પ્રતિપદા/પોતાની કેડી કંડારનારા કવિઓ – શિરીષ પંચાલ: Difference between revisions

No edit summary
No edit summary
 
(14 intermediate revisions by the same user not shown)
Line 38: Line 38:
{{Poem2Open}}જીવવિજ્ઞાન, પર્યાવરણ વિજ્ઞાનનો અભ્યાસ કરીને બેઠેલા યજ્ઞેશ દવેની કવિતા ગુજરાતી કવિતામાં એક સાવ નોખો અવાજ પ્રગટાવે છે. ઇતિહાસ, સંસ્કૃતિ, વિજ્ઞાન સાથેનો પ્રત્યક્ષ પરિચય જ નહીં પણ યુરોપ-અમેરિકાની સર્જકતાના પ્રત્યક્ષ પરિચયે યજ્ઞેશ દવેની કવિતાને સંકુલ અને અર્થસભર બનાવી છે. અછાંદસનાં જોખમો જાણીને પણ તેઓ આ બદલાતા સમયમાં છાંદસને બાજુ પર રાખે છે. તેમની કવિતામાંથી પસાર થનારને પ્રતીતિ થશે કે કવિતામાં કશું અસ્પૃશ્ય નથી અને સાથે સાથે કવિનો વ્યાપ કેટલો બધો હોવો જોઈએ એનો પણ ભાવકને ખ્યાલ આવશે. યજ્ઞેશ દવેની કવિતામાં પ્રાકૃતિક જગત અને સાંસ્કૃતિક જગત ઘણીવાર એકાએક જોવા મળશે પણ તેઓ ભાગ્યે જ કવિધર્મ ચૂકે છે. ઇન્દ્રિયજન્ય સંવેદનો (મોતીસરીનું વન)થી માંડીને છેક ઐતિહાસિક, સાંસ્કૃતિક, નૃવંશશાસ્ત્રીય સ્તર સુધીની યાત્રા બહુ ઓછા કવિઓમાં જોવા મળે છે. વળી જ્યારે કવિતામાં પૌરાણિક સંદર્ભો પ્રવેશે છે ત્યારે વર્તમાન અભિજ્ઞતા સાથે સહજ રીતે ગુંથાઈ જાય છે – એક રચનામાં કવિ દેવીઓની યાદી આપીને કહે છે –
{{Poem2Open}}જીવવિજ્ઞાન, પર્યાવરણ વિજ્ઞાનનો અભ્યાસ કરીને બેઠેલા યજ્ઞેશ દવેની કવિતા ગુજરાતી કવિતામાં એક સાવ નોખો અવાજ પ્રગટાવે છે. ઇતિહાસ, સંસ્કૃતિ, વિજ્ઞાન સાથેનો પ્રત્યક્ષ પરિચય જ નહીં પણ યુરોપ-અમેરિકાની સર્જકતાના પ્રત્યક્ષ પરિચયે યજ્ઞેશ દવેની કવિતાને સંકુલ અને અર્થસભર બનાવી છે. અછાંદસનાં જોખમો જાણીને પણ તેઓ આ બદલાતા સમયમાં છાંદસને બાજુ પર રાખે છે. તેમની કવિતામાંથી પસાર થનારને પ્રતીતિ થશે કે કવિતામાં કશું અસ્પૃશ્ય નથી અને સાથે સાથે કવિનો વ્યાપ કેટલો બધો હોવો જોઈએ એનો પણ ભાવકને ખ્યાલ આવશે. યજ્ઞેશ દવેની કવિતામાં પ્રાકૃતિક જગત અને સાંસ્કૃતિક જગત ઘણીવાર એકાએક જોવા મળશે પણ તેઓ ભાગ્યે જ કવિધર્મ ચૂકે છે. ઇન્દ્રિયજન્ય સંવેદનો (મોતીસરીનું વન)થી માંડીને છેક ઐતિહાસિક, સાંસ્કૃતિક, નૃવંશશાસ્ત્રીય સ્તર સુધીની યાત્રા બહુ ઓછા કવિઓમાં જોવા મળે છે. વળી જ્યારે કવિતામાં પૌરાણિક સંદર્ભો પ્રવેશે છે ત્યારે વર્તમાન અભિજ્ઞતા સાથે સહજ રીતે ગુંથાઈ જાય છે – એક રચનામાં કવિ દેવીઓની યાદી આપીને કહે છે –
<poem>તારી મુંડમાળામાં શોભે તેવા ચંડ મુંડ ચડે ઊતરે છે પગથિયાં  
<poem>તારી મુંડમાળામાં શોભે તેવા ચંડ મુંડ ચડે ઊતરે છે પગથિયાં  
::::સભાગારના સિંહાસનનાં.</poem>
સભાગારના સિંહાસનનાં.</poem>
{{Poem2Open}}ભાવકની ચેતના સમૃદ્ધ હોવી જોઈએ નહિતર આ પૌરાણિક સંદર્ભનો ખ્યાલ ન આવે, ‘સેકંડ કમીંગ’નો પણ ખ્યાલ ન આવે, વળી નજીકના ભૂતકાળનો કે સાંપ્રતનો ખ્યાલ ન હોય તો આવા સંદર્ભો પામવા મુશ્કેલ  બને.  
{{Poem2Open}}ભાવકની ચેતના સમૃદ્ધ હોવી જોઈએ નહિતર આ પૌરાણિક સંદર્ભનો ખ્યાલ ન આવે, ‘સેકંડ કમીંગ’નો પણ ખ્યાલ ન આવે, વળી નજીકના ભૂતકાળનો કે સાંપ્રતનો ખ્યાલ ન હોય તો આવા સંદર્ભો પામવા મુશ્કેલ  બને.  
દા.ત.{{Poem2Close}}
દા.ત.{{Poem2Close}}
Line 63: Line 63:
આ પ્રકારની રચનાઓ તેમના લય, તળપદ આલેખન, પરંપરાગત વિષયવસ્તુને કારણે લોકપ્રિય તો બને જ – એમાં ક્યારેક આલેખનરીતિને કારણે વિશેષ લોકપ્રિય થઈ જાય છે – ‘પપ્પા, હવે ફોન મૂકું’ આવી જ એક રચના છે. ઘર છોડીને બહાર ભણવા ગયેલી દીકરી સાથેનો જીવંત નાટ્યાત્મક સંવાદ અહીં છે. વાત સાવ સીધીસાદી અને એવી જ હૃદયસ્પર્શી, સામાન્ય માનવીના ભાવવિશ્વને અસમાન્ય રીતે સ્પર્શવાની ક્ષમતાને કારણે જ એ ઘરઆંગણે અને બહાર વિશેષ જાણીતી થઈ છે. અને જુઓ – ફોન પર થતી વાતચીતનો લય બરાબર પકડાયો છેઃ{{Poem2Close}}
આ પ્રકારની રચનાઓ તેમના લય, તળપદ આલેખન, પરંપરાગત વિષયવસ્તુને કારણે લોકપ્રિય તો બને જ – એમાં ક્યારેક આલેખનરીતિને કારણે વિશેષ લોકપ્રિય થઈ જાય છે – ‘પપ્પા, હવે ફોન મૂકું’ આવી જ એક રચના છે. ઘર છોડીને બહાર ભણવા ગયેલી દીકરી સાથેનો જીવંત નાટ્યાત્મક સંવાદ અહીં છે. વાત સાવ સીધીસાદી અને એવી જ હૃદયસ્પર્શી, સામાન્ય માનવીના ભાવવિશ્વને અસમાન્ય રીતે સ્પર્શવાની ક્ષમતાને કારણે જ એ ઘરઆંગણે અને બહાર વિશેષ જાણીતી થઈ છે. અને જુઓ – ફોન પર થતી વાતચીતનો લય બરાબર પકડાયો છેઃ{{Poem2Close}}
:::શું લીધું?  સ્કુટરને? ... ભારે ઉતાવળા...  શમ્મુ તો કે’તો’તો ફ્રિજ
:::શું લીધું?  સ્કુટરને? ... ભારે ઉતાવળા...  શમ્મુ તો કે’તો’તો ફ્રિજ
:::કેવા છો જિદ્દી? ...ને હપ્તા ને વ્યાજ... વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ.
::::::કેવા છો જિદ્દી? ...ને હપ્તા ને વ્યાજ... વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ.
{{Poem2Open}}એવી જ રીતે ‘રિસામણે જતી કણબણ’માં સાવ સામાન્ય પાત્રો, જીવનની અતિ પરિચિત ઘટનાઓ – પિયર અને સાસરા વચ્ચેનો વિરોધ ધારદાર અભિવ્યક્તિથી અને ચિત્રોથી આલેખાયો છે. ‘ઝાડવું ઝૂરે છે શા માટે વચ્ચોવચ?’ – કૃતિ જરા જુદા પ્રકારની છે. પ્રકૃતિના વિવિધ અંશો તેના ઝુરાપાથી અકળાયા છે – પ્રકૃતિગત અંશો એની વેદનાથી સ્પંદિત થયા છે.{{Poem2Close}}
{{Poem2Open}}એવી જ રીતે ‘રિસામણે જતી કણબણ’માં સાવ સામાન્ય પાત્રો, જીવનની અતિ પરિચિત ઘટનાઓ – પિયર અને સાસરા વચ્ચેનો વિરોધ ધારદાર અભિવ્યક્તિથી અને ચિત્રોથી આલેખાયો છે. ‘ઝાડવું ઝૂરે છે શા માટે વચ્ચોવચ?’ – કૃતિ જરા જુદા પ્રકારની છે. પ્રકૃતિના વિવિધ અંશો તેના ઝુરાપાથી અકળાયા છે – પ્રકૃતિગત અંશો એની વેદનાથી સ્પંદિત થયા છે.{{Poem2Close}}
<poem>‘તું તારી રીતે જા’નો આરંભ જુઓ
<poem>‘તું તારી રીતે જા’નો આરંભ જુઓ
::‘કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા
:‘કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા
:::: તું તારી રીતે જા...’
:: તું તારી રીતે જા...’</poem>
{{Poem2Open}}
પરંતુ જો કોઈ બંધિયાર વાતાવરણને વરવા માગતું હોય તો કવિ એને શીખ દે –
પરંતુ જો કોઈ બંધિયાર વાતાવરણને વરવા માગતું હોય તો કવિ એને શીખ દે –
::બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી
{{Poem2Close}}
::::ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી...
<poem>
બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી
ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી...,
</poem>
{{Poem2Open}}
પરંપરાગત ભજન જેવાં કાવ્યપ્રકારો પરનું પ્રભુત્વ ‘કોના હોઠે’ જેવી રચનામાં જોવા મળે છે.
પરંપરાગત ભજન જેવાં કાવ્યપ્રકારો પરનું પ્રભુત્વ ‘કોના હોઠે’ જેવી રચનામાં જોવા મળે છે.
::ધીરાં ધીરાં
{{Poem2Close}}
::::દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરા?
<poem>ધીરાં ધીરાં
::::::મ્હેક મ્હેકનાં થળથળ થાનક
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરા?
::::::::ઊઘડ્યાં  સૂરના પારિજાતક
મ્હેક મ્હેકનાં થળથળ થાનક
આવી રચનામાં સાવ સહજ રીતે આવી ચઢતાં ઇન્દ્રિયવ્યત્યયો વ્યત્યયો હોવાની સભાનતાનેય વિસારી દે છે. સાથે સાથે વધુ પડતી સ્પષ્ટતા કાવ્યના ધ્વનિને મોળો પાડે. ‘ક્યાં મેવાડ? ક્યાં ગોકુલ-મથુરા?’ કહ્યા પછી છેલ્લે ‘કોના હોઠેઃ માધવ માધવઃ કોના હોઠે મીરાં?’ કહેવાની કશી જરૂર ખરી?
ઊઘડ્યાં  સૂરના પારિજાતક
સામાન્ય રીતે આવી રચનાઓ ચિંતન, બોધ, નૈતિકતાના આલેખન કરવાની દિશા પકડતી નથી – પણ આ કવિની કેટલીક રચના સૂત્રોક્તિ સમાન લાગશે. ‘દીપ પેટાવ્યો નથી’માં આ પંક્તિઓ જુઓઃ
</poem>
::છેતરે છે જે સદા તે ભીડમાં મળશે નહીં
 
