19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| દવ તો લાગેલ | }}") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading| દવ તો લાગેલ | }} | {{Heading| દવ તો લાગેલ | }} | ||
{{Block center|<poem> | |||
'''દવ તો લાગેલ ડુંગરિયે,''' | |||
{{right|'''કહોને ઓધાજી, હવે કેમ કરીએ?'''}} | |||
{{right|'''દવ તો લાગેલ ડુંગરિયે.'''}} | |||
'''હાલવા જઈએ તો વહાલા, હાલી ન શકીએ,''' | |||
{{right|'''બેસી રહીએ તો અમે બળી મરીએ-'''}} | |||
'''આ રે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા,''' | |||
{{right|'''પરવરતીની પાંખે અમે ફરીએ-'''}} | |||
'''સંસાર-સાગર મહાજળ ભરિયો, વહાલા,''' | |||
{{right|'''બાંધેડી ઝાલો નીકર બૂડી મરીએ-'''}} | |||
'''બાઈ મીરાં કે' પ્રભુ ગિરિધર નાગર,''' | |||
{{right|'''ગુરુજી તારો તો અમે તરીએ,'''}} | |||
{{right|'''દવ તો લાગેલ ડુંગરિયે.'''}} | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
આ ભજનમાં આવતા ‘ડુંગરિયે દવ’ વિશે પ્રશ્ન ઉઠાવવામાં છે કે તે ભગવદ્-વિરહનો દાવાનળ છે કે સંસારની અસારતાનો? આ ભજન વૈરાગ્યનું છે કે વિરહનું? ભજનમાં ઓધાજીને સંબોધન છે એ જ દર્શાવે છે કે કૃષ્ણ-વિરહમાં વ્રજની જે અવસ્થા થઈ છે એનું અહીં વર્ણન છે. ઉદ્ધવના જ્ઞાન સંદેશ સામે ગોપીઓના પ્રેમાનલની કથની જાણીતી છે. પણ જ્ઞાનાગ્નિ, વિરહાગ્નિ કે પ્રાણાગ્નિ જાગે છે ત્યારે એકસરખી જ સ્થિતિ થાય છે. જ્ઞાનાગ્નિમાં આત્મચિંતન, પ્રાણાગ્નિમાં શક્તિતત્ત્વ અને પ્રેમાગ્નિમાં ભગવદ્-સ્વરૂપ રાહાયક બને છે. વિરહમાં બધું ભસ્મીભૂત થઈ જાય ત્યારે એકમાત્ર અવલંબન ભગવાનનું સ્મરણ રહે છે. ‘કોને, કેમ કરીએ?' એ પ્રશ્નમાં કેવી અસહાય આંખોનો પ્રાણપ્રશ્ન છે? જગદીશ વિના જગત સ્મશાન બની ગયું છે અને જગદીશને તો કાંઈ બળજબરીથી બોલાવી શકાતા નથી. ગૌરાંગનું કથન છે : | |||
{{Poem2Close}} | |||
{{center|'''શૂન્યાયિતં જગત્ સવ ગોવિન્દવિરહેણ મે.'''}} | |||
{{Poem2Open}} | |||
‘ગોવિન્દના વિરહથી સારુંયે જગત મને શૂન્ય ભાસે છે.' તો પછી, હવે શું કરવું? એનો આ મનોમન પ્રલાપ : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''કાહાં મોર પ્રાણનાથ મુરલીવદન?''' | |||
{{right|'''કાહાં કરૌં કાહાં પાઓં વ્રજેન્દ્રનન્દન?'''}} | |||
'''કાહા રે કહિબ? બા જાને મોર દુઃખ?''' | |||
{{right|'''વ્રજેન્દ્રનન્દન બિના ફાટે મોર બુક.'''}} | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
મારા પ્રાણેશ્વર મુરલી મોહન ક્યાં છે? હું શું કરું? મને નંદલાલ ક્યાં મળે? કોને વાત કરું? કોણ મારું દુઃખ જાણશે? વ્રજલાલ વિના મારી છાતી ફાટી જાય છે.' | |||
કૃષ્ણની વિદાય પછી વ્રજવાસીની જે સ્થિતિ થઈ તે ‘ડુંગરિયે દવ’માં વ્યક્ત થઈ છે. વનમાં આગ લાગે તો વનવાસી ડુંગર ૫ર ચડી પ્રાણ બચાવે. પણ ડુંગરા જ ભડકે બળવા લાગે તો? વ્રજનો એકમાત્ર આધાર અને આનંદ હતા કૃષ્ણ ગોપાલ. એ તો મથુરા ચાલ્યા ગયા. એ જતાં જાણે ડુંગરિયે દવ લાગી ગયો. ‘સૂરના હેમિયા'ને નામે જાણીતા દુહામાં આવો જ વાક્ય પ્રયોગ છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''‘લાગેલ હત લા, તો આડા પડીને ય ઓલવત,''' | |||
'''આ તો સળગી ગર્ય સગા, હેમિયા ડુંગર હૂકળ્યા.''' | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
જો અંગમાં લ્હાય લાગી હોત તો આડા પડી, આળોટીને તેને ઓલવી નાખત. પણ આ તો સમૂકી ગીર સળગી ઊઠી, હેમિયા, ડુંગર જ ભડભડ બળવા લાગ્યા.' | |||
એક તો અસહ્ય અવસ્થા અને વળી એ પણ કેવી અસહાય? | |||
{{Poem2Close}} | |||
{{HeaderNav2 | |||
|previous = ચંદની રાત | |||
|next = ઉપાડી ગાંસડી | |||
}} | |||
edits