br> | |||
<big>{{right|{{Color|RoyalBlue|ꕥ નંદલાલ બોઝ, અનુવાદ: કનુ પટેલ ꕥ}} }}</big><br> | |||
{{rule|width=15em|height=1em|align=right|style=background-color:#eda475;color:inherit;border:0px solid black;}} | |||
{{Poem2Open}} | |||
જૂના જમાનામાં વિદ્યાર્થી પહેલાં કઠોર પરિશ્રમ કરીને વ્યાકરણ યાદ કરતો હતો, ત્યાર બાદ અલંકાર તથા કાવ્ય પર કુશળતા પ્રાપ્ત કરતો હતો, અર્થાત્ પહેલાં પરિશ્રમ પછી આનંદ. પરંતુ આપણે કાવ્ય અને વ્યાકરણની એક સાથે પઠન-પાઠનની વ્યવસ્થા કરી દીધી છે. ત્યાં સુધી કે આજકાલ તો આનંદ પહેલાં, પરિશ્રમ પછી. આનંદ જ પરિશ્રમ કરવા માટેની શક્તિ પેદા કરશે એવું માનવા લાગ્યા છીએ. | |||
(દૃશ્ય)રૂપની સૃષ્ટિમાં આટલો પ્રયત્ન કેમ કરવો પડે છે? સામાન્ય રીતે આપણા મન સામે એક પરદો લટકેલો હોય છે. તેને હટાવ્યા સિવાય વસ્તુને પૂરી રીતે જોઈ ન શકાય અને જોયા વગર ચિત્ર પણ ન બનાવી શકાય. લાંબા ગાળાની લગન અને અભ્યાસના ફળસ્વરૂપે જ એ થઈ શકશે. કોઈ-કોઈ પ્રતિભાશાળી કલાકાર એવી અવસ્થાએ પહોંચી ગયા હોય કે કોઈ વસ્તુ તરફ નજર કરે અને એ આવરણ દૂર થઈ જાય, વસ્તુનો એક ને એક પક્ષ તેના મનની આંખોની પકડમાં તત્કાળ આવી જાય. આવું થવાથી રૂપ-સૃષ્ટિનું કામ તેમના માટે ખૂબ સરળ થઈ જતું હોય છે. આપણા માટે પણ થઈ શકે છે. હા, લગન અને અભ્યાસ જોઈએ. | |||
પોતાના વિષય સામે ધ્યાનરત વિદ્યાર્થી આખો દિવસ રસ્તાની ધારે ઊભો છે. પાંદડા વગરનું વિશાળ લીમડાનું વૃક્ષ તેની ઊંચી શાખા-પ્રશાખામાં સોનેરી ગોળીઓ જેવી ગુચ્છે-ગુચ્છ લીંબોળીઓ લાગેલી છે. | |||
તું જે આજે આ વૃક્ષની આરાધના કરી રહ્યો છે, ચિત્ર બનાવી રહ્યો છે, એ જો તને ખરેખર સરસ લાગે તો તારા સમગ્ર જીવનનો સંચય થઈ જશે. જીવનમાં બની શકે કે કોઈ દિવસ તને ખૂબ દુઃખ લાગે, નજીકની કોઈ વ્યક્તિને ખોવી પડે, સંસાર અસાર દેખાય ત્યારે રસ્તાની ધારેથી એ વૃક્ષ કહેશે - હું તો છું. તને સાંત્વના મળશે. આ તારો અક્ષય સંચય હશે. કેવળ આ જન્મમાં નહીં, જન્મ-જન્માંતરમાં પણ. | |||
કોઈ વિદ્યાર્થીને વનવગડાનું વૃક્ષ બનાવવાનું કહેવામાં આવે છે અને સાથે જ એને સમજાવવામાં આવે છે. | |||
પહેલાં થોડીવાર સુધી વૃક્ષને જુઓ. વૃક્ષની પાસે જઈને બેસો - સવાર, બપોર, સાંજ તથા સુમસામ રાતમાં. આવું કરવાનું સાવ સહેલું નહીં હોય, થોડીવાર બેઠા પછી કંટાળો આવશે. એવું લાગશે કે વૃક્ષ જાણે ખીજાઈને કહી રહ્યું છે - “તું અહીં કેમ ? જા ચાલ્યો જા અહીંથી કહું છું ને.’’ ત્યારે વૃક્ષનાં તમારે વખાણ કરવાં પડશે. કહેવું પડશે - “મારા ગુરુનો આદેશ છે, તેની અવગણના ન કરી શકાય, તું ગુસ્સે ન થઈશ, મારા પર રાજી રહે. મારી સમક્ષ તું તારું વાસ્તવિકરૂપ પ્રગટ કર.” આ રીતે કેટલાય દિવસો સુધી ચૂપચાપ સાધના કર્યા પછી જ્યારે લાગે કે હાં, હવે વૃક્ષને જોઈ લીધું. ત્યારે રૂમમાં જઈ દરવાજો બંધ કરી વૃક્ષનું એક ચિત્ર તેયાર કરો. | |||
વૃક્ષની કોઈ એક વાત પહેલાં સારી લાગવી જોઈએ, ત્યારે વૃક્ષને જોઈ શકાશે, ત્યારે તમારું જોવું ધીરે ધીરે સાર્થક થઈ ઉઠશે, સારું લાગવાની સાધના જ કલાની સાધના છે. પરંતુ પહેલીવાર સારું લાગવું દૈવી ઘટના હોય છે. જેમાં છે તે કલાકાર છે. કોઈ બીજું તમને કેવી રીતે આપી શકે ? અવની બાબુ કહેતા હતા ગુરુ કલાકાર તૈયાર નથી કરતાં કલાકાર થઈને જ શિષ્ય આવે છે. જેમ પ્રકાશ, હવા, જળ, અગ્નિની અનુકૂળ વ્યવસ્થા કરીને સારસંભાળ રાખીને નાના છોડને મોટો કરવો પરંતુ નાના છોડને જન્મ કોણ આપી શકે છે ? | |||
કોઈ એક જગ્યાએ રહેતાં-રહેતાં ધીરે ધીરે સારું લાગવા માંડે છે. સારું લાગે છે. અપરિચિત સંબંધ સૂત્રોના ફળસ્વરૂપે. જોયું કે વન વગડાનું વૃક્ષ આકાશ નીચે કેવુંક ઊભું તો છે. તુરંત સારું લાગ્યું, જોયું કે તેનાં ફૂલો ખીલ્યાં છે. એ સારું લાગ્યું. ફૂલ ખરે છે, બની શકે કે તે સારું લાગ્યું. મન પ્રસન્ન છે. એટલે બની શકે કે સારું લાગ્યું હોય કે પછી વૃક્ષની ભંગિમા કે બંધારણ કે ડાળીઓ અને પાંદડાંનો લય અને રંગ સુંદર છે એટલે સારું લાગ્યું હોય. | |||
કાગળનું ગુલાબનું ફૂલ હંમેશાં એક જેવું જ રહે છે. એ કેટલી વાર સુધી સારું લાગી શકે? અસલી ગુલાબ સમગ્ર સંસારની સાથે હર ક્ષણે અનેકાનેક સંબંધ બાંધતું જાય છે. ગતિનો આ લય જ તેનું જીવન છે. આ અનેકરૂપી જીવનને ધ્યાનથી જોઈએ તો જોવાનું સમાપ્ત જ નથી થતું અને એટલે જ કલાકારનું સારું લાગવાનું પણ કોઈ રીતે સમાપ્ત થતું નથી. | |||
ચોક્કસ પણે વિશિષ્ટ પરિવેશની વચ્ચે કે વિશિષ્ટ સ્મૃતિથી ઘેરાઈને કાગળનું ગુલાબ પણ સારું લાગી શકે છે. ત્યારે પણ તે કલાનો આધાર થઈ જાય છે. | |||
