|
|
| Line 4: |
Line 4: |
|
| |
|
| {{Poem2Open}} | | {{Poem2Open}} |
| ક્ષમાપના : | | '''ક્ષમાપના :''' |
| કવિઓ મેજ આગળ બેસીને કવિતા લખવાનો આરંભ કરે ત્યારે, કે પોતાના મગજમાં જ કાવ્ય રચતા આમથી તેમ લટાર મારતા હોય ત્યારે, જે પ્રકારના પ્રશ્નો ઉકેલવાને તેઓ મથી રહ્યા હોય છે તેવા બધા પ્રશ્નોના એક વિશાળ સંદર્ભમાં જો મારી કાવ્યરચનાની રીતિને સાંકળી ન શકું, તો આ વિશેની મારી ચર્ચાવિચારણા અક્ષમ્ય દોષવાળી જ ગણાય. દરેક કવિ પાસે પોતાની કાવ્યકૃતિ સિદ્ધ કરવાનો આગવો આગવો તરીકો હોય, કવિ તરીકેનો દરેકનો અનુભવ પણ ભિન્ન ભિન્ન રૂપનો હોય, અને મારી પોતીકી કાવ્યરચનાઓની વાત કરું તો મારી ચર્ચાવિચારણાઓનું સમર્થન કરી રહે એટલી ઊંચી ગુણવત્તાવાળી એ ન પણ હોય, ત્યારે એવા સંજોગોમાં મારા અંગત અનુભવની બાબતને હું એક સર્વસામાન્ય નિયમ ગણાવી બેસતો હોઉં, એવી દહેશત મારા મનમાં રહી છે. | | કવિઓ મેજ આગળ બેસીને કવિતા લખવાનો આરંભ કરે ત્યારે, કે પોતાના મગજમાં જ કાવ્ય રચતા આમથી તેમ લટાર મારતા હોય ત્યારે, જે પ્રકારના પ્રશ્નો ઉકેલવાને તેઓ મથી રહ્યા હોય છે તેવા બધા પ્રશ્નોના એક વિશાળ સંદર્ભમાં જો મારી કાવ્યરચનાની રીતિને સાંકળી ન શકું, તો આ વિશેની મારી ચર્ચાવિચારણા અક્ષમ્ય દોષવાળી જ ગણાય. દરેક કવિ પાસે પોતાની કાવ્યકૃતિ સિદ્ધ કરવાનો આગવો આગવો તરીકો હોય, કવિ તરીકેનો દરેકનો અનુભવ પણ ભિન્ન ભિન્ન રૂપનો હોય, અને મારી પોતીકી કાવ્યરચનાઓની વાત કરું તો મારી ચર્ચાવિચારણાઓનું સમર્થન કરી રહે એટલી ઊંચી ગુણવત્તાવાળી એ ન પણ હોય, ત્યારે એવા સંજોગોમાં મારા અંગત અનુભવની બાબતને હું એક સર્વસામાન્ય નિયમ ગણાવી બેસતો હોઉં, એવી દહેશત મારા મનમાં રહી છે. |
| અને છતાં, કવિતાનું સર્જન એક એવી પ્રવૃત્તિ છે, જે એના કવિ પાસે અમુક ચોક્કસ પ્રકારની ધ્યાનમગ્નતા માગે છે; અને એ સાથે, કવિ પાસે શ્રવણ દર્શન કલ્પના અને સ્મૃતિ વગેરે વિશેષ કેળવાયેલી ચિત્તશક્તિઓ હોય, એવી એમાં અપેક્ષા પણ રહે છે. કવિ ખરેખર તો કલ્પનોથી ચિંતન કરી શકતો હોવો જોઈએ; અને તેની ભાષાનો વ્યાપ ઘણો સીમિત હોય તોપણ, ચિત્રકાર પોતાના રંગોની સામગ્રી પર જેવું મહાન પ્રભુત્વ મેળવે છે તેવું જ, તેણે તેની ભાષા પર મેળવ્યું હોવું જોઈએ. આ બધું એમ સૂચવે છે કે, સામાન્ય સમાજમાં ઓછેવત્તે અંશે સભાન રહીને પોતાની પ્રવૃત્તિઓને અનુરૂપ તેણે પોતાને ગોઠવી લેવાનો રહે છે; અને એ કારણે જ તો, ઘણાય લોકો જેને પાગલપણાની નિકટની અવસ્થાના ગણતા હોય છે તેવી, બધી વિલક્ષણતાઓવાળી કોઈ પ્રેરણાની અવસ્થા તેનામાં જોવા મળે છે. કોઈ એક કવિનું દૃષ્ટાંત લઈએ તો, કવિતાની માંગને અનુરૂપ તેની વ્યક્તિતા શી રીતે ઘાટ લઈ શકી તેટલી જ વાત રજૂ થઈ ગણાય, પણ એવી વાત પણ જો સ્પષ્ટ રૂપમાં વર્ણવવામાં આવી હોય તો, બીજા કવિઓને તેમ કેટલેક અંશે કવિતાકળાને પોતાને સમજવામાં પણ એ ઉપકારક બની રહે એમ બને. | | અને છતાં, કવિતાનું સર્જન એક એવી પ્રવૃત્તિ છે, જે એના કવિ પાસે અમુક ચોક્કસ પ્રકારની ધ્યાનમગ્નતા માગે છે; અને એ સાથે, કવિ પાસે શ્રવણ દર્શન કલ્પના અને સ્મૃતિ વગેરે વિશેષ કેળવાયેલી ચિત્તશક્તિઓ હોય, એવી એમાં અપેક્ષા પણ રહે છે. કવિ ખરેખર તો કલ્પનોથી ચિંતન કરી શકતો હોવો જોઈએ; અને તેની ભાષાનો વ્યાપ ઘણો સીમિત હોય તોપણ, ચિત્રકાર પોતાના રંગોની સામગ્રી પર જેવું મહાન પ્રભુત્વ મેળવે છે તેવું જ, તેણે તેની ભાષા પર મેળવ્યું હોવું જોઈએ. આ બધું એમ સૂચવે છે કે, સામાન્ય સમાજમાં ઓછેવત્તે અંશે સભાન રહીને પોતાની પ્રવૃત્તિઓને અનુરૂપ તેણે પોતાને ગોઠવી લેવાનો રહે છે; અને એ કારણે જ તો, ઘણાય લોકો જેને પાગલપણાની નિકટની અવસ્થાના ગણતા હોય છે તેવી, બધી વિલક્ષણતાઓવાળી કોઈ પ્રેરણાની અવસ્થા તેનામાં જોવા મળે છે. કોઈ એક કવિનું દૃષ્ટાંત લઈએ તો, કવિતાની માંગને અનુરૂપ તેની વ્યક્તિતા શી રીતે ઘાટ લઈ શકી તેટલી જ વાત રજૂ થઈ ગણાય, પણ એવી વાત પણ જો સ્પષ્ટ રૂપમાં વર્ણવવામાં આવી હોય તો, બીજા કવિઓને તેમ કેટલેક અંશે કવિતાકળાને પોતાને સમજવામાં પણ એ ઉપકારક બની રહે એમ બને. |
| Line 19: |
Line 19: |
| એટલે હું એવી પદ્ધતિ અપનાવું છું કે, એવી ક્ષણે પહેલાં તો, શક્ય તેટલા વધુ ‘વિચારો’ – તે ગમે તેટલા અણઘડ રૂપમાં હોય તોયે – મારી નોંધપોથીમાં હું ટપકાવી લઉં છું. (મારી છેલ્લાં પંદર વર્ષની લેખનપ્રવૃત્તિની જો વાત કરું તો, નહીં નહીં તોયે આવી વીસેક નોંધપોથીઓ મારા મેજ પછવાડેની અભરાઈઓ પર પડી હશે.) એમાંની કેટલીક સામગ્રીઓનો પછીથી હું ઉપયોગ કરી લઉં છું. અને બાકીનીને ત્યજી દઉં છું. | | એટલે હું એવી પદ્ધતિ અપનાવું છું કે, એવી ક્ષણે પહેલાં તો, શક્ય તેટલા વધુ ‘વિચારો’ – તે ગમે તેટલા અણઘડ રૂપમાં હોય તોયે – મારી નોંધપોથીમાં હું ટપકાવી લઉં છું. (મારી છેલ્લાં પંદર વર્ષની લેખનપ્રવૃત્તિની જો વાત કરું તો, નહીં નહીં તોયે આવી વીસેક નોંધપોથીઓ મારા મેજ પછવાડેની અભરાઈઓ પર પડી હશે.) એમાંની કેટલીક સામગ્રીઓનો પછીથી હું ઉપયોગ કરી લઉં છું. અને બાકીનીને ત્યજી દઉં છું. |
| અણઘડ ‘વિચારો’ને હું શી રીતે વિકાસાવું છું, તેનું સ્પષ્ટીકરણ કરવાનો સૌથી સારો માર્ગ તે એક દૃષ્ટાંત લઈને ચાલવાનો છે એમ મને લાગે છે. અહીં ૧૯૪૪માં શરૂ થયેલી એક નોંધપોથીની વિગતો નોંધું છું. એમાંનાં સોએક જેટલાં પૃષ્ઠો ભરીને મેં જે વિચારો ટપકાવી લીધા હતા, તેમાંથી માત્ર છ એક કાવ્યકૃતિઓ આકાર પામી શકી છે. કોઈ પણ ‘વિચારો’(idea) મને પહેલી વાર સૂઝે, એટલે તરત તેને હું ક્રમસંખ્યા આપી દઉં છું. કેટલીક વાર આવો ‘વિચાર’ એકાદ પંક્તિથી વધુ વિસ્તર્યો જ ન હોય એમ બને. ઉદાહરણ તરીકે, ત્રીજા ક્રમનો વિચાર એક જ પંક્તિનો સંભવ્યો છે. (કૃતિરૂપે એ વિકસ્યો નથી) [A language of Flesh and roses. [૧] | | અણઘડ ‘વિચારો’ને હું શી રીતે વિકાસાવું છું, તેનું સ્પષ્ટીકરણ કરવાનો સૌથી સારો માર્ગ તે એક દૃષ્ટાંત લઈને ચાલવાનો છે એમ મને લાગે છે. અહીં ૧૯૪૪માં શરૂ થયેલી એક નોંધપોથીની વિગતો નોંધું છું. એમાંનાં સોએક જેટલાં પૃષ્ઠો ભરીને મેં જે વિચારો ટપકાવી લીધા હતા, તેમાંથી માત્ર છ એક કાવ્યકૃતિઓ આકાર પામી શકી છે. કોઈ પણ ‘વિચારો’(idea) મને પહેલી વાર સૂઝે, એટલે તરત તેને હું ક્રમસંખ્યા આપી દઉં છું. કેટલીક વાર આવો ‘વિચાર’ એકાદ પંક્તિથી વધુ વિસ્તર્યો જ ન હોય એમ બને. ઉદાહરણ તરીકે, ત્રીજા ક્રમનો વિચાર એક જ પંક્તિનો સંભવ્યો છે. (કૃતિરૂપે એ વિકસ્યો નથી) [A language of Flesh and roses. [૧] |
| આગળ ઉપર પ્રેરણાની વાત કરવાનો છું ત્યાં આ પંક્તિનો ફરીથી ઉલ્લેખ કરીશ. અહીં તો ૧૩મા ક્રમનો એક એવો વિચાર લઉં છું જે વિકાસ પામીને પૂર્ણરૂપ પામ્યો છે. એની પહેલી રૂપરેખા આ રીતે આરંભાઈ હતી૧ : | | આગળ ઉપર પ્રેરણાની વાત કરવાનો છું ત્યાં આ પંક્તિનો ફરીથી ઉલ્લેખ કરીશ. અહીં તો ૧૩મા ક્રમનો એક એવો વિચાર લઉં છું જે વિકાસ પામીને પૂર્ણરૂપ પામ્યો છે. એની પહેલી રૂપરેખા આ રીતે આરંભાઈ હતી૧<ref>સ્પેન્ડરે રચનાપ્રક્રિયાના વિચારો સ્પષ્ટ કરતાં પોતાની કેટલીક કાવ્યપંક્તિઓ ઉદાહરણ રૂપે આ લેખમાં મૂકી છે. આ અનુવાદમાં એના મૂળના અંગ્રેજી પાઠો રાખ્યા છે. અંતે પરિશિષ્ટમાં એના ગુજરાતી છાયાનુવાદો આપ્યા છે. – પ્ર. </ref> : |
| (a) There are some days when the | | (a) There are some days when the |
| sea lies like a harp | | sea lies like a harp |
| Line 213: |
Line 213: |
| થંભે અને રુચે, તેની સમસ્ત જિંદગી | | થંભે અને રુચે, તેની સમસ્ત જિંદગી |
|
| |
|
| પાદટીપ
| |
| ૧ સ્પેન્ડરે રચનાપ્રક્રિયાના વિચારો સ્પષ્ટ કરતાં પોતાની કેટલીક કાવ્યપંક્તિઓ ઉદાહરણ રૂપે આ લેખમાં મૂકી છે. આ અનુવાદમાં એના મૂળના અંગ્રેજી પાઠો રાખ્યા છે. અંતે પરિશિષ્ટમાં એના ગુજરાતી છાયાનુવાદો આપ્યા છે. – પ્ર.
| |
|
| |
|
| ગ્રંથ, સપ્ટે ૭૭.
| | {{Right |'''ગ્રંથ,''' સપ્ટે ૭૭. }} <br> |
| | |
| | |
| | |
| તુલનાત્મક સાહિત્ય
| |
| જ્હોન ફ્લેચર
| |
| | |
| | |
| | |
| સાહિત્યઅધ્યયનના ક્ષેત્રમાં છેલ્લા સાત-આઠ દાયકા દરમ્યાન ‘તુલનાત્મક સાહિત્ય’ તરીકે ઓળખાવાતી એક નવી વિદ્યાશાખા ઊભી થઈ છે. એને ‘તુલનામૂલક સાહિત્ય’, ‘સાહિત્યકીય તુલનાનું વિજ્ઞાન’, કે ‘તુલનારત સાહિત્ય’ જેવી સંજ્ઞાઓથી પણ ઓળખાવવામાં આવી છે. આથી આ વિદ્યાશાખાએ સાહિત્યક્ષેત્રમાં રૂઢ બની ચૂકેલી વિવેચનની પદ્ધતિઓથી અલગ અને સ્વની એવી કોઈ અધ્યયનપદ્ધતિ નિપજાવી છે કે કેમ, એવો સહેજે પ્રશ્ન થાય. પણ આ ક્ષેત્રમાં તરેહતરેહની જે બધી પ્રવૃત્તિઓ અત્યાર સુધી ચાલતી રહી છે તે જોતાં એમ સમજાય છે કે આ વિદ્યાશાખાને હજી એની આગવી પદ્ધતિ મળી નથી. હકીકતમાં ‘તુલનાત્મક અભ્યાસ’ નામે જે કંઈ પ્રવૃત્તિઓ થઈ છે તેમાં જાણ્યેઅજાણ્યેય જુદી જુદી વિદ્યાશાખાઓને લગતા અનેકવિધ પ્રશ્નો છણાતા રહ્યા છે. એમાં કેટલાક, સાહિત્યનું નિર્માણ અને તેની સંવાદભૂમાં પડેલી જુદી જુદી વિચારધારાઓને અનુલક્ષે છે; બીજા કેટલાક, સાહિત્યલક્ષી સમાજવિજ્ઞાનને સ્પર્શે છે; તો બીજા વળી સૌંદર્યમીમાંસાના ક્ષેત્રને આવરે છે. આવે પ્રસંગે જે તે વિદ્યાશાખાની આગવી અધ્યયન પદ્ધતિનું એમાં અનુસંધાન રહ્યું દેખાય છે પણ ‘તુલનાત્મક સાહિત્ય’ની પોતાની પદ્ધતિ ઊભી કરવાનો ઉપક્રમ એમાં ખાસ જોવા મળતો નથી. કેટલાક અભ્યાસીઓ, આવી પરિસ્થિતિમાં, એવો મત વ્યક્ત કરે છે કે અધ્યયનનો આ વિષય જ એક મિથ્યાનિર્માણ છે. ‘તુલનાત્મક સાહિત્ય’ને બહાને યુનિવર્સિટીઓમાં નવી નવી જગ્યાઓ ઊભી કરવામાં આવે છે કે આવા વિષયના નામકરણ નીચે થોડાક ‘મહાન ગ્રંથો’ના અભ્યાસનો કાર્યક્રમ ચલાવી શકાય છે, કે ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીમાં વળી કોઈ વિદ્યાર્થી ભારે પરિશ્રમ કરીને બિ.ફિલ.ની ઉપાધિ પામે છે – એટલું જ. પણ આગવા અધ્યયનવિષય લેખે એને એનું સ્પષ્ટ સુરેખ રીતે કંડારી આપી શકાય તેવું, ક્ષેત્ર મળ્યું નથી. એટલે આ વિષયના ટીકાકારો તો ‘તુલનાત્મક સાહિત્ય’ જેવો પ્રયોગ જ અર્થહીન છે એમ કહેવા સુધી જાય છે! સાહિત્યના કહેવાતા તુલનાત્મક અધ્યયનમાં યે કેવળ સાહિત્યિક દૃષ્ટિથી જ અધ્યયન થાય છે, એમ તેમનું કહેવું છે. પ્રસિદ્ધ વિદ્વાન રેને વેલેકે પોતાના વિવેચનગ્રંથ ‘કોન્સેપ્ટ્સ ઑફ ક્રિટીસીઝમ’ (૧૯૬૩)માં ‘તુલનાત્મક સાહિત્યમાં કટોકટી’ એવા શીર્ષકનું જે એક લખાણ મૂક્યું છે તેમાં તેમણે, આ વિદ્યાશાખાને હજી પોતાનું સ્પષ્ટ સુરેખ ક્ષેત્ર મળ્યું નથી, તેમ વિદ્વદ્મંડળમાં સ્વીકૃતિ પામે તેવી કોઈ આગવી પદ્ધતિ એણે નિષજાવી નથી, એમ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. રેને વેલેક એમ કહેવા ચાહે છે કે, આ વિષયનાં કહેવાતાં ઘણાંય અધ્યયનોમાં વૈજ્ઞાનિક કાર્યકારણની ભૂમિકાએથી જે જાતના ખુલાસાઓ આપવામાં આવ્યા હોય છે તેમાં અને તેથી ય વિશેષ તાર્કિક વિધેયવાદના પ્રભાવ નીચે જે રીતની ચર્ચાવિચારણાઓ વિકસાવવામાં આવી હોય છે તેમાં, ઘણુંખરું સાહિત્યઅધ્યયનની કોઈ ને કોઈ રૂઢ પદ્ધતિનું જ અનુસરણ થતું રહ્યું છે. આ જાતનાં અધ્યયનો ય હવે સ્થગિત અને નિષ્પ્રાણ લાગે છે. રેને વેલેકનું આ મંતવ્ય, અલબત્ત, આપણને થોડું કઠોર લાગશે. પણ એમાં ઠીકઠીક તથ્ય પડેલું છે. કોઈ ચોક્કસ અધ્યયનપદ્ધતિ આ ક્ષેત્રમાં ઊભી થઈ શકી છે એમ તો આપણે છાતી ઠોકીને કહી શકતા નથી જ. પણ, આ અંગે એટલું કહી શકાય ખરું કે, જે જાતની ચર્ચાવિચારણાઓ આ ક્ષેત્રમાં ચાલી છે તેમાં સાહિત્યવિવેચનની જોડે નિસ્બત ધરાવતા કેટલાક મહત્ત્વના પ્રશ્નો ઊભા થયા જ છે, અને એનું નિરાકરણ કરવાના પણ ઠીક ઠીક સંતોષકારક પ્રયત્નો થયા છે.
| |
| ‘તુલનાત્મક સાહિત્ય’ – પ્રયોગમાં તુલના કરવાનો અર્થ સૂચિત છે જ. પણ ખરેખર કઈ બાબતની તુલના એમાં અભિપ્રેત છે, તે જ તો ખરો પ્રશ્ન છે. રેને વેલેક જેવા વિદ્વાન, રંગદર્શિતાવાદ જેવી વસ્તુ એક દેશમાંથી બીજા દેશમાં શી રીતે પહોંચી, અને એથી બીજા દેશના સાહિત્યને ખરેખર લાભ થયો કે ગેરલાભ વગેરે બાબતોને લક્ષમાં રાખી વિશાળ સાહિત્યજગતમાં કેવી કેવી જાતના વિનિમયો ચાલતા રહ્યા છે અને જુદા જુદા દેશકાળના સાહિત્ય પર એ રીતે કયાં બાહ્ય પરિબળોએ અસર પાડી છે, તેનો જ મુખ્યત્વે વિચાર કરવામાં રોકાયા છે, તેમના આ જાતના અભિગમને કારણે જ આ વિદ્યાશાખાની ગતિવિધિઓ વિશેનું તેમનું મૂલ્યાંકન એકંદરે નિરાશાવાદી રહ્યું છે. તુલનાત્મક અધ્યયનની આ દિશાની પ્રવૃત્તિઓ તો સાહિત્યજગતની ઘટનાઓ કાર્યકારણભાવે કેવી રીતે સંકળાય છે તેટલા એક માત્ર ખ્યાલને જ ઉપસાવી આપે છે. ઉ. ત. સ્કૉટ અને બાલ્ઝાક જેવા નવલકથાકારોની માત્ર સરખામણી તેમને પર્યાપ્ત લાગતી નથી. એ બંને લેખકોને કોઈક રીતે કાર્યકારણની ભૂમિકાએથી જોડવાનું ય તેમને આવશ્યક લાગે છે. પણ, ભિન્ન ભિન્ન પ્રતિભાવાળા લેખકોને આ રીતે કેવળ કાર્યકારણના સંબંધે ચર્ચવાના ઉપક્રમમાં મૂળ સર્જનપ્રક્રિયાની વિશિષ્ટતા જ બાદ થઈ જાય છે. હકીકતમાં આવા લેખકોને વિવેચનની આગવી ભૂમિકાએથી તપાસવાના રહે છે. પણ રેને વેલેકના અભિગમમાં એ મુદ્દાની અવગણના થતી જણાય છે.
| |
| આ ક્ષેત્રમાં તથા સાહિત્યના ઇતિહાસની રૂઢ પદ્ધતિઓથી ભિન્ન એવી કેટલીક પદ્ધતિઓ પણ જોવા મળશે. એમાં સૌથી જાણીતી પદ્ધતિ તે ભિન્નભિન્ન પરંપરાનાં સાહિત્યોમાંથી સાવ નાનાં એકમો લઈને તેનું તુલનાત્મક અધ્યયન કરવાની છે. કોઈ એક સર્જક બીજા સર્જકની અપેક્ષાએ, કે એક સાહિત્યકૃતિ બીજી કોઈ કૃતિની અપેક્ષાએ કઈ કઈ રીતે જુદાં પડે છે કે કઈ વિલક્ષણતા બતાવે છે, તેને લગતી તપાસ એમાં મુખ્યત્વે થતી હોય છે. દેખીતી રીતે જ, આ જાતનો તુલનાત્મક ઉપક્રમ ‘રાષ્ટ્રીય સાહિત્ય’ના સાંકડા ખ્યાલને ઓળંગી જાય છે. અને ‘વિશ્વસાહિત્ય’ કે ‘આંતરરાષ્ટ્રીય સાહિત્ય’ના વ્યાપક સંદર્ભોને અનુલક્ષે છે. ‘રાષ્ટ્રીય સાહિત્ય’ એવી વસ્તુ છે, જેને તમે એની સાતત્યભરી એવી આગવી ‘રાષ્ટ્રીય પરંપરા’ના પ્રકાશમાં વત્તુંઓછું સમજાવી શકો, કે પછી તાજેતરની સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિમાં તેનો ઉદ્ભવ બતાવી શકો પણ, તુલનાની પ્રવૃત્તિ જ્યારે વિશાળ આંતરરાષ્ટ્રીય સાહિત્યરાશિને સ્પર્શવા જાય છે, ત્યારે એવા વ્યાપક સંદર્ભમાં કેવળ સાહિત્યિક કળાનો ખ્યાલ જ પ્રસ્તુત બની રહે છે. પણ આ રીતનો અભિગમ સ્વીકારીને ચાલવા જતાં વળી બીજા જ પ્રશ્નો ઊભા થાય છે. સાહિત્ય જેવી વસ્તુનો પ્રાદુર્ભાવ જુદા જુદા સમાજોની જુદી જુદી પરિસ્થિતિઓ વચ્ચે થતો રહ્યો છે, તો તેના એ સર્વ પ્રાદુર્ભાવોમાં ખરેખર કોઈ સર્વસાધારણ તત્ત્વ બતાવી શકાય ખરું? અને એ સર્વ પરસ્પરથી કઈ રીતે ભિન્નતા સાધે છે? વિશાળ વિશ્વસાહિત્યમાં એની કોઈ એવી ચોક્કસ તરાહ (કે તરાહો)નું આવર્તન બતાવી શકાય ખરું? અને એ આવર્તન કેવી રીતનું હોય? અથવા, સાહિત્યકાર પોતે જે સમાજ વચ્ચે જન્મ્યો અને ઊછર્યો છે, અને જે લોક વચ્ચે પોતાની લેખનપ્રવૃત્તિ કરી રહ્યો છે, તેથી વધુ વ્યાપક દેશકાળમાં વિસ્તરેલી માનવજાતિ તેને માટે વધુ વાસ્તવિક ‘વાતાવરણ’(milieu) રચે છે એમ કહીએ, તો એ જાતના કથનથી કશું વિશેષ ફલિત થાય છે ખરું? મૂળ વાત એ છે કે, સાહિત્યની અસરોને લગતા પ્રશ્નો કોઈક નક્કર હકીકતો જોડે સંકળાયેલા હોય છે, અને તેના સત્યાસત્યની ચકાસણી થઈ શકે છે. પણ પ્રસ્તુત પ્રશ્ન જુદી જાતનો છે. સાહિત્યપ્રકારો અને સ્વરૂપોના ઉદ્ભવવિકાસના પ્રશ્નો, સાહિત્ય કેટલે અંશે સામાજિક આવિર્ભાવ છે અને તેનું સ્વરૂપ કેવું છે, એવા પ્રશ્નો, કે સાહિત્યકૃતિ સામાન્ય માણસના મનમાં કેવી રીતે ગ્રાહ્ય બને છે અને આવી કૃતિ પોતાની સંરચના કેવી રીતે ખુલ્લી કરે છે, એ જાતના પ્રશ્નો ઉઠાવવામાં, અલબત્ત, ઓછું જોખમ નથી જ. પણ કંઈક પણ બૌદ્ધિક પ્રાપ્તિની આશા એ દિશામાં જ રાખી શકાય. ખરેખર તો, સાહિત્યના આ જાતના પ્રશ્નો જ આપણને સંસ્કૃતિઓ વિશે, ભાષાઓનાં જુદાં જુદાં બંધારણો વિશે, સમાજ અને સાહિત્યના પરસ્પરના સંબંધો અને માનવચિત્તની સર્જકકલ્પના વિશે, તેમ જ તેની પશ્ચાદ્ભૂમાં રહેલી વિચારધારાઓના ઇતિહાસ વિશે વિચારણા કરવા સતત પ્રેરે છે.
