32,222
edits
(+1) |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 34: | Line 34: | ||
હવે આજ કાલ જેને આપણા ગુજરાતમાં કાવ્ય માનવામાં આવે છે, તેને લગતા એકાદ દોષનું વિવેચન કરીએ, કાવ્ય કોને કહેવું તેનો નિયમ લોકના સમજવામાં નથી ને તેથી જેમાં પ્રાસ મળે તેવું પિંગલના નિયમ પ્રમાણે રચેલું કાંઇ પણ અર્થવાળું ખોખું હોય તેને લોકો કાવ્ય અથવા કવિતા માને છે. છેડે અનુપ્રાસ લાવવાથીજ કાવ્ય બનતું નથી, તેમ જેમાં અનુપ્રાસ ન હોય તે કાવ્ય મટી જતું નથી. કાવ્ય રસવાળું હોય અને વળી અનુપ્રાસ પણ હોય તો લખનારની એટલી વધારે ચતુરાઈ, પણ વગર કારણ શબ્દો વાપરીને પણ અનુપ્રાસ મેળવવા કે અર્થમાં સહજ હાનિ થાય પણ તેમજ કરવું એતો કવિનો ધર્મ નહિ. દલપતરામ પાસે શીખેલા બધા કવિ થનારા એમ માને છે કે ગમે તેમ કરી અનુપ્રાસ લાવ્યા કે કાવ્ય બન્યું પણ તે કેવળ ભુલ ભરેલો વિચાર છે, ને તેમ કરતાં કેવી હાનિ થાય છે તેનાં ઉદાહરણ આ ગ્રંથમાંથી પણ મળે છેઃ— | હવે આજ કાલ જેને આપણા ગુજરાતમાં કાવ્ય માનવામાં આવે છે, તેને લગતા એકાદ દોષનું વિવેચન કરીએ, કાવ્ય કોને કહેવું તેનો નિયમ લોકના સમજવામાં નથી ને તેથી જેમાં પ્રાસ મળે તેવું પિંગલના નિયમ પ્રમાણે રચેલું કાંઇ પણ અર્થવાળું ખોખું હોય તેને લોકો કાવ્ય અથવા કવિતા માને છે. છેડે અનુપ્રાસ લાવવાથીજ કાવ્ય બનતું નથી, તેમ જેમાં અનુપ્રાસ ન હોય તે કાવ્ય મટી જતું નથી. કાવ્ય રસવાળું હોય અને વળી અનુપ્રાસ પણ હોય તો લખનારની એટલી વધારે ચતુરાઈ, પણ વગર કારણ શબ્દો વાપરીને પણ અનુપ્રાસ મેળવવા કે અર્થમાં સહજ હાનિ થાય પણ તેમજ કરવું એતો કવિનો ધર્મ નહિ. દલપતરામ પાસે શીખેલા બધા કવિ થનારા એમ માને છે કે ગમે તેમ કરી અનુપ્રાસ લાવ્યા કે કાવ્ય બન્યું પણ તે કેવળ ભુલ ભરેલો વિચાર છે, ને તેમ કરતાં કેવી હાનિ થાય છે તેનાં ઉદાહરણ આ ગ્રંથમાંથી પણ મળે છેઃ— | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{hi|1.25em|(૧) નૃપલોચન રવિ શશિ નિરખી, તનમન કમળ કુમુદ,<br>એકસમે વિકસિત ઉભય, ખરૂં અદ્ભુત એ ખુદ. પા. ૩ }} | |||
{{hi|1.25em|(૨) નિરખી ઉમર નાની પ્રબળ બહુરાજી મહંમદ બેગડો,<br>ઇલકાબ આપ્યો રાઓને વળી દિવ્ય યશ ભરી દેગડો. પા. ૫૦}} | |||
