બાળ કાવ્ય સંપદા/કોણે ?: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઉષા|લેખક : જગદીશ ધ. ભટ્ટ<br>(1937-2019)}} {{Block center|<poem> ઓલી વાદળીને જઈને કોઈ કે'જો, કે દિન-રાત વરસ્યાં કરે. (૨) ડુંગરિયે ડોલતાં રંગીલાં ફૂલડાંને સંદેશો જઈને કોઈ કે'જો, કે દિન-રાત મલક્યાં કરે. (૨)...") |
(No difference)
|
Revision as of 12:50, 16 February 2025
ઉષા
લેખક : જગદીશ ધ. ભટ્ટ
(1937-2019)
ઓલી વાદળીને જઈને કોઈ કે’જો, કે
દિન-રાત વરસ્યાં કરે. (૨)
ડુંગરિયે ડોલતાં રંગીલાં ફૂલડાંને
સંદેશો જઈને કોઈ કે’જો, કે
દિન-રાત મલક્યાં કરે. (૨)
વનરાતે વન કેરી ઘેરી ઘટામાં,
મોરલાને જઈને કોઈ કે’જો, કે
દિન-રાત ગેહક્યાં કરે. (૨)
ઘૂઘવતા સાગરના ઘોડલે પલાણ કરી,
મોજાંને જઈને કોઈ કે’જો, કે
દિન-રાત ઊછળ્યાં કરે. (૨)
અંધારી રાત કેરી ઊડતી ઓઢણીમાં,
તારલાને જઈને કોઈ કે’જો કે
રોજ રોજ ચમક્યાં કરે. (૨)