ખરી વાત એ છે કે જે કોઈ પણ વસ્તુનું ચિત્ર બનાવો, એ વસ્તુ સારી લાગવી જોઈએ. એ જાણે તમારું મન હરી લે. ત્યારે એ સારું લાગવું પીંછીના ટેરવાથી જાતે જ રૂપ લઈ લેશે. આવું થવાથી ખરેખર જ સારું ચિત્ર બનશે. ચિત્ર બનાવવાનું આ સૌથી મોટું, સૌથી મહત્ત્વપૂર્ણ કૌશલ હોય છે. | |||
મનમાં જો રસ ના પેદા થયો, સારું ન લાગ્યું, સારું લાગવું દિવસે દિવસે ન વધ્યું, એ સારું લાગવાની પ્રેરણાથી કામ ન થયું તો કેવળ શિલ્પગત કુશળતા પ્રાપ્ત કરવી વ્યર્થ છે. એકવાર મને ઇસરાજ વગાડવાનો શોખ થયો, નિયમિતરૂપે સા-રે-ગ-મ સાધવા માંડ્યો. કેટલીક ગર્તો પણ શીખ્યો. જેવું ઇસરાજ વગાડવાનું બંધ કર્યું કે છ મહિનાની એ મહેનતને ભૂલવામાં છ દિવસ પણ ન લાગ્યા, કારણ કે કેવળ સંગતનું વ્યાકરણ ગોખી લીધું હતું. રસમાં પ્રવેશ નહોતો કર્યો. | |||
પ્રેમ જોઈએ, ધૈર્ય પણ જોઈએ, સાધનાની સફળતા જોઈએ. કળાસર્જન એક સાધના જ છે, શોખ નહીં. આમેય ઘણા લોકો છે જે પેલા અમેરિક્ન સાહેબની જેમ કરે છે. એ સજ્જન સાત સમુદ્ર પાર કરીને મહાત્માજીના દર્શન કરવા તેમના આશ્રમમાં આવ્યા. આશ્રમના લોકોએ કહ્યું, “હમણાં એમની પાસે સમય નથી, એક બે દિવસ રોકાઈ જાવ.” પરંતુ સાહેબ રોકાય કેમ, કારણ કે તેઓ તો એક પછી એક શું કરશે તે નક્કી કરીને આવ્યા હતા. હવે પછીની ટ્રેન એમને પકડવાની હતી. તે કારણથી મહાત્માજીને મળ્યા વગર જ ચાલ્યા ગયા. આને મુર્ખામી કહેવાય. અને મુલાકાત થઈ હોત તોય શું ફાયદો થાત, કોણ કહી શકે, બની શકે કે મળવાવાળાઓના લીસ્ટમાં એક વધુ નામ જોડવાનો જ એમને મૂળ ઉદ્દેશ્ય રહ્યો હોય. એનાથી અધિક એ ઇંચ્છતા પણ ન હોય. | |||
દરરોજ રીયાઝ કરવો જોઈએ. હરપળે પરીક્ષણ-નિરીક્ષણ કરવું જોઈએ. ડર અને લાલચ વર્જ્ય છે. ક્લાકાર જેટલો અનુભવ કરે કેવળ એટલો જ વ્યક્ત કરવો યોગ્ય છે. | |||
કવિ સાથે ક્યારેક-ક્યારેક એવું પણ થાય છે - કોઈ અવાંતર શબ્દનો મોહ કે એક ઉપમાનો મોહ કે આઈડિયાનો મોહ થઈ ગયો હોય. એમ જ ચિત્રકારે જોયું વૃક્ષ નીચે એક માણસ બેઠો છે. તેને ગમ્યું ત્યાર બાદ ચિત્ર બનાવતી વખતે તેની સાથે ઝૂંપડી મૂકશે કે એક એક પાંદડાને સરસ રીતે બનાવશે કે આકાશમાં વાદળાંના રંગની છાંટ દેખાડશે - તે લક્ષથી ભટકી ગયો. પરિણામસ્વરૂપ ચિત્ર નષ્ટ થઈ ગયું. આને જ લોભ કે મોહ કહેવાય છે. પહેલાંની કલ્પનાની સાથે પછીની કલ્પનાનો મેળ ન પડવાથી જ ચિત્ર નષ્ટ થઈ ગયું. | |||
શું પરંપરાગત આદર્શની જરૂરિયાત છે? જો કોઈ આકસ્મિક દુર્ઘટનાથી સમગ્ર પરંપરા લુપ્ત થઈ જાય તો શું હંમેશ માટે સમગ્ર કલાઓ નષ્ટ થઈ જશે? કલાનું મૂળ આદિ-મૂળમાં છે. જે આનંદના પરિણામસ્વરૂપે સૌર જગત અને પૃથ્વીની સૃષ્ટિ ઉત્પન્ન થઈ એ જ આનંદમાં આવીને ચિત્રકાર ચિત્ર બનાવે છે. એટલે મહાપ્રલય પછી જેમ પુનઃસૃષ્ટિ સર્જાય, પુનઃ મનુષ્ય જેવા સંપૂર્ણ જીવનો જન્મ થાય તેમજ કલાની શરૂઆત પણ થશે. | |||
છતાં પણ પરંપરાગત કલા વ્યાપારની મૂડીની જેમ હોય છે. તેને ઉપયોગમાં લઈને થોડાક જ પ્રયત્નથી વધારે સારું એશ્ચર્ય પામી શકાય છે. | |||
જે આર્ટિસ્ટ છે તેના દરેક સમયે બધાં મિત્ર હોય છે. તે ક્યારેય એક્લો નથી હોતો. તમે સારા લાગો છો. તમારા ગયા પછી વૃક્ષ સારું લાગે છે, વૃક્ષ નહીં હોય ત્યારે દરવાજો ય સારો લાગશે. સારું કેમ લાગે છે ? ક્હેવું થોડું અઘરું છે. છતાંય કોઈ આવેગના કારણે કોઈ વસ્તુ સારી લાગવા કે વસ્તુ પોતાની છે એટલે સારી લાગવામાં ઊણપ રહે છે. કૂતુહલવશ કોઈ વસ્તુનું સારું લાગવું એ પણ સ્થાયી નથી હોતું. એક અન્ય રીતનું સારું લાગવું હોય છે. એ છે ઊંડો એકાત્મક્તાનો બોધ. કોઈ દશ્ય એટલું સારું લાગે છે કે તેમાં મરવાની પણ મજા આવે બધાં જ ભરોસો આપે છે. બધાં જાણે સ્નેહી છે. કોઈ વસ્તુ જેટલી સારી લાગે છે, મૃત્યુનો ડર એટલો ઓછો થાય છે. કારણ મને અનુભવ્યું કે હું મરી જઈશ તો આ તો રહેશે જ. આનું રહેવું તે મારું રહેવું તો છે. | |||
ચિત્ર બે પ્રકારના હોય છે. એક એ જે ચિત્રકારે બનાવ્યું છે અને બીજું એ જે સ્વયં બન્યું છે. સારા ચિત્રમાં વિષયવસ્તુ, શૈલી અને ચિત્રકાર ત્રણેય સ્થિત હોય છે. | |||
ચિત્રમાં રંગ પૂરતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે ધાન્યના ખેતરની લીલોતરી તમને એટલી ગમવી જોઈએ કે તમે સ્વયં લીલા થઈ જાઓ. તમારા અસ્તિત્વની અનંત ઓળખ સાથે એ ઓળખ જોડાઈ જાય. ત્યારબાદ ચિત્ર બનાવશો તો ક્યો લીલો રંગ પૂરવાનો છે, તેની સાથે બીજો કયો રંગ ક્યાં સારો લાગશે વગેરે બાબતો ઊંડી અનુભૂતિના કારણે તમારી સામે સ્વયં સ્પષ્ટ થશે - પીંછીના ટેરવે રંગ પોતાની મેળે આવતો જશે. એક બીજી વાત, આલંકારિક પદ્ધતિમાં ચિત્રકાર પાકથી લચેલા ખેતરનો રંગ આકાશમાં પૂરી શકે છે. વાદળમાં પણ પૂરી શકે છે. પહાડમાં પણ પૂરી શકે છે. તેમાં કશું ખોટું નથી હોતું. કારણ ચિત્રકારે પ્રકૃતિ પાસેથી શીખી લીધું હોય છે. જુદા જુદા રંગોનો ઊંડો અભ્યાસ અને રંગોની પરસ્પર સંબંધની વાત, દઢ આત્મીયતાની વાત, છતાંય સ્વાધીન અને સ્વતંત્ર છે. | |||