| |
| અને, આ કારણે જ, તુલનાત્મક સાહિત્યને જે જે વિદ્યાશાખાઓમાં તુલનાત્મક અધ્યયનનાં તાત્કાલિક પણ નક્કર પરિણામો આવ્યાં છે તેની સાથે નિકટનો સંબંધ થવા પામ્યો છે. અલબત્ત, ‘તુલનાત્મક સંગીત’ જેવું કોઈ અધ્યયનક્ષેત્ર ઊભું કરવાની જરૂર નથી કેમ કે સંગીતના ક્ષેત્રમાં એવી એકરૂપતા સંભવે છે, જે સાહિત્યમાં કદી જોવા ન મળે. પણ, ‘તુલનાત્મક શરીરશાસ્ત્ર’, ‘તુલનાત્મક ધર્મશાસ્ત્ર’ અને ‘તુલનાત્મક વ્યાકરણશાસ્ત્ર’ જેવા વિષયોનો ખ્યાલ સાવ મિથ્યા નથી જ. આવા વિષયોમાં નાનાંનાનાં ઘટકો લઈને તુલનાત્મક રીતે વિચારીએ તો એમાં ભિન્નતાઓ પ્રત્યક્ષ થશે, પણ એમાં કશુંક સર્વસામાન્ય તત્ત્વ પણ જોવા મળશે. આમ, રૂઢ અવલોકનની પદ્ધતિએ ચાલીને માત્ર નાનાં એકમોની ભિન્નતાઓ તપાસીએ, તો એવી પ્રવૃત્તિ પણ દ્યોતક નીવડે છે; બલકે ઉપકારક નીવડે છે. આ જાતની પ્રવૃત્તિ સમયનો વ્યય માત્ર છે, એવું પહેલેથી ધારી લઈને ન ચાલીએ. બીજી બાજુ, આ દિશામાં મહાન અમૂલ્ય આંતર્દૃષ્ટિઓ મળી જ જશે, એમ સ્વીકારી લેવુંય બરાબર નથી. ખરેખર તો આવી તપાસનાં કેવાં પરિણામો આવે છે તે જોયા પછી જ આખરી નિર્ણય પર આવવું ઘટે. ભૌતિક વિજ્ઞાનો કે સામાજિક વિજ્ઞાનો કરતાં સાહિત્ય-વિવેચનના ક્ષેત્રમાં આવું કામ કપરું બની રહે, એ સ્વાભાવિક છે. કેમ કે, ભૌતિક વિજ્ઞાનોમાં જે રીતે વિશ્વસનીયતા ઊભી થાય છે, તેવી અહીં શક્ય નથી. મુશ્કેલી એ વાતની છે કે ‘તુલનાત્મક સાહિત્ય’ સંજ્ઞાથી તુલનાની પ્રવૃત્તિ વૈજ્ઞાનિક પદ્ધતિએ ચાલતી હોવાનો ભાસ થાય, પણ એમ નથી. એ કારણે આ અધ્યયનક્ષેત્ર વિશે જુદી જુદી અપેક્ષાઓ જન્મી પડી છે. આવી સમજથી પ્રેરાઈને કેટલાક નામાંકિત વિદ્વાનો આ વિષયમાં કેવળ ચોકસાઈભરી હકીકતોનો સંચય કરી બેઠા છે. અને પોતાના વિરોધીઓનું એવી હકીકતોના સંચય તરફ વારંવાર ધ્યાન ખેંચતા રહ્યા છે. રેને વેલેક પણ આ ક્ષેત્રમાં આવી મહાન આકાંક્ષાઓ લઈને ચાલનારાઓ તરફ અપવાદ લે છે. પણ આપણે સ્મરણમાં રાખવાનું કે અતિ ઊંચાં લક્ષ્યો લઈને ચાલનાર વિદ્વાનોએ પણ કેટલુંક સઘન અભ્યાસપૂર્ણ એવું અર્પણ કર્યું જ છે. કવિ હાઈન વિશે ફ્રાન્સમાં થયેલું કે મહાકવિ ગ્યુથે વિશે ઇંગ્લૅન્ડમાં થયેલું અધ્યયન આ જાતનાં સરસ દૃષ્ટાંતો છે. એ અધ્યયનો આજે પણ એટલાં જ પ્રમાણભૂત અને ફલપ્રદ જણાશે. આમ છતાં સાહિત્યનું તુલનાત્મક અધ્યયન અનિવાર્ય તથા સંગીન પરિણામ લાવશે જ, એમ અગાઉથી ખાતરીપૂર્વક કહી શકાય નહિ : બલકે સાહિત્યવિવેચનની બીજી પદ્ધતિઓને જે સફળતાઓ મળી છે તેટલી ય એમાં મળી જશે, એમ માનવું વધારે પડતું છે. તુલનાવાદના પુરસ્કર્તાઓએ આરંભમાં આ વિશે વધુ પડતા દાવાઓ કર્યા, એ પણ એક કમનસીબ બાબત હતી. પણ આટલા જ કારણે તુલનાત્મક અધ્યયન વિશે એકદમ સંશયી બની જવાની પણ જરૂર નથી. થોડાંક નીચાં, બલકે જરા જુદી રીતનાં, લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે, તો એ સહેજે ફળપ્રદ નીવડે. ખરી વાત એ છે કે સાહિત્યવિચારના ક્ષેત્રમાં તુલનાવાદ સાવ નવી વસ્તુ નથી. છેક એરિસ્ટોટલના સમયથી ફરીફરીને એ દેખા દેતો રહ્યો જ છે; અને અનેકોનું ધ્યાન રોકી લે એટલી પ્રવૃત્તિ તે આજે પણ કરી રહ્યો છે.
| |
| જ્યોર્જ સ્ટાઈનરે તેમના તાજેતરમાં પ્રગટ થયેલા ગ્રંથ ‘લેંગ્વેઝ એન્ડ સાય્લન્સ’(૧૯૬૭)માં ફરીથી તુલનાત્મક સાહિત્યની હિમાયત કરી છે. જોકે જૂની દલીલ જ તેમણે એમાં દોહરાવી છે. તેમનું એમ કહેવું છે કે સાહિત્ય માત્રનું અધ્યયન અને અર્થઘટન તુલનાત્મક પદ્ધતિએ કરવું જોઈએ. તેઓ પ્રશ્ન કરે છે : કવિ સ્પેન્સરનું તમે મૂલ્યાંકન કરવા ચાહતા હો અને ઈટાલીની મહાકાવ્ય-પરંપરાનો કોઈ ખ્યાલ જ તમને ન હોય તે કેમ ચાલે? અથવા પોપનાં કાર્યનો સાચો ખ્યાલ મેળવવો હોય તો બ્વાલોના પરિચય વિના કેમ ચાલે? અથવા, વિકટોરિયન યુગના નવલકથાકારોની નવલકથાઓ – ઉદા. જેમ્સની નવલકથાઓની સિદ્ધિમર્યાદાઓ સમજવા ચાહતા હો, તો બાલ્ઝાક સ્ટેન્થાલ અને ફ્લૉબેર જેવા તેમના પુરોગામીઓના કથા સાહિત્ય વિશે સઘન પરિચય વિના કેમ ચાલે? હકીકતમાં તમારી સામે આવતી પરંપરાઓનો તમને કોઈ ખ્યાલ જ ન હોય તો, તો તમારું વાંચન સાવ છીછરું અને વંધ્ય જ બની રહેવાનું. અંગ્રેજી ભાષાસાહિત્યનું અધ્યયન કરનારે યુરોપ ખંડના ભાષાસાહિત્ય, વાગ્મિતાશાસ્ત્ર, કળાવિચાર આદિને લક્ષમાં લેવાં જ જોઈશે અને આ કોઈ માત્ર આંતરવિદ્યાકીય શિસ્તનો જ પ્રશ્ન નથી : એથી એ વધુ ગહનગંભીર બાબત છે. વ્યક્તિ માત્ર એક જ ભાષાના સાહિત્યને સારી રીતે અવગત કરી શકે, એવો જો કોઈ ખ્યાલ ધરાવતું હોય, તો તે બરોબર નથી જ. કવિતા, નાટક, નવલિકા, નવલકથા જેવાં સાહિત્યસ્વરૂપોના ઉદ્ભવવિકાસના સંદર્ભે કોઈ પણ એક જ રાષ્ટ્રની સાહિત્યિક પરંપરાઓનો વિચાર અપૂરતો જ નીવડવાનો. આવાં સ્વરૂપોને અનુલક્ષીને, તેનાં પ્રેરણાસ્રોતોનો આવશ્યક હોય ત્યાં રાષ્ટ્રીય સીમાઓની બહાર જઈને વિચાર કરવો જોઈએ. સાહિત્યઅધ્યયનના ક્ષેત્રમાં અંધ રાષ્ટ્રભક્તિને સ્થાન ન હોય.
| |
| પણ સ્ટાઈનર જેવાનું આ ઉદાર માનવતાવાદી દૃષ્ટિબિંદુ પણ તુલનાત્મક સાહિત્યના ટીકાકારોને કદાચ સ્વીકાર્ય ન બને. સાહિત્યના આવા તુલનાત્મક અધ્યયનથી વ્યક્તિ સંકુચિત રાષ્ટ્રવાદથી ઊંચે ઊઠશે, વધુ સહિષ્ણુ અને ઉદારમતવાદી બનશે, એવી કોઈ શ્રદ્ધા એમાં રણકતી સંભળાશે, પણ એવી શ્રદ્ધા તો સતત ઠગારી જ નીવડી છે. એટલે તુલનાત્મક સાહિત્યની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા અર્થે આરંભકાળના તુલનાવાદીઓ કરતાં ઘણી વધુ સંગીન દલીલો આપણે રજૂ કરવી પડશે.
| |
| ડોનાલ્ડ ડેવી જેવા અભ્યાસી વળી તુલનાત્મક સાહિત્યનું જરા જુદી રીતે સમર્થન કરે છે. તેમની ભૂમિકા એ છે કે સાહિત્યના અભ્યાસીએ જો ઐતિહાસિક અને સંરચનાવાદી અભિગમોની બાબતમાં ઊંડી સૂઝથી કામ કરવું હોય તો પણ કોઈ એક સાંકડી રાષ્ટ્રીય પરંપરાનો અભ્યાસ તેને પૂરતો નહિ નીવડે. તેમની આ ભૂમિકા, ઉપરની ભૂમિકા કરતાં વધુ સંગીન હોવાનું જણાશે. થિયોફિલ ગોશ્યિર જેવા કવિની કૃતિઓનો અભ્યાસ માત્ર ફ્રેંચ સાહિત્યના અભ્યાસીઓ પૂરતો સીમિત થઈ જાય એ બરોબર નથી. જુદી જુદી ભાષાનાં ટૂંકાં ઊર્મિકાવ્યોના રચનાતંત્રમાં રસ ધરાવતા સૌ કોઈ અભ્યાસી માટે એ અભ્યાસવિષય બની રહેવો જોઈએ. આ વાત બ્રેક્ત, ગ્રેવ્ઝ અને ક્વોઝિમોદો જેવા કવિઓનાં ઊર્મિકાવ્યોની સંરચનાઓ માટેય લાગુ પડે છે. નવલિકા જેવા કથામૂલક સ્વરૂપોની રચનાત્મક ભાત બાબતે પણ આવી તપાસ માટે અપાર અવકાશ છે. ભિન્ન ભિન્ન ભાષામાં ખેડાયેલાં ભિન્ન ભિન્ન સ્વરૂપોની રચનાગત ભાતોનું અવલોકન-અધ્યયન એ રીતે ઘણું ફળપ્રદ બની શકે.
| |
| તુલનાત્મક સાહિત્યના ટીકાકારો તરત જ અહીં વાંધો ઉઠાવશે કે આ રીતે તો સાહિત્યજગતની દરેક જાતની વિગતોનો, કોઈપણ જાતના વિવેક વિના, તમે ખડકલો જ કરી મૂકશો. કોઈ પણ વિગતને અન્ય પરંપરાના સાહિત્યની ગમે તે વિગત જોડે સરખાવવા જશો તો એ રીતે અરાજકતા નહિ ઊભી થાય? એટલે તુલનાત્મક સાહિત્યની, એક અલગ અને સ્વતંત્ર વિદ્યાશાખા લેખે તમે પ્રતિષ્ઠા કરવા ચાહતા હો તો, એના કાર્યક્ષેત્રની અમુક નિશ્ચિત સીમારેખા બાંધવી જ ઘટે. આ માટે નીચેની બે વ્યાખ્યાઓ માર્ગદર્શક બની રહેશે એમ માનું છું.
| |
| હેન્નિ રિમૅક : તુલનાત્મક સાહિત્ય એટલે કોઈ પણ એક નિશ્ચિત પ્રદેશની સીમા બહાર વિસ્તરી રહેલા સાહિત્યનું અધ્યયન. એમાં એક બાજુ ભિન્ન ભિન્ન પરંપરાનાં સાહિત્યો વચ્ચે સંભવતા આંતરસંબંધોનું અધ્યયન થાય છે; તો બીજી બાજુ, જે તે પ્રદેશના સાહિત્યને ત્યાંની અન્ય લલિતકળાઓ, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, સંસ્કૃતિ, ભૌતિક વિજ્ઞાનો, ધર્મચિંતન આદિ જ્ઞાનવિજ્ઞાનની અન્ય શાખાઓ જોડે કેવો આંતરસંબંધ રહ્યો છે તેની તપાસ થાય છે. મતલબ કે, એક સાહિત્યને અન્ય સાહિત્ય જોડે સરખાવીને કે માનવબુદ્ધિનાં અન્ય વૈચારિક-દાર્શનિક સ્ફુરણો જોડે સરખાવીને, આ અધ્યયન થાય છે.
| |
| અલબત્ત, આ ચર્ચામાં ‘સરખામણી’ કે ‘તુલના’ના સંકેતો વિષયભેદે થોડા બદલાય છે. જુદા જુદા સાહિત્યની ‘સરખામણી’ કરવાની વાત છે ત્યાં તેનો એક અર્થ થશે. સાહિત્યને ધર્માદિ વિષયો જોડે સરખાવવાની વાત છે ત્યાં બીજો અર્થ થશે. આમ છતાં રિમૅકની ઉપરોક્ત વિભાવના સમજવાનું એટલું મુશ્કેલ નથી. તેને એમ અભિપ્રેત હોવાનું જણાય છે કે માનવવ્યક્તિની સર્જક કલ્પનામાંથી જે જે સૃષ્ટિઓ નિર્માણ પામી છે તે, અને માનવબુદ્ધિમાં દર્શનચિંતનરૂપે જે કંઈ ઉપલબ્ધિઓ સિદ્ધ થઈ છે તે – એ બે વચ્ચે ક્યાંય પણ મહત્ત્વપૂર્ણ મિલનબિંદુઓ જોવા મળે, તેની મુક્તપણે પસંદગી કરી શકાય.
| |
| ‘તુલનાત્મક સાહિત્ય’ની (પિકૉઈ અને રુસો દ્વારા પ્રસ્તુત) બીજી એક નોંધપાત્ર વ્યાખ્યા આ પ્રમાણે છે :
| |
| ‘તુલનાત્મક સાહિત્ય’ એટલે – સાહિત્યિક પ્રવૃત્તિને, માનવચિત્તના જ એક વિશિષ્ટ આવિર્ભાવ રૂપે યથાર્થપણે પામી શકાય એ હેતુથી, તેની કૃતિઓનું ઇતિહાસ, વિવેચન, અને તત્ત્વજ્ઞાનના પ્રકાશમાં વિભિન્ન આંતરસાંસ્કૃતિક અને આંતરભાષાકીય ઘટના લેખે અધ્યયન. આ અધ્યયનમાં કૃતિઓનું વિશ્લેષણમૂલક વર્ણન, વ્યવસ્થિત તુલના દ્વારા કૃતિઓનાં ભેદક લક્ષણોની તારવણી, અને સમન્વયવાદી દૃષ્ટિથી થતું વ્યાપક અર્થઘટન – આ જાતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય.
| |
| પિકૉઈ અને રુસોની આ વ્યાખ્યા કરતાં ઉપરની રિમૅકની વ્યાખ્યા પ્રમાણમાં સરળ જણાય છે. ખાસ કરીને, આ ક્ષેત્રમાં સક્રિયપણે કામ કરવા ચાહતા અભ્યાસીઓને એ વધુ આવકાર્ય લાગશે. આ ક્ષેત્રના કેટલાક અભ્યાસીઓએ સાહિત્ય અને અન્ય લલિતકળાઓ (જેમ કે, સંગીતની કળા અને ‘શુદ્ધ કવિતા’ના ખ્યાલને કે ફિલ્મ અને નવલકથાની ટેકનિકને અનુલક્ષીને) વચ્ચે રહેલાં મિલનબિંદુઓ વિશે તાગ લેવા પ્રયત્નો કર્યા છે. અને આ જાતના અભ્યાસવિષયો સામાન્યતઃ સૌંદર્યમીમાંસાના ક્ષેત્રમાં પડતા લાગે, પણ ઉપરોક્ત રિમૅકની વ્યાખ્યામાં ‘તુલનાત્મક સાહિત્ય’ની અંદર તેનો સમાવેશ થયો હોવાથી તેમને એ વ્યાખ્યા સહેજે અનુકૂળ લાગશે.
| |
| પણ ‘તુલનાત્મક સાહિત્ય’ને એક અલગ અને સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે પ્રતિષ્ઠિત કરવાની બાબતમાં રિમૅક થોડી અવઢવ અનુભવી રહ્યા હોય એમ દેખાય છે. આ અધ્યયનક્ષેત્ર એટલું સ્વતંત્ર સ્વાયત્ત ક્ષેત્ર નથી, વિવેચનવિષયની તુલનાએ એ કંઈક ગૌણ અને ઉપજીવી છે, એવું કંઈક તેમને લાગે છે. અને આટલું સ્વીકાર્યા પછી વળી તેઓ એમ કહેવા સુધી જાય છે કે, આ વિષયમાં અમુક એક પ્રાદેશિક સાહિત્યનાં નાનાં નાનાં એકમો વચ્ચે – માનવીની સર્જકચેતનાનાં ભિન્ન ભિન્ન સ્ફુરણો વચ્ચે – જો ક્યાંક પણ કોઈક અફર નિયમ કામ કરતો લાગે તો તેની ખોજ કરવી જોઈએ, એથી વિશેષ નહિ. અને, ત્યારે, તેઓ તુલનાવાદના ટીકાકારો આગળ નમતું જોખતા હોય એમ પણ સમજાય છે.
| |
| હકીકતમાં તુલનાત્મક અધ્યયન, આથી ઘણી વ્યાપક રૂપની પ્રવૃત્તિ છે, અને એક અલગ સ્વતંત્ર અને સ્વાયત્ત વિદ્યાશાખા લેખે અધિકારપૂર્વક તે સ્થાન ધરાવે છે. ડેવિડ એચ મલોન જેવો અભ્યાસી આ અધ્યયનવિષયની સ્વાયત્તતા અર્થે જે રીતે ભારપૂર્વક પ્રતિપાદન કરે છે, તેની ભૂમિકા જોવા જેવી છે. તેમની મુખ્ય દલીલ એ છે કે, સાહિત્યજગતમાં તુલનાવાદ એક વિશિષ્ટ રૂપની ઐતિહાસિક વૃત્તિ છે. એક પૂર્વસિદ્ધ હકીકત રૂપે એ માનવચિત્તમાં સંભવે છે. જુદી જુદી વિગતોની તુલના અર્થે વિશ્લેષણનાં ઓજારોથી તે કામ પાડે છે એ ખરું, પણ મૂળભૂત રીતે માનવચિત્તની એ સમન્વયકારી પ્રવૃત્તિ છે. સાહિત્યકૃતિઓને એના ભૌગોલિક સીમાડાઓની બહાર લઈ જઈ વ્યાપક સંદર્ભમાં જોવા-તપાસવાનો ઉપક્રમ તો એમાં છે જ, પણ એથીયે વિશેષ તો એના સ્વરૂપના ઉદ્ભવવિકાસ અંગેની તપાસનો પ્રશ્ન પણ એમાં જોડાયેલો છે.
| |
| અલબત્ત ‘વિશ્વસાહિત્ય’નું અધ્યયન અને ‘તુલનાત્મક અધ્યયન’ બંને એક વસ્તુ નથી. કાચાપાકા થોડાક પરભાષાના અનુવાદોને આધારે જે તે ભાષાના લેખકોનો ઉપરછલ્લો પરિચય કેળવવા માત્રથી જ કંઈ તુલનાત્મક અધ્યયન થઈ જતું નથી. તુલનાવાદી હંમેશાં અનેક ભાષાસાહિત્યોનો જાણકાર હોય એ એટલું અનિવાર્ય નથી; પણ પોતાની પ્રવૃત્તિને પૂરી ગંભીરતાથી તે સ્વીકારતો હોય તો અન્ય ભાષા કે ભાષાઓથી તે સાવ અપરિચિત હોય તે પણ બરોબર નથી. તુલનાવાદી, અલબત્ત, અમુક વિલક્ષણ સંજોગોમાં ઉપલબ્ધ અનુવાદોથી ચલાવશે – અને એ સમજી શકાય તેવી વાત છે – પણ એવે પ્રસંગેય ઉપલબ્ધ અનુવાદો પૈકી જે કાંઈ શ્રેષ્ઠ હોય, સૌથી વધુ પ્રમાણભૂત હોય, તેનો જ ઉપયોગ કરવાને તે આતુર હશે, જરૂર જણાય ત્યાં મૂળ કૃતિના બધાય ઉપલબ્ધ અનુવાદોની તે સરખામણી કરતો જશે.
| |
| તો હવે એમ પ્રશ્ન થશે કે ‘વિશ્વસાહિત્ય’ના કે કેવળ ‘મહાન ગ્રંથો’ના અધ્યયનથી તુલનાવાદી ખરેખર ક્યાં, કઈ રીતે જુદો પડે છે? તો આ અંગે પહેલી મહત્ત્વની વાત એ કે, તુલનાવાદીની સમગ્ર અધ્યયન પ્રવૃત્તિ સ્પષ્ટપણે તુલનાની પ્રવૃત્તિમાં રોકાયેલી છે, કંઈ અહીં તહીં પ્રાસંગિક કે ગર્ભિત તુલનાની એ વાત નથી. તુલનાવાદી એ રીતે ‘મહાન ગ્રંથો’નો માત્ર સાર આપીને અટકી જતો નથી. એવા ગ્રંથો વચ્ચે કોઈ પણ સ્તરે કોઈ પણ જાતનો આંતરસંબંધ જોવા મળતો હોય તો તેનો સ્પષ્ટ રૂપમાં ઉલ્લેખ કરવાનો, તેનું અવલોકન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વકનો તેનો ઉપક્રમ હશે. વળી બીજી મહત્ત્વની વાત એ કે, આખીય તુલનાત્મક અધ્યયનની પ્રવૃત્તિ અમુક ચોક્કસ પદ્ધતિનો સ્વીકાર કરીને જ ચાલે છે. એક રીતે એ સંશોધનનું કાર્ય છે. એટલે સંશોધનની પ્રવૃત્તિને અનુરૂપ, પ્રસ્તુત વિષયમાં નિહિત રહેલી તાર્કિકતાને અવગણીને, પ્રચલિત માન્યતાઓ કે લોકવાયકાઓથી તે અળગો રહીને ચાલવા માગે છે. છેલ્લો મહત્ત્વનો મુદ્દો પણ એ જ કે, આ પ્રવૃત્તિ ગમે તેટલી પ્રારંભિક દશાની હોય, એમાં અમુક ચોક્કસ હેતુપૂર્વક પદ્ધતિનો વિનિયોગ થાય જ છે. અને એ રીતે ‘વિશ્વસાહિત્ય’ કે માત્ર ‘મહાન ગ્રંથો’ના અધ્યયનથી તે જુદી પડે છે.
| |
| વળી ‘સર્વસાધારણ સાહિત્ય’(General Literature) અને ‘તુલનાત્મક સાહિત્ય’ પણ સાવ એકરૂપ વિષયો નથી. જોકે ‘સર્વસાધારણ સાહિત્ય’ શીર્ષક નીચે ટ્રેજેડી કે વાસ્તવવાદના સ્વરૂપના પ્રશ્નો જેવા પ્રશ્નોય ચર્ચાય, અને તે પણ સાહિત્યમીમાંસાના પ્રશ્નો જ ગણાય; બલકે, બીજી કેટલીક વિચારસરણીઓ પણ એમાં આવી જતી હોય છે; અને એ રીતે ‘તુલનાવાદી અભ્યાસ’ એક તબક્કે, ‘સર્વસાધારણ સાહિત્ય’માં ભળી જતોય લાગે. પણ ‘સર્વસાધારણ સાહિત્ય’ની વ્યાખ્યા તમે એ રીતે કરવા જાઓ, તો તો ‘રાષ્ટ્રીય સાહિત્ય’(National Literature)નો કોઈ પણ સઘન અભ્યાસ એમાં આવી જશે. ફ્રાન્સમાં પુલે અને બાર્થ જેવા વિવેચકોનું અધ્યયન આ રીતે ‘રાષ્ટ્રીય સાહિત્ય’ના ક્ષેત્ર જોડે એકાકાર થઈ જતું જણાશે. પણ આ જાતનું ‘સર્વસાધારણ સાહિત્ય’ કોઈ એક પ્રજાના જીવનમાં ભલેને મુખ્ય પ્રવાહરૂપ હોય, તો પણ છેવટે એ સીમિત અને આંશિક દૃષ્ટિવાળું સંભવે છે. જેમ કે, કોમેડી જેવા નાટ્યસ્વરૂપની વિચારણામાં મોલિયર, મારિમા, બોલાર્ક અને મસેત જેવા માત્ર ફ્રેંચ નાટ્યકારોનો જ સંદર્ભ લઈએ તો તો કોમેડી સ્વરૂપનું એ ખંડદર્શન જ કહેવાય. જોકે, ફ્રાન્સમાં આ જાતની અધ્યયનપ્રવૃત્તિ વ્યાપક બની ચૂકી છે.