::::આપણી ભીતર કદાચિત એક ઠગ હોઈ શકે...
{{Poem2Open}}આવી રચનામાં સાવ સહજ રીતે આવી ચઢતાં ઇન્દ્રિયવ્યત્યયો વ્યત્યયો હોવાની સભાનતાનેય વિસારી દે છે. સાથે સાથે વધુ પડતી સ્પષ્ટતા કાવ્યના ધ્વનિને મોળો પાડે. ‘ક્યાં મેવાડ? ક્યાં ગોકુલ-મથુરા?’ કહ્યા પછી છેલ્લે ‘કોના હોઠેઃ માધવ માધવઃ કોના હોઠે મીરાં?’ કહેવાની કશી જરૂર ખરી?
::::::એમ ઓળખ નહિ મળે ટીકી ટીકી જોવા છતાં
સામાન્ય રીતે આવી રચનાઓ ચિંતન, બોધ, નૈતિકતાના આલેખન કરવાની દિશા પકડતી નથી – પણ આ કવિની કેટલીક રચના સૂત્રોક્તિ સમાન લાગશે. ‘દીપ પેટાવ્યો નથી’માં આ પંક્તિઓ જુઓઃ{{Poem2Close}}
::::::::જાતમાંથી નીકળેલો જણ અલગ હોઈ શકે...
<poem>છેતરે છે જે સદા તે ભીડમાં મળશે નહીં
અહીં પણ ક્યાંક વિષાદ-અવસાદ આલેખાય છે, પણ એને મલાવી મલાવીને અહીં રજૂ કર્યા નથી –
આપણી ભીતર કદાચિત એક ઠગ હોઈ શકે...
::ઓરાને પછવાડે માર્યાં છે તીર
એમ ઓળખ નહિ મળે ટીકી ટીકી જોવા છતાં
::::આઘેના મોકલે ત્યાં શીતળ સમીર...
જાતમાંથી નીકળેલો જણ અલગ હોઈ શકે...</poem>
ઓરા-અને-આઘેના દ્વારા થતી સંતુલનાનો પણ વિશેષ છે.
{{Poem2Open}}અહીં પણ ક્યાંક વિષાદ-અવસાદ આલેખાય છે, પણ એને મલાવી મલાવીને અહીં રજૂ કર્યા નથી –{{Poem2Close}}
આ અને આવી બીજી રચનાઓને આપણે આ નામે – તે નામે ઓળખાવીએ પણ કવિ તો કહેશેઃ
<poem>ઓરાને પછવાડે માર્યાં છે તીર
::તમે કહો છો ગીત ગઝલ પણ
આઘેના મોકલે ત્યાં શીતળ સમીર...</poem>
::::મારે મન તો એ જ કહુંબો...
{{Poem2Open}}ઓરા-અને-આઘેના દ્વારા થતી સંતુલનાનો પણ વિશેષ છે.
દરેક સર્જક પોતાનું એક નોખું કાવ્યવિશ્વ સર્જતો હોય છે, કદાચ બીજાના વિશ્વને તે આવકારે પણ ખરો અને ન પણ આવકારે. ભાવક તરીકે આપણને વધુ લાભ – જેટજેટલાં સર્જકવિશ્વો સામે આવે એ બધાં વડે આપણો ચૈત્યપુરુષ વધુ ને વધુ સમૃદ્ધ થતો રહે.  
આ અને આવી બીજી રચનાઓને આપણે આ નામે – તે નામે ઓળખાવીએ પણ કવિ તો કહેશેઃ{{Poem2Close}}
<poem>તમે કહો છો ગીત ગઝલ પણ
મારે મન તો એ જ કહુંબો...</poem>
{{Poem2Open}}દરેક સર્જક પોતાનું એક નોખું કાવ્યવિશ્વ સર્જતો હોય છે, કદાચ બીજાના વિશ્વને તે આવકારે પણ ખરો અને ન પણ આવકારે. ભાવક તરીકે આપણને વધુ લાભ – જેટજેટલાં સર્જકવિશ્વો સામે આવે એ બધાં વડે આપણો ચૈત્યપુરુષ વધુ ને વધુ સમૃદ્ધ થતો રહે.  
વીસમી સદીની છેલ્લી પચીસીમાં ગુજરાતી કાવ્યવિશ્વની ક્ષિતિજો વિસ્તરી. નારી ચેતના, દલિત ચેતના, આદિવાસી ચેતના સદીઓની ઉપેક્ષા પછી એનું જ્વલંત પ્રગટીકરણ થયું. અનુભૂતિ અને અભિવ્યક્તિના નવા પ્રદેશો ઊઘડ્યા. આ દલિત-પીડિત કવિઓના એક મહત્ત્વના પ્રતિનિધિ છે નીરવ પટેલ. ગુજરાતી કવિતામાં જોવા મળતી પશ્ચિમપરસ્તી સામે તેમને વાંધો છે, આધુનિક-અનુઆધુનિકનાં મહોરાં પહેરીને રચના કરતો કવિ તેમની દૃષ્ટિએ કૃતક છે – આ કવિનો અંગત દૃષ્ટિકોણ હોઈ આપણને તે સ્વીકાર્ય-અસ્વીકાર્ય હોઈ શકે.
વીસમી સદીની છેલ્લી પચીસીમાં ગુજરાતી કાવ્યવિશ્વની ક્ષિતિજો વિસ્તરી. નારી ચેતના, દલિત ચેતના, આદિવાસી ચેતના સદીઓની ઉપેક્ષા પછી એનું જ્વલંત પ્રગટીકરણ થયું. અનુભૂતિ અને અભિવ્યક્તિના નવા પ્રદેશો ઊઘડ્યા. આ દલિત-પીડિત કવિઓના એક મહત્ત્વના પ્રતિનિધિ છે નીરવ પટેલ. ગુજરાતી કવિતામાં જોવા મળતી પશ્ચિમપરસ્તી સામે તેમને વાંધો છે, આધુનિક-અનુઆધુનિકનાં મહોરાં પહેરીને રચના કરતો કવિ તેમની દૃષ્ટિએ કૃતક છે – આ કવિનો અંગત દૃષ્ટિકોણ હોઈ આપણને તે સ્વીકાર્ય-અસ્વીકાર્ય હોઈ શકે.
નીરવ પટેલની કવિતામાં આક્રોશ છે, પરંપરાએ, પ્રાચીન રૂઢિઓએ, શાસ્ત્રોએ માનવને માનવી તરીકે જોયો નહીં, એક વિશાળ જનસમૂહની ઉપેક્ષા થઈ. પણ ઇતિહાસ આવી ઉપેક્ષાઓને વેઠી શકતો નથી. કહેવાતા ઉજળિયાત વર્ગ દ્વારા થયેલા અન્યાય, શોષણને શોષિત-દલિતની આંખે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘડીભર આપણાં કાવ્યશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર, કાવ્યવિભાવનાને બાજુ પર રાખીને આવી પ્રતિબદ્ધ કવિતાનું જુદું કાવ્યશાસ્ત્ર ઊભું કરીએ તો? આપણી પરિધિમાં બધા જ પ્રકારનાં કાવ્યજગત આવવાં જોઈએ, એ જગત અભિધાનું, ક્યારેક વાચાળતાનું, ક્યારેક ‘ઘણ ઉઠાવ ભુજા માહરી’ જેવું કહેનારનું પણ હોઈ શકે. નીરવ પટેલની કવિતા હવે હાંસિયામાંથી બહાર આવી છે, સ્વાભાવિક રીતે તેમની કવિતામાં સદીઓથી ચાલી આવેલા અન્યાયો સામે માથું ઊંચકનારની ફરિયાદ તારસ્વરે સંભળાય છે. અહીં પછાત હોવાની વેદના નથી પણ વારેવારે ‘તમે પછાત’ સાંભળ્યા કરવાની વેદના મુખરિત થઈ છે. દા.ત. ‘નામશેષ’ રચના.
નીરવ પટેલની કવિતામાં આક્રોશ છે, પરંપરાએ, પ્રાચીન રૂઢિઓએ, શાસ્ત્રોએ માનવને માનવી તરીકે જોયો નહીં, એક વિશાળ જનસમૂહની ઉપેક્ષા થઈ. પણ ઇતિહાસ આવી ઉપેક્ષાઓને વેઠી શકતો નથી. કહેવાતા ઉજળિયાત વર્ગ દ્વારા થયેલા અન્યાય, શોષણને શોષિત-દલિતની આંખે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘડીભર આપણાં કાવ્યશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર, કાવ્યવિભાવનાને બાજુ પર રાખીને આવી પ્રતિબદ્ધ કવિતાનું જુદું કાવ્યશાસ્ત્ર ઊભું કરીએ તો? આપણી પરિધિમાં બધા જ પ્રકારનાં કાવ્યજગત આવવાં જોઈએ, એ જગત અભિધાનું, ક્યારેક વાચાળતાનું, ક્યારેક ‘ઘણ ઉઠાવ ભુજા માહરી’ જેવું કહેનારનું પણ હોઈ શકે. નીરવ પટેલની કવિતા હવે હાંસિયામાંથી બહાર આવી છે, સ્વાભાવિક રીતે તેમની કવિતામાં સદીઓથી ચાલી આવેલા અન્યાયો સામે માથું ઊંચકનારની ફરિયાદ તારસ્વરે સંભળાય છે. અહીં પછાત હોવાની વેદના નથી પણ વારેવારે ‘તમે પછાત’ સાંભળ્યા કરવાની વેદના મુખરિત થઈ છે. દા.ત. ‘નામશેષ’ રચના.{{Poem2Close}}
