અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/પદપ્રાંજલિ ૫૨ (સાધો હરિવરના...): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદપ્રાંજલિ ૫૨ (સાધો હરિવરના...)|હરીશ મીનાશ્રુ}} <poem> ::સાધો હરિ...")
 
No edit summary
 
Line 20: Line 20:
જાગીને જોઉં તો જગત્ દીસે નહીં રે દોબારા
જાગીને જોઉં તો જગત્ દીસે નહીં રે દોબારા
</poem>
</poem>
{{HeaderNav2
|previous =પદપ્રાંજલિ ૩૪ (સાધો, એ શું મદિરા...)
|next = પદપ્રાંજલિ ૭૮ (સાધો હરિ સંગે...)
}}

Latest revision as of 11:24, 28 October 2021


પદપ્રાંજલિ ૫૨ (સાધો હરિવરના...)

હરીશ મીનાશ્રુ

સાધો હરિવરના હલકારા
સાંઢણીએ ચઢી હલકથી આવે, લઈ ચલે બાવન બ્હારા.

અમે સંતનો સોબતિયા
નહીં જાદુગર કે જોશી
ગુજરાતી ભાષાના નાતે
નરસિંહના પાડોશી

એની સંગે પરસ્નેહથી વાડકીના વ્યવહારા

ભાષા તો પળમાં જોગણ
ને પળમાં ભયી સુહાગી
શબદ એક અંતર ઝકઝોરે
ગયાં અમે પણ જાગી.

જાગીને જોઉં તો જગત્ દીસે નહીં રે દોબારા