| |
| ‘તુલનાત્મક સાહિત્ય’ વિશે ઉપરનિર્દિષ્ટ રિમેકની વ્યાખ્યાને આપણે અલબત્ત, આ રીતે વ્યાપક ભૂમિકાએથી સ્વીકારીએ અને એના ક્ષેત્રને અતિક્રમી જતી બીજી બધી અધ્યયનપ્રવૃત્તિઓથી એને અલગ રેખાંકિત કરી લઈએ, ત્યાર પછી પણ એની પદ્ધતિનો પ્રશ્ન તો ઊભો રહે જ છે. ખાસ તો તુલનાવાદના ક્ષેત્રમાં ‘ફ્રેંચ શાળા’ તરીકે જાણીતા થયેલા વિદ્વદ્મંડળની પદ્ધતિવિષયક વિચારણાને અનુલક્ષીને આ પ્રશ્ન વિચારણા માગે છે. મારિયા ફ્રાન્કો ગુયાર્દની જાણીતી પુસ્તિકામાં આ ‘શાળા’ની આ વિષયની વિચારસરણી ટૂંકમાં પણ યથાર્થ પરિપ્રેક્ષ્યમાં રજૂ થઈ. તુલનાવાદના બીજા અગ્રણી જ્યાં મારિ કારે એની પ્રસ્તાવના લખી છે. તેઓ ત્યાં સ્પષ્ટ રૂપે કહે છે : ‘તુલનાત્મક સાહિત્ય એ સાહિત્યના ઇતિહાસની જ એક શાખા છે.’ આ રીતે સાહિત્યક્ષેત્રમાં ખરેખરા આંતરિક સંબંધો અને આંતરરાષ્ટ્રીય વિનિયોગના અધ્યયનની વાત એમાં આવી જ જાય છે. બલકે, તુલનાત્મક અધ્યયનમાં કેવળ સાહિત્યિક તુલનાનો કે કેવળ સાહિત્યને અસર કરનારાં પરિબળોનો વિચાર જ નહિ, વૈજ્ઞાનિક દૃષ્ટિએ જેના ખુલાસા ન મળી શકે અને એ રીતે જેનો સ્વીકાર ન થઈ શકે તેવાં અજ્ઞાત અનિયત પરિબળોનો વિચાર પણ એમાં આવી જાય. ગુયાર્દ આ પ્રશ્નને, અલબત્ત, કંઈક સરળ રૂપે જુએ છે. તેમના મતે તુલનાત્મક અધ્યયન એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે સંભવતા સાહિત્યિક સંબંધોના ઇતિહાસ માત્રનું અધ્યયન. એમાં કૃતિવિવેચનનાં મૂલ્યો કરતાંયે તેની ઐતિહાસિકતા માટે વધુ નિસ્બત હોવાનું તેઓ સ્વીકારે છે પણ તેમણે આ જાતનો અભિગમ લઈને જે કામ કર્યું તેમાં સાક્ષરી ભાષાનો વધુ પડતો બોજ, અતિ સરલીકૃત સ્પષ્ટીકરણ, અને તેમની આગવી મૂલ્યવ્યવસ્થા – એ બધું ય મૂંઝવનારું બને છે. હકીકતમાં, નાનામોટા બધાય લેખકોને તેમણે એક જ સ્તરે મૂકી દીધા છે! ઉ. ત. સ્કોટ અને બાલ્ઝાક વિશેની તેમની ચર્ચા જુઓ. એમાં એમની અધ્યયનદૃષ્ટિની મર્યાદા છતી થઈ જાય છે. અલબત્ત ફ્રાન્સની વિદ્વત્તા અનોખી જ છે. ત્યાંનું તુલનાત્મક અધ્યયન, પિકોઈ અને રુસોએ નોંધ્યું છે તેમ, હવે છીછરી વાગ્મિતામાંથી અળગું થઈ ગયું છે. ત્યાંના વિદ્વાનો હવે ‘આંતરરાષ્ટ્રીય સાહિત્યોમાં ચાલતા વિનિમયો’ અને એવાં સાહિત્યોનું ‘સંવહન કરનારી વચલી કડીરૂપ સંસ્થાઓ’ પર વિશેષ ભાર મૂકતા થયા છે. આરંભકાળની તુલનાવાદી પ્રવૃત્તિમાં આ જાતનું અધ્યયન રૂઢ થવા આવ્યું. ત્યાંના અભ્યાસીઓ હવે સાહિત્યપ્રવૃત્તિની પાછળ તેના ઉદ્ભવવિકાસ પાછળ અને જે જાતની વિચારસરણીઓ તેની પાછળ કામ કરી રહી હોય તેની પાછળ, તેમ જ એવા સાહિત્યની વિવિધ સંરચનાઓ પાછળ, વધુ ને વધુ લક્ષ કેન્દ્રિત કરતા ગયા. વેલેક અને વૉરેનના પ્રસિદ્ધ ગ્રંથ ‘થિયરી ઑફ લિટરેચર’માં ‘બર્હિગત અભિગમો’ તરીકે જેની વિચારણા કરવામાં આવી છે તે ખરું જોતાં વ્યાપકરૂપે તુલનાવાદી અધ્યયનની જ ભૂમિકા છે. આથી ઊલટું, વેલેક અને વૉરેને જેને ‘આંતર્વર્તી અભિગમો’ કહ્યા છે તેની સર્વ ચર્ચા અંતે સાહિત્યના તત્ત્વજ્ઞાન તરફ દોરી જાય છે. જેમ કે યુરોપની મુખ્ય ગણાય તેવી પાંચ ભિન્ન ભિન્ન સ્વરૂપની ટ્રેજેડીઓનું અત્યંત બારીકાઈથી તુલનાત્મક અધ્યયન કરતાં, અંતે, એ સ્વરૂપની કોઈ કાર્યક્ષમ વ્યાખ્યા નિપજી આવે એ શક્ય છે. સાહિત્યના ઇતિહાસનો ઉદ્દેશ જે તે સાહિત્યના પૂરેપૂરા શોધનઅધ્યયન દ્વારા તેની સંપૂર્ણ હકીકતો સ્થાપવાનો છે : જ્યારે વિવેચન સાહિત્યકૃતિઓના વિપુલ અભ્યાસમાંથી બારીક દૃષ્ટિએ પ્રકારો અને તરાહો શોધવા મથે છે. આ દૃષ્ટિએ જોતાં, પિકોઈ અને રુસોએ તુલનાત્મક સાહિત્ય અંગે જે અપેક્ષા મૂકી છે તેમાં સાહિત્યના ઇતિહાસ પરથી તેના વિવેચન પર ભાર ખસતો હોવાનું સમજાશે.
| |
| ગુયાર્દે, આ રીતે, તુલનાવાદની સુરેખ નિશ્ચિત વ્યાખ્યા કરવાનો સમર્થ પ્રયત્ન કર્યો, પણ એમાં તેમને ઝાઝી સફળતા મળી નહિ.
| |
| સૉર્બોના મહાન પ્રોફેસર અને તુલનાવાદના અગ્રણી ચાર્લ્સ દિદેરોએ પોતાના અધ્યયનમાં વળી વધુ તો ચરિત્રલક્ષી અભિગમ સ્વીકાર્યો છે. તેમનાં આ ક્ષેત્રનાં અધ્યયનો વિશેષ તો સંદર્ભસૂચિ જેવાં બની ગયાં છે. તેમના સહઅભ્યાસી જેક વોલઝિને જોકે જે કામ કર્યું તેમાં તેઓ દિદેરોની અતિશય વિગતપ્રચુરતાથી મુક્ત રહી શક્યા છે. ‘જ્યાં જૅક રુસો ઈન ઇંગ્લૅન્ડ ડ્યુરિંગ ધ રોમેન્ટિક પિરિયડ’ (પેરિસ ૧૯૫૬) જેવા મહાન દળદાર ગ્રંથમાં પ્રસ્તુત વિષયનું અત્યંત ઝીણવટભર્યું આલેખન તેમણે કર્યું છે. એમાં તેમણે એ જાતનું તારણ કાઢ્યું છે કે આપણા પાડોશી રાષ્ટ્ર ઇંગ્લૅંડે રુસોની જે રીતે મૂલવણી કરી છે તે રુસોને યથાર્થ રીતે સમજવામાં ઘણી ઉપકારક નીવડે એમ છે. જોકે વૉલઝિનનું આ જાતનું અવલોકન પણ ચર્ચાસ્પદ બને જ છે. ખરેખર તો ૧૭૮૦-૧૮૩૦ના ગાળાની અંગ્રેજ પ્રજાની સંવેદનશીલતા અને તેનાં રુચિ-વલણો પર એથી વધુ પ્રકાશ પડે છે એમ કહેવું જોઈએ. રુસોની મનોઘટના કરતાંયે અંગ્રેજ પ્રજાનો સાંસ્કૃતિક ઇતિહાસ સમજવામાં આ અધ્યયન વધુ સહાયક બને છે. પણ તુલનાત્મક અધ્યયન જો આ રીતે અન્ય પ્રકારનાં અધ્યયનોમાં કેવળ સહાયક બનનારી ગૌણ પ્રવૃત્તિ હોય, તો તો એને પોતીકું કોઈ ગૌરવ નથી. ગુયાર્દેને અનુસરી, પિકોઈ અને રુસો ‘ક્ષ’ અને ‘ય’ ની કારિકાને લગભગ અનંતપણે વિસ્તારી શકાય એમ કહેવા પ્રેરાયા છે. પણ ઇંગ્લૅંડના વૉલ્ટેર કે જર્મનીમાં માદામ દ સ્તલના સંપર્કો અંગેના ઊંડા સંશોધન સિવાય ફ્રાન્સનો તુલનાવાદ ઝાઝું સિદ્ધ કરી શક્યો હોય એમ જણાતું નથી. વૉયઝિન તો ‘રેવ્યૂ દ લિતરેચર કમ્પેરિ’ની સંપાદકસમિતિનો સભ્ય હતો. પણ તેમની પદ્ધતિયે વિશેષતઃ સાહિત્ય વિશેના બહિર્વર્તી, ઐતિહાસિક અભિગમથી જ નિયંત્રિત થયેલી છે. આ જાતના અભિગમની મર્યાદા એ છે કે દરેક ‘વૃક્ષ’ને એ અલગ વસ્તુ રૂપે જ જુએ છે, એને આખા ‘અરણ્ય’ના ભાગરૂપે જોઈ શકતો નથી. એટલે જ આ જાતનાં અધ્યયનોમાં વર્ણ્યવિષયનું અશેષ નિરૂપણ કરવામાં આવ્યું હોય તો પણ એની નીચે રહેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા સાવ અણસ્પર્શી રહી ગઈ હોય, એમ બનવા પામ્યું છે. જોકે આ રીતના વિપુલ વિગતોના સંચયનું પણ અમુક મહત્ત્વ તો છે જ, પણ એની ય મર્યાદા સંભવે છે.
| |
| છતાં, સાહિત્યક્ષેત્રમાં આમ જે રીતે આંતરિક વિનિમયો ચાલતા રહ્યા છે અને જે રીતે વિભિન્ન સાહિત્યો એકબીજા પર અસર પાડતાં રહ્યાં છે, તેનો અભ્યાસ નકામી વસ્તુ છે, એમ કહી તેનો એકદમ છેદ ઉડાવી દેવાની જરૂર નથી. કેમ કે, જો કોઈ એક લેખક બીજા લેખકનો પ્રભાવ ઝીલતો હોય – અને નિશ્ચિત રૂપે એ પ્રભાવ બતાવી શકાતો હોય – તો એ બે પૈકી પેલા પ્રભાવ પાડનાર લેખક વિશે ભલે ઓછા પણ એને ઝીલનાર લેખક વિશે જરૂર વિશેષ પ્રકાશ પડી શકે. તેની સર્જનપ્રક્રિયા વિશેય કદાચ થોડો અંદાજ આવી શકે. આવા પ્રસંગમાં પ્રભાવ પાડનાર અને ઝીલનાર બંનેય લેખકો એક જ ભાષામાં કામ કરનારા હોય, એટલા માત્રથી જ, એ તો ‘રાષ્ટ્રીય’ ક્ષેત્રના વિવેચકોનો પ્રશ્ન છે, એમ કહી દેવું એ બરાબર નથી. વળી, બર્ગમેન જેવો ફિલ્મસર્જક સ્ટ્રીન્ડબર્ગનો જે રીતે ઋણી બન્યો છે, અથવા માલરો જે રીતે યુરેશિયાનાં શિલ્પ-સ્થાપત્યની તળપદી શૈલીમાંથી પ્રેરણા પામ્યો છે તે જાતની હકીકતો તુલનાત્મક અધ્યયનની બહારની છે એ ખ્યાલ પણ ખોટો છે. વાસ્તવમાં, કોઈ સર્જક પોતાને ઉદ્દીપ્ત કરે એવી કોઈ સામગ્રીની આંતરિક જરૂરિયાત અનુભવી રહ્યો હોય અને પોતાના પ્રાંતની કોઈ સામગ્રી તેને એ રીતે સ્પર્શતી ન હોય તો સહેજે તે બીજી સંસ્કૃતિ કે બીજા સાહિત્ય તરફ વળે. એલિયટે પણ પરભાષાના સાહિત્યમાંથી પ્રેરણા લીધી હતી, અને બૉદલેર વળી વાગ્નેરનો ઋણી હતો, એ વાત અહીં યાદ આવશે. બૉદલેર જેવા દૃષ્ટાંતમાં બીજી લલિતકળાની પ્રેરણા હતી, તે નોંધવા જેવું છે. તુલનાવાદી, જ્ઞાનવિજ્ઞાન અને કળાઓના ક્ષેત્રનાં કોઈપણ કૃત્રિમ વિભાજનોથી સંકોચાતો નથી. વિવેકદૃષ્ટિ જોડીને, પૂરી દક્ષતાથી, વિભિન્ન વિદ્યાઓ અને કળાઓ વચ્ચે તે આંતરિક કડી પકડવા મથશે. યુરોપીય પરંપરામાં બેકેટનું સ્થાન ખરેખર ક્યાં છે તેવી તપાસ કરવા નીકળેલા અભ્યાસીને બેકેટ પોતાના દેશના જ કોઈ લેખક સ્વિફટથી પણ પ્રભાવિત થયો હતો એમ સમજાય તો એ કારણે જ કંઈ એ પ્રશ્ન માત્ર અંગ્રેજી સાહિત્યના અભ્યાસી પૂરતો સીમિત બની જતો નથી, તુલનાવાદીનો ય એ પ્રશ્ન રહે જ છે.
| |
| પણ સાહિત્યના ક્ષેત્રમાં આ ‘પ્રભાવ’ તે શી વસ્તુ છે. અને કોઈ એક લેખક પર બીજા લેખકનો ‘પ્રભાવ’ છે એ સિદ્ધ કરવા કયા કયા પુરાવાઓ અનિવાર્ય ગણાય, તે જાતના પ્રશ્નો ય વળી ઊભા થવાના. કોઈ ‘ય’ના અંગત ગ્રંથસંગ્રહમાં ‘ક્ષ’નું અમુકતમુક પુસ્તક જોવા મળે. કે ‘ય’ના લખાણમાં ‘ક્ષ’ના સાહિત્યમાંના અમુક અંશો પ્રચ્છન્ન રૂપમાં ઊતરી આવ્યા હોય એમ લાગે, એટલા આધાર પર જ ‘ય’ પર ‘ક્ષ’નો પ્રભાવ હતો, એવું બતાવવાના પ્રયત્નો ય થયા છે. પણ પ્રભાવની વાત કંઈ એટલી સરળ, સીધી નથી. સર્જકનું ચિત્ત કંઈ માત્ર શાહીચૂસ કાગળ નથી! એટલે લેખકની અભરાઈ પર જે કોઈ ‘ક્ષ’ની ચોપડી કે ચોપડીઓ જોવા મળે તેથી તેણે ‘ક્ષ’ની સીધેસીધી અસર ઝીલી જ હોય એમ હંમેશ બનતું નથી. ખરેખર તો પ્રભાવકતાની ઓળખ માટેય અભ્યાસીમાં અમુક સંવેદનપટુતાની અપેક્ષા રહે જ છે. ખરેખર તો ‘ય’ના સાહિત્યને ‘ક્ષ’ના સાહિત્યવિશ્વ જોડે ઘણું આંતરિક સામ્ય રહ્યું છે, ‘ક્ષ’ની પાત્રસૃષ્ટિ કે, પરિસ્થિતિઓમાંથી ‘ય’એ નિશ્ચિતપણે અમુક વિગતો લીધી છે. ‘ક્ષ’ના સાહિત્યમાંથી ‘ય’એ ઘણા અંશો આદરભાવે ઉતાર્યા છે, ‘ક્ષ’ની શૈલીનું ‘ય’ સભાનપણે અનુસરણ કરે છે. કે ‘ક્ષ’ના ગ્રંથોની ગંભીર દૃષ્ટિએ ટીકાટિપ્પણી કરે છે – આવીઆવી વાત જો દૃઢપણે પ્રસ્થાપિત કરી શકાય તો જ ‘ય’ પરનો ‘ક્ષ’નો ‘પ્રભાવ’ એ એક સ્પષ્ટરૂપની શ્રદ્ધેય બાબત ગણાય.
| |
| પણ આપણે જ્યાં આ બિંદુએ પહોંચીએ છીએ ત્યાં જ વળી વિવેચનની દૃષ્ટિએ એક રસપ્રદ મુદ્દો ઊભો થાય છે. ‘ક્ષ’માંથી ‘ય’એે જે કંઈ ગ્રહણ કર્યું તેનું ખરેખર તેણે શું કર્યું? ડબ્લિન ટ્રિનીટિ કૉલેજમાં બૅકેટે પહેલી વાર દાન્તેનો ગ્રંથ વાંચેલો ત્યારે જ તે દાન્તેથી પ્રભાવિત થયેલો. પણ આ તો કેવળ સાહિત્યના ઇતિહાસની એક હકીકત માત્ર થઈ. આવી બીજી કોઈપણ ઐતિહાસિક વિગતોથી એનું ઝાઝું મહત્ત્વ હોઈ શકે નહિ પણ બેકેટની સાહિત્યસૃષ્ટિમાં ગૂંથાયેલાં પ્રતીકો જો દાન્તેની સૃષ્ટિમાંથી આવ્યાં હોય તો દાન્તેનાં મૂળ પ્રતીકો કલ્પનો અને પૌરાણિક કથાસંદર્ભો તેની સૃષ્ટિમાં કેવી રીતે આત્મસાત્ થયાં, અને કેવી રીતે રૂપાંતર પામ્યાં. તેનું અધ્યયન ઘણું મહત્ત્વનું બની રહે આથી ભિન્ન, રેસિન જેવો નાટ્યકાર ઇંગ્લૅંડમાં ઝાઝી લોકપ્રિયતા કેમ ન પામ્યો, તેની તપાસ સંભવતઃ સંસ્કૃતિના ઇતિહાસકાર કે સમાજલક્ષી મનોવિજ્ઞાનના નિષ્ણાતો માટે વધુ ઊંડા રસનો વિષય બને, પણ રેસિનની ટ્રેજેડીના સ્વરૂપ પર એવી તપાસથી ઝાઝો પ્રકાશ ન પડે. વળી પ્રુસ્ત વિશેના નિબંધમાં બેકેટ તેનાં અમુક પાસાં પર ભાર મૂકે છે – અને એડમંડ વિલ્સન જેવા વ્યવસાયી વિવેચકે જેના પર વિશેષ ધ્યાન આપ્યું છે તે પાસાંઓની જ બેકેટ ઉપેક્ષા કરે છે. તો, બેકેટના આ જાતના અભિગમની બારીક તપાસ તુલનાવાદીને અત્યંત રસપ્રદ નીવડવા સંભવ છે. કારણ એ કે સાહિત્યક્ષેત્રમાં નવા નવા સર્જકો, રૂઢ વર્ણ્યવિષયો અને સંસિદ્ધ આકારોમાંય જે રીતે નવવિધાન સિદ્ધ કરતા આવે છે તેની ઓળખને લગતો એક પાયાનો પ્રશ્ન અહીં છેડાયો છે.
| |
| ફ્રાન્સના તુલનાવાદી સાહિત્યમાં અમુક કામો તો ઘણી ઉચ્ચ કોટિનાં અને ખરેખર નોંધપાત્ર બની રહ્યાં છે, પણ પ્રભાવકતાને લગતી ચર્ચાઓમાં પ્રભાવ પાડનાર લેખક વધુ મહત્ત્વનો હોય એવી તેમની સમજ રહેલી દેખાય છે, અને તે તેથી વારંવાર દૂષિત પણ થઈ છે. આ જાતની વિચારણામાં ખરેખર મહત્ત્વ તો સર્જકની નિજી કલ્પનાશક્તિનું છે, નહિ કે તે જે સામગ્રી આત્મસાત્ કરવા પવૃત્ત થયો છે તેનું. જોકે સર્જક કલ્પનાના સ્વરૂપના પ્રશ્ને સહજ જ તમે મનોવિશ્લેષણના ક્ષેત્રમાં પ્રવેશી જાઓ છો. અહીં એમ નોંધવાનું રહે છે કે ફ્રેંચ તુલનાવાદીઓનાં મનોવિશ્લેષણવિષયક કેટલાંક તારણો વાંધાજનક છે.
| |
| તુલનાવાદી ‘ફ્રેંચશાળા’ વિશે આટલા વિસ્તારથી અહીં ચર્ચા કરી, તે તો એટલા માટે કે, તુલનાવાદી સાહિત્યના ક્ષેત્રની એ એક સમર્થ અને પ્રતિનિધિરૂપ શાખા છે. રેને વેલેક જેવા વિદ્વાન તુલનાવાદી પ્રવૃત્તિ વિશે જે જાતની ટીકાટિપ્પણી કરવા પ્રેરાય છે તેની પાછળ આ ‘ફ્રેંચશાળા’ની પ્રવૃત્તિ કંઈ ઓછી જવાબદાર નથી. બલકે, ‘તુલનાવાદી સાહિત્ય’ કહેતાં ઘણાય લોકો હજી ફ્રેંચ તુલનાવાદ જ સમજે છે. અને એ કારણે પણ કેટલાક ગૂંચવાડા ઊભા થયા છે.
| |
| પણ તુલનાત્મક પદ્ધતિ કે અભિગમનો પ્રશ્ન માત્ર ફ્રેંચ તુલનાવાદીઓને જ સ્પર્શે છે એમ નથી. આગવો સૌંદર્યલક્ષી દૃષ્ટિકોણ લઈ ચાલનારા ઇંગ્લૅંડ-અમેરિકાના અભ્યાસીઓ માટે ય આ પ્રશ્ન રહ્યો જ છે. આ ક્ષેત્રનાં તેમનાં અધ્યયનોમાં આથી એક યા બીજી રીતની નિર્બળતા રહી ગઈ છે. એ પૈકી એનિડ સ્ટાર્કિનો ગ્રંથ ‘કોમ્ફોગોશ્યિર ટુ એલિયેટ’ (૧૯૬૦), ગ્રેહામ હાઉનો ‘ધ લાસ્ટ રોમેન્ટિક્સ (૧૯૪૯), આર.બી. લિવિસનો ‘ધ પિકેરસ્ક સેઈન્ટ’ (૧૯૬૦) જેવાં અધ્યયનો ઠીક ઠીક ધ્યાનપાત્ર છે. આ જાતનાં અધ્યયનોમાં કેટલીક વાર લેખકોની ‘પેઢી’નો ખ્યાલ ચર્ચાસ્પદ બની રહેતો સમજાશે. માત્ર લેખકોની જન્મતારીખોને જ વધુ પડતું મહત્ત્વ અપાયું હોય એમ પણ જોવા મળશે. એ રીતે સમયના ક્રમને જ ધ્યાનમાં લઈ આગળપાછળના લેખકોની સાહિત્યિક પ્રવૃત્તિઓને કાર્યકારણની દૃઢ નિશ્ચિત સાંકળથી જોડવામાં ક્યાંક સરલીકરણ થઈ જાય એમ બને.
| |
| વળી સાહિત્યના વિકાસક્રમમાં કેટલીક વાર આંતરરષ્ટ્રીય વિનિમયના તબક્કાઓ આવે છે. બોહેમિયન અને આવાં ગાર્દની પેઢીને એ રીતે વ્યાપક આંતરરાષ્ટ્રીય હિલચાલના એક ભાગ રૂપે જોવી જોઈએ. રસપ્રદ મુદ્દો એ છે કે શૈલીઓ અને રચનાગત તરાહો કરતાં વિચારવલણો વધુ ત્વરાથી ગતિ કરે છે, અને વધુ વ્યાપકપણે ફેલાઈ જાય છે. એબ્સર્ડ નાટ્યરીતિનું ઝડપી વિસ્તરણ આ જાતનું સરસ દૃષ્ટાંત છે. બીજી બાજુ સ્વરૂપથી વિદ્રોહી અને વ્યાપકપણે જન્મેલો ‘દાદાવાદ’ છેવટે ફ્રેંચ અસ્તિત્વવાદ જેવી એક રાષ્ટ્રીય સ્તરની સીમિત શૈલીના રૂપમાં શમી ગયો, તે ઘટના પણ અહીં નોંધી શકાય.