::‘માઈક્રોસ્કૉપની આંખને પણ મારી ઓળખ રહી નથી
<poem>
::::પણ ગીધ જેવી તમારી આંખની ચાંચ
‘માઈક્રોસ્કૉપની આંખને પણ મારી ઓળખ રહી નથી
::::::શીદ હરહંમેશ મારા નામના મડદાને ટોચ્યા કરે છે.’
પણ ગીધ જેવી તમારી આંખની ચાંચ
‘ફૂલવાડો’ રચના વ્યક્તિગત સ્તરની પણ છે અને સાથે સાથે કવિ જે વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે તે વર્ગસ્તરની પણ છે.
શીદ હરહંમેશ મારા નામના મડદાને ટોચ્યા કરે છે.’
કાવ્યનો આરંભ આ રીતે થાય છે –
</poem>
::ફરમાન હોય તો માથા ભેર
{{Poem2Open}}‘ફૂલવાડો’ રચના વ્યક્તિગત સ્તરની પણ છે અને સાથે સાથે કવિ જે વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે તે વર્ગસ્તરની પણ છે.
::::ફૂલોને કાંઈ બીજું કહીશું
કાવ્યનો આરંભ આ રીતે થાય છે –{{Poem2Close}}
::::::મહેક થોડી મરી જવાની છે?
<poem>ફરમાન હોય તો માથા ભેર
::::::::અને આમને ફૂલ કહીશું
ફૂલોને કાંઈ બીજું કહીશું
::::::::::ગંધ કાંઈ થોડી જવાની છે?
મહેક થોડી મરી જવાની છે?
વેદના, નિરાશા, હતાશા એટલી બધી ઘેરી વળેલી છે કે કાવ્યનાયક પોતાના જીવનને પાયખાના તરીકે ઓળખાવવા તૈયાર થાય છે – શા માટે આટલી બધી લઘુતાગ્રંથિ દાખવવી?
અને આમને ફૂલ કહીશું
ભારતના રાજકારણમાં મહત્ત્વનો ભાગ ભજવતી ચૂંટણીઓ છે – કોઈ પણ વર્ગથી ચૂંટણીનું રાજકારણ અજાણ્યું નથી. આના વિશે પણ ગદ્યમાં-પદ્યમાં ઘણું બધું લખાયું છે. ‘હું નં ડોશી’ શીર્ષકવાળી રચનાઓ આ ચૂંટણી વિશે છે – એની વિગતો બહુ જાણીતી છે – મત દીઠ બાર રૂપિયા એટલે શું?
ગંધ કાંઈ થોડી જવાની છે?</poem>
::બે દ્‌હાડીનાં મૂલ સ.
{{Poem2Open}}વેદના, નિરાશા, હતાશા એટલી બધી ઘેરી વળેલી છે કે કાવ્યનાયક પોતાના જીવનને પાયખાના તરીકે ઓળખાવવા તૈયાર થાય છે – શા માટે આટલી બધી લઘુતાગ્રંથિ દાખવવી?
::::અમાર બે ઘડી વિહાંમો વૈતરાંમાંથી
ભારતના રાજકારણમાં મહત્ત્વનો ભાગ ભજવતી ચૂંટણીઓ છે – કોઈ પણ વર્ગથી ચૂંટણીનું રાજકારણ અજાણ્યું નથી. આના વિશે પણ ગદ્યમાં-પદ્યમાં ઘણું બધું લખાયું છે. ‘હું નં ડોશી’ શીર્ષકવાળી રચનાઓ આ ચૂંટણી વિશે છે – એની વિગતો બહુ જાણીતી છે – મત દીઠ બાર રૂપિયા એટલે શું?{{Poem2Close}}
::::::બાચી અમે તો આ હેંડ્યાં હાડકાં વેણવા.
<poem>બે દ્‌હાડીનાં મૂલ સ.
એક બીજી પ્રાસંગિક રચના છે ‘ઓપરેશન ઇક્વોલિટી!’ કચ્છના ધરતીકંપ સંદર્ભે બહુ જ નિર્મમ આક્રોશથી કહેવાયું છે –
અમાર બે ઘડી વિહાંમો વૈતરાંમાંથી
::‘કચ્છ તો સંતો-સખાવતીઓની ભૂમિ
બાચી અમે તો આ હેંડ્યાં હાડકાં વેણવા.</poem>
::::હશે કોઈ જેસલ જેવો બહારવટીયોય વળી,
{{Poem2Open}}એક બીજી પ્રાસંગિક રચના છે ‘ઓપરેશન ઇક્વોલિટી!’ કચ્છના ધરતીકંપ સંદર્ભે બહુ જ નિર્મમ આક્રોશથી કહેવાયું છે –{{Poem2Close}}
::::::ભલા ભાઈ!
<poem>‘કચ્છ તો સંતો-સખાવતીઓની ભૂમિ
::::::::દિલ્હી કે ગાંધીનગર ક્યાં દૂર હતાં તારે?!’
હશે કોઈ જેસલ જેવો બહારવટીયોય વળી,
યજ્ઞેશ દવેની આ જ વિષયની કવિતા સાથે આની તુલના કરી શકાય, પણ મારો માંહ્યલો એમ કહે કે ધરતીકંપ દિલ્હી કે ગાંધીનગર કે ક્યાંય પણ થાય – જીવ તો જવાના જ ને બધાંના!
ભલા ભાઈ!
‘મારા ભાગનો વરસાદ’માં ગરીબગુરબાને ભાગે શું આવે છે તેની વાત પણ તારસ્વરે કરવામાં આવી છે. સાધનસંપન્ન લોકો પાણીને કેવી રીતે વાપરે છે? એમને માટે પાણી વૈભવનો પદાર્થ છે – પણ શ્રમજીવીને માટે પાણી જીવન છે. ઉચ્ચ વર્ગના લોકો જે કૂતરા પાળે તે ઉચ્ચ વર્ગના અને નીચલા વર્ગના લોકો કૂતરા પાળે તે નીચલા વર્ગના – આ ભયાનક વિષમતાનું આલેખન ‘કાળિયો’ કૃતિમાં જોવા મળશે. છેલ્લે કેટલી નમ્રતા, લઘુતા વ્યક્ત થાય છે?
દિલ્હી કે ગાંધીનગર ક્યાં દૂર હતાં તારે?!’</poem>
::‘ખમા! બાપા ખમા!
{{Poem2Open}}યજ્ઞેશ દવેની આ જ વિષયની કવિતા સાથે આની તુલના કરી શકાય, પણ મારો માંહ્યલો એમ કહે કે ધરતીકંપ દિલ્હી કે ગાંધીનગર કે ક્યાંય પણ થાય – જીવ તો જવાના જ ને બધાંના!
::::કાળિયો તો જનાવર
‘મારા ભાગનો વરસાદ’માં ગરીબગુરબાને ભાગે શું આવે છે તેની વાત પણ તારસ્વરે કરવામાં આવી છે. સાધનસંપન્ન લોકો પાણીને કેવી રીતે વાપરે છે? એમને માટે પાણી વૈભવનો પદાર્થ છે – પણ શ્રમજીવીને માટે પાણી જીવન છે. ઉચ્ચ વર્ગના લોકો જે કૂતરા પાળે તે ઉચ્ચ વર્ગના અને નીચલા વર્ગના લોકો કૂતરા પાળે તે નીચલા વર્ગના – આ ભયાનક વિષમતાનું આલેખન ‘કાળિયો’ કૃતિમાં જોવા મળશે. છેલ્લે કેટલી નમ્રતા, લઘુતા વ્યક્ત થાય છે?{{Poem2Close}}
::::::પણ તમે તો મનખાદેવ.
<poem>‘ખમા! બાપા ખમા!
::::::::બાપડા કાળિયાને શી ખબર
કાળિયો તો જનાવર
::::::::::અમારાથી શૂરાતન ના થાય?’
પણ તમે તો મનખાદેવ.
અહીં ગર્ભિત સૂર એવો પણ નીકળે છે કે સમાજના ઉપલા વર્ગને મન કૂતરામાં અને દલિત-પીડિતોમાં કશો જ ભેદ નથી!
બાપડા કાળિયાને શી ખબર
આપણે આશા રાખીએ કે આવનારાં વર્ષોમાં માનવતા વધુ ને વધુ મહોરી ઊઠશે.
અમારાથી શૂરાતન ના થાય?’</poem>
{{Poem2Open}}અહીં ગર્ભિત સૂર એવો પણ નીકળે છે કે સમાજના ઉપલા વર્ગને મન કૂતરામાં અને દલિત-પીડિતોમાં કશો જ ભેદ નથી!
આપણે આશા રાખીએ કે આવનારાં વર્ષોમાં માનવતા વધુ ને વધુ મહોરી ઊઠશે.{{Poem2Close}}