{{hi|1.25em|(૩) ઇંદ્રપ્રયાણ તક દેવ પ્રહર્ષનાદ,<br>જાણે થયો અધિક ગંભીર નિર્વિવાદ. પા. ૫૯}} | |||
{{hi|1.25em|(૪) કટિએ રાખી કમાન મનોહર ખટકો મનથી ખસેડી, <br>પરમ રમ્ય પરિધાન કરી ઉભી લીલું ગવન શું લેડી. પા. ૧૨૨}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ચાર ઉદાહરણજ આપણે જે કહેવાનું છે તે માટે પૂરતાં છે. પ્રથમમાં ‘ખુદ’ શબ્દ વડે અનુપ્રાસ તો મળ્યો પણ અર્થમાં કાંઈ ઉમેરો ન થતાં, ઉલટું એ નકામા શબ્દને લીધે કવિતા ઘણી સારી છતાં તેનું સ્વારસ્ય કાંઇક મંદ પડ્યું. બીજામાં ‘દેગડો’, વડે પ્રાસ સચવાયો, પણ કાવ્ય ઉપહાસ કરવા જેવું થઇ રહ્યું. અમે નથી ધારતા કે કચ્છરાયને બેગડે, દેગડોજ પ્રત્યક્ષ આપ્યો હોય, એમ હોય તો તો વાત બેસે ખરી, પણ એમ ન હોય તો ‘યશનો દેગડો’ એવી નવી વાત્ત ઉઠાવવામાં અને જેમ તેમ પ્રાસ મેળવવામાં શું રહસ્ય હશે તે કવિ પોતે જાણે. યશને ફક્ત ‘દેગડામાંજ’ સમાય એવડો માનવામાં પણ કવિએ શી મહત્તા કરી? દેગડો શબ્દ લાક્ષણિક માની ‘ઘણો’ એમ અર્થે કરવાની અમારે ના નથી, પણ એવી લક્ષણા પ્રયોજન વિનાની છે. શબ્દપ્રયોગ કવિના હાથમાંજ છે, એટલે પ્રયોજન વિનાની લક્ષણા કરતાં ‘ઘણો’ એવા અર્થવાળો સ્પષ્ટ શબ્દ વાપરી અનુપ્રાસ પાછળ ન લોભાયા હોત તો સારૂં હતું. ત્રીજામાં ‘નિર્વિવાદ’ એ પદ વ્યર્થ છે, એટલે એની ગતિ પ્રથમ ઉદાહરણના જેવીજ સમજવી; ‘અધિક’ ‘ગંભિર’ એમ રહ્યા પછી ‘નિર્વિવાદ’ એમ કહેવું વ્યર્થ હોઇ કાવ્યત્વને હાનિ કર્તા છે. ચોથા ઉદાહરણમાં ‘લેડી’ શબ્દવડે પ્રાસ સાચવ્યો છે. ‘લેડી’ શબ્દ અંગરેજી છે ને તેનો માયનો કવિ પોતેજ નોટમાં આપે છે કે ‘ગૃહસ્થની સ્ત્રી,’ પણ આ પરભાષાના શબ્દને આપણી મરજી મુજબ અર્થ કરી વાપરી શકાય નહિ. ફક્ત પ્રાસ સાચવવા માટે લેડી શબ્દનો ગુજરાતમાં ચાલતો પ્રસિદ્ધ અર્થ ‘યુરોપીઅન ગૃહસ્થની સ્ત્રી’ તે બદલી ‘ગૃહસ્થની સ્ત્રી, લખવો એ ખોટું છે. લેડી શબ્દનો અર્થ ગમે તે ગૃહસ્થની સ્ત્રી એવો જે થાય તો જે દોષ અમે બતાવવા માગીએ છીએ તે નહિ આવે. પણ તે વેળે અમે એ દોષ મુકીશું કે શબ્દ પ્રયોગ તમારે સ્વાધીન છતાં, જેનો અર્થ વિનાકારણ ફેરવવો પડે, અર્થાત્ જેમાં નિષ્પ્રયોજન લક્ષણાનો આશ્રય કરવો પડે, એવો ‘લેડી’ શબ્દ ફક્ત પ્રાસનેજ માટે ન વાપરતાં બીજો શબ્દવાપર્યો હોત તો શો બાધ હતો? જો ‘લેડી’ શબ્દનો