| |
| સાહિત્યક્ષેત્રમાં લેખકોની ‘પેઢી’ અને ‘હિલચાલ’ની ઘટનાઓને ગૂંચવી નાંખવી ન જોઈએ. કેટલીક વાર અમુક ‘પેઢી’ અમુક ‘હિલચાલ’ સાથે સંકળાઈ હોય એમ બને. પણ હંમેશ એમ બનતું નથી. સાહિત્યિક આંદોલનો અને તેની પાછળ રહેલી અસ્તિત્વપરક કે કળાપરક વિચારસરણીઓ સમયના ક્રમમાં ઊતરી આવે તેમ સમયની રેખા પર પણ સીધી ફેલાતી હોય છે. એટલે લેખકોની ‘પેઢી’ કે ‘પેઢીઓ’ વિશે તેમ સાહિત્યિક હિલચાલો વિશે તુલનાત્મક તપાસ કરતાં વધુ ચોકસાઈ રાખવી જોઈએ. બને તેટલી ચુસ્ત અને શાસ્ત્રીય પદ્ધતિનો વિનિયોગ એમાં કરવો જોઈએ. અલબત્ત, આ જાતના અભ્યાસો વળી સાહિત્યિક સમાજવિજ્ઞાનના ક્ષેત્રમાં ય પ્રવેશી જતા હોય એમ જોવા મળશે.
| |
| સાહિત્યના વાચકવર્ગનો વિસ્તાર અને તેના સ્તરભેદના પ્રશ્નો ય આ વિદ્યાશાખામાં સ્પર્શાયા છે. લ્યુસિયન ગોલ્ડમૅન અને રોલાં બાર્થનું આ ક્ષેત્રનું કાર્ય નોંધપાત્ર છે. બાર્થ એમ કહે છે કે ‘પ્રશિષ્ટ સાહિત્ય’માં જોવા મળતી મૂળભૂત એકતા હવે લુપ્ત થઈ છે. એને બદલે બહુવિધ રૂપો ધરાવતું સાહિત્ય આધુનિક સમયમાં અસ્તિત્વમાં આવ્યું છે. આ રીતની વિઘટનની પ્રક્રિયા ઇતિહાસની અંતર્ગત જન્મેલી કટોકટી જોડે સહસંબંધ ધરાવે છે. સાહિત્યમાં ભાષા એક પાયાની વસ્તુ છે, અને સમયસમયનું પ્રતિબિંબ એમાં ઝીલાતું રહે છે. તેમણે પોતાના ગ્રંથ ‘રાઈટિંગ ડિગ્રી ઝીરો’માં એમ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે ‘પ્રશિષ્ટ સાહિત્ય’ અમુક ચોક્કસ વર્ગનું સાહિત્ય હતું. વળી, ગોલ્ડમેને પોતાનું અધ્યયન મુખ્યત્વે નવલકથાસાહિત્ય પર કેન્દ્રિત કર્યું છે. જે વાચકવર્ગને ધ્યાનમાં રાખીને નવલકથાઓ લખાય છે તેની જોડે લેખક ‘વિરોધવિકાસલક્ષી સંબંધ’ ધરાવે છે એમ તેઓ જુએ છે. નવલકથાને એ રીતે કેવળ સમકાલીન સંયોગોના ચિત્રપટરૂપે નહિ, પણ અમુક કટોકટીભરી સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિ પરત્વેની ગતિશીલ પ્રતિક્રિયારૂપે તેઓ ઓળખાવે છે. તેઓ નોંધે છે કે માલરોનું કથાસાહિત્ય પણ આ રીતે બાહ્ય પરિસ્થિતિમાં રહેલા તણાવો અને પરસ્પર વિરોધી બળોની ભીંસનો અનુભવ કરાવે છે. અને એટલે જ તે સાચા અર્થમાં પ્રતિનિધિરૂપ બને છે. આવાં નક્કર દૃષ્ટાંતોની ચર્ચાને આધારે ગોલ્ડમૅન એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત રચવા શક્તિમાન બન્યા છે.
| |
| લિયો લોવન્થલના ગ્રંથ ‘લિટરેચર ઍન્ડ ધ ઈમેય્જ ઓફ મૅન’ (૧૯૫૭)માં સમાજશાસ્ત્રીય અભિગમ સ્વીકારાયો છે. પણ આ જાતના અભિગમમાં બહિર્વર્તી સાધનનું વધુ પડતું મહત્ત્વ થઈ જાય છે. વળી સાહિત્યની સાચી કળાકૃતિ કંઈ ‘જમણેરી’ કે ‘ડાબેરી’ જેવા વર્ગીકરણમાં ગોઠવી શકાતી નથી. અને, એબ્સર્ડ રીતિનાં નાટકો માનવીનો વિષાદભાવ અને તેની પરિસ્થિતિમાં રહેલી અરાજકતાને ઉત્કટતાથી ઉપસાવી આપે છે એ કારણે જ માત્ર કંઈ તે ‘પ્રત્યાઘાતી’ બનતાં નથી. છતાં કોઈ આ જાતનું લેબલ લગાવવાનો પ્રયત્ન કરે, તો તે અનુચિત ઠરે. તુલનાવાદ માટે એ સાચો અભિગમ નથી.
| |
| અહીં સુધી આપણે તુલનાત્મક સાહિત્યમાં જોવા મળતી ઊણપો અને મર્યાદાઓની જ ઘણી વાત કરી. હવે તેની કેટલીક સિદ્ધિઓનો નિર્દેશ કરીશું.
| |
| આ ક્ષેત્રના અગ્રણી અભ્યાસીઓમાં હેરી લેવિન અત્યંત આદરપાત્ર રહ્યા છે. આ વિષયની સિદ્ધાંતચર્ચામાં તેમજ તેના વિનિયોગમાં તેમણે ઘણું મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે. ‘હાર્વર્ડ સ્ટડીઝ ઈન કમ્પેરેટિવ લિટરેચર’ની શ્રેણીમાં તેમનો ગ્રંથ ‘કોન્ટેક્ટ્સ ઑફ ક્રિટિસિઝમ’ નોંધપાત્ર છે. પોતાના સિદ્ધાંતોનો સફળ વિનિયોગ તેમણે કરી બતાવ્યો છે. ‘વૉટ ઈઝ રિયલિઝમ’ જેવો વ્યાખ્યા-વિચારણાનો નિબંધ, અને ‘ડૉન કિહોટે ઍન્ડ મોબિ ડિક’ જેવું અધ્યયન તેમનાં આ વિષયનાં ઉત્કૃષ્ટ લખાણો છે. આ જાતનાં લખાણો જોતાં જણાશે કે ‘તુલનાત્મક સાહિત્ય’ની રૂઢ સીમારેખાઓને ફગાવીને તેઓ ચાલ્યા છે. તેમનો આ વિશેનો ખ્યાલ તેમના ‘રિફ્રેક્શન્સ’માં રજૂ થયો છે.
| |
| ‘તુલનાત્મક સાહિત્ય’ હવે ‘મહાન ગ્રંથો’ના માત્ર અલગ અલગ અધ્યયનનો નહિ પણ એ સર્વના પરસ્પરના આંતરિક સંબંધોના, તેની પ્રણાલિકાઓ અને આંદોલનોના, અને સાહિત્યિક વાદોના નિર્માણમાં જે જે વિચારસરણીઓએ ભાગ ભજવ્યો હોય તેના મૂળ સ્રોતો વિશેના અધ્યયનમાં રોકાયું હશે.
| |
| લેવિન એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે સમગ્ર સાહિત્ય એક સજીવ પ્રક્રિયા છે, એક સાતત્યભરી અને ઉત્તરોત્તર ઉપચય પામતી ઘટના છે. અને આ સાહિત્યિક પ્રક્રિયાને સમજવામાં તુલનાત્મક ઉપક્રમ વેધક પ્રકાશ નાખે છે. ખરેખર તો તુલનાત્મક અધ્યયન દ્વારા સાહિત્યકૃતિઓનાં રૂપલક્ષી પાસાંઓ, શૈલીઓ અને સંરચનાઓ વિશે ચોક્કસ સમજ વધશે એવી આશા બંધાય છે. અલબત્ત, તુલનાવાદની આ મહાન મહત્ત્વાકાંક્ષા છે. સાહિત્યની રચનાનું હાર્દ ખુલ્લું કરવા સામૂહિક રીતે સૌ અભ્યાસી પ્રયત્નો કરશે તો સાહિત્યમીમાંસાના જ એક આવિર્ભાવ લેખે તુલનાવાદની અનન્યતા સ્થાપિત થઈ શકશે. કેમ જે, સમગ્ર સાહિત્ય જે સ્વયં એક સજીવ વસ્તુ છે, તેને એક સજીવ ગતિશીલ પ્રક્રિયારૂપે, તેમ જ રચનાતંત્રના સ્તરે પરસ્પરના સંબંધોરૂપે અવગત કરી શકાય. અને આ રીતની તપાસમાં કોઈ એક લેખકની કૃતિના વિશ્લેષણ કરતાંયે સમગ્ર સાહિત્યની ગતિવિધિઓનું અવલોકન વધુ ફળપ્રદ નીવડશે. કારણ કે સાહિત્યપદાર્થને જે અસ્તિત્વ છે, તે તેના અરસપરસના સંબંધોને લીધે જ છે.
| |
| લેવિનની સિદ્ધાંતચર્ચામાં તુલનાવાદના જે આદર્શો પ્રતિષ્ઠિત થયા છે, અને આ ક્ષેત્રની તેમની પ્રવૃત્તિ એ કારણે જે જાતની અપેક્ષાઓ જગાડે છે, તે કદાચ પૂરેપૂરી સંતોષાતી નથી. તો પણ ‘ધ ગેટ્સ ઑફ હોર્ન’ જેવા દળદાર ગ્રંથમાં તેઓ ઉત્તમ પરિણામો લાવી શક્યા છે એમ પણ નોંધવું જોઈએ. એક જ સાહિત્યની પરંપરામાં પ્રવૃત્ત રહી, એમાં તુલનાવાદનું સુંદર કાર્ય તેમણે કર્યું છે. ફ્રેંચ વાસ્તવવાદી નવલકથા વિશેનું આ સૌથી સંતર્પક સર્વેક્ષણ જણાશે. જુદાજુદા પાંચ ફ્રેંચ લેેખકોનું એમાં પ્રકરણવાર વિશિષ્ટ દૃષ્ટિનું જે રીતે વિશ્લેષણ હાથ ધર્યું છે, અને એ સર્વના જે રીતે આંતરસંબંધો તેમણે આલેખ્યા છે, તે કામ માત્ર તુલનાવાદી જ કરી શકે. આ પાંચ લેખકો પરત્વે લેવિને એક વિચારસૂત્ર લાગુ પાડી આપ્યું છે, કે ‘સાહિત્ય સ્વયં એક સંસ્થા’ છે. વાસ્તવવાદી નવલકથા એ બુઝર્વા સમાજની અભિવ્યક્તિ છે, તેની આલોચના છે, તેની ઉપલબ્ધિય છે, તો વળી તેની મોન્યુમેન્ટલ ગ્લોરીઝ પણ છે. ગોલ્ડમેન અને લેવિન બંનેની વિચારણાઓમાં એ વસ્તુ ગૃહીત રહી છે કે કળાનાં સ્વરૂપોને પરિવર્તન પામતા સમાજ જોડે ક્યાંય સંબંધ રહ્યો જ છે. ભિન્ન ભિન્ન સમાજો આજે પરસ્પર નિકટ આવી રહ્યા છે. આખું ય જગત એક ‘ગ્રામસંસ્થા’ બની રહ્યું છે, અને એ બદલાતી વ્યવસ્થાની સાથે કળાનાં સ્વરૂપોનું જીવંત અનુસંધાન રહ્યું છે. વાસ્તવવાદી નવલકથા ખરેખર તો મુક્ત રીતે, એના આગવા કેન્દ્રસ્થાનેથી, મધ્યવર્ગીય સમાજનું પ્રતિબિંબ ઝીલવા મથે છે, અને જ્યાં સુધી એ નવલકથા સમાજના દંભો ખુલ્લા કરવા સક્રિય રહી ત્યાં સુધી સામાજિક પરિવર્તન માટેનું એ પરિબળ પણ બની રહી.
| |
| ઉત્તમ કોટિનું ‘તુલનાત્મક સાહિત્ય’ અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ‘સર્વસાધારણ સાહિત્ય’માં ભળી જવાનું વલણ ધરાવે છે. આ વાત ઑરબેકના ગ્રંથ ‘માય્મેસિસ’ને વધુ લાગુ પડે છે. પ્રમાણમાં ઓછી સંખ્યાના ગ્રંથોનું, પણ અત્યંત બારીક દૃષ્ટિથી વિશ્લેષણ કરી, તેઓ એમ બતાવે છે કે પાશ્ચાત્ય સાહિત્યમાં રોજિંદા જીવનની વાસ્તવિકતાઓનું અનુકરણ કંઈક કૉમિક રીતિમાં થતું હતું. જ્યારે ઉન્નતભૂ રીતિ તો વિચારો અને અનુભૂતિઓના નિરૂપણ અર્થે જ સ્વીકારાતી રહી છે : બાલ્ઝાક અને સ્ટેન્ઢાલની પ્રાપ્તિ એ કે, તેમના આગમન પછી જ વાસ્તવવાદમાં માનવઅસ્તિત્વના ઘેરા કરુણ અંશોનો પ્રવેશ થવા પામ્યો. અહીં નોંધવું જોઈએ કે એ ઑરબૅક પણ સ્પિત્ઝરની જેમ જ ‘રોમેન્સ’ જૂથની ભાષાઓના ઐતિહાસિક અધ્યયન પરથી સાહિત્યના અધ્યયનક્ષેત્રમાં આવ્યા અને, એટલે જ, ફ્રેંચ અગ્રણીઓમાં સાહિત્યના અધ્યયન પરત્વે જે ઐતિહાસિક અભિગમ પ્રચલિત બન્યો હતો તેથી તેઓ અળગા રહી શક્યા. યુરોપીય વાસ્તવવાદની ઐતિહાસિક રૂપરેખાથી અળગા રહી, કેટલાંક મોટિફ્સને જ ધ્યાનમાં રાખી તેમણે કામ આરંભ્યું. અને અનેક કૃતિઓના સંદર્ભે એ મોટિફ્સનો કેવોક વિનિયોગ થવા પામ્યો છે, તેની તેમણે તપાસ કરી. હકીકતમાં આવાં કોઈ મોટિફ્સ વિશુદ્ધરૂપમાં ઓળખી શકાતાં હોય તો કોઈ પણ વાસ્તવવાદી કૃતિમાં તેની ભાત પ્રત્યક્ષ કરી આપી શકાય. એક સામાન્ય નિયમ તરીકે જો આ વાત સાચી હોય તો દરેક અલગ દૃષ્ટાંતમાંય એ લાગુ પાડી શકાય. ઑરબેક, દેખીતી રીતે જ, અહીં સાહિત્યમીમાંસા તરફ વળી રહ્યા છે.
| |
| જોકે ઘણા અભ્યાસીઓ આવી આકાંક્ષા સેવતા નથી પણ નોર્થ્રોપ ફ્રાય એમાં વિરલ અપવાદ છે. અલબત્ત, ફ્રાય પોતાને તુલનાવાદી લેખવતા નથી. પણ તેમનો અધ્યયનગ્રંથ ‘એનેટોમી ઑફ ક્રિટિસિઝમ’, હકીકતમાં ઉત્તમ કોટિનું ‘તુલનાવાદી વિવેચન’ છે. અનેકવિધ કૃતિઓની ચર્ચાવિચારણાઓમાંથી તેમણે એમાં સ્વતંત્ર રીતે નવું જ દૃષ્ટિબિંદુ વિકસાવ્યું છે.
| |
| બધીય કથાસૃષ્ટિઓમાં, ‘અદ્ભુતલોકની યાત્રા’નું બીજ અનોખું જ છે, જે કદીય નિઃશેષ થવાનું નથી. દાન્તેના ‘કૉમેડિયા’માં પેરેબલ તરીકે એ કથાબીજનો જ વિનિયોગ થયો છે. બેકેટની કૃતિ ‘મોલોય’ પણ આને મળતું આવતું દૃષ્ટાંત છે. પુનરાવર્તિત થતાં રહેતાં કથાબીજોનું અધ્યયન તેમને વ્યાપક સાહિત્યતત્ત્વવિચારની દિશામાં દોરી જાય છે. ફ્રાયનું આ પુસ્તક, એ રીતે, સાહિત્યસિદ્ધાંતનું અધ્યયન બની રહે છે.
| |
| વાય્ન સી. બૂથે પાશ્ચાત્ય કથાસાહિત્યમાંથી અનેક દૃષ્ટાંતો લઈ કથનકલાનું શાસ્ત્ર રચવાનો જે સમર્થ પ્રયત્ન કર્યો છે, તે પણ અહીં ઉલ્લેખ માગે છે. મૂળે તો પીએચ.ડી.ની ઉપાધિ માટે તુલનાત્મક અભ્યાસ લેખે આ કામ થયેલું, તે વાત પણ સ્મરણમાં રાખવી જોઈએ.
| |
| પ્રતીકવાદ જેવાં આધુનિક સર્જનાત્મક ઉન્મેષોને અનુષંગે વિવેચનમાં નવી આંતર્દૃષ્ટિઓ ઊઘડી આવી છે, એમ ફ્રાયે દર્શાવેલું. એનું ઉત્તમ દૃષ્ટાંત એડમંડ વિલ્સનનું ‘એક્સલ્સ કેસલ’ છે. સાહિત્યક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જે નવ્ય આંદોલન જાગ્યું, તેને લગતો આ એક ઉત્તમ અભ્યાસ છે. મારિયા પ્રાઝનું ‘ધ રોમેન્ટિક એગની’ પણ, તુલનાવાદનો કોઈ દાવો કર્યા વિનાય, આ ક્ષેત્રમાં નોંધપાત્ર અર્પણ બની રહી છે. અંગ્રેજ, ફ્રેંચ અને ઇટાલિયન – એમ ત્રણ ભાષાની કૃતિઓ અહીં ચર્ચાઈ છે. જાતીય વ્યવહારના અમાનુષી આવેગો, કરાલભીષણ તત્ત્વોની ઉત્કટ અનુભૂતિઓ, અને અપરાધજન્ય વિકૃત લાગણીઓના નિરૂપણની જે ભાત એ ત્રણ ભાષાની કૃતિઓમાં જોવા મળી, તેનું માર્મિક અવલોકન-અધ્યયન એમાં થયું છે. વળી, તુલનાવાદનું એક પ્રબળ વલણ તે વિચારસરણીઓના ઇતિહાસ તરફ ઝૂકવાનું છે. તે વસ્તુ અહીં સ્પષ્ટ જોઈ શકાશે. પૉસ હેઝાર્ડનો ગ્રંથ ‘ધ યુરોપિયન માઈન્ડ’ પણ આ જાતનું બીજું સરસ દૃષ્ટાંત છે. અંગ્રેજ અને અમેરિકન તુલનાવાદીઓ કરતાં યુરોપખંડના તુલનાવાદીઓમાં આ જાતનું વલણ વ્યાપક રીતે જોવા મળશે.
| |
| પ્રાઝ અને હેઝાર્ડ જેવા સંવેદનશીલ વિદ્વાનો દ્વારા આવી રીતે વિચારસરણીઓના ઇતિહાસની જે તપાસ ચાલી છે, તે અભ્યાસવિષયના લેખકોની સમસ્ત ‘પેઢી’ને કે ‘હિલચાલ’ને તેના આંતરકેન્દ્રમાંથી પ્રકાશિત કરી આપે છે. પ્રાઝે એ વાત પર આપણું ધ્યાન ખેંચ્યું કે ઓગણીસમી સદીનું ઘણુંએક (યુરોપીય) સાહિત્ય ‘સેડોમેસોચિઝમ’થી પ્રેરાયેલું છે. સાહિત્યના અધ્યયનમાં આવાં સંશોધનો અલબત્ત, ઘણાં દ્યોતક નીવડે છે, પણ વિવેચનની દૃષ્ટિએ એનું ઝાઝું મૂલ્ય થઈ શકે નહિ, તે ય સાચું.
| |
| છતાં સાહિત્યના અધ્યયનનું એક ક્ષેત્ર જ એવું છે, જ્યાં તુલનાવાદી અધ્યયન અને વિચારસરણીઓના ઇતિહાસની ખોજ એ બંને એકબીજાને અતિક્રમી જાય છે – એ ક્ષેત્ર છે ‘ટ્રેજિક’ અને ‘કૉમિક’ અંશોનું વ્યાપક તત્ત્વદર્શન. જોકે કૉમિક અંશના આવિર્ભાવે ટ્રેજિકના જેટલું ધ્યાન ખેંચ્યું જણાતું નથી. છતાંયે કૉમિકમાં ટ્રેજિકની ગંભીરતાનું અનુસંધાન રહ્યું છે, એ જાતનું અધ્યયન પણ થયું છે. જે. સી. સ્ટાય્નનું ‘ધ ડાર્ક કોમેડી’(૧૯૬૨) અને વૉલ્ટેર કેરનું ‘ટ્રેજેડી ઍન્ડ કોમેડી’(૧૯૬૭) આ જાતનાં દૃષ્ટાંતો છે. અલબત્ત, ટ્રેજિક વિશેનાં અધ્યયનો, હવે એને એક સાહિત્યપ્રકાર કરતાંયે વધુ તો સાંપ્રત સંપ્રજ્ઞતાના અંશ રૂપે જ નિહાળે છે. મરે ક્રિગરનું ‘ધ ટ્રેજિક વિઝન’ (૧૯૬૬), રેમંડ વિલિયમ્સનું ‘મૉર્ડન ટ્રેજેડી’ (૧૯૬૬) અને જ્યોર્જ સ્ટાય્નરનું ‘ડેથ ઑફ ટ્રેજેડી’ (૧૯૬૧) એ પુસ્તકો આ વલણનાં દ્યોતક છે. આ જાતનાં અધ્યયનો, અલબત્ત, ઓછેવત્તે અંશે, તુલનાવાદની જ કોઈ ને કોઈ પદ્ધતિનો વિનિયોગ કરે છે. પણ લક્ષ્યસિદ્ધિમાં તે તુલનાવાદથી આગળ નીકળી જાય છે. સાહિત્યવિવેચનના ક્ષેત્રની બહાર રાજ્યશાસ્ત્રીય સાંસ્કૃતિક કે અસ્તિત્વપરક તત્ત્વદર્શનના ક્ષેત્રમાં તે ગતિ કરી રહી છે.
| |
| ‘શુદ્ધ’ તુલનાવાદી સાહિત્યનાં દૃષ્ટાંતો પણ અહીં નોંધીશું. જોકે આ ક્ષેત્રનાં તે ઉત્તમ કોટિનાં અધ્યયનો છે, એમ અહીં અભિપ્રેત નથી. પણ સારાં દૃષ્ટાંતો તો જરૂર કહી શકાય. ડબલ્યૂ. બી. સ્ટાન્ફર્ડના ગ્રંથ ‘ધ યુલિસિસ્ થિમ’(૧૯૫૪)ને અહીં તરત ઉલ્લેખી શકાય. હોમરથી માંડી જોય્યસ સુધીમાં યુલિસિસનો થિમ જે રીતે નવા નવા રૂપે આલેખાતો રહ્યો છે, તેનું એમાં આલેખન કરવામાં આવ્યું છે. સ્ટાનફર્ડના મતે યુલિસિસનું પાત્ર રૂપાંતરક્ષમતા ધરાવે છે. એ વીરપુરુષ ક્યારેક લેખક પર પોતાનું વ્યક્તિત્વ છાઈ દે છે. ક્યારેક લેખક એ પાત્રને પોતાની ભાવનાને અનુરૂપ ઢાળવા ચાહે છે. જોકે આ પૌરાણિક પાત્ર અને લેખક વચ્ચે પ્રાણશક્તિનું આદાનપ્રદાન કરવાની આંતરક્ષમતા યુલિસિસમાં ક્યાંથી, કેવી રીતે આવી તે વિશે પોતે કોઈ નિર્ણય કરી શક્યા નથી, એમ સ્ટેન્ફર્ડ કહે છે. પણ યુંગની આર્કિટાઈપ્સની વિચારણા એમાં સહાયક બની શકે, એમ તેઓ ધારે છે. ખરેખર આ દિશામાં તેમણે આગળ વિચાર વિકસાવ્યો હોત તો સંભવતઃ ઘણી રસપ્રદ ચર્ચા પ્રાપ્ત થઈ શકી હોત.
| |
| જ્હોન હૉલાવેના ગ્રંથ ‘ધ વાય્ડનિંગ હોરાય્ઝન ઈન ઇંગ્લિશ વર્સ’ (૧૯૬૬)માં જુદો જ વિષય સ્પશાર્યો છે. કવિતાની આકૃતિમાં – રચનાગત ભાતોમાં – બહારની અસરો અને સ્થાનિક પરંપરાઓ વચ્ચેના સંપર્કો વારંવાર કેવાં ફળદાયી પરિણામો લાવે છે, તેની સરસ ચર્ચા અહીં થઈ છે. એમાં હૉલાવેએ તુલનાવાદી ઉપક્રમ સ્વીકાર્યો છે. આ રીતે કાવ્યની ગતિનું સર્વસામાન્ય તત્ત્વ પકડવામાં, અને અમુક સમયગાળા પર તેની પ્રભાવકતા અવલોકવામાં તેમનો મુખ્ય રસ રહ્યો છે. લિયોન એડેલના ગ્રંથ ‘ધ મોર્ડન સાય્કોલોજિકલ નૉવેલ’(૧૯૬૪)માં એક સીધોસાદો પણ પાયાનો મુદ્દો સ્પર્શાયો છે. નવલકથાક્ષેત્રે ઓગણીસમી સદીએ બાહ્ય જગતની ખોજ કરી. આધુનિક નવલકથાએ ચેતનાના અંતર્લોકની ખોજ કરી. મૉરિસ બિબેઝે ‘આય્વરી ટાવર્સ ઍન્ડ સેક્રેડ ફાઉન્ટ્સ’(૧૯૬૪)માં કળાકારની આત્મલક્ષી છબીઓ ઝીલતી વિશિષ્ટ પ્રકારની નવલકથાઓનું અધ્યયન રજૂ કર્યું છે. એ કથાઓમાં સર્જકોનાં આત્મલક્ષી છબીચિત્રણોને અવલંબીને કળાકારોની પ્રકૃતિ, સર્જનની પ્રક્રિયા તથા સમાજ અને સંબંધો જેવા મુદ્દાઓ લઈને એ અધ્યયન થયું છે. તુલનાત્મક અધ્યયન એમાં પૂર્ણાંશે નહિ તો ય અંશતઃ સફળતા પ્રાપ્ત કરે છે એમ કહેવું જોઈએ.