<center>'''*'''</center>
<center>'''*'''</center>


જયેન્દ્ર શેખડીવાળાએ પરંપરાગત કાવ્યપ્રકારો તથા શૈલી આત્મસાત્‌ કર્યાં છે. સાથે સાથે પ્રગટ-અપ્રગટ અધ્યાત્મ તત્ત્વ પણ સ્થાન પામે છે –    
{{Poem2Open}}જયેન્દ્ર શેખડીવાળાએ પરંપરાગત કાવ્યપ્રકારો તથા શૈલી આત્મસાત્‌ કર્યાં છે. સાથે સાથે પ્રગટ-અપ્રગટ અધ્યાત્મ તત્ત્વ પણ સ્થાન પામે છે – {{Poem2Close}}   
દા.ત.
દા.ત.
::પાણી ઉપર ચાલે રે પડછાયા એણી પાર સમયના
 
::::ઉડંઉડા કરે  ઉજાશો ઓ પારે રે  નાભિવલયના
<poem>પાણી ઉપર ચાલે રે પડછાયા એણી પાર સમયના
ઉડંઉડા કરે  ઉજાશો ઓ પારે રે  નાભિવલયના</poem>


<center>'''*'''</center>
<center>'''*'''</center>


::જયલા! સાત છલાંગે ઉકલ્યાં સાત સાત પાતાળ
<poem>જયલા! સાત છલાંગે ઉકલ્યાં સાત સાત પાતાળ
::::નાભિનાળ વીંધી અને ખુદ પહોંચ્યા રસાતાળ
નાભિનાળ વીંધી અને ખુદ પહોંચ્યા રસાતાળ
::::::જયલા! જાણ, જાણતલ, જાણલ ઊગ્યાં, ઊગ્યાં બોલત્‌ સૂનત્‌ યે
જયલા! જાણ, જાણતલ, જાણલ ઊગ્યાં, ઊગ્યાં બોલત્‌ સૂનત્‌ યે
::::::::વણભૂમિ વણઅવકાશાં અમે રોપ્યાં રન્ધરબીજ અનેક –
વણભૂમિ વણઅવકાશાં અમે રોપ્યાં રન્ધરબીજ અનેક –</poem>
કોઈક રચનામાં કોરો કાગળ વાંચવાની વાત આવશે.
{{Poem2Open}}કોઈક રચનામાં કોરો કાગળ વાંચવાની વાત આવશે.
કેટલીક કૃતિઓ વિલક્ષણ છે ‘પતનગાથા’માં પોતાના જન્મ પૂર્વેની અને જન્મની ઘટનાઓને સાવ જુદી રીતે આલેખાઈ છે.
કેટલીક કૃતિઓ વિલક્ષણ છે ‘પતનગાથા’માં પોતાના જન્મ પૂર્વેની અને જન્મની ઘટનાઓને સાવ જુદી રીતે આલેખાઈ છે.{{Poem2Close}}
::કાષ્ઠપૂતળી પૂછે મારી સાલ ૧૯૫૨ ક્યાં છે?
<poem>કાષ્ઠપૂતળી પૂછે મારી સાલ ૧૯૫૨ ક્યાં છે?
::::કાષ્ઠપૂતળી પૂછે મારું ગામ શેખડી ક્યાં છે?
કાષ્ઠપૂતળી પૂછે મારું ગામ શેખડી ક્યાં છે?
::::::કાષ્ઠપૂતળી પૂછે મારી ડિમ્ભ રોપતી એ ક્ષણ ક્યાં છે?
કાષ્ઠપૂતળી પૂછે મારી ડિમ્ભ રોપતી એ ક્ષણ ક્યાં છે?
::::::::કાષ્ઠપૂતળી પૂછે ક્યાં મારું પૂર્વજની ઓ પાર ઊભેલા
કાષ્ઠપૂતળી પૂછે ક્યાં મારું પૂર્વજની ઓ પાર ઊભેલા
::::::::::પૂર્વજનું સંધાન? અનુસંધાન?
પૂર્વજનું સંધાન? અનુસંધાન?</poem>
એવી જ રીતે ‘ગર્ભસ્થ’ કવિતા જુઓઃ
{{Poem2Open}}એવી જ રીતે ‘ગર્ભસ્થ’ કવિતા જુઓઃ{{Poem2Close}}
::અંધારા જળ વચ્ચે કાળા ઘોડા દોડે તબડક તબડક
<poem>અંધારા જળ વચ્ચે કાળા ઘોડા દોડે તબડક તબડક
::::ભેદ ભરી ઘટના મારામાં કોઈ જુઓ, ઉમેરી ઊભું...
ભેદ ભરી ઘટના મારામાં કોઈ જુઓ, ઉમેરી ઊભું...
::::::નવ માસે અંધાર પ્રગટશે, જનમ કુંડળી વચ્ચે કાળો દીવો ઊગશે
નવ માસે અંધાર પ્રગટશે, જનમ કુંડળી વચ્ચે કાળો દીવો ઊગશે
::::::::કહેવાશે કે ઝળહળ શ્વાસે તેજનું ધાડું જઈ નગરી અંધેરી ઊભું.
કહેવાશે કે ઝળહળ શ્વાસે તેજનું ધાડું જઈ નગરી અંધેરી ઊભું.</poem>
આ પ્રકારની રચનામાં સહજ રીતે અતિવાસ્તવવાદી સંકેતો પ્રગટે છે, વળી સામાન્ય રીતે જન્મની ઘટના હકારાત્મક ભૂમિકાએ આલેખાય છે. અહીં નકારાત્મક ભૂમિકા છે. વળી આ રચનાની વિલક્ષણતા જોવા જેવી છે – દરેક કંડિકા વિસ્તરતા જતા પરિમાણવાળી છે.
{{Poem2Open}}આ પ્રકારની રચનામાં સહજ રીતે અતિવાસ્તવવાદી સંકેતો પ્રગટે છે, વળી સામાન્ય રીતે જન્મની ઘટના હકારાત્મક ભૂમિકાએ આલેખાય છે. અહીં નકારાત્મક ભૂમિકા છે. વળી આ રચનાની વિલક્ષણતા જોવા જેવી છે – દરેક કંડિકા વિસ્તરતા જતા પરિમાણવાળી છે.
આદિ પુરુષની ગઝલમાં આદિ પુરુષ આદમ પણ હોઈ શકે અને કાવ્યનાયકનો પૂર્વજ હોઈ શકે કે કાવ્યનાયક પોતે પણ હોઈ શકે, અને એ પોતાના વ્યક્તિત્વની ખુમારી આ રીતે પ્રગટ કરે છે –
આદિ પુરુષની ગઝલમાં આદિ પુરુષ આદમ પણ હોઈ શકે અને કાવ્યનાયકનો પૂર્વજ હોઈ શકે કે કાવ્યનાયક પોતે પણ હોઈ શકે, અને એ પોતાના વ્યક્તિત્વની ખુમારી આ રીતે પ્રગટ કરે છે –{{Poem2Close}}
::આ નભસ્‌ ગંગા બધી પડઘા છે મારા શબ્દના
<poem>આ નભસ્‌ ગંગા બધી પડઘા છે મારા શબ્દના
::::કોઈ કાળે મેં મને કોઈ શ્લોક સંભળાવ્યો હતો.
કોઈ કાળે મેં મને કોઈ શ્લોક સંભળાવ્યો હતો.</poem>
આવી જ ખુમારી ‘છોતરું’માં પણ પ્રગટ થાય છેઃ
આવી જ ખુમારી ‘છોતરું’માં પણ પ્રગટ થાય છેઃ
::એક ક્ષણને આંતરી બ્રહ્માંડ સઘળાં આંતરું
<poem>એક ક્ષણને આંતરી બ્રહ્માંડ સઘળાં આંતરું
::::ફૂંક મારું ને ઊડે એ જેમ ઊડતું ફોતરું.
ફૂંક મારું ને ઊડે એ જેમ ઊડતું ફોતરું.</poem>
આધુનિક કવિઓ એકલતાની ખાસ્સી વાતો કરે છે. જયેન્દ્ર શેખડીવાળા બે વિરોધી પરિમાણોને અડખેપડખે યોજે છેઃ
{{Poem2Open}}આધુનિક કવિઓ એકલતાની ખાસ્સી વાતો કરે છે. જયેન્દ્ર શેખડીવાળા બે વિરોધી પરિમાણોને અડખેપડખે યોજે છેઃ{{Poem2Close}}
::કોઈ અતળ સમુદ્રના તળિયા સમાન છું
<poem>કોઈ અતળ સમુદ્રના તળિયા સમાન છું
::::જેમાં નથી વસતું કોઈ એવું મકાન છું...
જેમાં નથી વસતું કોઈ એવું મકાન છું...</poem>
ક્યારેક રૂપવિધાયક કલ્પના દ્વારા અસામાન્ય અભિવ્યક્તિ જોવા મળે   છેઃ
{{Poem2Open}}ક્યારેક રૂપવિધાયક કલ્પના દ્વારા અસામાન્ય અભિવ્યક્તિ જોવા મળે છેઃ{{Poem2Close}}