આ પ્રથા આપણને જૂના રાજપૂત, મુગલ કે પારસી ચિત્રોમાં જોવા મળે છે. આનાથી કૃતિમાં કોઈ પ્રકારની ક્ષતિ નથી આવતી પરંતુ તે શ્રેષ્ઠ બને છે. | |||
જેણે પહાડ નથી જોયો એ વાદળનું ચિત્ર ન બનાવી શકે. સ્થિરતાને જાણ્યા વગર ચંચળતાને જાણી શકાતી નથી. ઇન્દ્રિયોની ચંચળતામાં જે રસ છે અને ચિત્રની ધ્યાનમગ્નતામાં જે રસ છે. કલાકારે બન્નેને જાણવાની જરૂરિયાત છે. કલાકાર એક પક્ષે હોય તે ન ચાલે. તેણે સર્વદેશી અને નિર્લિપ્ત હોવું જોઈએ. | |||
સાંભળ્યું છે એકવાર કોઈકે કહ્યું હતું કે ફણગો ફૂટતા જવનો ઉપરનો ભાગ પાંખો ફેલાએલા પતંગિયા જેવો લાગે છે. પરંતુ જ્યારે કોઈ ખરેખરા પ્રતિભાશાળી કવિએ કહ્યું કે જવનો ફણગો ફૂટતો જોઈને એવું લાગે કે જો એક જોડી પાંખો મળે તો તે પતંગિયાની જેમ ઊડવા માંડશે. એક જ ઉપમાને જોવાથી ખ્યાલ આવશે કે રજૂઆતમાં કેટલો ફર્ક આવે છે. જે જડ હતી તે ચેતન બની ગઈ. | |||
પ્રવૃત્તિમાં બે ધારાઓ છે. એકમાં એક રૂપની સાથે બીજાનો મેળ ન બેસે પરિણામ આશ્ચર્યજનક. આ થયું સ્થૂળ રૂપ. બીજામાં દેખાય છે કે આ બધી વિસંગતિ અથવા વિચિત્રતા જે અંતર્નિહિત નિયમથી પ્રગટે છે તે જ તેનું એક્ય છે. જેવું દશ્ય અને વૈવિધ્યના અંતરમાં એક્ય - આ જ પ્રકૃતિ - વિશ્વ પ્રકૃતિ પણ અને તેમાં સમાહિત માનવ પ્રકૃતિ પણ. | |||
કલાકાર સૌથી પહેલાં બાહ્ય રૂપ તરફ આકર્ષિત થાય છે. ત્યાર બાદ એ રૂપથી બીજા રૂપના સંપર્ક તરફ. ત્યાર બાદ આકર્ષાય છે તે ભાવ અને તે રસ તરફ જે પ્રત્યેક રૂપને, પ્રત્યેક ક્ષણને રૂપાંતરિત અને જીવંત કરી રહ્યું છે. આ રીતે કલાકાર જેટલો આગળ વધે છે, તેટલી જ તેની સર્જનક્ષમતા વધે છે. એટલો જ સર્જનના ક્ષેત્રનો વિસ્તાર થાય છે. | |||
કલા વિશેષની પોતાની વિશિષ્ટ ભાષા કે કનવેંશન (convention)નું કામ વસ્તુને સરળ કરવી તે નહીં પરંતુ પૂર્ણ બનાવવી તે છે. જ્ઞાન અને સાધનાની વિશેષ સંયોગથી જ તેનો ઉદભવ થાય છે. આપણી ચારેય બાજુએ સર્વત્ર ક્ષતિગ્રસ્તભાવ અને ક્ષતિગ્રસ્ત રૂપની તરફ પ્રકૃતિનો જ સમગ્ર આવેગ અને ઇચ્છાનું ખેંચાણ છે. તદ્ઉપરાંત સૃષ્ટિમાં વ્યાપ્ત જળ, વંટોળ, તડકો અને અતિવૃષ્ટિ છે. જીવ-જંતુ જનાવર અને મનુષ્યોના અગણિત ઉપદ્રવ છે. આ બધી જડવસ્તુઓની જડતાના કારણે ઉત્પન્ન થતી અડચણો થકી મૂળભાવ અને આવેગ સુધી આપણે સીધા પહોંચી શકતા નથી. આંખો દ્વારા, અંતરના પ્રેમ દ્વારા તે જોવામાં અને બતાવવામાં સાર્થકતા છે. | |||
ચીનની ચિત્રકલા અને ભારતીય શિલ્પકલાની સરખામણી નથી. ભારતીયો વિષયને ચારે તરફ્થી જુએ છે. એ જોવાને આકારિત કરવાનું યોગ્ય માધ્યમ છે, શિલ્પકલા અને સ્થાપત્યકલા. પરંતુ ચિત્રની સપાટી દ્વિઆયામી હોય છે. તેમાં લંબાઈ અને પહોળાઈ જ હોય છે. તેનું વિશિષ્ટ દષ્ટિબિંદુ અંતર કે અવકાશ હોય છે. આ ટુ-ડાયમેન્શન (2-Dimension) સર્જનના ક્ષેત્રમાં અંતરની રસસૃષ્ટિ ચીની કલાકારો સ્વાભાવિક્તાથી બતાવે છે તે બીજે ક્યાંય જોવા મળશે ? ચીની ચિત્રકારો માટે ચિત્ર બનાવવું તે લખવા જેવું છે. એટલા માટે જ ચિત્રની સપાટ ભૂમિ તેમના સર્જન માટે વધુ ઉપયોગી નીવડે છે. | |||
ઓકાદુરાએ કહ્યું હતું કે પ્રકૃતિ (Nature) પરંપરા (Tradition) અને મૌલિકતા (Originality) - આ ત્રણના પરિણામે જ સર્વાંગ સંપૂર્ણ કલાત્મક સર્જન થાય છે. પ્રકૃતિની જાણકારી વગર કલા દુર્બળ અને કૃત્રિમ થઈ જાય છે. પરંપરાના જ્ઞાનને અભાવે તે જડ અને અણઘટ બને છે. અને કલાકારનું પણ જો કાંઈ યોગદાન ન હોય તો બધું જ હોવા છતાં કલા નિષ્પ્રાણ રહે છે. બીજી બાજુ કેવળ પ્રકૃતિ પર આધારિત હોય તો નકલ બની જાય છે. કેવળ પરંપરા આધારિત હોય તો થઈ જાય કારીગરી અને કેવળ મૌલિક્તાનો આધાર લઈને કલાકાર સર્જન કરે તો એ પાગલ જેવું આચરણ કરે છે. | |||
જુદી જુદી ઉંમરે મનુષ્યનું જીવન જુદી જુદી વસ્તુઓને કેન્દ્રમાં રાખીને ચાલે છે. બાળપણમાં મા, કિશોરાવસ્થામાં ભાઈ-બહેન, યુવાવસ્થામાં સ્ત્રી કે પ્રેમિકા અને પ્રૌઢાવસ્થા કે ઘડપણમાં બીજું કાંઈ. આ કેન્દ્રો સ્થિત રહેવાથી જીવનમાં રસ રહે છે. સુખ રહે છે. ઉત્સાહ રહે છે. કેન્દ્રથી ખસી જવાથી બધું જ બેસ્વાદ થઈ જાય છે. એટલે કામ માટે કોઈ પ્રેરણા રહેતી નથી એટલે જે જેટલાં સ્થાયી તત્ત્વોને કેન્દ્રસ્થાને રાખીને જીવનનો વિકાસ કરે છે, તેને સુખ-શાંતિ અને કામ કરવાની પ્રેરણા આપતો સ્રોત પણ એટલો જ સ્થિર રહે છે. ખતમ થતો નથી. આવી સ્થિર વસ્તુ છે આ વિશ્વ પ્રકૃતિ. આ વાત જીવનમાં પણ સત્ય છે અને કલામાં પણ. | |||