રૂઢ અર્થ ‘યુરોપીઅન ગૃહસ્થની સ્ત્રી, એ માન્ય રાખો તો તો દોષ ખુલ્લોજ છે, કેમકે તે સ્ત્રીઓ ‘લીલું ગવન, પહેરતી નથી, કે લીલું ગવન પહેરનારી, ‘લેડી’ કહેવાતી નથી. આમ પ્રાસ માત્રને વળગી રહેવાથી હાલના કવિઓ અનેક ભૂલો કરે છે, પણ સમજતા નથી કે પ્રાસ મેળવવા એનુંજ નામ કાવ્ય નથી. | આ ચાર ઉદાહરણજ આપણે જે કહેવાનું છે તે માટે પૂરતાં છે. પ્રથમમાં ‘ખુદ’ શબ્દ વડે અનુપ્રાસ તો મળ્યો પણ અર્થમાં કાંઈ ઉમેરો ન થતાં, ઉલટું એ નકામા શબ્દને લીધે કવિતા ઘણી સારી છતાં તેનું સ્વારસ્ય કાંઇક મંદ પડ્યું. બીજામાં ‘દેગડો’, વડે પ્રાસ સચવાયો, પણ કાવ્ય ઉપહાસ કરવા જેવું થઇ રહ્યું. અમે નથી ધારતા કે કચ્છરાયને બેગડે, દેગડોજ પ્રત્યક્ષ આપ્યો હોય, એમ હોય તો તો વાત બેસે ખરી, પણ એમ ન હોય તો ‘યશનો દેગડો’ એવી નવી વાત્ત ઉઠાવવામાં અને જેમ તેમ પ્રાસ મેળવવામાં શું રહસ્ય હશે તે કવિ પોતે જાણે. યશને ફક્ત ‘દેગડામાંજ’ સમાય એવડો માનવામાં પણ કવિએ શી મહત્તા કરી? દેગડો શબ્દ લાક્ષણિક માની ‘ઘણો’ એમ અર્થે કરવાની અમારે ના નથી, પણ એવી લક્ષણા પ્રયોજન વિનાની છે. શબ્દપ્રયોગ કવિના હાથમાંજ છે, એટલે પ્રયોજન વિનાની લક્ષણા કરતાં ‘ઘણો’ એવા અર્થવાળો સ્પષ્ટ શબ્દ વાપરી અનુપ્રાસ પાછળ ન લોભાયા હોત તો સારૂં હતું. ત્રીજામાં ‘નિર્વિવાદ’ એ પદ વ્યર્થ છે, એટલે એની ગતિ પ્રથમ ઉદાહરણના જેવીજ સમજવી; ‘અધિક’ ‘ગંભિર’ એમ રહ્યા પછી ‘નિર્વિવાદ’ એમ કહેવું વ્યર્થ હોઇ કાવ્યત્વને હાનિ કર્તા છે. ચોથા ઉદાહરણમાં ‘લેડી’ શબ્દવડે પ્રાસ સાચવ્યો છે. ‘લેડી’ શબ્દ અંગરેજી છે ને તેનો માયનો કવિ પોતેજ નોટમાં આપે છે કે ‘ગૃહસ્થની સ્ત્રી,’ પણ આ પરભાષાના શબ્દને આપણી મરજી મુજબ અર્થ કરી વાપરી શકાય નહિ. ફક્ત પ્રાસ સાચવવા માટે લેડી શબ્દનો ગુજરાતમાં ચાલતો પ્રસિદ્ધ અર્થ ‘યુરોપીઅન ગૃહસ્થની સ્ત્રી’ તે બદલી ‘ગૃહસ્થની સ્ત્રી, લખવો એ ખોટું છે. લેડી શબ્દનો અર્થ ગમે તે ગૃહસ્થની સ્ત્રી એવો જે થાય તો જે દોષ અમે બતાવવા માગીએ છીએ તે નહિ આવે. પણ તે વેળે અમે એ દોષ મુકીશું કે શબ્દ પ્રયોગ તમારે સ્વાધીન છતાં, જેનો અર્થ વિનાકારણ ફેરવવો પડે, અર્થાત્ જેમાં નિષ્પ્રયોજન લક્ષણાનો આશ્રય કરવો પડે, એવો ‘લેડી’ શબ્દ ફક્ત પ્રાસનેજ માટે ન વાપરતાં બીજો શબ્દવાપર્યો