::ઝાંખો જોવા દેશ કિરણનો અંધારું સળગાવું
<poem>ઝાંખો જોવા દેશ કિરણનો અંધારું સળગાવું
::::જમણા પગના અંગૂઠેથી પ્રગટાવું રે
જમણા પગના અંગૂઠેથી પ્રગટાવું રે</poem>
:::::::::: પરથમ પગલું ઝાંખો જોવા દેશ.
:::::: પરથમ પગલું ઝાંખો જોવા દેશ.
પરંપરાઓને આત્મસાત્‌ કરીને નિજી અભિવ્યક્તિની મથામણ કવિની રચનાઓમાં જોવા મળે છેઃ
{{Poem2Open}}પરંપરાઓને આત્મસાત્‌ કરીને નિજી અભિવ્યક્તિની મથામણ કવિની રચનાઓમાં જોવા મળે છેઃ
આ અને આવા બીજા કવિઓથી સાંપ્રત કવિતા વધુ રળિયાત બની છે.{{Poem2Close}}
આ અને આવા બીજા કવિઓથી સાંપ્રત કવિતા વધુ રળિયાત બની છે.{{Poem2Close}}
<Center>૦૦૦</Center>
<Center>૦૦૦</Center>
{{Right|''પ્રતિપદાની તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ શનિવારની દ્વિતીય બેઠક : દરવિશ કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.''}}
પ્રતિપદાની તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ શનિવારની દ્વિતીય બેઠક : દરવિશ કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.
 
 
{{HeaderNav
|previous = [[પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની|ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની]]
|next = [[પ્રતિપદા/નિજી સ્વર નોખી કવિતાની શોધ – અજયસિંહ ચૌહાણ|નિજી સ્વર નોખી કવિતાની શોધ – અજયસિંહ ચૌહાણ]]
}}

Latest revision as of 10:17, 7 September 2021

પોતાની કેડી કંડારનારા કવિઓ

શિરીષ પંચાલ

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સુરેશ હ. જોષીના વિદ્યાર્થી. ત્યાં જ અધ્યાપક રહ્યા, નિવૃત્ત થયા. વિદ્યાર્થીઓ અને વર્ગ મળે એટલે રાજી રાજી થનારા. ઉત્તમ સાહિત્યનું અઢળક વાંચન. મહત્ત્વના વિવેચક તરીકે સુખ્યાત. નવલકથા-નિબંધ-વાર્તા-નાટક પણ લખ્યાં. વિભાષી કૃતિઓના અનુવાદો કરીને સર્જન-ભાવનનો આનંદ વ્હેંચવામાં ખુશી મેળવે છે. સુ. જો.ની નિશ્રામાં રહીને ય પરંપરાગત વિવેચનનાં ધ્યાનપાત્ર વલણોના પુરસ્કર્તા. ‘વાત આપણા વિવેચનની’(૧-૨)માં આધુનિક અને તે પૂર્વેની ગુજરાતી વિવેચનાનું મૂળગામી અને તત્ત્વલક્ષી મૂલ્યાંકન કરીને પૂર્વજોને અજવાળે આપણને ઊભા રાખ્યા. રા. વિ. પાઠક, ઉ. જો. અને સુન્દરમ્‌ વિશેની એમની વિવેચના એમની વિદ્વત્તાની દ્યોતક છે. સાહિત્યના સામાજિક સન્દર્ભને અનિવાર્ય ગણનારા આ નોખા વિવેચકે સુ.જો.ના માર્ગદર્શનમાં ‘કાવ્યવિવેચનની સમસ્યાઓ’ વિશે શોધપ્રબંધ તૈયાર કર્યો હતો... જે હવે પ્રકાશિત છે. બધાં સાહિત્યસ્વરૂપો અને સર્જનો તથા વિવેચનોમાં રસરુચિ ધરાવે છે. સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પરિસ્થિતિઓ વિશે સજાગ રહીને વિચારનારા આ વિવેચકને એકાધિક કળાઓમાં રસ છે. ભાષા-સાહિત્ય-શિક્ષણની ચિંતા કરવા સાથે વર્તમાનપત્રમાં એ વિશે કોલમ લખે છે. ત્રૈમાસિક ‘સમીપે’ના ત્રણ પૈકીના એક સંપાદક છે. પૂર્વે ‘એતદ્‌’નું સહસંપાદન કર્યું છે. સિંગાપુરનો પ્રવાસ.

(ભરત નાયક, યજ્ઞેશ દવે, નીરવ પટેલ, મનોહર ત્રિવેદી તથા જયેન્દ્ર શેખડીવાળાની કવિતા વિશે)

વીસમી સદીના ઉત્તરાર્ધની શરૂઆતમાં યોજાતાં કાવ્યસત્રો, વાર્તાસત્રોની યાદ અપાવતું આ અનોખું કાવ્યસત્ર છે. આધુનિક ગુજરાતી કવિતાના મુખ્ય કવિઓના અર્પણ પછી ગુજરાતી કવિતામાં કેવાં પરિવર્તનો આવ્યાં છે તેની વાત ઝાઝી થતી નથી, વિદ્યાપીઠોમાં સાહિત્યનો ઇતિહાસ ભણાવતી વખતે ઘણું કરીને ૧૯૫૦થી આગળ વધવામાં આવતું નથી. આ સંજોગોમાં આવો ઉપક્રમ આમે પ્રશંસનીય છે અને પેલાં કાવ્યસત્રો ગુજરાતમાં ગાજ્યાં હતાં તેવું આ કાવ્યસત્ર પણ એની ગુણવત્તાથી અને આયોજનાથી બોલી ઊઠશે.

અત્યારે આ નિબંધમાં પસંદ કરેલા કવિઓ ભરત નાયક, યજ્ઞેશ દવે, મનોહર ત્રિવેદી, નીરવ પટેલ અને જયેન્દ્ર શેખડીવાળા – પોતપોતાની રીતે આગવી કેડી કંડારનારા છે, જે સ્થળ અને સમયમાં તેઓ કાવ્યસર્જન કરી રહ્યા છે તેની અભિજ્ઞતા તેમની રચનાઓમાં વરતાય છે; તેમણે પરંપરાગત કાવ્યરીતિઓ, કાવ્યપ્રકારો પર પ્રભુત્વ મેળવેલું છે અને સાથે જ પોતાનો નોખો અવાજ પ્રગટાવ્યો છે.