નિત્ય નિયમિત સાધનાના પરિણામે, છેલ્લે મન ભરેલા ઘડા જેવું થઈ જાય છે. ભરેલો ઘડો થોડો પણ હલવાથી છલકાય છે તેમ કોઈપણ કારણે જરાપણ ઉદ્દાલિત થતા મનમાં સ્થિર રસાનુભૂતિ અને રૂપાનુભૂતિનું અક્ષયપાત્ર છલકાઈ જાય છે અને આકારિત થાય છે. ચિત્ર, શિલ્પ, નૃત્ય, કવિતા અને ગાન. | |||
ખૂબ આશા અને ઇચ્છાથી શરૂઆત કરી પણ આજ તમને લાગે છે કે કશું થયું નહીં. પરંતુ બની શકે કે થવામાં હવે બહુ વાર ન હોય. માની લો કે તમે જગન્નાથપુરીના મંદિરે જઈ રહ્યા છો. સવારના સમયે ખૂબ દૂરથી વનરાજીની વચ્ચે મંદિરનો ઘુમ્મટ દેખાય છે. ઉત્સાહભેર ચાલવા માંડ્યા. જેમ જેમ દિવસ ચડતો જાય તેમ તડકા અને રેતની ગરમી વધવા માંડી. ભૂખ અને તરસથી જીવ અકળાઈ ઊઠ્યો, ખબર નહીં ક્યારે આસપાસનાં મકાન અને વનરાજી વચ્ચે દેખાતો ઘુમ્મટ પણ ખોવાઈ ગયો. તમે એકદમ દિક્ભ્રમિત થઈ ગયા. ચાર રસ્તે આવીને કઈ બાજુ જવું તેની સમજણ નથી પડતી. છતાંય કદાચ દરેક ડગલે તમે આગળ વધતા રહો છો. જ્યારે એકદમ હતાશ થઈ રહ્યા હશો, ત્યારે રસ્તાની ધારે એક વળાંક પાર કરતાં જ સામે એક વૃક્ષથી આગળ જતાં જ મંદિરનો ખુલ્લો દરવાજો આંખ સામે હશે. | |||
કલાકારે હંમેશાં ચેતનવંતા રહેવું પડે. ભાગીરથીમાં તરંગની તાલે તરણા સાથે કમળનું ફૂલ અને પાન વહી રહ્યું છે. તે પાણીમાં માછલી પણ રમી રહી છે. પોતાની ઇચ્છા મુજબ જળના પ્રવાહની દિશામાં કે ઊલ્ટી દિશામાં જઈ રહી છે. બન્નેમાં તફાવત છે. આજ તફાવત સાધારણ મનુષ્ય અને કલાકારમાં હોય છે. | |||
{{Poem2Close}} | |||
{{center|૦}} | |||
{{Poem2Open}} | |||
વાસ્તવિક્તા શું છે ? તેની વ્યાખ્યા કુમારસ્વામીએ એક સંસ્કૃતની ઉક્તિ ટાંકતાં આપી છે. વાસ્તવિકતા એ છે, જ્યાં અભાવ-બોધ નથી. અર્થાત્ કલાના ક્ષેત્રમાં કહી શકાય કે ચિત્ર અને ચિત્રનું વિષયવસ્તુમાં સમાનતા ન હોવાથી પણ જ્યાં અભાવ-બોધ નથી. | |||
ચીની લોકોએ પણ આજ કહ્યું છે. સાચા કલાકારનું કામ કેવું હોય છે? વસ્તુનો આશ્ચર્યજનક અનુભવ થાય છે. પણ પાસે જઈને જોતાં શાહીની છાપ અને પીંછીના ડાઘ સિવાય કશું જ દેખાતું નથી. | |||
ચાઈનીઝ લોકો એટલે જ કહે છે કે ટેકનિક જ બધું છે, અને ટેકનિક કશું જ નથી. મન જ ચિત્ર બનાવે છે. મન જ્યારે જવા ઇચ્છે ત્યારે તે ખેંચી ખેંચીને ક્યાંથી ક્યાં લઈ જાય તે ખબર પણ ન પડે. સાચા કલાકારની ટેકનિક કે સાચી ટેકનિક છે - તંત્ર (તાઓઉપનિષદ)ના એ શ્લોકની ઉક્તિ અનુસાર - પક્ષીના ઊડવાની જેમ એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર જઈને બેઠું પણ હવામાં કોઈ નિશાન જ ન રહ્યું. | |||
કોઈ કોઈ વ્યક્તિ એવી છે જે કોઈપણ વસ્તુનું ચિત્ર બનાવે, તે તેમાં પ્રવેશી જાય છે. પ્રવેશ કેવો ? તમારો હાથ પકડીને અહીં આ રીતે મૂકી દીધો. પછી ઉપાડીને બીજી જગ્યાએ મૂક્યો. પછી તમને પકડીને ઉઠાડ્યા, બેસાડ્યા - આ થયું એક. એક બીજું થયું જો તમારા અંતરમાં જ પ્રવેશી શકે તો તમારા હાથની સાથે, તમારા પગની સાથે હું જે ઇચ્છી શકું છું. ઊઠવું, બેસવું, દોડવું, નાચવું - કાંઈપણ કરવામાં જોર નથી આવતું. અડચણ નથી આવતી, બસ સહજ રીતે તે જ થાય અને સાચું થાય છે. | |||
નાના બાળકો દ્વારા બનાવેલું ચિત્ર પણ ખૂબ સુંદર હોય છે. અદ્ભુત છંદ, અદ્ભુત રંગ એનાં હોય છે. એટલે નાના બાળકોના કામની નકલ કરીને કલાકાર ન બની શકાય. નાના બાળકોના કામના ગુણ મોટા કલાકારોને કામ લાગે છે. ત્યારે જ્યારે એ જ્ઞાનની ચરમ સ્થિતિને પ્રાપ્ત કરે છે. કારણ મોટા માણસો જો નાના બાળકોનું અનુકરણ કરે તો એ ખોટો દેખાડો થશે. એટલે મોટા માણસો પણ ઘણીવાર બાળકો જેવો વ્યવહાર કરે છે. એ આપણે જાણીએ છીએ. આવી જ વ્યક્તિઓને આપણે પ્રતિભાશાળી કે પરમહંસ કહીએ છીએ. | |||
એક જાપાની કવિતામાં કવિએ લખ્યું છે. હું ચેરીનું ફૂલ થવા ઇચ્છું છું. મનુષ્ય તો ચેરીના ફૂલથી ઘણો મોટો હોય છે. ઘણો મહાન હોય છે. તો પછી તેની આમ આવી વિપરીત ઇચ્છા કેમ ? આનું કારણ છે, એ મનુષ્ય છે એટલે એને એવી ઇચ્છા થઈ. ચેરીના ફૂલના મનમાં તો મનુષ્યની ચેતના સંસારના બુદ્ધિ અને અનુભૂતિ પ્રસારિત થાય છે. મનુષ્યની ચેતના સંસારના સર્વમાં પ્રવેશ કરવા ઇચ્છુક છે. એનો બીજો અર્થ એ પણ લગાવી શકાય છે - મનુષ્ય સંસારની અનંત જટિલતા, અસીમ દ્રવ્વ, અખૂટ એશ્ચર્ય આ બધાની સાથે જ, આ બધાનો જયકારો કરીને જ તે ચેરીના ફૂલની જેમ પ્રસ્ફૂરિત સહજ સૌંદર્યને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. | |||