| |
| તુલનાવાદી ગતિ, આમ જુઓ તો બધાય વિષયોમાં, છતાં તજ્જ્ઞતા એકેય વિષયમાં નહિ, એ જાતના તેની પર કેટલીક વાર આક્ષેપ કરવામાં આવ્યા છે. એનો સંગીન ઉત્તર, અલબત્ત, તુલનાવાદી જરૂર આપી શકશે : સાહિત્યજગતમાં ફરી ફરી પ્રગટતી રહેતી સંરચનાઓની તપાસ એ જ તો તેનો વિષય છે. તુલનાવાદી સાહિત્ય હમણાં સુધી તો ઘણી રીતે ફેલાઈ ગયેલું, લોકશાહી ઢબે વિકસતું અને અનિશ્ચિત સરહદોવાળું ક્ષેત્ર રહ્યું છે, બલકે તેનો અભિગમ પણ કદાચ અણઘડ રહ્યો હોવાનું લાગશે; પણ હવે એ ક્ષેત્ર સંરચનાવાદી ભાષાવિજ્ઞાનના માર્ગે આગળ વધી શકે એમ છે. એ રીતે સાહિત્યમાં ફરીફરી યોજાતી રચનાગત તરાહોની ઓળખ કરવામાં તે પોતાનું પૂરું લક્ષ્ય રોકશે. રૂઢ સાહિત્યપ્રકારોની ઓળખથી એ જુદી જ વસ્તુ છે, જેમ કે, ટ્રેજેડીને મૂળભૂત રીતે ‘અંતર્વર્તી ચકરાવા લેતા સ્પાઈરલ’ રૂપે જોઈ શકાય, અને એ રીતે કૉમેડીને સાતત્યપૂર્વક પણ મોજાંની જેમ આંદોલિત સીધી રેખારૂપે જોઈ શકાય. માનવજાતિની પોતાના અનુભવોને ઘટાવવાની શક્તિ અમુક રીતે સંરચનાત્મક રૂપની હોઈ શકે, અને તેના સર્વ કલ્પનાત્મક પ્રાદુર્ભાવો પણ અમુક નિયત સંખ્યાની મૂળભૂત રીતિઓમાં ઢાળી શકાય, એવી સંભાવના ય ખરી. કદાચ, ‘ટ્રેજિક એસ્થેટિક’ જેવી કેટલીક વિશેષ સૌંદર્યપ્રેરક ઘટનાઓને અલગ પાડીને વિચાર કરી શકાય અને એને અનુલક્ષીને કેટલીક નવલકથાઓ, નાટકો અને કાવ્યોનું વર્ગીકરણ પણ કરી શકાય. રૂઢ સાહિત્યસ્વરૂપોની અલગ કોટિનો ખ્યાલ હવે એ રીતે અપ્રસ્તુત બની જશે. કથામૂલક સાહિત્યમાં અમુક રૂઢ ઢાંચાઢાળ પરિસ્થિતિઓનું ફરી ફરીને સંયોજન થતું રહેલું જ છે. વામનજીના દેશમાં વિરાટકાયનો પ્રવાસ, એ જાણીતું ઘટક છે. એ જ રીતે ‘પતિતા નારી’ઓનો થિમ પણ વ્યાપક છે. આવી ઘટનાઓનું જોકે કેટલીક વાર સમાજશાસ્ત્રીય સ્પષ્ટીકરણ પણ સંભવે છે, પણ એ પૈકી અનેક ઘટનાઓ સાહિત્યસૃષ્ટિમાં સાતત્યપૂર્વક દેખા દે છે.
| |
| તુલનાવાદી અધ્યયન આમ અનિવાર્યતયા તુલનાત્મક સાહિત્યમીમાંસા તરફ દોરી જશે. એમાં સાહિત્યકૃતિની સંરચનાનો તેના એક અનિવાર્ય ઘટક લેખે વિચાર કરવાનો ઉપક્રમ હશે. આવી મૂળભૂત રચનાગત તરાહ જ્યાં પણ જોવા મળે, તેની ખોજમાં તુલનાવાદી રોકાયો હશે.
| |
| તો, મૂળ પ્રશ્ન આ છે : તુલનાત્મક સાહિત્ય ખરેખર શું કરી શકે, અને તે શું ન કરી શકે? આ પ્રશ્નના પૂર્વાર્ધનો પહેલાં ઉત્તર આપીશ. તે પછી ઉત્તરાર્ધનો.
| |
| સાહિત્યજગતની અનેક ઘટનાઓના સ્પષ્ટ રૂપના અને સભાનતાપૂર્વકના અધ્યયન દ્વારા, તુલનાવાદી ઉપક્રમ, એ વિશે ચોક્કસપણે કેટલીક બાબતો પર વેધક પ્રકાશ પાડી શકે; જેમ કે, બે વિશ્વયુદ્ધો વચ્ચેના ગાળામાં ફ્રેંચ કથાસાહિત્ય પર અમેરિકન કથાસાહિત્યનો કેવો પ્રભાવ પડ્યો, અથવા બોહેમિયન જૂથની કોસ્મોપોલિટન સંસ્કારિતાનું હાર્દ શી રીતે બંધાયું, એવી અનેક સાંસ્કૃતિક વિનિમયોની ઘટનાઓ તે તપાસી શકે. એ રીતે અલગઅલગ લેખકો વચ્ચે પરસ્પર કેવું આદાનપ્રદાન થયું, એ પણ તપાસનો વિષય ખરો. એમાં એકનો બીજા પરના પ્રભાવનો મુદ્દો આવી જાય, પણ આદાનપ્રદાનમાં એથી વિશેષ અભિપ્રેત છે. અનુવાદો પણ લક્ષમાં લઈ શકાય. રસરુચિ અને સંસ્કારિતાની ખિલવણીમાં આવા અનુવાદોનો ય ફાળો ખરો જ. એમાં જે અનુવાદો અનુવાદકની કે વાચકવર્ગની રુચિદૃષ્ટિને અનુરૂપ નવસંસ્કરણ પામ્યા હોય કે વિકૃત થયા હોય તેની તપાસ વધુ રસપ્રદ બની રહે એમ બને. આજે તો અનુવાદક મૂળ કૃતિના તાત્પર્યને શક્ય તેટલી વફાદારીથી પોતાની ભાષામાં ઉતારવા મથે છે, અને પોતાની ભાષાની આંતરક્ષમતા વધે તે દિશાનો તેનો પ્રયત્ન હોય છે. પણ તુલનાવાદીને અગાઉના નવસંસ્કરણ પામેલા કે વિકૃત રૂપે રજૂ થયેલા અનુવાદોમાં વધુ રસ પડવાનો. મૂળ પાઠને અનુવાદકે જે રીતે મઠાર્યો હોય કે બદલ્યો હોય, તેમાંથી તેને મુદ્દાઓ મળી રહે એમ છે.
| |
| તુલનાવાદી માટે ચોથું રસનું ક્ષેત્ર તે સાહિત્ય અને અન્ય લલિતકળાઓ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓની તપાસનું છે. કોઈ એક પ્રકારની કળાની બીજી કળા પર કેવી અસર થઈ, તે મુદ્દો એમાં આવી જશે. પુર્સિ જેવા ચિત્રકારે યુરોપીય સંસ્કૃતિના થિમમાં નવાં અર્થઘટનો કરીને ત્યાંની પ્રજાના લાગણીતંત્રમાં કેવું સૂક્ષ્મ રૂપાંતર સાધ્યું, તે પૅનોવ્સ્કીએ સરસ રીતે બતાવ્યું છે. આવું બીજું સમાંતર દૃષ્ટાંત પણ ઉલ્લેખનીય છે. સ્વિફ હોમીયર જેવો કાર્ટુનિસ્ટ અને સેટાયર લેખક સ્વિફ્ટ – એ બંનેએ પોતપોતાની રચનાઓમાં સમાન રૂપની જે પ્રયુક્તિઓ યોજી છે, તે વિશે ગૉરિબુચે આપણું સારી રીતે ધ્યાન ખેંચ્યું છે. રોબ્બ ગ્રિયે જેવા નવલકથાકારે વળી પોતાની એક નવલકથાના વસ્તુસંયોજનમાં ફિલ્મની ટેકનિકનો કેવો વિનિયોગ કર્યો છે, તે કેલ્વિન એતન્સે સરસ રીતે દર્શાવ્યું છે. આમ એક કળાની રૂઢ યુક્તિઓને બીજી કળા કેવી રીતે ખપમાં લે છે. તે પણ અભ્યાસવિષય બને છે. જુદીજુદી કળાઓ ખરેખર તો પરસ્પરને અસર કરતી રહી જ છે. તેનાં બીજાં દૃષ્ટાંતો ય નોંધી શકાય. જેમ કે, દાન્તેમાંથી પ્રેરણા લઈને લિત્ઝે પોતાની સૂરસૃષ્ટિ રચી; વાલેરી અને માલાર્મે કવિતા અને નૃત્યના આંતરસામ્યથી આકર્ષાયા હતા; બેકેટના ગોદો પાછળ લૉૅરેલ અને હાર્ડીની પ્રેરણા હતી, વગેરે.
| |
| સાહિત્ય અને વિચારસરણીઓનો સંબંધ એ તુલનાવાદી માટે પાંચમું ક્ષેત્ર છે. આ બહુ જાણીતું અધ્યયનક્ષેત્ર છે. ફ્રેંચ સાહિત્ય પર માર્ક્સવાદી તેમ અસ્તિત્વવાદી વિચારસરણીઓની કેવી અસર પડી છે તે વિશે ગોલ્ડમૅન તપાસ કરવા પ્રેરાયા છે. એ જ રીતે, બેકેટના દર્શનમાં કાર્ટેઝિયન ફિલસૂફીનાં બીજ રહ્યાં છે, એ જાતનું સંશોધન યુજ કેનેટે હાથ ધર્યું છે.
| |
| આમ, ભિન્નભિન્ન સાહિત્યિક ઘટનાઓના અધ્યયન દ્વારા એ વિશેની કેટલીક બાબતો પર જરૂર પ્રકાશ પાડી શકાય. સર્જનપ્રક્રિયાનાં અમુક પાસાંઓ પર, ખાસ કરીને કળાકૃતિનો ઉદ્ભવ અને અન્ય કળાઓના સંસર્ગમાં થતા ફલીકરણને લીધે જન્મતાં નવાં પાસાંઓ પર, એ વેધક પ્રકાશ પાડી શકે. વ્યોલ્ફી જેવા અભ્યાસીએ એમ બતાવવા પ્રયત્ન કર્યો છે કે, દરેક ચિત્રકૃતિ પોતે પ્રકૃતિના (કે બાહ્ય જગતના) જે કોઈ પદાર્થ કે દ્રવ્યને આલેખવા ચાહે છ, તે મૂળ વસ્તુ કરતાં અગાઉ નિર્માણ થઈ ચૂકેલાં ચિત્રોથી વધુ પ્રભાવિત થતી હોય છે. આ વાત સાહિત્યનિર્માણની બાબતમાં ય લાગુ પાડી શકાય. કેવળ શૂન્યમાંથી કશું જ અસ્તિત્વમાં આવતું નથી. પુસ્તકોરૂપે જે કંઈ જન્મી ચૂક્યું છે, તેમાંથી જ નવું પુસ્તક આકાર લેતું હોય છે. એટલે આવા વિશાળ પુસ્તકસમુદાયની વચ્ચે જઈ, પોતાને જેમાં રસ હોય તેવા સર્જક કે સર્જકો કે હિલચાલને અનુલક્ષીને તે પોતાની પ્રવૃત્તિ શરૂ કરશે.
| |
| બીજી વાત. સાહિત્ય સ્વયં એક સંસ્થા છે, એ દૃષ્ટિએ તુલનાવાદી અધ્યયન તેના પર પ્રકાશ પાડશે. જોકે દરેક સાહિત્યકૃતિ એ માનવજાતિ(race), સાંસ્કૃતિક પરિવેશ(milieu), અને વર્તમાન પ્રસંગ(moment) – એ ત્રણનું અનિવાર્ય પરિણામ છે એવી ટેઇનની જે વિચારણા છે, તે અર્થમાં એ સંસ્થા નથી. પણ સાહિત્યનું વિશ્વ પોતાની આગવી સત્તાની રૂએ એક સંસ્થા છે એમ સમજવાનું છે, કેમ કે, એક સંસ્થા લેખે એને એની આગવી રીતિઓ અને પ્રણાલિકાઓ છે, અને અમુક અંશે એ એના વિશિષ્ટ સામાજિક સંયોગોથી મુક્ત રીતે એ વિકસિત હોય છે.
| |
| ત્રીજી વાત તુલનાત્મક પદ્ધતિ દ્વારા સાહિત્યને એક સાર્વત્રિક(universal) ઘટના રૂપે સમજાવી શકાય. જેમ કે, મહાકાવ્યના સર્જક તરીકે મિલ્ટનને એક ચોક્કસ પરંપરામાં કામ કરનારા અનેક સર્જકોની વચ્ચે મૂકીને ઓળખાવી શકાય. નક્કર ઐતિહાસિક સંયોગોને બાજુએ રાખીને, વિશાળ પરિપ્રેક્ષ્યમાં, જે કોઈ આગવી ભાત જોવા મળે તેનો વિચાર તે કરશે. જેમ કે, એલિઝાબેથન યુગનાં અને ચીનનાં પ્રશિષ્ટ નાટકોની ટેકનિકોનો અભ્યાસ એ રીતે ફળદાયી નીવડી શકે. બેકેટના ટ્રેમ્પસ જે રીતે ગોદોની પ્રતીક્ષા કરે છે, અને બાલ્ઝાકની કથામાં શાહુકારનું પાત્ર ય તેના ગોદોની રાહ જુએ છે! – જોકે, બેકેટ પર બાલ્ઝાકનો પ્રભાવ નથી; તો પણ, આ ઘટનાઓ બદલાતા પરિપ્રેક્ષ્યમાં જુદીજુદી રીતે ઘટાવી શકાય.
| |
| આ બધી તો તુલનાવાદી શું શું કરી શકે તેની વાત થઈ. પણ એની મર્યાદાઓ ખરી કે નહિ? એનો ઉત્તર... તુલનાવાદી અધ્યયન સામાન્ય રીતે એ જ્યાં અનુવાદો અને તેના મૂળ પાઠોની તપાસ કરે ત્યાં જ કૃતિની ઝીણી ઝીણી વિગતોનું અવલોકન કરે, ત્યાં એ એને માટે અનિવાર્ય જ બની જાય છે, પણ બીજી રીતના અભ્યાસોમાં પાઠની એટલી બારીક તપાસમાં એ રોકાતું નથી. મૂળભૂત રીતે, તુલનાત્મક અધ્યયન એ બહિર્લક્ષી પ્રવૃત્તિ છે. તુલનાવાદીને, કેવળ તુલનાવાદી તરીકે કૃતિના ગહન રહસ્યબિંદુ સુધી ઊંડા ઊતરવાને અવકાશ રહેતો નથી. આ વિદ્યાશાખા વળી વિચારસરણીઓના ઇતિહાસને પણ ઠીકઠીક અતિક્રમી રહે છે. સાહિત્યક્ષેત્રનાં આંદોલનો અને વહેણોમાંય તુલનાવાદીને ઘણો રસ રહ્યો છે, પણ દરેક વિશિષ્ટ કૃતિના સંદર્ભે વિચારીએ તો એ બાહ્ય પરિમાણ જ ગણાય. સાહિત્યની રચનાપ્રક્રિયાની જે અનન્યતા છે તેની એ સાવ ઉપેક્ષા કરતું નથી, પણ દરેક કૃતિને અમુક સાંસ્કૃતિક સંદર્ભમાં મૂકીને જ એ જુએ છે. વત્તેઓછે અંશે એ સંદર્ભ આંતરરાષ્ટ્રીય સ્વરૂપનો સંભવે છે : પણ વિચારલક્ષી કે સમાજશાસ્ત્રીય નહિ, હંમેશ એ સૌંદર્યલક્ષી અભિગમ હશે. જોકે સાહિત્યકૃતિ વિશે અમુક નિશ્ચિત હકીકતોની સ્થાપના કરવાને તેની ‘જિનેસિસ’ની પણ અમુક મૂલ્યવત્તા ખરી. પણ આરંભકાળમાં તાર્કિક વિધેયવાદે તુલનાવાદીઓને કંઈ ગેરરસ્તે દોર્યા હતા. એ તબક્કે તેઓ વ્યક્તિઓ અને ઘટનાઓ વિશે નર્યો સમયક્રમ, તેની સહોપસ્થિતિ, કે સમયની ગતિરેખા માત્રથી વિચારવા પ્રેરાયા હતા. જોકે સમયના ક્રમની અવગણના વધુ ન થવી જોઈએ. પણ એ સાથે એનાથી વધુ પડતા દોરવાઈ પણ ન જવું જોઈએ. કેમ કે, દૂરના લાગતા સ્થળકાળમાં યે જે ધ્યાનપાત્ર સમાનતાઓ (અને તફાવતો) જોવા મળી હોય તે તરફ દુર્લક્ષ થવાની સંભાવના છે. બીજા શબ્દોમાં, તુલનાત્મક સાહિત્યની મુખ્ય નિસ્બત તે કંઈ ઐતિહાસિક સમયરેખા પર આવતી ઘટનાઓની નહિ, પણ તેની પુનરાવર્તિત થતી આવતી સંરચનાત્મક ઘટનાઓની છે. ભિન્નભિન્ન સ્થાનોમાં જેનાં મૂળ રહ્યાં હોય, તેવી સાહિત્યિક ઘટનાઓમાં આવી રચનાગત ભાત પર જ તુલનાવાદીનું મુખ્ય ધ્યાન ઠરેલું છે. બદલાતા રહેતા સંયોગોમાંય એ એક સર્વસાધારણ, ટકાઉ, અને સમયેસમયે ફરીથી પ્રગટતું તત્ત્વ છે.
| |
| '''સારાંશ :'''
| |
| ‘તુલનાત્મક સાહિત્ય’ એ સાહિત્ય-અધ્યયનની જ એક શાખા છે. કોઈ પણ સ્થળકાળના સંદર્ભે જોવા મળતા અપારવિધ સાહિત્યિક આવિર્ભાવોની અંતર્ગત મૂળભૂત સંરચનાઓની જે ભાતો પડી છે, તેની તે તપાસ કરવા ચાહે છે. તાત્પર્ય કે, વિશિષ્ટ રૂપની એવી સાહિત્યિક ઘટનાઓમાં જે કંઈ સાર્વત્રિક તત્ત્વ છે. તેની જોડે તેની નિસ્બત રહી છે. આ દૃષ્ટિએ કેવળ સૈદ્ધાંતિક સ્તરે તો સંશોધન માટે અનંત ક્ષેત્ર છે. સર્વભાષાના સાહિત્યોના પરસ્પરના તેમ જ અન્ય કળા સ્વરૂપો જોડેના આંતરસંબંધોનું અધ્યયન તેનું મુખ્ય કાર્યક્ષેત્ર છે. ‘રંગરેખાઓ અને આકૃતિઓને પણ એના આગવા સાંસ્કૃતિક સંદર્ભમાં જ અર્થ પ્રાપ્ત થાય છે, – એમ એક અભ્યાસીએ કહ્યું છે, અને એ વાત લક્ષમાં રાખવા જેવી છે. કલાકૃતિ તરીકે ઓળખાવાતો પદાર્થ અત્યંત સંકુલ, બહુપાર્શ્વી અને સ્ફટિકઘન સંભવે છે. એને એના બાહ્ય સંદર્ભ સાથે અનેકસ્તરીય સંબંધો રહ્યા હોય છે. તુલનાવાદી આ વિશે ખોજ ચલાવે છે. કળાપદાર્થના કોઈ ને કોઈ પાસા પર વેધક પ્રકાશ પાડવાનો તેનો અંતિમ હેતુ છે, એ રીતે સાહિત્યવિવેચનમાં તે એક નવું પરિમાણ રચી આપે છે. એક બાજુ નર્યો આકારવાદ, અને બીજી બાજુ નર્યો ઐતિહાસિકતાવાદ – એ બે વચ્ચેનો માર્ગ તે સ્વીકારે છે. એલિયટે કહ્યું છે : ‘તુલના અને વિશ્લેષણ એ વિવેચકનાં મુખ્ય ઓજારો છે.’ તો આપણે જ્યારે કૃતિના વિશ્લેષણનો મહિમા કરવામાં રાચીએ છીએ, ત્યારે, તુલનાપ્રવૃત્તિની ઉપેક્ષા ન કરી બેસીએ એ પણ જોવું જોઈએ.
| |
| | |
| {{Right |'''એતદ્,''' જુલાઈ, ૮૩. }} <br> | |
| {{Poem2Close}} | | {{Poem2Close}} |
કવિતાની રચનાપ્રક્રિયા
સ્ટીફન સ્પેન્ડર
ક્ષમાપના :
કવિઓ મેજ આગળ બેસીને કવિતા લખવાનો આરંભ કરે ત્યારે, કે પોતાના મગજમાં જ કાવ્ય રચતા આમથી તેમ લટાર મારતા હોય ત્યારે, જે પ્રકારના પ્રશ્નો ઉકેલવાને તેઓ મથી રહ્યા હોય છે તેવા બધા પ્રશ્નોના એક વિશાળ સંદર્ભમાં જો મારી કાવ્યરચનાની રીતિને સાંકળી ન શકું, તો આ વિશેની મારી ચર્ચાવિચારણા અક્ષમ્ય દોષવાળી જ ગણાય. દરેક કવિ પાસે પોતાની કાવ્યકૃતિ સિદ્ધ કરવાનો આગવો આગવો તરીકો હોય, કવિ તરીકેનો દરેકનો અનુભવ પણ ભિન્ન ભિન્ન રૂપનો હોય, અને મારી પોતીકી કાવ્યરચનાઓની વાત કરું તો મારી ચર્ચાવિચારણાઓનું સમર્થન કરી રહે એટલી ઊંચી ગુણવત્તાવાળી એ ન પણ હોય, ત્યારે એવા સંજોગોમાં મારા અંગત અનુભવની બાબતને હું એક સર્વસામાન્ય નિયમ ગણાવી બેસતો હોઉં, એવી દહેશત મારા મનમાં રહી છે.
અને છતાં, કવિતાનું સર્જન એક એવી પ્રવૃત્તિ છે, જે એના કવિ પાસે અમુક ચોક્કસ પ્રકારની ધ્યાનમગ્નતા માગે છે; અને એ સાથે, કવિ પાસે શ્રવણ દર્શન કલ્પના અને સ્મૃતિ વગેરે વિશેષ કેળવાયેલી ચિત્તશક્તિઓ હોય, એવી એમાં અપેક્ષા પણ રહે છે. કવિ ખરેખર તો કલ્પનોથી ચિંતન કરી શકતો હોવો જોઈએ; અને તેની ભાષાનો વ્યાપ ઘણો સીમિત હોય તોપણ, ચિત્રકાર પોતાના રંગોની સામગ્રી પર જેવું મહાન પ્રભુત્વ મેળવે છે તેવું જ, તેણે તેની ભાષા પર મેળવ્યું હોવું જોઈએ. આ બધું એમ સૂચવે છે કે, સામાન્ય સમાજમાં ઓછેવત્તે અંશે સભાન રહીને પોતાની પ્રવૃત્તિઓને અનુરૂપ તેણે પોતાને ગોઠવી લેવાનો રહે છે; અને એ કારણે જ તો, ઘણાય લોકો જેને પાગલપણાની નિકટની અવસ્થાના ગણતા હોય છે તેવી, બધી વિલક્ષણતાઓવાળી કોઈ પ્રેરણાની અવસ્થા તેનામાં જોવા મળે છે. કોઈ એક કવિનું દૃષ્ટાંત લઈએ તો, કવિતાની માંગને અનુરૂપ તેની વ્યક્તિતા શી રીતે ઘાટ લઈ શકી તેટલી જ વાત રજૂ થઈ ગણાય, પણ એવી વાત પણ જો સ્પષ્ટ રૂપમાં વર્ણવવામાં આવી હોય તો, બીજા કવિઓને તેમ કેટલેક અંશે કવિતાકળાને પોતાને સમજવામાં પણ એ ઉપકારક બની રહે એમ બને.
આજે આપણી કને કવિતાનું સમગ્રલક્ષી દર્શન તો છે નહીં, એને બદલે તેના એક યા બીજા પાસાને લગતા એકાંગી ખ્યાલો જ પ્રવર્તતા રહ્યા છે; અને એ વિશે એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે, કવિઓ માટે આ કે તે ખ્યાલ જ એક માત્ર લક્ષ્ય છે. વળી મુક્ત પદ્ય, કલ્પનવાદ, અતિવાસ્તવવાદ, અભિવ્યંજનાવાદ, વ્યક્તિવાદ જેવાં આંદોલનોએ લોકોને એમ માનવા પ્રેર્યા છે કે, કવિતાનું સર્જન એ માત્ર પ્રાસયુક્ત છંદમાં લખવા ન લખવાની બાબત છે, કે કેવળ સ્વચ્છંદી બનીને સાહચર્યો ગૂંથી લેવાની એ વાત છે, કે દીવાનખંડમાં જ ઉદ્ભવતી સામ્યવાદી વિચારસરણી જેવી (અતિવાસ્તવવાદી) ઉન્મત્તતાની એ ઘટના છે. અહીં ‘વિચારો’ (Ideas)નું એક સંકલન છે : રાત્રિ, અંધકાર, તારાઓ, અનંત વિસ્તાર, નીલ ગગન, દેહભૂખ, વળગણ, સ્થંભોની હારમાળા, વાદળાં, ચંદ્ર, દાતરડું, લણણી, વિરાટ કેમ્પફાયર, નર્કાગાર. તો શું આટલાંથી જ કવિતા બની ગઈ? પણ આવા જ કોક રસપ્રદ પ્રશ્ન સાથે કાવ્ય રચવું એટલે કેવળ તર્કવિહીન બની રહેવું, એવો જ કોઈ ખ્યાલ બાંધીને જુવાનિયાઓનો એક મોટો વર્ગ આ જાતના સીધાસાદા શબ્દોનાં જોડકણાં પરબીડિયાંની પાછળની બાજુએ લખી લખીને તંત્રીઓ કે કવિઓને મોકલાવ્યા જ કરતા હોય છે. તો, કવિઓ શી રીતે કાર્ય કરે છે, તેને લગતી આ ચર્ચાવિચારણા તેમને વિશે વધુ વિશાળ અને વધુ પૂર્ણ દૃષ્ટિકોણ આપશે, એવી મને આશા છે.