ભરત નાયકને કેટલીક ગુજરાતી કવિતામાં કૃતક કાવ્યબાની વરતાઈ છે, રૂપરચના વિશેની સભાનતાએ, સુરેશ જોષીએ ઉઘાડેલી નવી દિશાએ ગુજરાતી કવિતાનો ચહેરોમહેરો બદલી નાખ્યો તેનો સ્વીકાર અહીં છે. ૧૯૬૦ના સમયે સુરેશ જોષીએ ગુજરાતી કવિના ‘હું’ની અતિ માત્રાની આકરી ટીકા કરી હતી, ભરત નાયક પણ માને છે કે આધુનિક સમયમાં કવિની આત્મરતિ વધી છે. અહીં આવી કશી આત્મરતિ જોવા મળશે નહીં, આપણે કૈંક અંશે ગુમાવેલા સહઅસ્તિત્વની ઝાંખી અહીં જોવા મળશે. આપણા સમયમાં બહુમુખી સંવેદના વિના, તેની અભિવ્યક્તિ વિના બીજો કોઈ વિકલ્પ આપણી પાસે રહ્યો નથી. સાંપ્રત ગુજરાતી કવિતામાં પ્રતિબદ્ધતા, નારી ચેતના, દલિત ચેતનાની વાતો થાય છે, એવી કવિતા પણ ખાસ્સી રચાઈ છે. ભરત નાયકની કવિતા આ બધાથી થોડી દૂર રહે છે, સાથે જ એક જુદા જ જગતને આપણી સામે ધરે છે. નગરજીવનની ત્રસ્તતાની આપણે બધા વાતો કરીએ છીએ, પણ ભરત નાયક શહેરી જીવનથી દૂર દૂર પ્રદેશને પોતાનો કરવાની રટ લઈને બેઠા છે. રહસ્યમય જીવન અને જંગલના અંધકારમાં ઘર ઉભું કરવાની હઠ લઈને બેઠેલા કવિએ અંધારામાં ઘરની હોડી તરતી મેલી છે(રાત્રિ). સિંહ દ્વારા સૂચવાતી ભૂમિ અને માછલી દ્વારા સૂચવાતી જળસૃષ્ટિ – કવિમાં એકાકાર થઈ ગયાં હોય એમ આલેખાય છે.

ભરત નાયકનું પદાર્થ જગત વિલક્ષણ છે, અને એને એવાં જ વિલક્ષણ ઇન્દ્રિયજન્ય સંવેદનો છે એટલે જ તેઓ દીવેલીના છોડની કડક વાસ પામી શકે છે. આપણને અતિપરિચિત ડુંગળી તેમની ચેતના દ્વારા કેવાં નૂતન પરિમાણો પામે છે તે જોવા જેવું છે. અહીં સ્થૂળ વર્ણન નથી, ‘પડ પહેલાં પવનભર્યાં સઢ બને’ કહીને ડુંગળીના પરિમાણને અતિ વિસ્તૃત કરવામાં આવ્યું છે, વળી ડુંગળીનાં ઉકેલાતાં પડ કયા કયા પદાર્થોમાં ફેરવાતાં જાય છે –

પડ પહેલાં પવન ભર્યા સઢ બને
પછી ચકચકતી છીપ
પછી મોગરાની પાંદડી
પછી બરકતી કોડી
અંતે બી જેવું મોતી જડે.

આ ડુંગળીમાં બિલાડી અને મૃત પીણું પણ આવ્યાં.

પદાર્થોને તેમની સાથે સંકળાયેલા તમામ સંદર્ભોથી મુક્ત કરીને જોઈએ તો કેવા લાગે? ‘પીંછું’, ‘પથ્થર’ જેવી રચનાઓ આપણા અતિપરિચિત પદાર્થજગતને સાવ અપરિચિત બનાવી દે છે. આ પ્રકારની રચનાઓમાં ચિંતનનો ભાર નથી, ઇતિહાસ – સંસ્કૃતિ બાજુ પર મુકાયેલાં છે. હા, ક્યારેક ‘કવિની કવિતા’માં ઈશ્વર વિશે થોડી વાતો આવશે. એનો રઝળપાટ, એની આસપાસની હિંસા, પ્રકૃતિનો વિનાશ – આ બધું આલેખાતું જાય છે – આ ઈશ્વરની પડછે એક બીજો ઈશ્વર (અમારે કાવ્યસંચારે કવિરેકઃ પ્રજાપતિ) મનાતો કવિ છે. સમગ્ર બ્રહ્માંડને સર્જનારો ઈશ્વર અને એ ઈશ્વરને સર્જનાર કવિ – આ બંનેની નિયતિમાં મૃત્યુ અને દેશવટો જ લખાયાં છે એવી એક ભૂમિકા અહીં આલેખાઈ છે.

આપણી એક ઇન્દ્રિયનો અનુભવ જો અતિ ઉત્કટ હોય તો તે માત્ર એકનો અનુભવ ન બની રહેતાં બધી ઇન્દ્રિયોનો ઉત્સવ બની રહે છે. ‘સોડમ’ કાવ્યમાં વિવિધ ભોજ્ય પદાર્થોની વિવિધ સોડમો કેવી રીતે આલેખાઈ છે તે જોવા જેવું છે. એમાં માત્ર સોડમની વાત નથી આવતી, સમગ્ર કૌટુંબિક પરંપરાનું આલેખન થાય છે.

દાદીમા સીસમના મસમોટા કોઠારનું બારણું ઉઘાડી
અંદરના છાશ, માખણ, હવેજિયાનાં અથાણાં
ભેગો છેટેનાં પિયેરિયાંનો પમરાટ સૂંધી રહ્યાં છે
પછી મઘમઘ એ દાદીમા બધાનાં ભાણાં ફરતે ફરી વળે છે!

અપરોક્ષાનુભૂતિ, વ્યવધાન રહિત ચેતના જેવા શબ્દપ્રયોગો તો હવે ખૂબ જ જાણીતા થઈ ગયા છે. આવા પ્રયોગોને બાજુએ રાખીએ અને માત્ર કાવ્ય ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીશું તો પણ આપણને કાવ્ય દ્વારા એ બધું પામવાનો અવકાશ મળી રહે છે. આપણા કવિઓએ ઉનાળુ બપોરનાં આસ્વાદ્ય રૂપો કંડાર્યા છે, ભરત નાયક ઉનાળુ બપોરનું આપણે ન અનુભવેલું, ન કલ્પેલું વિશ્વ મૂકે છે. ‘સૂરજ ઊગ્યો’ને બદલે ‘સૂરજ ફૂટ્યો’થી આરંભાતી રચના પ્રકૃતિ અને માનવી પર જે અસર જન્માવે છે તેની વાત કરે છે. એમાં કવિ કયા કયા માણસોની વાત કરે છે! માછીમાર, ખેડૂત, ડાઘુ, લુહાર, સોની, દરજી, ખાણિયા, મારા વગેરે પર વરતાતા સૂરજના દાબનું વર્ણન છે. રંજાડ તરીકે ઓળખાતા વાંદરાઓના છેલ્લા અવશેષ સમા ‘કપિરાજ ઉપર શા માટે કાવ્ય રચાય છે?’

‘કપિરાજ
રામજી મંદિર ટોચે
ઢળતા સૂરજનો મુગટ પહેરી બેઠો હતો.’

અહીં કવિ કોઈ પુરાણકથામાં ડૂબી જતા નથી, રામજી મંદિર માત્ર ઇંગિત બની રહે છે. મનુષ્યની હિંસકતા, સત્તા દ્વારા નિર્વંશ થતી જતી એક પ્રજાતિની વાત કશીય વાચાળતા વિના કહેવાઈ ગઈ, કપિરાજને હણનારો તો કોઈ બીજો અને છતાં એ શિકારી જાણે કથક પોતે જ! માનવીની વિકાસયાત્રામાં મેડમ ક્યુરી, જેમ્સ વૉટ અને ન્યૂટન જેવા વિજ્ઞાનીઓની શોધની વાત, ભાવુકતામાં તણાયા વિના – સાવ જુદી રીતે આલેખાઈ છે – જીવનમાં ડગલે ને પગલે ભળી ગયેલા આ વિજ્ઞાનીઓ વિશે આવી કવિતા રચી શકાય તે પણ અસામાન્ય લેખાય.

*

જીવવિજ્ઞાન, પર્યાવરણ વિજ્ઞાનનો અભ્યાસ કરીને બેઠેલા યજ્ઞેશ દવેની કવિતા ગુજરાતી કવિતામાં એક સાવ નોખો અવાજ પ્રગટાવે છે. ઇતિહાસ, સંસ્કૃતિ, વિજ્ઞાન સાથેનો પ્રત્યક્ષ પરિચય જ નહીં પણ યુરોપ-અમેરિકાની સર્જકતાના પ્રત્યક્ષ પરિચયે યજ્ઞેશ દવેની કવિતાને સંકુલ અને અર્થસભર બનાવી છે. અછાંદસનાં જોખમો જાણીને પણ તેઓ આ બદલાતા સમયમાં છાંદસને બાજુ પર રાખે છે. તેમની કવિતામાંથી પસાર થનારને પ્રતીતિ થશે કે કવિતામાં કશું અસ્પૃશ્ય નથી અને સાથે સાથે કવિનો વ્યાપ કેટલો બધો હોવો જોઈએ એનો પણ ભાવકને ખ્યાલ આવશે. યજ્ઞેશ દવેની કવિતામાં પ્રાકૃતિક જગત અને સાંસ્કૃતિક જગત ઘણીવાર એકાએક જોવા મળશે પણ તેઓ ભાગ્યે જ કવિધર્મ ચૂકે છે. ઇન્દ્રિયજન્ય સંવેદનો (મોતીસરીનું વન)થી માંડીને છેક ઐતિહાસિક, સાંસ્કૃતિક, નૃવંશશાસ્ત્રીય સ્તર સુધીની યાત્રા બહુ ઓછા કવિઓમાં જોવા મળે છે. વળી જ્યારે કવિતામાં પૌરાણિક સંદર્ભો પ્રવેશે છે ત્યારે વર્તમાન અભિજ્ઞતા સાથે સહજ રીતે ગુંથાઈ જાય છે – એક રચનામાં કવિ દેવીઓની યાદી આપીને કહે છે –

તારી મુંડમાળામાં શોભે તેવા ચંડ મુંડ ચડે ઊતરે છે પગથિયાં
સભાગારના સિંહાસનનાં.

