ભજનરસ/શાં શાં રૂપ વખાણું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 47: Line 47:
ત્રિગુણનો ત્રાગડો તૂટે ત્યારે જ પરમનું પ્રાગટ ફૂટે.
ત્રિગુણનો ત્રાગડો તૂટે ત્યારે જ પરમનું પ્રાગટ ફૂટે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''નૂરત સૂરતની શેરીએ... મુજ મન મોહ્યું'''}}
{{Poem2Open}}
નૂરતા, નિઃરત અવસ્થા એટલે કે ઘટવૈરાગ્ય, અને સૂરતા, સૂરત અવસ્થા એટલે કે પરમાત્મામાં તલ્લીનતા, એવી સાંકડી શેરી છે જેમાં સાજન સામે મળે છે. જગત લય પામતાં પામતાં ચિત્ત જ્યારે જગદીશમાં લયલીન બને ત્યારે આ શેરીને નાકે જ આપણું અનભે ઘર દેખાય છે. સાધુઓ નૂરત-સૂરત શબ્દો પર રમત કરતાં કહે છે કે આંખે તેનું નૂર અને કાને તેનો સૂર એકીસાથે જાગી ઊઠે ત્યારે અસલ ઘર મળે. આ ઘરની રોશનીનો પાર નહીં, એના રંગને રંગ-બેરંગી થવાનો ભય નહીં. મન આપોઆપ એમાં મગ્ન બની જાય.
{{Poem2Close}}
{{center|'''વિના રે વાદળ... ચાંચે મોડું ધરિયું'''}}
{{Poem2Open}}
વાદળ વરસે ને સરોવર ભરાય, વીજળી ચમકે ને અંધકાર ભેદાય એવી રમણા ભૌતિક જગતમાં ચાલે છે. ત્યાં એકનો આધાર અન્ય પર રહે છે. પણ આ પ્રદેશથી પર એવો એક ચૈતન્યલોક છે. જેમાં પોતે જ પોતાનામાં ભરપૂર આનંદના જળ હિલોળા લે છે. આ સાયરજળમાં આતમ-હંસ કિલ્લોલ કરે છે. તેની સર્વ ક્રિયા એક ક્રીડા માત્ર છે. ક્લેશ કે કલહનું આ જગ્યાએ નામનિશાન નથી. મોતીનો ચારો ચરે છે આ ધવલ હંસ. એક ઉજ્વળતાથી ભર્યું ભર્યું જીવન વધુ ઉજ્જ્વળ આનંદનો આસ્વાદ લે છે. મોતીનો ચારો કરતા કે દૂધનું જ પાન કરતાં હંસનું દૃષ્ટાંત આપી અખો છાયારહિત, માયારહિત જીવનમુક્તની ઓળખ આપે છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
હંસલા ગુરુ દેવે સોનારા,
વ્યારા રહે દૂધ, પાનીકા પાની,
</poem>}}
{{Poem2Open}}
જગતના મિશ્રણમાંથી શુદ્ધ આનંદ મેળવવાની કળા માનસના હંસ પાસે છે.
{{Poem2Close}}
{{center|'''માનસરોવર... નહીં તો ખારો'''}}
19,010

edits