ભારતીય મૂર્તિકલા ખૂબ જ ઊંચી વસ્તુ છે. તેમાં જે કાંઈ થઈ ગયું છે, તે અન્ય કોઈ યુગમાં નથી થયું. જ્યાં સુધી એક નટરાજની મૂર્તિ, એક બુદ્ધની મૂર્તિ કે એક ત્રિમૂર્તિ ઉપલબ્ધ છે. ત્યાં સુધી સંસ્કૃતિના ક્ષેત્રમાં ભારતવાસી માથું ઊંચુ રાખીને રહી શકશે. ભારતીય કળા અને ભારતીય સભ્યતા આમાં જ સંપૂર્ણ છે. તેમાં નિરાકાર વિચારને સાકાર કરવામાં આવ્યો છે. પ્રકૃતિના - એ નાના પ્રકારની રૂપછટાઓને અનેક કલાકારોએ અનેક રીતે રૂપાંતરિત કરી છે. પરંતુ કરુણા, મૈત્રી કે કોઈ બીજા અમૂર્ત વિચારને મૂર્તરૂપ આપવાનો પ્રયત્ન કલા જગતમાં અન્યત્ર દુર્લભ છે. ચિન્હ કે પ્રતીકની રચના નથી કરી, રચના કરી છે મૂર્તિની. અર્થાત્ અહીં વિચારનું ‘વાચન’ મુશ્કેલીભર્યું કે કલ્પનાતીત નથી. રસિક વ્યક્તિઓ માટે તેનો બોધ વ્યાખ્યા સાપેક્ષ પણ નથી. વિચારનો જન્મ થયો અને વિચાર જ મૂર્તિ બન્યો. | |||
એક સમયે યુરોપમાં પ્રકૃતિની હૂ-બ-હૂ નકલ કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી. એ કલાનો સાચો રસ્તો નથી, તેમાં ખરેખરી તૃપ્તિ નથી મળી શકતી. તેના વિરોધમાં હવે પ્રકૃતિને એકદમ તેમાંથી કાઢી નાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એ પણ અયોગ્ય છે. તેમાં જરાય રસ નથી. આપણી આસપાસનું બધું જ છોડીને માણસ ન વિચારી શકે કે ન જોઈ શકે. વિજ્ઞાન કે મનોવિજ્ઞાનના તથ્યોનું શું થશે. એ કલાનું સત્ય તો નથી. કલાનો વિષય અને કલાકારનું મન પદાર્થ અને પ્રકાશ જેવાં છે. માટી અને પથ્થર સૂર્ય પ્રકાશને શોષી લે છે. તેને ઝાંખો બનાવે છે. પ્રકૃતિની અનુકારક કલામાં આવું જ થાય છે. અને કાચ, અરીસો કે જળ સૂર્યના પ્રકાશને પ્રતિબિંબિત કરીને વધુ ચકચકિત કરે છે. ભારતીય કે પૂર્વની કલાનું મૂળ ચરિત્ર જ આ છે. આ કલા અનુકરણ પ્રત્યે વિશેષ જોક નથી આપતી. વધારે પડતી એબસ્ટ્રેક (Abstract) કે અમૂર્ત થવાની પણ એને જરૂરિયાત નથી જણાઈ, તેનું સત્ય સ્વરૂપ અને અરૂપ બન્નેને સાથે રાખીને વચ્ચે ઊભી છે. | |||
{{Poem2Close}} | |||
{{center|૦}} | |||
{{Poem2Open}} | |||
પ્રકૃતિના ચિત્રણમાં કે લેન્ડસ્કેપમાં સ્થાપિત નવ રસમાંથી એકેય રસ નથી હોતો. વધુમાં વધુ તેને શાંત રસ કહી શકાય કે પછી એકાત્મકતાનો રસ કહી શકાય. ચીની લોકોએ સંભવતઃ પોતાના ઋષિ લાઓત્સેના વિચારોમાંથી આ રસને પ્રાપ્ત કર્યો હતો. | |||
એક લેન્ડસ્કેપની વચ્ચે એક માણસ. જો લેન્ડસ્કેપનું ચિત્ર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોય તો માણસનું ચિત્ર કરવાની ચેષ્ટા ન કરવી જોઈએ અને જો માણસનું ચિત્ર દોરવાનો મુખ્ય હેતુ હોય તો લેન્ડસ્કેપ ચિતરવામાં સાવધાની રાખવી જોઈએ. ચિત્રમાં આકારિત થનારા વિષયને સીધેસીધો કે પરાણે વશમાં કરવાનો પ્રયત્ન કરવાથી તે સિફતપૂર્વક છટકી જશે. પ્રેમમાં પણ આ જ થતું હોય છે. તેની ગતિ પણ વાંકી હોય છે. જે બાજુ જવા ઇચ્છતા હોવ તે બાજુ સીધા ન જવાય, જે કહેવા માગતા હોઈએ એ સીધેસીધું ન કહેવાય જે કહેવા માગતા હોવ તેને વ્યંજનાના માધ્યમથી સુંદરતાપૂર્વક વ્યક્ત કરો. ઇંગિતના માધ્યમથી, ઇશારાથી, આનાથી પ્રેમી અને પ્રિયા બન્ને ખુશ થાય છે. આનાથી પ્રેમ સફળ થાય છે. કલા હોય કે પ્રેમિકા, બન્ને પ્રત્યે જોર-જબરજસ્તી સારી નહીં - ‘ઇચ્છા કર્યા વગર જ તેને પામી શકાય.’ | |||
લેન્ડસ્કેપના ચિત્રમાં વૃક્ષ-છોડ, રેતાળ મેદાન, જળની ધારા વગેરે બનાવીને મન સંપૂર્ણ સંતૃષ્ટ ન થાય ત્યારે લાંબી પૂંછડીવાળું પક્ષી કે હાથમાં નાની લાકડીવાળો ભરવાડ, વાંકું વળીને પાણી પીતું વાંદરું વગેરે બનાવી દીધાં અને લાગ્યું કે બધું જીવંત થઈ ગયું, બોલવા માંડ્યું, કીકું પણ સુંદર, ચિત્રમાં એ પક્ષી, ભરવાડ જ કલાકાર સ્વયં છે. | |||
કલા ક્ષેત્રે જેને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે તેમનાથી ભૂલ નથી થતી, દંતકથા પ્રચલિત છે કે એકવાર ચીની ચિત્રકારના પગની ઠોકરથી શાહીનો વાડકો ઢોળાઈ ગયો તેણે તરત જ હાથ ફેરવીને એક અદ્ભુત ડ્રેગનનું ચિત્ર બનાવી દીધું. | |||
ચિત્રકારના મનમાં જ્યારે વિષયવસ્તુની ધારણા સ્પષ્ટ રૂપે તૈયાર થઈ જાય ત્યારે મનમાંથી કાઢીને કાગળ પર મૂકી દેવાથી જ કામ થઈ જાય છે. એવું લાગે છે જેમ પડદો હટાવતાં જ પાછળ શું હતું તે નજરે પડી ગયું. આના માટે જે કુશળ હાથ,સાધન, કલા અને કલા કૌશલનું પ્રયોજન છે તેનાથી પણ નથી થતું કારણ કે કલાકાર અને કલા-રસિકને આ સંબંધે જાણે કોઈ હોશ જ નથી રહેતો. | |||
ધનુષ બાણ લઈ ઘણાં નિશાન તાકીને, ઘણા પ્રયત્નોથી લક્ષ્ય ભેદવાની ચેષ્ટા કરી શકાય છે. તેનાથી નિશાન તાકી પણ શકાય અને ન પણ તાકી શકાય. પરંતુ જ્યારે લક્ષ્ય જ ચુંબકની જેમ તીરને પોતાની તરફ ખેંચે ત્યારે આપણી તરફથી કોઈ ચેષ્ટા ન કરવાની હોવાથી ભૂલચૂકની કે નિશાન ચૂકવાની સંભાવના રહેતી નથી. | |||