ધ્યાનની પ્રક્રિયા :
સર્જનાત્મક સાહિત્યનો પ્રશ્ન, તત્ત્વતઃ તો, સર્જકના ધ્યાનમગ્ન બનવાનો પ્રશ્ન છે. અને કવિઓની ધૂની લાગતી વૃત્તિઓ પણ સામાન્ય રીતે તો ધ્યાનમગ્ન થવાને તેમણે કેળવેલી ખાસિયતો કે વિલક્ષણ રીતભાતનું જ પરિણામ છે. અલબત્ત, ગણિતનો દાખલો ગણતાં જે રીતનું ધ્યાન કેન્દ્રિત કરવું પડે, તેથી કાવ્યરચનામાં જુદી જ રીતે ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. એક અત્યંત વિલક્ષણ રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની આ વાત છે : છોડ વિકાસની પ્રક્રિયામાં કંઈ એક જ દિશામાં પ્રાણશક્તિ સંચિત કરતો નથી – પર્ણઘટા સાથે પ્રકાશ અને ઉષ્માની દિશામાં, તો મૂળિયાંઓના પુંજ સાથે અંદર ભેજની દિશામાં એમ સર્વ બાજુએ યુગપત્ પ્રસાર તે સાધે છે; એ જ રીતે, કવિ પોતાના બીજભૂત ‘વિચાર’ (idea)ના સર્વ સૂચિતાર્થો અને તેમાં નિહિત રહેલી સર્વ વિકાસક્ષમતાઓ વિશે સભાનતા કેળવી શકાય તેવી ધ્યાનમગ્નતા માટે મથે છે.
શીલર કવિતા રચતી વેળા પોતાના નાક આગળ જ, પોતાના મેજના ખાનામાં ઢાંકી રાખેલા, સડેલા સફરજનની વાસ સૂંઘતો રહેતો. વૉલ્ટર ડી લા મેરે મને એમ કહેલું કે, લખતી વેળા સિગારેટ પીધા વગર મને ચાલે જ નહીં. ઑડેન વળી ચાના કપ પર કપ ઢીંચ્યે જ રાખે. મને પોતાને કૉફીનું વ્યસન છે, ઉપરાંત મને સિગારેટો પણ ઘણી જોઈએ; જોકે એવી ટેવ તો હું લખતો હોઉં તેટલા સમય પૂરતી જ, તે પછી નહીં. હું એમ જોઈ શક્યો છું કે, જેમ જેમ હું ધ્યાનસ્થ થતો જાઉં છું, તેમ તેમ હું સિગારેટનો સ્વાદ ભૂલતો જાઉં છું. પછી એક સામટી બે-ત્રણ સિગારેટો ફૂંકી લેવાની ઉત્કટ ઝંખના મારા મનમાં જાગી પડે છે; તે વળી એટલા માટે કે, મારી આસપાસ ધ્યાનમગ્નતાનું જે એક અભેદ્ય આવરણ રચાઈ જવા પામ્યું હોય, તેને વીંધીને બહારનાં સંવેદનો અંદર પ્રવેશી શકે.
પણ રખે માની બેસતા કે, એ સડેલાં સફરજનો, સિગારેટો કે ચાના કપને કોઈ શીલરની કે કોઈ વૉલ્ટર ડી લા મેરની કે ઑડેનની કૃતિની આંતરિક ગુણવત્તા જોડે ક્યાંય કશો સંબંધ છે. ધ્યાનમગ્ન થવાનાં એ કારણો છે એમ નહીં, પણ ધ્યાનમગ્નતાની જે સ્થિતિ નિર્માણ થઈ હોય છે તેના ભાગરૂપ તે હોય છે. વૉલ્ટર ડી લા મેરે મને એક વાર કહ્યું હતું કે, કોઈ ઉત્તેજનામાંથી નહીં પણ આંતરિક એવી જરૂરિયાતમાંથી કાવ્ય આરંભાયું હોય ત્યારે, તેને ધૂમ્રપાનની ઇચ્છા એટલા માટે થઈ આવે છે કે પોતાની આસપાસના વાતાવરણમાં જ જે કંઈ પોતાના ધ્યાનને વિક્ષેપ કરનારું પડ્યું હોય તે તરફ પોતાનું ચિત્ત ખેંચાયા ન કરે. મહોલ્લામાંથી આવતું-જતું કોઈ સીટી વગાડે કે ઘડિયાળમાં ટકોરા પડવા શરૂ થાય એટલામાંયે તેનું ધ્યાન તૂટી જાય. આ શરીરના બંધારણમાં જ એક એવું સામાન્ય વલણ રહ્યું છે જે કશોક વિક્ષેપ બનીને ધ્યાન ખંડિત કરે. એટલે, વિક્ષેપની આવી અનિવાર્યતાને જો અમુક એક દિશામાં વાળી શકાય – જેમ કે સડેલા સફરજનની વાસમાં, તમાકુના સ્વાદમાં કે ચાના ઘૂંટમાં – તો વ્યક્તિની બહારના બીજા વિક્ષેપો એની સામે ટકી શકે નહીં.
બીજું એક સંભવિત સ્પષ્ટીકરણ એ છે કે, કાવ્યલેખનની પ્રવૃત્તિમાં ધ્યાનમગ્ન થવાનો પ્રયત્ન પોતે જ એક આધ્યાત્મિક પ્રવૃત્તિ છે. અને એવી સ્થિતિમાં પોતે એક શરીરધારી છે એવું ભાન પણ તત્ક્ષણ પૂરતું તો વ્યક્તિચિત્તમાંથી લોપ પામતું હોય છે. શરીર અને મનની સમતુલામાં આ વિક્ષેપ છે, અને એ માટે વ્યક્તિને ભૌતિક વિશ્વના સંવેદનને કિનારે જઈને લાંગરવાની આવશ્યક્તા વરતાતી હોય છે; અને એટલે જ તો, આવી વાસ સ્વાદ કે કેટલીક વાર જાતીય સુખની ઝંખના ઉત્તેજિત થઈ ઊઠતી હોય છે. કાવ્યરચનાની પ્રવૃત્તિ પોતાને ગમે છે એ કરતાંયે, વિશેષ તો, એ તેમને માટે આંતરિક જરૂરિયાત બની ગઈ હોય છે, એમ કવિઓ કહે છે. એમાં એક રીતની આધ્યાત્મિક વૃત્તિનો દબાવ રહ્યો હોય છે; આદિ તમિસ્રો (abysses)માં ઢંકાયેલાં શિખરો સુધી પહોંચવાનો માનવચિતિનો કઠોર પુરુષાર્થ એમાં રહ્યો હોય છે. અને એ બધી ક્ષણો પૂરી સુખદાયી પણ હોતી નથી. કેમ કે, આ પ્રવૃત્તિમાંથી, એના ઉત્તમ અર્થમાં જે કંઈ બદલો મેળવવાની અપેક્ષા હોય છે, તેનોય અહીં સદંતર નિષેધ થયેલો છે : તે એ રીતે કે કવિમાં ગમે તેટલો આત્મવિશ્વાસ હોય તો પણ, પોતાની બધી શક્તિઓ ખોટે માર્ગે ગઈ નથી કે પોતે જે કંઈ લખી રહ્યો છે તે ખરેખર મહાન કાવ્યકૃતિ બની રહી છે, એવી તેને કદીય નિશ્ચલ પ્રતીતિ થતી જ નથી અને જે ક્ષણે કળા ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તે ક્ષણે તે શબ્દ રંગ કે સૂરના માધ્યમને અતિક્રમી જાય છે; અને એવી ક્ષણે કળાકારમાં એવું ભાન જાગ્રત થવા લાગે છે કે, પોતે જે કંઈ કહેવા મથી રહ્યો છે તેના હાર્દને પ્રગટ કરવાને આ બધાં ઓજારો પૂરતાં જ નથી.
જુદા જુદા કવિઓ જુદી જુદી રીતે ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. મારા પોતાના મનમાં ધ્યાન કેન્દ્રિત કરવાની બે રીતોનો હું સ્પષ્ટ ભેદ કરીને ચાલું છું : એક રીતે તે તત્કાલ પૂર્ણ ધ્યાનમગ્ન બની જવાની છે; બીજી રીત તે ખૂબ પ્રયત્નો કરીને ક્રમિક તબક્કાઓમાં થઈને પૂર્ણતા સુધી પહોંચવાની છે. કેટલાક કવિઓ તાત્કાલિક કવિતા લખે છે. અને એવી કવિતા એક વાર લખાઈ ચૂક્યા પછી તેમાં સુધારાવધારાને ભાગ્યે જ એવો કોઈ અવકાશ રહેતો હોય છે. આથી ભિન્ન, બીજા કવિઓની રચનાઓ ક્રમશઃ તબક્કાઓમાં ઊઘડતી આવે છે; એક કાચા મુસદ્દામાંથી બીજો કાચો મુસદ્દો આકારાય, અને એ રીતે કવિઓ એમાંથી જ પોતાનો માર્ગ સંવેદતા આગળ વધે છે. અને અનેક સુધારાવધારાઓને અંતે તેઓ જે કૃતિ સિદ્ધ કરે છે, તેને તેની પહેલી રૂપરેખા જોડે બહુ ઓછો સંબંધ રહેલો દેખાય છે.
પરસ્પર વિરોધી એવી આ બે રચનાપ્રક્રિયાઓનાં જ્વલંત દૃષ્ટાંતો સંગીતના ક્ષેત્રમાંથી મોઝાર્ત અને બિથોવનમાં સ્પષ્ટ રૂપે મળી આવે છે. મોઝાર્ત પોતાની સિમ્ફનીઓ, ક્વૉર્ટેટ્સ કે ઑપેરાનાંય કેટલાંક આખેઆખાં દૃશ્યો પ્રથમ તો પોતાના મગજમાં જ રચી કાઢતો. – ઘણી વાર તો પ્રવાસ દરમ્યાન જ કે કેટલીક વાર વળી તેનું મગજ તેને ભીંસી રહેલા પ્રશ્નોમાં બિલકુલ ગૂંચવાઈ પડ્યું હોય ત્યારે જ, – અને પછીથી કાગળ પર તેનું સંપૂર્ણ રૂપમાં તે સ્વરાંકન કરી લેતો. આથી ભિન્ન બિથોવન પોતાની સાથે રાખેલી નોંધપોથીમાં સંગીત-કૃતિના અમુક અમુક ખંડો નોંધી લેતો, અને પછી તેના પર વર્ષો સુધી તે કામ કરતો. તેને ઉપલબ્ધ થયેલા પહેલા ‘વિચારો’ (ideas) એટલા તો અસ્પષ્ટ રૂપના હતા કે, એવા ‘વિચારો’માંથી તે છેવટે આટલી અદ્ભુત કૃતિઓ નિર્માણ કરી શક્યો, એ હકીકતનું સંગીતજ્ઞોને વિસ્મય રહ્યું છે.
આમ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ અર્થે પ્રતિભા જુદે જુદે માર્ગે ગતિ કરે છે; પણ જોકે, મોઝાર્તના પ્રકારની પ્રતિભા વધુ ઝળહળતી અને આંજી નાખનારી હોય તો પણ, સાચી પ્રતિભા, સંગીતકારના પ્રયોગથી ભિન્ન એના પરિણામની મહત્તાથી જ અંકાય છે, તેની કાર્યપદ્ધતિના ઝળહળાટથી નહીં. અંતદૃષ્ટિની મૂળ ક્ષણમાંથી પૂર્ણ વિકાસ સાધીને પરિણામરૂપે એની સૌંદર્યનિષ્ઠ આકૃતિ રચાવા પામે, એ જ મહત્ત્વની વાત છે; અને સિદ્ધ થયેલી કૃતિને જો અમરતા મળી હોય તો, એવી સ્વલ્પ કૃતિ અર્થે કવિને આખી જિંદગી ખરચવી પડી હોય તોપણ તે કોઈ મોટો પ્રશ્ન નથી. આ બે પ્રકારની પ્રતિભા વચ્ચે ભેદ હોય તો તે એટલો જ કે મોઝાર્તના પ્રકારની પ્રતિમા એકાદ ક્ષણના પ્રચંડ આવેશમાં જ પોતાના અનુભવની સૌથી વધુ ગહરાઈઓ તાગી લેવા સમર્થ બનતી હોય છે; જ્યારે બિથોવન પ્રકારની પ્રતિભાને પોતાની ચેતનામાં એક પછી એક પડો વીંધતા જઈને ઊંડાણ તાગવાનાં હોય છે. પણ આ બંનેય દૃષ્ટાંતોમાં મહત્ત્વનું છે તે દર્શન (vision) જે પોતાના અંતિમ લક્ષ્યને જુએ છે, તેને જ અનુસરે છે અને પ્રાપ્ત કરે છે; અને એ જ તો છે કળાત્મક ઉદ્દેશનું તર્કસૂત્ર.
કવિને કોઈ પ્રાસાદિક ઉત્કટ અને પ્રયોજનવતી પ્રજ્ઞાનું દિવ્ય વરદાન પણ હોય; અથવા તેની ચિતિશક્તિ અસ્પષ્ટ અને મંદવૃત્તિની પણ હોય; પણ એ કોઈ ખરો પ્રશ્ન નથી; પોતાપણાનો લોપ કર્યા વિના તેણે આવા ઉદ્દેશ્યની અખિલાઈ પ્રાપ્ત કરી છે કે નહીં, અને એવા ઉદ્દેશ્યનું છેવટ સુધી નિર્વહણ કરી શક્યો કે નહીં, એ જ અગત્યની વાત છે. મારી વાત કરું તો કાવ્યનિર્માણની ક્ષણે તાત્કાલિક ધ્યાનમગ્ન થવાની મારામાં ભાગ્યે જ કોઈ ક્ષમતા હશે, મારી ઇચ્છાશક્તિ નિર્બળ રહી જાય છે, અને કેવળ વિચારોની ભરચકતા અને આકૃતિ વિશેની ક્ષીણ દૃષ્ટિ મને રૂંધી રહે છે. કેમ જે, પ્રત્યેક કાવ્ય લખવાના આરંભની ક્ષણે મારા ચિત્તમાં એવી બીજી ઓછામાં ઓછી દસ કવિતાઓ સ્ફૂરી રહી છે, જે હું કદીયે લખવા પામતો જ નથી અને જે કવિતા હું લખું છું તેનાય એવા બીજા સાત-આઠ મુસદ્દાઓ હોય છે, જે હું ક્યારેય પૂરા કરી શકતો નથી.
એટલે હું એવી પદ્ધતિ અપનાવું છું કે, એવી ક્ષણે પહેલાં તો, શક્ય તેટલા વધુ ‘વિચારો’ – તે ગમે તેટલા અણઘડ રૂપમાં હોય તોયે – મારી નોંધપોથીમાં હું ટપકાવી લઉં છું. (મારી છેલ્લાં પંદર વર્ષની લેખનપ્રવૃત્તિની જો વાત કરું તો, નહીં નહીં તોયે આવી વીસેક નોંધપોથીઓ મારા મેજ પછવાડેની અભરાઈઓ પર પડી હશે.) એમાંની કેટલીક સામગ્રીઓનો પછીથી હું ઉપયોગ કરી લઉં છું. અને બાકીનીને ત્યજી દઉં છું.
અણઘડ ‘વિચારો’ને હું શી રીતે વિકાસાવું છું, તેનું સ્પષ્ટીકરણ કરવાનો સૌથી સારો માર્ગ તે એક દૃષ્ટાંત લઈને ચાલવાનો છે એમ મને લાગે છે. અહીં ૧૯૪૪માં શરૂ થયેલી એક નોંધપોથીની વિગતો નોંધું છું. એમાંનાં સોએક જેટલાં પૃષ્ઠો ભરીને મેં જે વિચારો ટપકાવી લીધા હતા, તેમાંથી માત્ર છ એક કાવ્યકૃતિઓ આકાર પામી શકી છે. કોઈ પણ ‘વિચારો’(idea) મને પહેલી વાર સૂઝે, એટલે તરત તેને હું ક્રમસંખ્યા આપી દઉં છું. કેટલીક વાર આવો ‘વિચાર’ એકાદ પંક્તિથી વધુ વિસ્તર્યો જ ન હોય એમ બને. ઉદાહરણ તરીકે, ત્રીજા ક્રમનો વિચાર એક જ પંક્તિનો સંભવ્યો છે. (કૃતિરૂપે એ વિકસ્યો નથી) [A language of Flesh and roses. [૧]
આગળ ઉપર પ્રેરણાની વાત કરવાનો છું ત્યાં આ પંક્તિનો ફરીથી ઉલ્લેખ કરીશ. અહીં તો ૧૩મા ક્રમનો એક એવો વિચાર લઉં છું જે વિકાસ પામીને પૂર્ણરૂપ પામ્યો છે. એની પહેલી રૂપરેખા આ રીતે આરંભાઈ હતી૧[1] :
(a) There are some days when the
sea lies like a harp
Stretched flat beneath the cliffs. The waves
Like wires burn with the sun’s copper glow.
[all the murmuring blue every silent]
Between whose spaces every image Of Sky [field and] hedge
and field and boat
Dwells like the huge face of the afternoon.
[Lies]
When the heat grows tired, the afternoon
Out of the land may breathe a sigh
[Across these wires like a hand.
They vibrate with]
Which moves across those wires like a soft hand
[Then the vibration]
Between whose spaces the vibration holds
Every bird-cry, dog’s bark, man shout
And creak of rollock from the land and sky
Wilh all the music of the Afternoon. [૨]
દેખીતી રીતે જ એક ‘વિચાર’(idea) જે ચિત્તના કોઈ એક સ્તરે સ્પષ્ટ રૂપમાં સંભવે છે, અને છતાં જે સીધા કથનમાં ગ્રહી શકાતો નથી તેને નિરૂપવાના પ્રયત્નો આ પંક્તિઓમાં થયા છે. આ તબક્કે કવિતા એક એવા ચહેરા સમી તાદૃશ થાય છે જેને સ્મૃતિની આંખમાં સ્પષ્ટ રૂપે નિહાળી શકાય છે, પણ તેની એક એક રેખા લઈને જો કોઈ તેનું મનોમન નિરીક્ષણ કરવા જાય કે તેનો વિચાર કરવા જાય તો તે ધૂંધળી બની લોપ પામતી જણાય છે.
સમુદ્રનું ‘દર્શન’(vision) તે આ કવિતાનો ‘વિચાર’ છે. એ અંગે કવિની એવી શ્રદ્ધા રહી છે કે, આ દર્શનને સ્પષ્ટ રૂપમાં નિરૂપવામાં આવે તો તે અર્થસંપન્ન બની રહેશે. ખડકોની તળેટીમાં વિસ્તરીને પડેલા સમુદ્રનું આ દર્શન છે. ખડકાળ ટેકરીની ટોચે ખેતરો વાડો અને મકાનો છે. શેરીઓમાં ઘોડાઓ ખટારા ખેંચે છે. દૂર અંદરના ભાગમાં ક્યાંક કૂતરાંઓ ભસે છે, છેટેથી ઘંટારવ સંભળાય છે. વસંતની એક રળિયામણી સાંજે સમુદ્રનો કિનારો એની ટોચ પરની વાડો ગુલાબો ઘોડાઓ અને માનવીઓથી ભર્યો ભર્યો દેખાય છે, જ્યારે એ સમુદ્ર એ કિનારાને પ્રતિબિંબિત કરતો અને આત્મસાત્ કરી લેતો દેખાય છે, ત્યાં કિનારા નીચે સુપ્ત સમુદ્રમાં નાના નાના તરંગોની ઝળહળતી હારમાળા એવી રીતે અલગ પ્રકાશરેખાઓ રચે છે કે જાણે વીણાની તંત્રીઓ સૂર્યરશ્મિમાં ઝળહળી ઊઠી હોય. આ તંત્રીઓની વચ્ચે કિનારાનું પ્રતિબિંબ ઝિલાય છે. પુષ્પોની શોધમાં નીકળેલાં પતંગિયાઓ શ્વેત – ભૂમિપટનાં ખેતરો માની તરંગોની ઉપર આમથી તેમ ઉડ્ડયન કરતાં લાગે છે. આવા જ કોઈ એક દિવસે સમુદ્ર તટ પર તરંગાતો ભૂમિ-પ્રદેશ જાણે એટલાન્ટિસની જેમ એની તળે પડ્યો હોય એમ એમાં પ્રવેશતો દેખાય છે. આ વીણાતંત્રીઓ સમુદ્રપટ અને ભૂમિપટનું સંયોજન કરનાર દૃષ્ટિગોચર સંગીત સમી લાગે છે.
આ ‘દર્શન’ને બીજા કોણથી જોતાં, દેખીતી રીતે જ એમાં પ્રતીકાત્મક મૂલ્ય મળ્યું દેખાય છે. સમુદ્ર જો મૃત્યુ અને શાશ્વતીનું પ્રતિનિધાન કરે છે, તો ભૂમિખંડ વસંતના અલ્પ જીવનનું અને જે એક માનવપેઢી શાશ્વતીના સાગરમાં પ્રવેશી રહી છે તેનું પ્રતિનિધાન કરે છે. પણ આ સાથે જ મારે અહીં કહેવું જોઈએ કે, કવિ ‘દર્શન’ના આ પાસા વિશે સભાન હોય તો પણ, ખરેખર તો આ જ બાબતનું સીધું કથન તે ટાળવા ચાહે છે, અથવા એમાં તે વધુ પડતો પરોવાવા ઇચ્છતો નથી. તેનું કાર્ય તેના ‘દર્શન’નું પુનઃનિર્માણ કરવાનું છે, એને એમાંથી જ જે નીતિભાવ સ્વયં વ્યંજિત થાય તેને તેમ થવા દેવાનું છે. કવિએ કઈ વાત સ્પષ્ટરૂપે વર્ણવવાની છે અને કઈ નહીં એ બાબતમાં તેણે પોતાના મનમાં જ વિવેક કરી લેવો જોઈએ. અકથિત આંતરિક અર્થ કવિતાના સંગીતમાં તેમ તેના રણકા(tonality)માં પ્રગટ થાય છે. અને પોતાના સ્વરમાં અમુક જાતનો રણકો અને અમુક જાતનો લય જરૂરી છે એવા તેના બોધમાં જ કવિને એની પણ અભિજ્ઞતા હોય છે.
આ કવિતાના પછીના વીસ મુસદ્દાઓમાં દૃષ્ટચિત્ર, સંગીત, અને ઊંડી સંવેદનાના સ્પષ્ટીકરણને માર્ગે હું સંવેદતો ગયો. ઉપર નોંધેલા પ્રથમ કાવ્યપાઠમાં બીજી-ત્રીજી પંક્તિઓમાં આ પ્રમાણે શબ્દાવલિ છે :
The waves
Like wires burn with the sun’s copper llow [૩]
આ શબ્દાવલિમાં સમુદ્રના કલ્પનની સાથે સંગીતકળાનો વિચાર સંયોજાયો છે, અને એ કારણે એ એક ચાવીરૂપ શબ્દરચના છે. કેમ કે, આ કવિતાનો વર્ણ્યવિષય જ સમુદ્ર અને ધરતીના સંયોજનનો છે. અહીં એ સવા પંક્તિના જે બીજા પાઠો જે ક્રમમાં લખાયા, તે સૌ તે જ ક્રમમાં અહીં ઉતારું છું :
(b) The waves are wires
Burning as with the secret song of fires [૪]
(c) The day burns in the trembling wires
With a vast music golden in the eyes [૫]
(d) The day glows on its trembling wires
Singing a golden music in the eyes [૬]
(e) The day glows on its burning wires
Like waves of music golden to the eyes. [૭]
(f) Afternoon burns upon its wires
Lines of music dazzling the eyes [૮]
(g) Afternoon gilds its tingling wires
To a visual silent music of the eyes. [૯]
છેવટના કાવ્યપાઠમાં એ પંક્તિઓ નીચેની કડીઓ રૂપે વિકસી છે :
(h) There are some days the happy ocean lies
Like an unfingered harp, below the land.
Afternoon gilds all the silent wires
Into a burning music of the eyes.
On morning paths between those fine strung fires
The shore, laden with roses, harses, spires,
Wanders in water, imaged above ribbed sand [૧૦]
અંતઃપ્રેરણા :
આખીય કાવ્યકૃતિમાં થયેલા ‘કાર્ય’ના માત્ર અલ્પાંશ એવાં આ દૃષ્ટાંતોમાં જે રીતે કઠોર પરિશ્રમ બતાવવામાં આવ્યો છે તે જોઈને અંતઃપ્રેરણા જેવી કોઈ વસ્તુ છે કે નહીં અથવા સ્ટીફન સ્પેન્ડર શું કોઈ પ્રેરણારહિત કવિ છે કે કેમ, એવું વિસ્મય વાચકને થાય એમ બને. પણ એના ઉત્તરમાં કહેવાનું કે, અંતઃપ્રેરણાના તત્ત્વને બાદ કરતાં કવિતામાં બીજું બધું જ પ્રયત્નસાધ્ય હોય છે; પછી ભલેને મોઝાર્તે પોતાની સંગીતકૃતિનું સ્વરાંકન કર્યું છે તે રીતે આવું કાર્ય કોઈએ એક જ ત્વરિત સપાટામાં કર્યું હોય; કે પછી તબક્કાઓ વાર વિકસતું રહીને ઉત્ક્રાન્તિની ધીમી ઘટનાથી તે સિદ્ધ થયું હોય. આગળ ‘ધ્યાનમગ્ન સ્થિતિ’ વિશેની વિચારણામાં મેં એ શબ્દની વિશિષ્ટ અર્થછાયા સ્પષ્ટ કરી, તેમ આ ‘કાર્ય’ શબ્દ વિશેય સ્પષ્ટતા કરવાની રહે છે : કવિતાની એક પંક્તિ પરનું ‘કાર્ય’ એ રીતેય સંભવે કે, એનો મૂળનો પાઠ થોડાક દિવસો માટે, અઠવાડિયાંઓ માટે, કે વર્ષો સુધી, એમનો એમ જ પડ્યો રહે; અને પછી જ્યારે એને હાથમાં લેવામાં આવે, ત્યારે વચગાળામાં આખીયે પંક્તિ પોતે નવેસરથી લખાઈ હોય તેમ, એનું રૂપ જ બદલાઈ ચૂક્યું હોય.