ભાવકની ચેતના સમૃદ્ધ હોવી જોઈએ નહિતર આ પૌરાણિક સંદર્ભનો ખ્યાલ ન આવે, ‘સેકંડ કમીંગ’નો પણ ખ્યાલ ન આવે, વળી નજીકના ભૂતકાળનો કે સાંપ્રતનો ખ્યાલ ન હોય તો આવા સંદર્ભો પામવા મુશ્કેલ બને. દા.ત.

શુકનવંતા સાથિયે તો આંગણામાંથી ઊડી સ્વસ્તિક થઈ કાળો કે’ર
વરતાવ્યો કાળો કે’ર
સંકેલાઈ ગ્યાં છે દાતઈડું ને હથોડી
હવે તો અવનવા એકાવન તારલાવાળી ધસમસે છે દળકટક લઈ

આપણી ઐતિહાસિક, સાંસ્કૃતિક, સાહિત્યિક પરંપરાઓ સારી રીતે આત્મસાત્‌ કરીને યજ્ઞેશ કાવ્યસર્જન તરફ વળ્યા છે. ‘તદ્‌દૂરે તદ્‌ અન્તિ કે’ જેવી રચનાઓમાં નિકટતા અને દૂરતાના પરિમાણો એકબીજામાં ભળી જાય ત્યારે શું નિપજી આવે છે તે જોવા જેવું છે. ‘કચ્છનો ભૂકંપ’ જેવી પ્રાસંગિક રચના એની પ્રાસંગિકતાને કેવી રીતે અતિક્રમી જાય છે તે જોવા જેવું છે. ધરતીકંપથી ન કાંપનારી વ્યક્તિ કોઈ છોકરાના મોઢે ‘આંયા દટાણાં સે મારાં માબાપ’ સાંભળે ત્યારે કંપી ઊઠતા સંવેદનાના તાર નાયક સાંભળે છે અને આપણે સાંભળીએ છીએ. અહીં કશું અતિરંજિત નથી, હૂબહૂ વર્ણન નથી, કોઈ કર્મશીલનો ઉદ્યમ નથી અને છતાં આવી રચનાઓ સૂક્ષ્મ સંવેદનસભર છે. ‘મધર ઇવ’ જેવી રચના સામાન્ય રીતે ગુજરાતીમાં ન લખાઈ હોય એવી, વૈજ્ઞાનિકતાના પાસવાળી રચના સમગ્ર પ્રકૃતિને, સમગ્ર વિશ્વને કેન્દ્રમાં રાખે છે. નારી ચેતના, દલિત ચેતના, હિંસા-અહિંસા, માનવતા-બર્બરતાઃ ઉત્ક્રાંતિના ઇતિહાસમાં આ બધું જ છે. પ્રશ્ન એ છે કે અંગતતામાંથી, હું-કેન્દ્રિતામાંથી બહાર નીકળીને એક વિશાળ સંદર્ભ કેવી રીતે ઊભો કરવો. સપ્તમાતૃકાની વંશજ એવી માનવજાતિના ઉત્ક્રાંતિ, સંસ્કૃતિ, ઇતિહાસ માતા-પુત્રના સંવાદ દ્વારા ઉકેલાયા છે. કથનાત્મક, નાટ્યાત્મક અને કાવ્યાત્મક – એમ ત્રણે શૈલીઓનો વિનિયોગ કરતા આ કાવ્યનો આરંભ લોકગીતથી થાય છે. કવિને તો લોકસાહિત્યનો એ વારસો ગળથૂથીમાંથી મળેલો છે, (એનું લાક્ષણિક દૃષ્ટાંત ‘હેલો’ નામની રચના પૂરું પાડે છે.) પણ એ વારસાને વટાવી ખાવાની કશી વૃત્તિ નથી. માનવીએ પંખી વીંધ્યાં અને હિંસા આદરી ત્યારથી મનુષ્ય આ જગતને માનવકેન્દ્રી માનવા લાગ્યો. અહીં થોડી ભાવુકતા પ્રવેશી જતી લાગશે પણ ક્યારેક એવી ભાવુકતા રમાડવી ગમે તેવી હોય છે.

હીણી, સાવ હીણી
બંને બાજુ અક્ષૌહિણી.
જો હવે તો રોજ રોજ ઓગણીસમા દિવસનું પરભાત
આમાં ક્યાંથી દીસે અરુણું પરભાત.

ઉદરભરણ કે આજીવિકા માટે થતી હિંસા અને વગર કારણે થતી હિંસા – આ બે વચ્ચેનો ભેદ માતા અને પુત્ર – બંને દ્વારા આપણી આગળ સ્પષ્ટ થાય છે. યજ્ઞેશની કવિતામાં માત્ર વૈયક્તિક વેદનાનું આલેખન નથી, મનુષ્યમાત્રની વેદના પ્રગટી છે. અર્થકારણ, રાજકારણ, વિજ્ઞાન, ટેકનૉલોજી – આ બધાંએ ભેગાં થઈને જે વિનાશ વેર્યો છે તેનું કરુણ ચિત્ર અહીં આલેખાયું છે.

વહેંચીને ખાધું નથી મા
વેચી ખાધું છે બધું
ધરતી વેચી
વેચ્યું આકાશ
વેચ્યો દરિયો

આની પાછળનાં પરિબળોને અધ્યાહાર રાખવામાં આવ્યાં છે. મધર ઇવનાં રઝળપાટની સામે દીકરાનો રઝળપાટ સરખાવી જુઓ, બંનેની યાત્રામાં રહેલો ભેદ પણ પરખાશે.

તો બીજી બાજુ વના જેતા અને કથક વચ્ચે ચાલતો સંવાદ દ્વારા સમકાલીન સામાજિક સંદર્ભો ઊઘડે છે. દરિદ્રતા, પછાતપણું, સામાજિક અન્યાયો, કપરા જીવનસંઘર્ષની વાતને કેટલી બધી હળવાશથી રજૂ કરી શકાય છે તેનો આ કૃતિ એક નમૂનો પૂરો પાડે છે. ઉત્કટ વેદનાને હળવી રીતે રજૂ કરવાથી એ વેદના વધુ ઉત્કટરૂપે વ્યક્ત થઈ શકે છે અને જરાય અતિરંજિત બન્યા વિના. સાંપ્રત અનેકકેન્દ્રી સમસ્યાઓ, આધુનિકતાના-અનુઆધુનિકતાના પ્રશ્નોને બાજુએ રાખીને મનોહર ત્રિવેદી પરંપરાગત કાવ્યપ્રકારો લઈને આવે છે. આનો અર્થ એવો નથી કે એ પ્રકારની સંવેદનાથી કે એ સંવેદનામાંથી પ્રગટતી કવિતાથી તેઓ નર્યા અજાણ છે. જે કવિતા તેમના અનુભવોની નીપજ ન હોય, પોતાના શ્વાસ-પોતાના લોહીમાં ઓગળી ગઈ ન હોય તેવી કવિતાથી મનોહર ત્રિવેદી દૂર રહેવાનું પસંદ કરે છે. અહીં ઘણું કરીને ગીતોમાં આલેખાયેલો પરિવેશ ગ્રામચેતનાસભર તળપદ છે. કેટલુંક લોકગીતોના ઢાળમાં છે. અક્ષરમેળ વૃત્તો પર પાકી પકડ છે પણ મોટે ભાગે ગીતરચનાઓ છે. ‘પગલાં તારાં’, ‘તમે ભલે ઘર છોડી ચાલ્યાં’માં રંગદર્શી અભિગમ ધરાવતી રચનાઓ છે. ગમતી વ્યક્તિનાં પગલાં પડવાથી કેવા ચમત્કાર થાય છે? માત્ર નાયકનું વ્યક્તિત્વ જ નહીં, ભીંત પરની ઓકળીઓ સુધ્ધાં ખીલી ઊઠે છે, અને એમ જે કંઈ જડ હતું, નિર્જીવ હતું તે બધું જ ચૈતન્યમય બની ઊઠે છે, નાયિકાએ ઘરના સમગ્ર અસબાબને જીવંત કરી દીધો, અને આમ નાયિકાનું વ્યક્તિત્વ પરોક્ષ રીતે આપણી સામે તરવરી ઊઠ્યું. બીજી રચના આગલી રચનાથી વિરુદ્ધની છે પણ તે પહેલી જેટલી અસરકારક બની શકી નથી.

આ પ્રકારની રચનાઓ તેમના લય, તળપદ આલેખન, પરંપરાગત વિષયવસ્તુને કારણે લોકપ્રિય તો બને જ – એમાં ક્યારેક આલેખનરીતિને કારણે વિશેષ લોકપ્રિય થઈ જાય છે – ‘પપ્પા, હવે ફોન મૂકું’ આવી જ એક રચના છે. ઘર છોડીને બહાર ભણવા ગયેલી દીકરી સાથેનો જીવંત નાટ્યાત્મક સંવાદ અહીં છે. વાત સાવ સીધીસાદી અને એવી જ હૃદયસ્પર્શી, સામાન્ય માનવીના ભાવવિશ્વને અસમાન્ય રીતે સ્પર્શવાની ક્ષમતાને કારણે જ એ ઘરઆંગણે અને બહાર વિશેષ જાણીતી થઈ છે. અને જુઓ – ફોન પર થતી વાતચીતનો લય બરાબર પકડાયો છેઃ
શું લીધું? સ્કુટરને? ... ભારે ઉતાવળા... શમ્મુ તો કે’તો’તો ફ્રિજ
કેવા છો જિદ્દી? ...ને હપ્તા ને વ્યાજ... વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ.
એવી જ રીતે ‘રિસામણે જતી કણબણ’માં સાવ સામાન્ય પાત્રો, જીવનની અતિ પરિચિત ઘટનાઓ – પિયર અને સાસરા વચ્ચેનો વિરોધ ધારદાર અભિવ્યક્તિથી અને ચિત્રોથી આલેખાયો છે. ‘ઝાડવું ઝૂરે છે શા માટે વચ્ચોવચ?’ – કૃતિ જરા જુદા પ્રકારની છે. પ્રકૃતિના વિવિધ અંશો તેના ઝુરાપાથી અકળાયા છે – પ્રકૃતિગત અંશો એની વેદનાથી સ્પંદિત થયા છે.

