બાળ કાવ્ય સંપદા/જાગ ને જાદવ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 04:32, 10 February 2025

જાગ ને જાદવા

નરસિંહ મહેતા
(ઈ.સ. 15મી સદી)

જાગ ને, જાદવા કૃષ્ણ ગોવાળિયા !
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા,
વડો તે ગોવાળિયો કોણ થાશે ? જાગને…

દહીંતણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં,
કઢિયલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો,
કાળીનાગ નાથિયો,
ભૂમિનો ભાર તે કોણ લેશે ? જાગને....

જમુનાને તીરે ગોધન ચરાવતાં,
મધુરીશી મોરલી કોણ વાહશે ?
ભણે નરસૈંયો, તારા ગુણ ગાઈ રીઝીએ
બૂડતાં બાંહડી કોણ સાહશે ?જાગને....