હોત તો શો બાધ હતો? જો ‘લેડી’ શબ્દનો રૂઢ અર્થ ‘યુરોપીઅન ગૃહસ્થની સ્ત્રી, એ માન્ય રાખો તો તો દોષ ખુલ્લોજ છે, કેમકે તે સ્ત્રીઓ ‘લીલું ગવન, પહેરતી નથી, કે લીલું ગવન પહેરનારી, ‘લેડી’ કહેવાતી નથી. આમ પ્રાસ માત્રને વળગી રહેવાથી હાલના કવિઓ અનેક ભૂલો કરે છે, પણ સમજતા નથી કે પ્રાસ મેળવવા એનુંજ નામ કાવ્ય નથી. | ||
આ ગ્રંથપર અમે આટલું લાબું અને જરા વિશેષ ચુંથાચુંથથી વિવેચન આપ્યું તેથી એમ સમજાવવાની અમારી મરજી ન જાણવી કે ગ્રંથ ખરાબ છે. જેમાં કાંઇ ગુણ હોય તેનેજ દોષ બતાવી સુધારવાની ઇચ્છા થાય, કે તે આગળ જતાં વધારે ગુણવાન નીપજે એ ન્યાયને અનુસરી અમે આ વિવેચન કરેલું છે; ને ગ્રંથકર્તાને સર્વથા વિશેષ કવિત્વનું સામર્થ્ય થાય એમ ઇચ્છીએ છીએ. એમને ભાષાને સંસ્કાર તો શુદ્ધ અને વિમલ છે. એ વાત પણ સ્તુતિપાત્ર છે; તેમ કાવ્ય રચવામાં પણ સરલતા સારી છે. આ લખનારના આ એક ગ્રંથપર આટલું લખ્યા પછી રાઓશ્રીનાં લગ્ન વર્ણનનો જે એમનો ગ્રંથ છે તે વિષે પ્રથક્ વિચાર જણાવવાની અમે જરૂર જોતા નથી. એ ગ્રંથ પણ આ ગ્રંથની પેઠે કેવલ વર્ણનનોજ છે એટલે આમાં ને તેમાં વિષય સરખો છે; ને આ ગ્રંથપર વાત કરતાં જે નિયમ બતાવ્યા તે તેને પણ લાગુ છે. | આ ગ્રંથપર અમે આટલું લાબું અને જરા વિશેષ ચુંથાચુંથથી વિવેચન આપ્યું તેથી એમ સમજાવવાની અમારી મરજી ન જાણવી કે ગ્રંથ ખરાબ છે. જેમાં કાંઇ ગુણ હોય તેનેજ દોષ બતાવી સુધારવાની ઇચ્છા થાય, કે તે આગળ જતાં વધારે ગુણવાન નીપજે એ ન્યાયને અનુસરી અમે આ વિવેચન કરેલું છે; ને ગ્રંથકર્તાને સર્વથા વિશેષ કવિત્વનું સામર્થ્ય થાય એમ ઇચ્છીએ છીએ. એમને ભાષાને સંસ્કાર તો શુદ્ધ અને વિમલ છે. એ વાત પણ સ્તુતિપાત્ર છે; તેમ કાવ્ય રચવામાં પણ સરલતા સારી છે. આ લખનારના આ એક ગ્રંથપર આટલું લખ્યા પછી રાઓશ્રીનાં લગ્ન વર્ણનનો જે એમનો ગ્રંથ છે તે વિષે પ્રથક્ વિચાર જણાવવાની અમે જરૂર જોતા નથી. એ ગ્રંથ પણ આ ગ્રંથની પેઠે કેવલ વર્ણનનોજ છે એટલે આમાં ને તેમાં વિષય સરખો છે; ને આ ગ્રંથપર વાત કરતાં જે નિયમ બતાવ્યા તે તેને પણ લાગુ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|મે—૧૮૮૭.}} | {{right|મે—૧૮૮૭.}}<br> | ||
<hr> | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||