વર્તમાન યુગમાં ખાસ કરીને પશ્ચિમના દેશોમાં કલાના ક્ષેત્રમાં પણ વિજ્ઞાનનો પ્રભાવ દેખાઈ આવે છે. તેના પરિણામે થોડેઘણે અંશે અવચેતન કે અતિ સચેતન મન દ્વારા એક પ્રકારના કલાસર્જનનો પ્રયત્ન જોવા મળે છે. તે જોઈને મનમાં પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે, કે જો કેવળ કુતૂહલ જગાવે છે કે પ્રશ્ન આકાર લે છે. તેમાં પણ કલા છે કે નહીં. આપણી દષ્ટિએ કલા રસની વ્યંજનાની દૃષ્ટિથી જેમ એકબાજુ અનિર્વચનીય (અવાક્) અને અપરિસીમ (અસીમ) છે. તેમ જ રૂપ અને રેખાની દષ્ટિએ સુસીમ, સંશ્લિષ્ટ અને સુનિર્દિષ્ટ છે, કારણ કલા મનુષ્યની પોતાની સત્તાની સાથે વિશ્વસત્તાના ઘનિષ્ટ પરિચયની સાક્ષી કે પ્રતીક છે. એમ પણ કહી શકાય છે કે કલા નવા પરિચયનું સર્જન કરીને એક સૃષ્ટિની વસ્તુને એક બીજી સૃષ્ટિ વચ્ચે મૂકી આપે છે. | |||
કોઈ એક છોકરીની વાત કરીએ. સંસારમાં એ કોઈકની દીકરી, કોઈકની પત્ની, કોઈકની સખી, કોઈકની મા હોય છે. પ્રકૃતિની વચ્ચે કે પ્રકૃતિની દૃષ્ટિએ એ ન તો મા છે, ન બહેન કે ન પત્ની; એ કોઈની પણ સાથે અતૂટ સંબંધથી બંધાયેલ નથી - એ કેવળ નારી છે. હવે એ છોકરીનો એક એવો પણ પરિચય હોઈ શકે કે એ મા છે. એના ખોળામાં બાળક છે કે કોઈ એવું સ્પષ્ટ લક્ષણ છે જેના કારણે ભ્રમની સંભાવના જ ન રહે. છોકરી જેમ પ્રકૃતિની વચ્ચે આમ જ કોઈ અંતરંગ અનુભૂતિ વચ્ચે નિઃસંદિગ્ધ અને નિર્દિષ્ટ એક ઓળખની ઉજ્જવળતા પ્રાપ્ત કરે છે અને ત્યારે કલાનો આધાર(વિષય) બની જાય છે. સંસારમાં એનો સંબંધો દ્વારા જે પરિચય છે તે વામણો બની જાય છે. તેની ચમકને ઝાંખી કરી દે છે. અને તેને સારી રીતે ન ઓળખવાને કારણે જ એ બોધનો કે કલાનો આધાર નથી થઈ શકતી.... જે છોકરીને રોજ જોઉં છું, તેને નથી જોતો. વિવાહ વખતે એ દરેકનું ધ્યાન ખેચે છે. તે સમયે એ અપૂર્વ અને અનન્ય લાગે છે. | |||
એક પથ્થરના ટૂકડાને જ લો. જ્યાં સુધી એ કેવળ પથ્થર છે ત્યાં સુધી એક પ્રાકૃતિક ચીજ માત્ર છે. એક એવી ચીજ કે જે ફીજીક્સ કે મેટા ફીજીક્સ અંતર્ગત આવે છે. તથા જેને આંખોથી જોઈ શકાય છે. તથા યંત્ર દ્વારા જેનું પરીક્ષણ કરી શકાય છે. હવે એ જ પથ્થરનો ટૂકડો જાતે અથવા કોઈના દ્વારા થોડું રૂપ આપીને ક્યારેક શિવ, ક્યારેક વાનર, તો ક્યારેક ડોશી જેવો લાગી શકે છે. છતાંય એ મનમાં કુતૂહલ જગાડે છે. જીજ્ઞાસા પેદા કરે છે. પણ રસની સૃષ્ટિ નથી રચી શક્તો. કારણ કે જ્યાં સુધી આપણે તેને કોઈ ચોક્કસ નામ આપીને આત્મીયતા કેળવી ન શકીએ, ના તેનું નામ લઈને બોલાવી શકીએ, કલાકારના હાથમાં પડ્યા પછી એ પથ્થર પથ્થર નથી રહેતો. કલાકારે પોતાની બધી જ આંતરિક શક્તિના યોગથી જે અનુભવ કર્યો, જે જોયું, કે જે જોવાનો અભિગમ કેળવ્યો, તેનાથી તે પથ્થર શિવ, વાનર કે ડોશી વગેરેમાંથી કોઈ રૂપ ધારણ કરીને કોઈ રસિક વ્યક્તિની નજીકની ઓળખ થઈ, રસિક વ્યક્તિનો અંતરંગ થયો અને સાથે જ કલાની સંજ્ઞાથી અભિવ્યક્ત થયો, ત્યારે જ એ સૃષ્ટિની પ્રતિસૃષ્ટિ બન્યો. | |||
પૂર્વ તરફ લીલાં જંગલો ઉપર ઘેરાએલાં કાળાંડીબાંગ વાદળો - મને આટલી મજા કેમ આવે છે ? એણે મારા મનને આમ ઝંકૃત કેમ કરી દીધું છે ? કારણ બહુ જ સરળ છે. એક જ સૃષ્ટિ, એક જ ચેતનાનો એક છેડો છે તે વાદળ અને બીજો છેડો તે હું. | |||
એક તરફ મેઘ અને બીજી તરફ હું એટલે જ મેઘનું સુખ મારામાં અને મારું દુઃખ મેઘમાં વિચરણ કરે છે. વિષય (આસક્તિ) અને વિષયી (આસક્ત)ની એક જ સૃષ્ટિ છે. મારી ઇન્દ્રિઓ ફક્ત બારી દરવાજા જ છે. એ રસ્તામાં મારું અને મારી વિષય (આસક્તિ)નું મિલન થાય છે, બન્ને એકબીજામાં લીન થઈ જાય છે. એક જ ચેતના જુદા સ્વરૂપે દોલાયમાન થાય છે, તરંગિત થાય છે. | |||
કુણાલ જાતકમાં કામલોકની ચર્ચા મળે છે તેની ઉપર રૂપલોક અને તેની ઉપર અરૂપલોક, હું કહું છું કે એની ઉપર આનંદલોક. કામલોકમાં આસક્તિ છે એટલે અંધાપો છે. રૂપલોકના સ્તરે પહોંચતાં રૂપ દેખાય છે. અરૂપલોકમાં પહોંચતાં પ્રાણમાં એ નિખિલ પ્રાણછંદનું સ્પંદન અનુભવાય છે. આનંદલોકમાં રસ હોય છે. શાસ્ત્રોમાં કહ્યું છે : રસો વૈ સઃ | | |||
{{Poem2Close}} | |||
=={{Color|blue|નંદલાલ બોઝની કળા હરિપુરા મંડપ સુધી દોડી આવી}}== | |||
{|style="border: 0px solid #000000;" | |||
|rowspan="2" style="vertical-align: center;background-color: #eda475; padding: 5px;align:center" | [[File:Sanchayan 63 Image 17.jpg|300px]]{{center|<small>કપાસ પીંજનાર</small>}} | |||
[[File:Sanchayan 63 Image 18.jpg|300px]]{{center|<small>મોચી</small>}} | |||