અંતઃપ્રેરણા એ જો કવિતાનો આરંભ છે, તો એ તેનું અંતિમ લક્ષ્ય પણ છે. અંતઃપ્રેરણા એ પહેલવહેલો જન્મેલો એક એવો વિચાર (idea) છે, જે કવિના ચિત્તમાં બુંદની જેમ ઝમી પડે છે; અને એ એક એવો અંતિમ વિચાર (idea) છે, જેને કવિએ છેવટે શબ્દોરૂપે પ્રાપ્ત કર્યો હોય છે. આ આરંભ અને અંતિમ લક્ષ્ય એ બે અંતિમો વચ્ચે કવિની અત્યંત કઠોર એવી દોટ રહી છે; પ્રસ્વેદ અને પરિશ્રમ રહ્યાં છે.
કવિતાની એક પંકિત ‘ઈશ્વરદત્ત’ હોવાનું પૉલ વાલેરીએ કહ્યું છે. ઈશ્વર કે પ્રકૃતિ તરફથી કવિને એક પંક્તિ વરદાનમાં મળી હોય છે. બાકીની તેણે પોતે શોધી લેવાની રહે છે.
અંતઃપ્રેરણા વિશેનો મારો પોતીકો અનુભવ એવો છે કે, કવિતાની એકાદ પંક્તિ, એકાદ શબ્દસમૂહ એકાદ શબ્દ માત્ર કે ક્યારેક તો એથીય કશીક ધૂંધળી વસ્તુ – વિચારનું એક ઝાંખુપાંખું વાદળ માત્ર જેને શબ્દોના બુંદ રૂપે મારે મૂર્ત કરવું જોઈએ એમ મને લાગ્યું હોય તે – આટલું તો આરંભની ક્ષણે મને ચોક્કસપણે વરતાતું હોય છે. કવિતાના ચાવી રૂપ શબ્દ કે પંક્તિની વિશિષ્ટતા જોઈએ તો સમજાશે કે, ‘braggadocio’ જેવો શબ્દ મને જે રીતે આકર્ષક લાગે છે, તે રીતની આકર્ષક વસ્તુ એ નથી; એ તો સ્વયં એક સક્રિય, પુંસક અને અંકુરયુક્ત એવી વસ્તુ છે; જાણે કે આદિ અને અંતની અનિવાર્યતા ઝંખતા કોઈ વિધાનનું એ કેન્દ્રબિંદુ છે; અને અમુક ચોક્કસ દિશા પ્રતિનો ગત્યાત્મક ઉન્મેષ ધરાવતી અંતઃક્ષમતાય એમાં રહી હોય છે. એનાં દૃષ્ટાંતો આ રહ્યાં :
A language of flesh and roses
આ શબ્દાવલિ (જે પોતે મને એટલી સમાધાનકારી નથી તે) – જે કવિતા હું કદાચ હવે પછીનાં થોડાં વર્ષો બાદ રચુંય ખરો, તેનો મૂળ ‘વિચાર’ અને અનુભવોની એક આખી પરંપરા મારા ચિત્તમાં ખેંચી લાવે છે. બ્લેક કન્ટ્રીમાં પસાર થતી ટ્રેનના કોરિડોરમાં હું ઊભો હતો ત્યાં દૃષ્ટિ સામેની વિસ્તૃત ધરતી પર ખાડાઓ, તેના પર ગોઠવવામાં આવેલાં રાક્ષસી યંત્રો, માનવસર્જિત ડુંગરો અને સપાટી પરના આડાઅવળા પીળચટા રંગના વ્રણો – એ બધું જાણે કે પોતાના શિકારની શોધમાં નીકળેલા કોઈ વિરાટકાય પશુએ કે ખજાનાની તલાશમાં ભટકતા ફરતા કોઈ રાક્ષસે ભારે પરિશ્રમ કરીને એ ધરતીને વલૂરી નાખી હોય તેવું – એ બધું રૂપાંતર થઈ ગયેલું મેં જોયું. કંઈક વિચિત્ર લાગે એવી ઘટના તો એ બની ગઈ કે એ જ કોરિડોરમાં મારી નિકટમાં જ ઊભેલા એક અણજાણ મુસાફરે મારા જ અંતરતમનો પડઘો પાડ્યો. તેના મોંમાંથી સહજ ઉદ્ગાર નીકળી ગયો. ‘અહીં આ બધું જ માનવનિર્મિત છે!’ એ જ ક્ષણે મારા ચિત્તમાં આ પંક્તિ ચમકી ગઈ –
A language of Flesh and roses.
મારા વિચારનો ઘટનાક્રમ આ જાતનો હતો : ઔદ્યોગિક ક્ષેત્રનું આ દૃશ્ય, હવે તો જે રોજિંદા અનુભવની બાબત બની ગઈ છે, અને જે ઈશ્વરનું કાર્ય હોવાનું જણાયું છે – જેને માલિકો અને મજૂરો બંનેય વર્ગ પાસે છે, અને એ બંનેય વર્ગ જેના લાભ વાંછે છે અને તે જ તેમને ગુલામ પણ બનાવી દે છે એવા ઈશ્વરનું એ કાર્ય છે – એ આખુંય દૃશ્ય હવે ખરેખર તો માનવીની ઇચ્છાશક્તિની અભિવ્યક્તિ માત્ર છે. માનવીએ જ તો આવી રચનાની ઇચ્છા કરી છે; એટલે એ ખાડાઓ પરનાં રાક્ષસી યંત્રો, ધાતુઓના ભંગારના મોટા ડુંગરો અને કેવળ ધનસંપત્તિ માટેની આંધળી દોટમાં બાકીનાં બધાંની ક્રૂર અવગણના, એ બધું મને તો આધુનિક માનવીના મનનું પ્રતીક બની જતું લાગ્યું. બીજા શબ્દોમાં, આપણે જે પ્રકારનું જગત – ગંદી વસાહતો, ટેલિગ્રામ્સ અને વર્તમાનપત્રોનું જગત – રચી રહ્યા છીએ, તે ખરેખર તો આપણા ગૂઢ મનની ઇચ્છાઓ અને વિચારોની જ એક જાતની ‘ભાષા’ છે. અલબત્ત, એ ‘ભાષા’ છે ખરી, પણ દેખીતી રીતે જ આપણા અંકુશની બહાર ચાલી ગયેલી એ ‘ભાષા’ છે. અને બિનજવાબદાર નિર્બળ પ્રલાપ શી એ ‘ભાષા’ બની રહી છે. આવા ખ્યાલોએ મને ખૂબ જ વ્યથિત કરી મૂક્યો, અને હું એ વિચારે ચઢી ગયો કે માનવજાતિએ નિર્મેલી આ સર્વ ઘટના ખરેખર જો કોઈ ‘ભાષા’ના શબ્દો જેવી છે, તો પછી આપણે કેવા પ્રકારની ‘ભાષા’ની ઝંખના કરી રહ્યા છીએ? અને મારા ચિત્તમાં આ પ્રશ્ન આકાર લે તે પહેલાં જ, એના ઉત્તરરૂપે આ સર્વ વિચારોનું ઘટનાચક્ર એકાએક આ શબ્દોરૂપે મારા મનમાં ઝબકી ગયું :
A language of Flesh and roses.
‘અંતઃપ્રેરણા’ શબ્દથી મને શું અભિપ્રેત છે, તેનો કંઈક ખ્યાલ વાચકને આ દૃષ્ટાંતમાંથી મળી જશે એવી મને આશા છે. હવે પ્રસ્તુત પંક્તિ જેનું હું પુનરાવર્તન કરવા ઇચ્છતો નથી તે કલ્પનાની કોટિના ચિંતનની પ્રક્રિયા જ છે. ઉપર મેં જે વિચારો સાંકળી લીધા, તે પૈકીના થોડાક પણ જો એ પંક્તિમાં મૂર્ત થઈ શક્યા હોય, તો મારે એને બીજી પંક્તિઓમાં વિશેષ સ્ફુટ કરવાના રહે. કવિતાનો આ એક ભયંકર પડકાર છે. તો, એ માટે હું કલ્પનોનું તર્કસૂત્ર નિપજાવી શકું ખરો? મને જે કવિતા લખવાનું ગમ્યું હોત, તેને વિશે સ્પષ્ટીકરણ કરવાનું કેટલું સરળ લાગે છે. પણ એ કવિતા લખવાનું કેટલું બધું મુશ્કેલ હોય છે! આ રીતે કવિતાનું લેખન, તે અહીં જે બધા વિચારોનાં કેવળ અમૂર્ત તત્ત્વો સાંપડે છે, તે સર્વને કલ્પનનિષ્ઠ અનુભવ રૂપે જીવવાની આખી પ્રક્રિયા છે એમ થયું. અને કલ્પનનિષ્ઠ અનુભવનો આવો પ્રયત્ન જીવનભરનું ધૈર્ય અને આંતર-નિરીક્ષણ માગે છે.
મારા ચિત્તમાં અવ્યાકૃત રૂપમાં પડી રહેલી બીજી એક કવિતાનો ચાવી રૂપ શબ્દ ‘ક્રોસ’(cross) છે, જેમાંથી અંકુરિત થતા ‘વિચાર’નું ધૂંધળું રૂપ એક દૃષ્ટાંત લેખે રજૂ કરું છું. તાજેતરમાં જ મારી પત્નીએ પુત્રને જન્મ આપ્યો. પુત્રજન્મ પછી જ્યારે પહેલી વાર પત્નીને મળવા નીકળ્યો, ત્યારે હું બસમાં હૉસ્પિટલ જવા નીકળ્યો. બસની ઉપલી ડેક પર બેસી શેરીઓ પસાર કરતાં બધી શેરીઓ મને એકદમ સ્વચ્છ અને રળિયામણી લાગી. અને, મારા મનમાં વિચાર આવ્યો કે અમારા બાળકના સ્વાગત અર્થે અહીં બધાં જ આતુર હતાં. ગઈ પેઢીઓએ એટલા માટે જ તો પરિશ્રમ વેઠ્યો હતો કે સાંપ્રતમાં જન્મતા હરેક બાળકને તેના સમવયસ્કોની સાથે શહેરો, શેરીઓ, સંસ્થાઓ અને સૌથી વધુ વિકસિત યંત્રસામગ્રી તેના જીવન અર્થે વારસામાં પ્રાપ્ત થાય. એ બાળક જન્મ્યું તેની પૂર્વે ઘણી અગાઉથી લોકોએ તેને માટે સુવિધાઓ તૈયાર કરી રાખી હતી. પણ એવામાં સાહજિકપણે જ મારા ચિત્તમાં જાગી ઊઠેલા વિષાદની ઘેરી છાયા ફરી વળી. કેટલી ભયંકર ગેરવ્યવસ્થા અને કેટલા વિરાટ માનવીય અપરાધો એ બાળકે વારસામાં મેળવ્યા છે તેનો મને વિચાર આવી ગયો. ત્યાં મેં એ બાળકને સમગ્ર ભૂતકાળ અને સર્વ સંભવિત ભાવિઓનો જેમાં એક ક્રોસ – cross રચાયો હોય એવી એક સાંપ્રતની ક્ષણરૂપે, વર્તમાન અસ્તિત્વના એક શિરોબિંદુ રૂપે, નિહાળ્યો. આ ‘ક્રોસ’ (cross) શબ્દે, કોણ જાણે કેમ, આ સંસારમાં જન્મેલા બાળકની સમસ્ત પરિસ્થિતિનું તેમ જ તેની પરિસ્થિતિ વિશેની કવિતાના આકારનુંય, સૂચન કરી દીધું હતું. આ ‘ક્રોસ’ શબ્દ કવિતામાં આવે ત્યારે ભૂતકાળ વિશેના ખ્યાલે ભાવિના ખ્યાલને અવકાશ આપવો જોઈએ; અને જે ‘ક્રોસ’માં વર્તમાન અને ભાવિ એક બિંદુએ મળે છે, તે જ વ્યક્તિના માનવીય અસ્તિત્વનું રહસ્ય છે, એમ એમાંથી તરી આવવું જોઈએ. અને ફરીથી અહીં ‘ક્રોસ’ શબ્દના બીજા અર્થસંકેતો સાથે સંકળાયેલી નૈતિકતાની છાયાઓ, કવિતાની પાર એવું અકથિત રહસ્ય, એક એવી ગુણસમૃદ્ધિ રૂપે પ્રજ્વલિત થવા લાગે છે, જેનું કદીયે સીધું કથન કરવાનું ન હોય, અને છતાં કવિતાના પ્રત્યેક કલ્પનમાં તે ઝળહળી રહ્યું હોવું જોઈએ.
બીજા કવિઓ ‘અંતઃપ્રેરણા’ વિશે જે જાતના અહેવાલો આપે તેની સરખામણીમાં આ બયાન સંભવતઃ નિસ્તેજ લાગશે. મારા જ પોતાના અનુભવને પ્રમાણીને હું આ નોંધું છું; અને બીજા કવિઓ વિશે હું જે ખ્યાલ કરી શકું, તેમનાથી નિરાળી વાસ્તવિક્તાના સ્વરૂપને ભેદવા ચાહતી અંતર્દૃષ્ટિની ઝાંખી જેવી મારી અંતઃપ્રેરણાની જ અહીં આ વાત કરું છું અને છતાં આલ્દસ હક્ઝલીએ પોતાની નવલકથા, ‘ટાઇમ મસ્ટ હેવ એ સ્ટોપ’માં તરુણ કવિ કાવ્ય શી રીતે લખે છે તે વિશે જે બયાન આપ્યું છે, તેની તુલનામાં અહીં મેં વર્ણવેલો પ્રેરણાનુભવ ગમે તેટલો આછોપાતળો હોય તોયે, વાસ્તવિક કાવ્યાનુભૂતિનો વધુ સચ્ચાઈભર્યો ખ્યાલ એમાં રહેલો છે. હક્ઝલીએ આ વિશે રજૂ કરેલા અહેવાલ કરતાં વધુ આત્મસભાન અને વધુ અકાવ્યાત્મક બીજું કંઈ કલ્પી શકાતું નથી.
સ્મૃતિ :
વિલક્ષણ રીતે ધ્યાનમગ્ન બનવાની કળા એ જો કવિતાને પોતાને પ્રગટ થવાને અનિવાર્ય એવી શિસ્ત હોય તો એવી જ કોઈ વિલક્ષણ રીતે સ્મૃતિનું અનુસંધાન એ પ્રતિભાની નૈસર્ગિક બક્ષિસ છે. કવિ, બીજું કંઈ પણ હોય, વિશેષે તે એક એવી વ્યક્તિ છે, જે પોતાના અનુભવમાં આવેલા ઐન્દ્રિયિક સંસ્કારોને કદીયે ભૂલી શકતી નથી, અને જે, એ અનુભવોને એની સર્વ આદિમ તાજગી સાથે ફરી ફરીને જીવી શકતી હોય છે.
બધા જ કવિઓ પાસે સ્મૃતિશક્તિનું આવું એક અત્યંત કેળવાયેલું વેદનશીલ તંત્ર છે; અને જે અનુભવો તેમને છેક બાળપણમાં થઈ ચૂક્યા હોય અને જીવનભર જે પોતાનું આદિમ રહસ્ય જાળવીને ટકી રહેતા હોય તેવા અનુભવો વિશે સામાન્ય રીતે તે સભાન હોય છે. મહાકવિ દાન્તે ફક્ત નવ વર્ષનો હતો ત્યારે બિએટ્રીસને મળવાનો તેને જે પ્રસંગ મળ્યો, તેનો અનુભવ તેના ચિત્તમાં એક પ્રતીકરૂપ વસ્તુ બની રહ્યો, જે પછીથી તેની કૃતિ ‘ડિવાઈન કૉમેડી’રૂપે ઘનીભૂત થવા પામ્યો. વડ્ર્ઝવર્થની કવિતામાં પ્રકૃતિનો અનુભવ જે રીતે વર્ણ્યવિષય બનીને આવે છે, તેય ખરેખર તો બાળક વડ્ર્ઝવર્થની આસપાસ વીંટળાઈ રહેલાં ‘નિસર્ગનાં સત્ત્વો’ વિશેનો તેના શૈશવકાલીન દર્શનનો જ વિસ્તાર માત્ર છે, અને ઉત્તરવયમાં તેમણે લેઈક ડિસ્ટ્રીક્ટમાં જઈ વસવાનો જે સંકલ્પ કરેલો તે પણ, તેની કવિતામાં તેના જે જે અનુભવ સૌથી વધુ મૂલ્યવાન બની રહ્યા હતા, તેના સ્રોત સમી શૈશવની સ્મૃતિઓના વિશ્વમાં પાછા ફરવાનો એ સંકલ્પ હતો. બધી જ સર્જનાત્મક કળાઓ માટે આ પ્રકારની સ્મૃતિનું મહત્ત્વ બતાવી શકાય તેમ છે; અને જે સર્જનાત્મક ગદ્ય છે, તેનેય આ વિચારણા એટલી જ નિશ્ચિતપણે લાગુ પડે છે. સર ઑસ્બર્ત સીટવેલે મને એક વાર એમ કહ્યું હતું કે, ‘બિફોર ધ બોમ્બાર્ડમેન્ડ’ નામના પોતાના પુસ્તકમાં છેલ્લા મહાયુદ્ધ પૂર્વના અને એ યુદ્ધ સમયના સ્કારબરો પ્રદેશના સમાજજીવનનું જે અત્યંત સુરુચિપૂર્ણ અને વ્યંગઉપહાસભર્યું ચિત્ર તેમણે આલેખ્યું હતું, તે તેઓ પોતે બાર વર્ષના થયા તે પૂર્વે એ પ્રદેશના જીવનનાં તેમણે જે અવલોકનો કરેલાં તેના પર આધારિત હતું.
આમ, જોકે, ટેલિફોન નંબરો સરનામાંઓ ચહેરાઓ, અરે દિવસની સવારની ટપાલ મૂકી હોય તે જગ્યા વગેરે બાબતોનું મને સામાન્ય રીતે સ્મરણ રહેતું નથી. પણ અનુભવોનાં એવાં કેટલાંક સંવેદનો, જે મારે માટે અમુક સાહચર્યો પ્રાપ્ત કરી સ્ફટિકઘન બની રહ્યાં હોય, તેની પૂરેપૂરી સ્મૃતિ મારા ચિત્તમાં સંગ્રહિત થઈને રહી હોય, તો એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. મારા ચિત્તનો કબજો લઈને બેઠાં હોય એવાં સ્મૃતિસાહચર્યો અચાનક જ જાગ્રત થઈને મને સંપૂર્ણતયા મારા ભૂતકાળમાં – અને તેમાંયે વિશેષે તો જ્યાં વર્તમાન સ્થળકાળનું બધું ય ભાન લોપ પામે છે એવા શૈશવકાળમાં – ખેંચી ગયાં છે, તે વિશે મારા પોતાના જીવનમાંથી હું અનેક દૃષ્ટાંતો આપી શકું તેમ છું, પણ આવી સ્મૃતિશક્તિનું ઉત્તમ દૃષ્ટાંત તો પંદરેક વર્ષો પર લખાયેલી મારી નોંધપોથીમાંની કેટલીક વિચિત્ર લાગતી પંક્તિઓમાં જોવા મળશે. અધૂરી રહી જવા પામેલી એ કવિતાના ત્રૂટક ત્રૂટક ખંડો તરત જ જે અનુભવોમાં એ જન્મ્યા હતા તે અનુભવોમાં, જે સંયોગોમાં એ લખાયા હતા એ સંયોગોમાં અને કવિતાની અલિખિત સંવેદના જે પ્રક્ષેપ પામી હતી પણ કદી શબ્દદેહે અવતરી નહોતી તે સંવેદનામાં મને ખેંચી જાય છે.
...Knowledge of a full sun
That runs up his big sky, above
The hill, then in those trees and throws
His smiling on the turf. [૧૧]
પંદર વર્ષ પહેલાંનો આ એક અધૂરો રહી ગયેલો ‘વિચાર’ છે; અને એ સાથે મને એક રસ્તા પરના મકાનનો ઝરૂખો, રસ્તાની સામેની બાજુની પાઈનવૃક્ષોની કતાર અને તેની સાથે વિસ્તરી રહેલા સમુદ્રનું બરોબર સ્મરણ થઈ આવે છે. રોજ સવારે સૂરજ, પહેલાં તો, એ સમુદ્રની કોરે ઊગી નીકળતો; એ પછી પેલાં વૃક્ષોની ટોચે તે ચઢી જતો, અને મારી બારી પર ઝળહળી ઊઠતો. આજે હવે લંડનમાં વસંતમાં તેમ જ ગ્રીષ્મના શરૂના દિવસોમાં, મારી બારીમાં ઝળહળી ઊઠતા સૂરજને જોઈને એ સ્મરણનું અનુસંધાન થઈ જાય છે; અને એ રીતે એ સ્મરણ એ કેવળ સ્મરણ રહેવા પામતું નથી. વર્ષો સુધી અનુભવેલી સમરૂપ અનુભૂતિઓનું આખુંય પુદ્ગલ જેના પર ટીંગાડી શકાય તેવી વિશેષે તો એ એક ખીંટી બને છે. કોઈ પણ સ્મૃતિને સ્પષ્ટ કથન રૂપે રજૂ કરો, એટલે તરત જ તે સ્મૃતિ મટી જાય છે, અને તે ચિરંતન સાંપ્રત બની જાય છે. કેમ કે એનું સ્મરણ કરાવી આપે એવી કોઈ પણ વસ્તુનો જ્યારે આપણે અનુભવ કરીએ ત્યારે મૂળનો એ વિશદ અને પારદર્શી અનુભવ નવા અનુભવો પર એના આકૃતિગત સૌંદર્યનું આરોપણ કરે જ છે. એ રીતે મૂળની સ્મૃતિ કેવળ સ્મૃતિ રહેતી નથી, પણ ફરી ફરીને જીવતો રહેલો અનુભવ બની રહે છે.
આ જૂની નોંધપોથીઓનાં પાનાં ઉથલાવતાં વળી એક આકાર લેતી લાંબી કવિતાની થોડીક પંક્તિઓ મારી નજરે પડે છે, જે એક સ્ત્રીના ચહેરાની નાનકડી છબી બની આ પ્રમાણે નવો ઘાટ લે છે :
Her eyes are gleaming fish
Caught in her nervous face, as if in a net,
Her hair is wild and fair, haloing her cheeks
Like a fantastic flare of southern sun.
There is madness in her cherishing her children.
Sometimes, perhaps a single time in years.
Her wandering fingers stoop to arrange some flowers
Then in her hands her whole life stops and weeps, [૧૨]
સ્મૃતિ એ કવિતાનો વ્યાપાર છે એમ કહેવું કદાચ સત્ય છે; કેમ કે કલ્પનાવ્યાપાર પોતે સ્મૃતિશક્તિનો જ પ્રયોગ છે. પૂર્વકાળમાં કશુંક પણ જે આપણી કલ્પના કરવાની શક્તિ છે, તે ખરેખર આપણે જાણ્યું ન હોય તેની આપણે કલ્પના કરી શકતા નથી, તો આપણે એક વાર પણ જેનો અનુભવ કર્યો હોય, અને બીજી જુદી પરિસ્થિતિમાં પણ જેને આપણે લાગુ પાડી શકીએ એમ હોય, તેનું સ્મરણ કેળવવામાં રહી છે. આ રીતે જોતાં મહાન કવિઓ, તે મહાન સ્મૃતિઓવાળી વ્યક્તિઓ છે – અને તેમની સ્મૃતિઓ એટલી તો મહાન સંભવે છે કે તેમની પોતાની અહમ્કેન્દ્રિતતાની બહાર ઘણે દૂર સુધી – પોતાના ઉત્કટમાં ઉત્કટ અનુભવોને ઓળંગીને લોકો અને પદાર્થોનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ અવલોકનો સુધી વિસ્તરતી હોય છે. (સ્મૃતિની નિર્બળતા તેની અહમ્ કેન્દ્રિતતા છે. અને આ કારણે જ તો મોટા ભાગની કવિતામાં નાર્સિસસ વલણ દેખાય છે.)
અહીં જ હું મારી પોતાની સૌથી મોટી નિર્બળતાને જોઈ શકું છું. મારી સ્મૃતિ-શક્તિ દોષવાળી અને અહમ્-કેન્દ્રી છે. હું મારી સ્મૃતિ-શક્તિનો મારા પોતાનાથી બહારના એવા સંયોગો નિર્માણ કરવાને ઉપયોગ કરી શકું. એટલો આત્મવિશ્વાસ મારામાં નથી. જોકે હું એમ પણ માનું છું કે, સિદ્ધાંતની ભૂમિકાએ વિચારતાં કવિ જેની કલ્પના જ ન કરી શકે એવી પરિસ્થિતિઓ જીવનમાં બહુ ઓછી સંભવે છે. કારણ કે મોટા ભાગના કવિઓએ જીવનની લગભગ દરેક પરિસ્થિતિનો અનુભવ કર્યો જ હોય છે. પણ આ રીતે હું એમ સૂચવવા માગતો નથી કે, ધ્રુવપ્રદેશની સાહસયાત્રા વિશે લખનાર કવિ ખરેખર ઉત્તર ધ્રુવનું પરિભ્રમણ કરી આવ્યો હોવો જોઈએ. મારા કહેવાનું તાત્પર્ય જોકે, એમ ખરું કે, શૈત્ય, ભૂખ વગેરેને તે જાણતો હોય, જેથી તેના પોતાના અનુભવોને કલ્પનાથી સ્મરણમાં આણીને ઉત્તર ધ્રુવની ખોજ તે શી વસ્તુ છે તે તેને જાણવાનું શક્ય બની રહે અને આ બાબતમાં જ તો હું નિષ્ફળ જાઉં છું. ઉત્તર ધ્રુવના પરિભ્રમણ વિશે હું લખી શકતો જ નથી.
શ્રદ્ધા :
કવિઓને તેમની પ્રવૃત્તિમાં રહસ્યાનુભૂતિની ઉત્કટતા ધરાવતી શ્રદ્ધા જ ટકાવી રાખે છે એ સ્પષ્ટ વાત છે. આના પુરાવારૂપ ઘણાંય ઉદાહરણો કવિઓના જીવનમાંથી મળી રહે એમ છે; અને શેક્સ્પિયરનાં સૉનેટોમાં તેની પોતાની પંક્તિઓની અમરતા માટેની શ્રદ્ધા સર્વત્ર વ્યક્ત થતી રહેલી દેખાય છે.
