બાળ કાવ્ય સંપદા/કોણે ?: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઉષા|લેખક : જગદીશ ધ. ભટ્ટ<br>(1937-2019)}} {{Block center|<poem> ઓલી વાદળીને જઈને કોઈ કે'જો, કે દિન-રાત વરસ્યાં કરે. (૨) ડુંગરિયે ડોલતાં રંગીલાં ફૂલડાંને સંદેશો જઈને કોઈ કે'જો, કે દિન-રાત મલક્યાં કરે. (૨)...") |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|કોણે ?|લેખક : જગદીશ ધ. ભટ્ટ<br>(1937-2019)}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
નીલેરા આભની રૂપાળી જાજમે | |||
ચમકંતા તારલા કોણે ગૂંથ્યા ? | |||
વહેલી પરોઢના પૂરવના બારણે | |||
કુમકુમનાં પગલાં કોણે કર્યાં ? | |||
સંધ્યાની સાડીના ફરફરતા પાલવે | |||
ગુલાબી રંગ આ કોણે પૂર્યા ? | |||
મંદ મંદ વાયરે ઝૂલતા આ ફૂલને | |||
મીઠેરાં સ્મિતદાન કોણે દીધાં ? | |||
પૂનમની રાતના ખીલે છે પોયણાં | |||
એ પોયણાંને ખીલતાં કોણે કીધાં ? | |||
વહેતી સરિત નિત ગુંજે છે ગીતડાં, | |||
એ ગીતો મધુરતમ કોણે કીધાં ? | |||
સાગરની કાયાને સુંદર સોહાવતાં | |||
શ્વેત શ્વેત મોજાં કોણે કીધાં ? | |||
તિમિરભર્યા મુજ હૈયાને ઓરડે | |||
ઝળહળતાં તેજ આ કોણે કીધાં ? | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
Revision as of 13:00, 16 February 2025
કોણે ?
લેખક : જગદીશ ધ. ભટ્ટ
(1937-2019)
નીલેરા આભની રૂપાળી જાજમે
ચમકંતા તારલા કોણે ગૂંથ્યા ?
વહેલી પરોઢના પૂરવના બારણે
કુમકુમનાં પગલાં કોણે કર્યાં ?
સંધ્યાની સાડીના ફરફરતા પાલવે
ગુલાબી રંગ આ કોણે પૂર્યા ?
મંદ મંદ વાયરે ઝૂલતા આ ફૂલને
મીઠેરાં સ્મિતદાન કોણે દીધાં ?
પૂનમની રાતના ખીલે છે પોયણાં
એ પોયણાંને ખીલતાં કોણે કીધાં ?
વહેતી સરિત નિત ગુંજે છે ગીતડાં,
એ ગીતો મધુરતમ કોણે કીધાં ?
સાગરની કાયાને સુંદર સોહાવતાં
શ્વેત શ્વેત મોજાં કોણે કીધાં ?
તિમિરભર્યા મુજ હૈયાને ઓરડે
ઝળહળતાં તેજ આ કોણે કીધાં ?