[[File:Sanchayan 63 Image 19.jpg|300px]]{{center|<small>કપાસ કાંતણ</small>}} | |||
[[File:Sanchayan 63 Image 20.jpg|300px]]{{center|<small>કુંભાર</small>}} | |||
[[File:Sanchayan 63 Image 21.jpg|300px]]{{center|<small>ડુગડુગીવાળી (ખંજરીવાળી છોકરી)</small>}} | |||
[[File:Sanchayan 63 Image 22.jpg|300px]]{{center|<small>ઉડતી આકૃતિ</small>}} | |||
[[File:Sanchayan 63 Image 23.jpg|300px]]{{center|<small>કાન સાફ કરનાર</small>}} | |||
[[File:Sanchayan 63 Image 24.jpg|300px]]{{center|<small>મહિલા કલાકાર</small>}} | |||
[[File:Sanchayan 63 Image 25.jpg|300px]]{{center|<small>ઊન કાંતણ</small>}} | |||
[[File:Sanchayan 63 Image 26.jpg|300px]]{{center|<small>માળી</small>}} | |||
[[File:Sanchayan 63 Image 27.jpg|300px]]{{center|<small>ખેડૂત</small>}} | |||
|- | |||
|style="color:#891F00;font-weight: bold; font-size: 22px;background-color: #FFFFFF;vertical-align: top; padding: 8px;" | | |||
{{Poem2Open}} | |||
ગાંધી માટે, કલા અને નંદલાલ સમાનાર્થી હતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલાકાર તરીકે નંદલાલને ‘શોધ્યા’ બદલ તેમને ગર્વ અને આનંદ હતો. બીજી તરફ નંદલાલ પણ શાખ આપતા હતા કે કેવી રીતે ગાંધીએ દેશને સંસ્થાનવાદી શાસનમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો અને ટૂંક સમયમાં જ ગાંધીના પ્રશંસકોમાંના એક બની ગયા. મહાત્મા માટે તેમનો આદર ત્યારે વધ્યો જ્યારે તેમના કાર્યક્રમમાં ‘ભારતની આર્થિક સ્વતંત્રતા અને આને હાંસલ કરવા માટે તેની વ્યાપક કારીગર પરંપરાઓને મજબૂત કરવા માટે તેના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવામાં આવ્યું. | |||
ભારતની કારીગર પરંપરાઓ પર ગાંધીનું ધ્યાન નંદલાલ માટે વિશેષ આકર્ષણ હતું. માર્ચ ૧૯૩૦માં ગાંધીજીની ઐતિહાસિક દાંડી કૂચના પગલે તેમણે કરેલા પ્રખ્યાત લિનો-કટમાં નંદલાલની ગાંધી પ્રત્યેની પ્રશંસા સ્પષ્ટપણે જોવા મળે છે. મીઠાના કાયદા સામેના તેમના યુદ્ધને કાળા-સફેદ લિનો-કટમાં દર્શાવવામાં આવ્યું હતું. સાધારણ કદ મહાત્માને તેમની ચાલવાની લાકડી સાથે બહાર નીકળતા દર્શાવે છે, જે તમામ અવરોધોને દૂર કરવા માટે મજબૂત ઇચ્છાશક્તિની ભાવનાને ઉત્તેજીત કરે છે. આ ઇમેજ આખરે ગાંધીજીની પ્રતિકાત્મક છબીનું વિઝ્યુઅલ પ્રોટોટાઇપ બની ગયું છે તે હવે જાણીતું છે. | |||
સંજોગવશાત, ૧૯૩૫ સુધી નંદલાલ ગાંધીને અંગત રીતે ઓળખતા નહોતા જ્યારે ગાંધીએ ૧૯૩૫માં કોંગ્રેસના લખનૌ અધિવેશનમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રદર્શન સ્થાપિત કરવા બોઝની મદદ માંગી હતી. જો કે, ભારતીય સંમેલનના સંદર્ભમાં આ પ્રકારનું પ્રથમ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કોંગ્રેસ ૧૯૩૪માં ઈન્દોર ખાતે યોજાઈ હતી. ગાંધીજીએ આવા પ્રદર્શનોના મહત્વને માન્યતા આપી હતી અને માનતા હતા કે તે પછીના તમામ કોંગ્રેસ સત્રોમાં ચાલુ રહેવું જોઈએ. નંદલાલ શરૂઆતમાં ગભરાયેલા હોવા છતાં, તેમણે તેને આગળ ધપાવ્યો અને ભંડોળની તીવ્ર તંગી હોવા છતાં, બેનોદે બેહારી મુખર્જી, પ્રભાત મોહન બંદોપાધ્યાય, વિનાયક માસોજી અને અસિત કુમાર હલદરને આ કાર્યમાં મદદ કરવા માટે મળ્યા. | |||
{{Poem2Close}} | |||
{{Color|blue|હરિપુરા પોસ્ટર્સ}} | |||
{{Poem2Open}} | |||
કોંગ્રેસનું અધિવેશન ૧૯૩૮ના ફેબ્રુઆરીમાં ગુજરાતમાં બારડોલી નજીક હરીપુરા ખાતે થવાનું હતું. ફરી એક વાર ગાંધીએ નંદલાલને સ્થાનિક કલા અને હસ્તકલાથી ભરપૂર એક અનોખું વાતાવરણ બનાવવાનો હવાલો સોંપ્યો. અને ફરી એક વાર નંદલાલે તેમની અસમર્થતાની અરજી કરી, અંશતઃ કારણ કે તેઓ સ્વસ્થ નહોતા અને અંશતઃ તેઓ એ સાંભળીને નિરાશ થયા હતા કે કેટલાક સ્થાનિક કલાકારોએ તેમની સંકુચિત લાગણીઓને જાહેરમાં વ્યક્ત કરી હતી કારણ કે તેઓ ગુજરાતની બહારના કોઈને લઈને નારાજ હતા. પરંતુ ગાંધીજીને પત્ર લખ્યાના એક સપ્તાહની અંદર તેઓ બારડોલી છાવણીમાં ગાંધીના આશ્ચર્ય અને રાહત માટે આવ્યા. પરિણામે નંદલાલ હરિપુરા ગયા અને સ્થળનો અભ્યાસ કર્યો અને સ્થાનિક સામગ્રી અને કારીગરીની ઉપલબ્ધતાનું સર્વેક્ષણ કર્યું. હરિપુરા ખાતે, નંદલાલે ફેલાયેલા વિસ્તારને પર્યાવરણીય કલાના ઉત્કૃષ્ટ ઉદાહરણમાં ફેરવ્યો. | |||