મારા અનુભવના પ્રકાશમાં જ આવી શ્રદ્ધાનું સ્વરૂપ હું સમજાવી શકું. જ્યારે હું નવેક વર્ષનો હતો ત્યારે અમે લેઈક ડિસ્ટ્રિક્ટના પ્રદેશમાં ગયેલાં, અને ત્યાં મારાં માતાપિતાએ મને વડ્ર્ઝવર્થની કેટલીક કાવ્યરચનાઓ વાંચી સંભળાવેલી. કવિતાના કાર્યની પવિત્રતાનું મને પહેલું ભાન ત્યારે થવા લાગ્યું હતું. અને મને હંમેશાં એવી પ્રતીતિ રહી છે કે, સંતના કાર્ય જેવું જ કવિનું પણ પવિત્ર કાર્ય છે. હું નવ વર્ષનો હતો ત્યારથી જ ઘણું ઘણું બનવાની મને ઇચ્છાઓ જાગી હતી; જેમ કે (બાર વર્ષની વયે) વડાપ્રધાન થવાનું સ્વપ્ન સેવેલું. બીજા કેટલાક કવિઓની જેમ સત્તાધારી અને ક્રિયાશીલ એવી જિંદગીનું મનેય આકર્ષણ રહ્યું છે; પણ એથી વધુ તો તિરસ્કાર પણ મને એવી જિંદગી માટે રહ્યો છે! કેટલીક વસ્તુઓ સિદ્ધ કરીને, અને સ્વયં જે મહત્ત્વવાળા છે એવા હોદ્દાઓ મેળવીને, ઇતિહાસકારોનું લક્ષ્ય ખેંચવામાં સત્તાધારીની સત્તા રહી છે; એટલે કહેવાતા સત્તાશાળી અને પ્રખ્યાત માણસનો આત્મા કંઈ ખરેખર શક્તિશાળી હોતો નથી. પણ તે જે સ્થાન પ્રાપ્ત કરે છે અને જે વસ્તુઓ કરે છે, તેમાંથી જ તેની શક્તિ સંભવે છે; એવી રીતે ક્રિયાશીલ જિંદગી પહેલી નજરે ‘પોઝિટિવ’ લાગે; પણ, હકીકતમાં જીવનનું એ આંશિક જ અને તેય ‘નેગેટિવ’ રૂપ જ સંભવે છે. ક્રિયાશીલ માનવી કોઈ એક કે અનેક વસ્તુઓ કરે, કેમ કે, બીજી કેટલીક વસ્તુઓ તે કરતો નથી. સામાન્ય રીતે જે માણસો અસાધારણ ભવ્ય કાર્યો કરે છે, તેઓ સૌથી સામાન્ય લોકોના જીવનને ભરી દે તેવી સામાન્ય વસ્તુઓ કરવામાં પૂરેપૂરા નિષ્ફળ જાય છે – અને તેય એવી સામાન્ય વસ્તુઓ કે જે ઘણા લોકોએ એવી વસ્તુ કરવાનું સ્વીકાર્યું ન હોત તો તે કદાચ વળી વધુ વીરત્વભરી અને ભવ્ય બની રહી હોત! આમ વ્યવહારની ભૂમિકાએથી વિચારતાં ક્રિયાશીલ જીવન વ્યક્તિને ખરા જીવનથી જ વિચ્છિન્ન કરી નાખનારું મને લાગ્યું છે.
જોકે, કવિઓ મિથ્યાવાદી અને મહત્ત્વાકાંક્ષી હોય છે એ ખરું, પણ તેમનો એ મિથ્યાવાદ અને તેમની એ મહત્ત્વાકાંક્ષા આ વિશ્વમાં સુલભ એવી વસ્તુઓમાં વિશુદ્ધતમ એવી વસ્તુઓ છે. કેમ કે, મહત્ત્વાકાંક્ષાને તો માત્ર સંતો જ ત્યજી શકતા હોય છે, અને કવિઓની મહત્ત્વાકાંક્ષા એટલી જ હોય છે કે, પોતાની કવિતામાં પોતાના ગૂઢતમ અનુભવો, પોતાના સૂક્ષ્મતમ પ્રત્યક્ષો, પોતાની ઊંડામાં ઊંડી સંવેદનાઓ, અને સત્ય વિશેની પોતાની પરમ ભાવનાથી તેઓ અંતે જેવા પ્રગટ થાય તેવા રૂપે તેમને સ્વીકૃતિ મળે. આ બાબતમાં તેઓ કોઈને છેતરી શકે જ નહીં, કેમ કે તેમના પોતાના અસ્તિત્વનો ગુણવિશેષ કંઈ કવિતા દ્વારા વ્યક્ત થતી કેવળ ઉદાત્ત લાગણીઓમાં જ પ્રગટતો નથી; પણ, મતદારમંડળના વિશ્વાસદર્શક ઠરાવથી કે ‘પોયેટ લોરિએટ’ના ઇલકાબથી જે પ્રાપ્ત ન થઈ શકે એવી સંવેદનશીલતા, ભાષાપ્રભુત્વ, લય અને સંગીત, અને એવી એવી વસ્તુઓમાં તે પ્રગટ થાય છે. અલબત્ત, કવિકર્મનું અસાધારણ મહત્ત્વ છે; પણ કવિતારચનામાં, સૌથી મોટો શ્રમ પણ, કવિ ખરેખર જે કંઈ છે તેના આત્માના આંતરિક ગુણોને પ્રગટ કરવામાં, સહાયક તરીકે જ આવે.
કાવ્યરચનામાં કોઈને પણ છેતરવાનું શક્ય નથી; એટલે સંતની જેમ કવિ પણ પોતાની બધી કૃતિઓમાં હંમેશાં અંતિમ ચુકાદાના દિવસે અદાલત સમક્ષ ઊભો રહ્યો હોય તેવો દેખાશે. સફળતા મળતાં, અલબત્ત, તેનો અહંભાવ સંતોષાય છે. જોકે, એવી સફળતા પણ તેની સમજમાં એટલી વૃદ્ધિ કરશે કે, તે જે પ્રકારની સર્વકાલીન સ્વીકૃતિ ઝંખે છે, તે કંઈ તેને કેવળ લોકપ્રિય બનવાથી મળી જવાની નથી. કેમ કે, આપણો પોતાનો યુગ જે અપરાધો અને મૂર્ખામીઓમાં ગળાડૂબ રહ્યો છે, તેની પ્રશંસા મેળવવાનોય શો અર્થ? સિવાય કે આપણે જ્યાં મૂર્ખ ઠરીએ છીએ, ત્યાં ભવિષ્યની પેઢીઓ કદાચ એવી બાબતને આપણા યુગના અપરાધો અને મૂર્ખામીઓની લાક્ષણિક અભિવ્યક્તિ રૂપે જોઈ રહે! બીજી બાજુ સફળતાનો અભાવ એ પણ મહાન કવિતાની કસોટી નથી; જોકે કેટલાક લોકો એવો દેખાવ કરતા હોય છે ખરા. અને અમુક મર્યાદા સુધીના રચનાકળાને લગતા નિર્ણયોથી વિશેષ વિવેચકોનોય વિશ્વાસ કરી શકાય નહીં.
એટલે, કવિની શ્રદ્ધા સૌ પ્રથમ તો, તેના કાર્યનું રહસ્યસભર આહ્વાન છે; બીજું, તેની શ્રદ્ધા એ તેના મુશ્કેલ કાર્યમાં નિહિત રહેલી, તેને પોતાની નિષ્ઠાભક્તિ સમેત, તેને પોતાને ઉપલબ્ધ સત્યમાં નિહિત રહેલી શ્રદ્ધા છે. વ્યક્તિ પોતાના પરમ કાર્યની સંસિદ્ધિ અર્થે પોતાનાથી બનતું બધું જ કરી રહી છે એવા તેના આત્મવિશ્વાસથી ભિન્ન બીજી કોઈ શ્રદ્ધા સંભવતી નથી, અને બધા જ મહાન કવિઓને એવી શ્રદ્ધા પ્રેરતી રહે છે. એ સાથે જ વળી તેની શ્રદ્ધામાં તેની ઊંડી વિનમ્રતા પણ જોડાયેલી રહી છે. કેમ કે, તેને એ વાતનું ભાન હોય છે કે, છેવટે કૃતિનો નિર્ણય કંઈ તેણે પોતે કરવાનો નથી. બિલકુલ નિર્દંભ બની રહેવું, પોતે જે કંઈ કૌશલ્ય પ્રાપ્ત કરી શકે એમ હોય તેવા કૌશલ્યથી સંવર્ધિત કરેલી પોતાના ચિત્તની શક્તિઓ અને પ્રત્યક્ષો દ્વારા, જે સ્થિતિ શક્ય હોય ત્યાં પહોંચવું, અને એ રીતે કાળના ચુકાદા સામે ખડા રહેવું – વધુમાં વધુ સર્જક આટલું કરી શકે.
આ જાતની ભાવનાઓ પ્રગટ કરતું એક ગદ્યકાવ્ય મારી નોંધપોથીમાંથી મળે છે : મને શાંતિ આણી દ્યો, મને સત્તા આણી દ્યો, મારા અંતરને ખાતરી આપો. છેવટે મારા હાથ, જ્યાં શબ્દો પર શાસન કરી રહે, કોઈ ચિંતા જ્યાં મને સતાવતી ન રહે, એવા ઊજળા દિવસે, ઉચ્ચ ખુરશી પર, સદા મેજ પર મને પહોંચવા દો. એ સ્થાનોએ જો હું પહોંચી ન શકું તો, વરુઓ વચ્ચે હું જઈશ : એક સ્થળથી બીજા સ્થળમાં એક અનુભવથી બીજા અનુભવમાં વિચરતું ફરતું હું એક અજંપાગ્રસ્ત પ્રાણી છું.
મારા પોતાના સર્જનકાર્યના ઊંડા સમૃદ્ધ સંતોષથી હું એકાકી જિંદગી જીવી રહું, તિરસ્કાર કે અસ્વીકારના શબ્દથી સંશયગ્રસ્ત ન બની જાઉં, તે માટે મને નિર્ણયશક્તિ અને વિનમ્રતા અર્પો.
તમારી કૃતિમાં તમે જેને ચાહો છો તે સમગ્ર વિશ્વની પૂર્ણતા અને ભરચકતા જો સિદ્ધ થઈ શકી હોય તો, છેવટના વિશ્લેષણમાં તમારી કૃતિ સારી છે કે નહીં તેનો વિચાર કરશો નહીં.
ગીત-ગુંજન :
‘અંતઃપ્રેરણા’ અને ‘ગીત-ગુંજન (song) એ કવિની બે મૌલિભૂત અને સંસિદ્ધ એવી આંતરિક શક્તિ છે, જે તેના કાર્યને અન્ય કાર્યોથી અલગ પાડે છે, ‘અંતઃપ્રેરણા’ જે તેને પ્રાપ્ત થતો એવો એક અનુભવ છે, જે તેને એકાદ પંક્તિ કે વિચાર અર્પે; અથવા, તેની ઉત્તમ કૃતિ રચાઈ જાય તેવી ભાવસ્થિતિ પણ રચી આપે. પણ ‘ગીતગુંજન’(song)ની વ્યાખ્યા કરવાનું તો અત્યંત મુશ્કેલ છે. આ ‘ગીતગુંજન’ એક એવું સંગીત છે, જે હજી ન ચિંતવેલી કવિતા ધારણ કરી રહે છે – કવિના સંવિદ્માં હંમેશ પડી રહેલું એ એક એવું ખાલી ગર્ભાશય છે, જે હંમેશ અંકુરયુક્ત બીજની પ્રતીક્ષા કરતું હોય છે.
કેટલીક વાર હું તંદ્રાવસ્થામાં પડ્યો હોઉં ત્યારે, મારા ચિત્તમાં થઈને – જેને હજી કોઈ અર્થ પ્રાપ્ત થયો નથી પણ કેવળ ધ્વનિ ધારણ કર્યો છે – ભાવનો ધ્વનિસંકેત ધારણ કર્યો છે અથવા, જે કવિતાને હું ઓળખું છું તેને જેનો ધ્વનિ આમંત્રે છે – એવા શબ્દોની હારને વિશે હું સભાન બની જાઉં છું. વળી કેટલીક વાર હું લખવામાં રોકાયો હોઉં છું ત્યારે, જે શબ્દોને હું આકાર આપવા મથી રહું છું, તેનું ‘ગીતગુંજન’ જ મને એ શબ્દોથી દૂર અતીતના પ્રાંતમાં ખેંચી જાય છે; અને જેને હજુ શબ્દદેહ મળ્યો નથી તેવા લય નૃત્ય તાંડવ વિશે હું સભાન બની રહું છું.
આ બધાં અવલોકનો રજૂ કરતાં કવિઓની જીવનયાત્રામાં જેને વિરામસ્થાન ગણવામાં આવે છે તેવી, માથાદુઃખણાં ઉજાગરાઓ શરાબની મહેફિલો પ્રણયગોષ્ઠિઓ વગેરે બાબતોને અંગે મેં બહુ થોડી વાત કરી. કવિતા લખતી વેળા કૃતિ સફળ થતી લાગે ત્યારે, કવિના દેહમાં ઉત્કટ ભાવોદ્રેક જન્મે, અને એની સાથેસાથ જ મુક્તિ અને સમાધિસ્થ દશાનું જે ભાન જાગે, તે વિશે તો ક્યાંય કોઈ શંકાને સ્થાન જ નથી. બીજી બાજુ કવિતાલેખનમાં મને ભય પણ લાગે છે. એ માટે નીચેનાં કારણો મને સમજાયાં છે : કવિતા એક ભયંકર સફર છે, કલ્પનાશક્તિના એકકેન્દ્રી પ્રવર્તન માટેની એ યાતનાભરી મથામણ છે; વળી શબ્દોનું માધ્યમ એક અતિ મુશ્કેલ માધ્યમ છે; અને કેટલીક વાર એમ પણ બને કે, અમુક એક વસ્તુ સ્પષ્ટ રૂપમાં કહેવાની મથામણમાં કવિએ દિવસોના દિવસો ગાળ્યા હોય, અને છતાંય તેણે જે કહ્યું, તે સાવ નીરસ જ વસ્તુ બની આવી છે, એમ તેને સમજાય. સૌથી મહત્ત્વની વાત તો એ કે, કવિતાનું લેખન કવિને પોતાની જ વ્યક્તિતાનો, તેની સર્વ પરિચિત અને જરઠ મર્યાદાઓ સમેત, સામનો કરવાના પ્રસંગો આણે છે. અસ્તિત્વના બીજા હરેક તબક્કામાં વ્યક્તિ પરંપરાગત રૂઢ રીતિનીતિને અનુસરી શકે, પોતાના મિત્રો જોડે તે નમ્રતાથી વર્તે, પોતાની ઑફિસમાં દિવસના કામકાજ તે આટોપી રહે; અમુક રીતનો દેખાવ તે ધારણ કરી રહે; સમાજમાં પોતાના સ્થાન વિશે બીજાઓનું ધ્યાન ખેંચી રહે. ટૂંકમાં આવા બધા પ્રસંગે કેવળ બીજા માનવીઓ જોડે તે કામ પાડતો હોય છે; કવિતામાં તે ઈશ્વરની સામે સીધો મુકાબલો કરે છે.
સામાન્ય રીતે જ્યારે હું કવિતા પૂરી કરું ત્યારે, મને એમ લાગે કે ‘આ જ મારી સર્વોત્તમ કૃતિ છે.’ અને તરત જ એને પ્રગટ કરવાની હું ઇચ્છા કરું છું. એનું આંશિક કારણ એ છે કે, મારે કશુંક નવું કહેવાનું હોય છે અને આગળ મેં જે કંઈ કહ્યું હોય તેથી એ વધુ મૂલ્યવત્તાવાળું છે, એમ મને લાગ્યું હોય ત્યારે જ તે મેં લખ્યું છે; અને બીજું આંશિક કારણ એ પણ ખરું કે, વર્તમાન અને ભાવિ વિશેનો મારો આશાવાદ મને મારા ભૂતકાળને તિરસ્કારવા પ્રેરે છે. એટલે એક કવિતા પૂરી થાય કે પછી થોડા જ દિવસોમાં મારા ભૂતકાળના બીજા અને વ્યર્થ પ્રયત્નોની વચ્ચે – જે બધા ગ્રંથોને હું ઉઘાડવા ઇચ્છતો હોતો નથી તેની વચ્ચે – હું એને ધકેલી દઉં છું.
મેં લખેલી કવિતાઓમાંથી મને કદાચ મહત્તમ આનંદ જો ક્યારેય પણ મળ્યો હોય, તો તે એવે પ્રસંગે કે, જ્યારે મારી સમક્ષ રજૂ થતી અમુક કાવ્યપંક્તિઓનું પઠન હું સાંભળું અને એ ક્ષણે એના કર્તાની સાચી ઓળખ મને ન હોય, અને એ ‘કેટલી સુંદર! કેટલી હૃદયસ્પર્શી!’ એમ હું અનુભવી રહું તે પછી જ મને ખબર પડે કે એ મારી પોતાની જ પંક્તિઓ હતી!
બીજા સર્જકોની જેમ, આકરા વિવેચનથી મને કશી જ અસર થઈ નથી, એવો હું દેખાવ કરું છું; જ્યારે હકીકતમાં એવા વિવેચનથી હું અંદરથી એકદમ ક્ષુબ્ધ બની ગયો હોઉં છું. આથી ઊલટું, સમીક્ષક તરફથી પ્રશંસા થાય, ત્યારે વળી તે શેની વાત કરી રહ્યો છે તેની તેને ખબર જ નથી કે શું, એવો હંમેશાં સંશય જાગે છે. સર્જકો વિવેચનની બાબતમાં આટલા આકળા શા માટે? એનો આંશિક ઉત્તર એ કે, સંવેદનપટુ હોવું એ જ તો તેમનો ધર્મ છે; અને બીજી બધી બાબતમાં તેમ આ વિવેચનની બાબતમાંય તેઓ સંવેદનપટુ પુરવાર થતા હોય છે. અને એનું બીજું આંશિક કારણ એ પણ ખરું કે, ગંભીર વૃત્તિનો દરેક સર્જક તેના અંતરના ઊંડાણમાં તો પ્રતિષ્ઠા ચાહે છે, નહીં કે સફળતા. (સર હ્યુજ વૉલ્પૉલ એ મારી જાણમાંના જ સૌથી વધુ સફળ લેખકોમાંના એક લેખક છે, પણ તેઓ પોતાની પ્રતિષ્ઠા વિશે અત્યંત ખિન્નતા અનુભવ્યા કરતા, તે એટલા માટે કે ઉન્નતભૂ વાચકોને તે ગમતા નહોતા.) વળી મને તો ઊંડે ઊંડે એવોય વહેમ છે કે, દરેક સાહિત્યકાર છૂપી રીતે તો અન્ય કોઈકને અર્થે જ લખતો હોય છે; સંભવતઃ પોતાનાં માતાપિતા માટે કે પછી કોઈ ગુરુજન માટે – જેમણે તેને બાળપણમાં સ્વીકૃતિ આપી નહોતી! જે વિવેચક તેને એકદમ ‘સમજવાનો’ ઇનકાર કરે છે તે તેને આવી વ્યક્તિઓ જોડે એકરૂપ થતો લાગે, અને આવી એકાદ વ્યક્તિનો અસ્વીકાર ચાલુ રહે તો, ઘણા પ્રશંસકોનો ‘સમભાવ’ છતાં પણ એવા સર્જકના અંતરમાં જાગેલી કડવાશમાં વૃદ્ધિ જ થયા કરે છે.
ધીરે ધીરે સર્જકને એવી પ્રતીતિ થતી જાય છે કે, જેને તેની કૃતિ ગમે નહીં એવી એકાદ કોઈ વ્યક્તિ તો હંમેશ નીકળવાની જ. એ પછી જ કદાચ એ સર્જક પોતાની કળાપ્રવૃત્તિમાં જે કંઈ થઈ શકે એમ હોય તે કરવાની શ્રદ્ધા કેળવવાનો, પોતે જે કંઈ છે તેથી વિશેષ બનવાનો, અપેક્ષા બહુ ઓછી રાખીને ચાલવાનો, કવિતાના રહસ્યવિશ્વમાં શ્રદ્ધા સ્થાપવાનો – ક્રમશઃ જે સત્ય પરત્વેની રહસ્યયુક્ત ઉપાસનામાં વિકસે છે એવી શ્રદ્ધા સ્થાપવાનો – તે વિનમ્ર પ્રયત્ન કરે છે.
અને છતાં, કેવી તો નિષ્ફળતાઓ સર્જાતી હોય છે! અને વ્યક્તિને કેટકેટલો કાદવ ચોંટી જતો હોય છે! બીજાઓ દ્વારા નહીં, પોતાનું ભરણપોષણ મેળવવાની મથામણમાં જ એ કાદવ તેને લાગ્યો હોય છે! પોતાને મળેલા પત્રોના ઉત્તરો આપવા ન આપવાના ખ્યાલમાંથી એ ઊડી આવ્યો હોય, કે પછી પ્રજાકીય આંદોલનનું સમર્થન કરવું ન કરવું જેવી બાબતમાંથી એ ફેંકાયો હોય! તો, પછી એ કાદવ જેમાંથી મોતી નિર્માણ થઈ શકે એવા રેતીકણોનો એ બન્યો હોય, એટલી જ આપણે સૌ આશા રાખીએ.
પરિશિષ્ટ
(લેખમાં ઉલ્લેખાયેલી પંક્તિઓનો અનુવાદ)
[૧] રુધિરમાંસ અને ગુલાબોની ભાષા
[૨] એવાયે કેટલાક દિવસો ઊગે
જ્યારે
ખડકોની તળેટીમાં વિસ્તરેલો
સમુદ્ર સુપ્ત નિષ્કંપ
વીણાતંત્રીઓ શી જલે વીચિમાલાઓ
સૂર્યની અરુણી પ્રભામાં
(આખાય નીલગગનનો મર્મર
પ્રત્યેક મૌન)
જેના અવકાશોની વચમાં
આકાશ (અને ખેતર) વાડ અને ખેતર
અને નૌકાના પ્રત્યેક કલ્પન
વસે મધ્યાહ્નના વિશાળ વદન સરખા
(સુપ્ત)
ઉષ્ણતા બને જ્યારે ક્લાન્ત
ધરતીની બહાર મધ્યાહ્ન
નિશ્વાસ નાંખે
(આ તંત્રીઓ પર હસ્ત શો.
તંત્રીઓ રણઝણે)
એ તંત્રીઓ પર ફરે મૃદુ હસ્ત શો
(ત્યાં શી ઝંકૃતિ)
જેના અવકાશોની વચ્ચે ઝંકૃતિ ધરે
પ્રત્યેક પંખીનો ચિત્કાર
શ્વાનનો ભસભસાટ
માનવીનો સાદ અને
ધરતી અને આકાશમાંથી હલેસાંની વળીનો ચિંચવાટ
મધ્યાહ્ન સર્વ સંગીતનાદ સહ.
[૩] સૂર્યની અરુણી પ્રભામાં
જલે વીચિમાલાઓ
વીણાતંત્રીઓ શી
[૪] વીચિઓની તંત્રીઓ
જલે શું અગ્નિનાં ગૂઢ ગીતોથી
[૫] દિવસ જલે કંપતી વીણાતંત્રીઓમાં
સોનલવરણું ગીત અનંત
આંખોમાં
[૬] દિવસ પ્રોજ્જ્વલ
તેના કંપતા તંત્રીઓ પરે
ગુંજતું ગીત સોનલવરણું
આંખોમાં
[૭] દિવસ પ્રોજ્જ્વલ
તેને જલતા તંત્રીઓ ઉપરે
સોનલવરણા સંગીતની વીચિમાલા શા
આંખોમાં
[૮] મધ્યાહ્ન જલે એની તંત્રીઓ પરે
આંજી દેતી સંગીતની ધારા આંખોને
[૯] મધ્યાહ્ન એની રોમહર્ષિણી તંત્રીઓને
સોનલ ઝાંય અર્પે
આંખો ચિત્ર શા નિઃશબ્દ સંગીતને
[૧૦] એવાયે કેટલાક દિવસો ઊગે
જ્યારે
ભૂમિખંડની તળેટીમાં
આનંદમગ્ન સમુદ્ર સુપ્ત
અઝંકૃત
કો વીણાતંત્રી શો
મધ્યાહ્ન એની સર્વ મૌન તંત્રીઓને
સોનલ ઝાંય અર્પે
આંખોના જલતા સંગીતમહીં
એ સુસંવાદી વહ્નિરેખાઓ વચ્ચેના
માર્ગો ઝીલે પ્રતિબિંબો
ગુલાબો, અશ્વો, શિખરટોચ
–થી બોજિલ
વિહરે કિનારો
સિંધુના જળરાશિમાં
પ્રલંબિત પ્રતિમા શો રેતીના ચાસ પરે
[૧૧] ...ટેકરીની ટોચે
પોતાના વિશાળ આકાશને
આંબી લેતા પૂર્ણ સૂર્યનું જ્ઞાન –
ત્યાં વૃક્ષોમાં અને,
ફેંકે પોતાનું સ્મિત હરિયાળી પરે.
[૧૨] તેની આંખો
તેના ચિંતાગ્રસ્ત ચહેરામાં
પકડાયેલી ચળકતી માછલી શી, જાળમાં
ઝુલ્ફાં તેનાં ઉન્મત્ત રમ્ય
રચે આભા તેનાં લમણાંઓની આસપાસ
દક્ષિણના સૂર્યની અજબની જ્વાલા શી.
શિશુની ઝંખનામાં પ્રગટે તેની મત્તતા
કેટલીક વાર,
ક્યારેક તો, વર્ષોમાં એકાદ જ વાર.
તેની વિચરતી અંગુલીઓ નમી રહે
કો પુષ્પગુચ્છ રચવાને,
અને પછી પોતાના હાથોમાં
થંભે અને રુચે, તેની સમસ્ત જિંદગી
ગ્રંથ, સપ્ટે ૭૭.
- ↑ સ્પેન્ડરે રચનાપ્રક્રિયાના વિચારો સ્પષ્ટ કરતાં પોતાની કેટલીક કાવ્યપંક્તિઓ ઉદાહરણ રૂપે આ લેખમાં મૂકી છે. આ અનુવાદમાં એના મૂળના અંગ્રેજી પાઠો રાખ્યા છે. અંતે પરિશિષ્ટમાં એના ગુજરાતી છાયાનુવાદો આપ્યા છે. – પ્ર.