દરવાજાઓ, થાંભલાઓ, પ્રદર્શન, સ્ટોલ્સનું ક્લસ્ટર, છાણવાળા આશ્રયસ્થાનો, લેન્ડસ્કેપ ગાર્ડન, મીટિંગ વિસ્તારો અને રહેણાંક તંબુઓ તમામને વિવિધ રંગોની વાંસ, છાલ અને ખાદીની સ્થાનિક સામગ્રીથી શણગારવામાં આવ્યા હતા. માટીના વાસણો અને વાસણો ડિઝાઇનોથી શણગારેલા હતા; પંક્તિઓમાં લટકાવવામાં આવેલા ડાંગરના ઘાસના વાસણો, ટોપલીઓ અને શેરડીનું કામ - સ્થાનિક કારીગરોના હાથે બનાવેલું - આ બધાનો ઉપયોગ સત્રને ભવ્ય ગ્રામીણ વાતાવરણ આપવા માટે કરવામાં આવતો હતો. આ વિશાળ સાર્વજનિક કળાના નોંધપાત્ર ઘટક તરીકે નંદલાલે અલગ-અલગ ચિત્રો બનાવવાની યોજના બનાવી જે પાછળથી હરિપુરા પોસ્ટરો તરીકે પ્રસિદ્ધ થઈ જે ભારતીય જીવનને તેની તમામ વિવિધતામાં દર્શાવે છે. | |||
નંદલાલે લગભગ એંસી પોસ્ટરો જાતે દોર્યા હતા, જેમાં મોટાભાગે લગભગ બે ફૂટ બાય બે ફૂટ મોટા કદના હતા, અને તેમના વિદ્યાર્થી અને શિક્ષક સહયોગીઓએ તેમની નજીકની નકલો બનાવી હતી, લગભગ ચારસો જેતલ ચિત્રો સ્ટ્રોબોર્ડ પર ખેંચાયેલા હાથથી બનાવેલા કાગળો પર બનાવવામાં આવ્યા હતા, આ પેઇન્ટિંગ્સ અથવા પોસ્ટરોને સ્થાનિક પૃથ્વી રંગદ્રવ્યોમાંથી તૈયાર અને મિશ્રિત તેજસ્વી રંગો સાથે ચલાવવામાં આવ્યા હતા. ચારેબાજુ ડિસ્પ્લે પેનલો બાંધવા માટે વાંસ, છાસ અને હોમસ્પન કપાસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગાંધી ઇચ્છતા હતા કે પોસ્ટરો વટેમાર્ગુઓનું ધ્યાન ખેંચે, તેથી તેઓને સભાના કમ્પાઉન્ડના મુખ્ય દ્વાર પર અને પેવેલિયનની બહારના ભાગમાં પ્રદર્શિત કરવામાં આવ્યા. | |||
કોઈ કલ્પના કરી શકે છે કે આખું વિશાળ પરિસર અત્યાર સુધીના ભારતીય જનજીવનની અમૂર્ત લાક્ષણીક ભવ્યતા જાહેર કલા બની પ્રદર્શિત થઈ છે. નંદલાલ બોઝ પોતે ઉત્સાહ સાથે લખે છે, પટચિત્ર શૈલીને અનુસરીને અમે મોટી સંખ્યામાં ચિત્રો બનાવ્યા અને મુખ્ય પ્રવેશદ્વાર પર, સ્વયંસેવકોની શિબિરોની અંદર, પૂજ્યબાપુજી, સુભાષબાબુ, અને રાષ્ટ્રપતિ માટેના ઉતારાઓમાં પણ તેમને દરેક જગ્યાએ લટકાવી દીધા.’ | |||
હરિપુરાના પોસ્ટરો ભારતીય ગ્રામીણ જીવન અને સંસ્કૃતિનું દર્શન કરાવે છે જેમાં આબેહૂબ આધુનિકતાવાદી ગ્રાફિક ગુણવત્તા સાથે આકર્ષક ભારતીય માટીની મહેક આપતી કલર પેલેટ અને બોલ્ડ, ઊર્જાસભર રેખાઓ દ્વારા કરવામાં આવે છે. અહીં આપેલી કૃતિઓ પર એક ઝીણવટભરી નજર નાખવાથી ખ્યાલ આવે છે કે આ પોસ્ટરો વિવિધ પ્રવૃત્તિઓ, વ્યવસાયો અને વેપાર તરફ ધ્યાન દોરે છે જે ગામડાના રોજિંદા જીવનની ક્ષણોને નયનરમ્ય સાતત્યતામાં રજૂ કરે છે. આસપાસની અવલોકન કરેલી વાસ્તવિકતામાંથી મેળવેલી મોટાભાગની છબીઓ નંદલાલે તેમના ગ્રામીણ વિસ્તારો અને સ્થળની નજીક રહેતા લોકોના સર્વેક્ષણ દરમિયાન કરેલા ઝડપી સ્કેચમાંથી વિકસાવવામાં આવી હતી. | |||
ચિત્રના સ્વરૂપો અને આકૃતિઓને સમુચ્ચય બનાવતા ઝડપી રેખાંકનો, સ્વયંસ્ફુરિત સ્ટ્રોક કાલીઘાટ પટચિત્ર અને અન્ય વિવિધ લોક કળાના પાત્ર અને સ્વભાવની યાદ અપાવે છે તે સમાન સહેલાઈથી જોવાને પ્રોત્સાહિત કરે છે. સમોહિત કરતી અને રમતિયાળ કિન્તુ ઉલ્લાસ આપતી કળાની રેખાના લક્ષણો દ્વારા પ્રસુત કરવામાં આવેલ કપાસ પીંજનાર, કાગળ બનાવનાર, મોચી, કપાસ કાંતણ, કુંભાર, ડુગડુગીવાળી (ખંજરીવાળી છોકરી, ઉડતી આકૃતિ, કાન સાફ કરનાર, મહિલા કલાકાર, ઊન કાંતણ, માળી, ખેડૂત અને પશુ ઉછેર, બાળ-પાલન અને રસોઈ સહિત ગ્રામીણ જીવનના સાધારણ દૃશ્યો જેવા વિષયોનું નિરૂપણ કરતી સામગ્રી સાથે સંપૂર્ણ રીતે સારી રીતે મિશ્રણ કરે છે. | |||
આ કૃતિઓની સરળતા મુખ્ય વિષયને ફ્રેમ કરતી કમાન માળખાના વિવિધ ઉપયોગમાં પણ રહેલી છે. ચોક્કસ આકૃતિઓના જોરદાર ગતિશીલ સ્વરૂપો, અલબત્ત, સમગ્ર ફ્રેમમાં કાપવામાં આવે છે આમ છબીઓને એકવિધતાથી બચાવે છે. | |||
બિનોદ બેહારી મુકરજીના જણાવ્યા મુજબ, “સત્ર માટે દોરવામાં આવેલી આ હરિપુરા પેનલોમાં, અવલોકન પર આધારિત પરંપરા અને અભ્યાસની અસ્પષ્ટ સંવાદિતા છે. દરેક પોસ્ટર ફોર્મમાં તેમજ રંગમાં આગલા કરતાં અલગ છે અને તેમ છતાં તે તમામ ભાવનાત્મક એકતાના મજબૂત અંડરકરન્ટમાંથી પસાર થાય છે, એક પારિવારિક સ્ટેમ્પ ઉધાર આપે છે. કલાકારે પરંપરાગત કે મોડેમ કોઈ આદર્શો તરફ નજર કરી નથી, પરંતુ સમકાલીન પરિસ્થિતિ પર નજર રાખીને પોતાનું લક્ષ્ય નક્કી કર્યું છે. સ્વરૂપ અને રંગનો પ્રવાહ જે વિષય પર વહે છે, તેને ગૌણ બનાવીને, આ પોસ્ટરોને ભીંતચિત્ર કલા સાથે સગપણમાં લાવે છે.” | |||
સામૂહિક રાષ્ટ્રવાદની લોકપ્રિય સંસ્કૃતિમાં તેમનું સૌથી મોટું યોગદાન માનવામાં આવે છે, હરિપુરા પેઇન્ટિંગ્સે નંદલાલને પ્રશંસા અને વ્યાપક માન્યતા અપાવી હતી. આ ચિત્રો દ્વારા, ચોક્કસ અર્થમાં તેઓ ગાંધીજીના ‘માટીના માણસોમાંથી ભગવાન બનાવવા’ના કથિત મિશનની નજીક આવ્યા. | |||
{{Poem2Close}} | |||
|} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<hr> | |||