‘તું તારી રીતે જા’નો આરંભ જુઓ
‘કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા
તું તારી રીતે જા...’

પરંતુ જો કોઈ બંધિયાર વાતાવરણને વરવા માગતું હોય તો કવિ એને શીખ દે –

બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી
ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી...,

પરંપરાગત ભજન જેવાં કાવ્યપ્રકારો પરનું પ્રભુત્વ ‘કોના હોઠે’ જેવી રચનામાં જોવા મળે છે.

ધીરાં ધીરાં
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરા?
મ્હેક મ્હેકનાં થળથળ થાનક
ઊઘડ્યાં સૂરના પારિજાતક

આવી રચનામાં સાવ સહજ રીતે આવી ચઢતાં ઇન્દ્રિયવ્યત્યયો વ્યત્યયો હોવાની સભાનતાનેય વિસારી દે છે. સાથે સાથે વધુ પડતી સ્પષ્ટતા કાવ્યના ધ્વનિને મોળો પાડે. ‘ક્યાં મેવાડ? ક્યાં ગોકુલ-મથુરા?’ કહ્યા પછી છેલ્લે ‘કોના હોઠેઃ માધવ માધવઃ કોના હોઠે મીરાં?’ કહેવાની કશી જરૂર ખરી? સામાન્ય રીતે આવી રચનાઓ ચિંતન, બોધ, નૈતિકતાના આલેખન કરવાની દિશા પકડતી નથી – પણ આ કવિની કેટલીક રચના સૂત્રોક્તિ સમાન લાગશે. ‘દીપ પેટાવ્યો નથી’માં આ પંક્તિઓ જુઓઃ

છેતરે છે જે સદા તે ભીડમાં મળશે નહીં
આપણી ભીતર કદાચિત એક ઠગ હોઈ શકે...
એમ ઓળખ નહિ મળે ટીકી ટીકી જોવા છતાં
જાતમાંથી નીકળેલો જણ અલગ હોઈ શકે...

અહીં પણ ક્યાંક વિષાદ-અવસાદ આલેખાય છે, પણ એને મલાવી મલાવીને અહીં રજૂ કર્યા નથી –

ઓરાને પછવાડે માર્યાં છે તીર
આઘેના મોકલે ત્યાં શીતળ સમીર...

ઓરા-અને-આઘેના દ્વારા થતી સંતુલનાનો પણ વિશેષ છે. આ અને આવી બીજી રચનાઓને આપણે આ નામે – તે નામે ઓળખાવીએ પણ કવિ તો કહેશેઃ

તમે કહો છો ગીત ગઝલ પણ
મારે મન તો એ જ કહુંબો...

દરેક સર્જક પોતાનું એક નોખું કાવ્યવિશ્વ સર્જતો હોય છે, કદાચ બીજાના વિશ્વને તે આવકારે પણ ખરો અને ન પણ આવકારે. ભાવક તરીકે આપણને વધુ લાભ – જેટજેટલાં સર્જકવિશ્વો સામે આવે એ બધાં વડે આપણો ચૈત્યપુરુષ વધુ ને વધુ સમૃદ્ધ થતો રહે.

વીસમી સદીની છેલ્લી પચીસીમાં ગુજરાતી કાવ્યવિશ્વની ક્ષિતિજો વિસ્તરી. નારી ચેતના, દલિત ચેતના, આદિવાસી ચેતના સદીઓની ઉપેક્ષા પછી એનું જ્વલંત પ્રગટીકરણ થયું. અનુભૂતિ અને અભિવ્યક્તિના નવા પ્રદેશો ઊઘડ્યા. આ દલિત-પીડિત કવિઓના એક મહત્ત્વના પ્રતિનિધિ છે નીરવ પટેલ. ગુજરાતી કવિતામાં જોવા મળતી પશ્ચિમપરસ્તી સામે તેમને વાંધો છે, આધુનિક-અનુઆધુનિકનાં મહોરાં પહેરીને રચના કરતો કવિ તેમની દૃષ્ટિએ કૃતક છે – આ કવિનો અંગત દૃષ્ટિકોણ હોઈ આપણને તે સ્વીકાર્ય-અસ્વીકાર્ય હોઈ શકે.

નીરવ પટેલની કવિતામાં આક્રોશ છે, પરંપરાએ, પ્રાચીન રૂઢિઓએ, શાસ્ત્રોએ માનવને માનવી તરીકે જોયો નહીં, એક વિશાળ જનસમૂહની ઉપેક્ષા થઈ. પણ ઇતિહાસ આવી ઉપેક્ષાઓને વેઠી શકતો નથી. કહેવાતા ઉજળિયાત વર્ગ દ્વારા થયેલા અન્યાય, શોષણને શોષિત-દલિતની આંખે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘડીભર આપણાં કાવ્યશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર, કાવ્યવિભાવનાને બાજુ પર રાખીને આવી પ્રતિબદ્ધ કવિતાનું જુદું કાવ્યશાસ્ત્ર ઊભું કરીએ તો? આપણી પરિધિમાં બધા જ પ્રકારનાં કાવ્યજગત આવવાં જોઈએ, એ જગત અભિધાનું, ક્યારેક વાચાળતાનું, ક્યારેક ‘ઘણ ઉઠાવ ભુજા માહરી’ જેવું કહેનારનું પણ હોઈ શકે. નીરવ પટેલની કવિતા હવે હાંસિયામાંથી બહાર આવી છે, સ્વાભાવિક રીતે તેમની કવિતામાં સદીઓથી ચાલી આવેલા અન્યાયો સામે માથું ઊંચકનારની ફરિયાદ તારસ્વરે સંભળાય છે. અહીં પછાત હોવાની વેદના નથી પણ વારેવારે ‘તમે પછાત’ સાંભળ્યા કરવાની વેદના મુખરિત થઈ છે. દા.ત. ‘નામશેષ’ રચના.

‘માઈક્રોસ્કૉપની આંખને પણ મારી ઓળખ રહી નથી
પણ ગીધ જેવી તમારી આંખની ચાંચ
શીદ હરહંમેશ મારા નામના મડદાને ટોચ્યા કરે છે.’

‘ફૂલવાડો’ રચના વ્યક્તિગત સ્તરની પણ છે અને સાથે સાથે કવિ જે વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે તે વર્ગસ્તરની પણ છે. કાવ્યનો આરંભ આ રીતે થાય છે –

ફરમાન હોય તો માથા ભેર
ફૂલોને કાંઈ બીજું કહીશું
મહેક થોડી મરી જવાની છે?
અને આમને ફૂલ કહીશું
ગંધ કાંઈ થોડી જવાની છે?

વેદના, નિરાશા, હતાશા એટલી બધી ઘેરી વળેલી છે કે કાવ્યનાયક પોતાના જીવનને પાયખાના તરીકે ઓળખાવવા તૈયાર થાય છે – શા માટે આટલી બધી લઘુતાગ્રંથિ દાખવવી? ભારતના રાજકારણમાં મહત્ત્વનો ભાગ ભજવતી ચૂંટણીઓ છે – કોઈ પણ વર્ગથી ચૂંટણીનું રાજકારણ અજાણ્યું નથી. આના વિશે પણ ગદ્યમાં-પદ્યમાં ઘણું બધું લખાયું છે. ‘હું નં ડોશી’ શીર્ષકવાળી રચનાઓ આ ચૂંટણી વિશે છે – એની વિગતો બહુ જાણીતી છે – મત દીઠ બાર રૂપિયા એટલે શું?

બે દ્‌હાડીનાં મૂલ સ.
અમાર બે ઘડી વિહાંમો વૈતરાંમાંથી
બાચી અમે તો આ હેંડ્યાં હાડકાં વેણવા.

એક બીજી પ્રાસંગિક રચના છે ‘ઓપરેશન ઇક્વોલિટી!’ કચ્છના ધરતીકંપ સંદર્ભે બહુ જ નિર્મમ આક્રોશથી કહેવાયું છે –

‘કચ્છ તો સંતો-સખાવતીઓની ભૂમિ
હશે કોઈ જેસલ જેવો બહારવટીયોય વળી,
ભલા ભાઈ!
દિલ્હી કે ગાંધીનગર ક્યાં દૂર હતાં તારે?!’

યજ્ઞેશ દવેની આ જ વિષયની કવિતા સાથે આની તુલના કરી શકાય, પણ મારો માંહ્યલો એમ કહે કે ધરતીકંપ દિલ્હી કે ગાંધીનગર કે ક્યાંય પણ થાય – જીવ તો જવાના જ ને બધાંના! ‘મારા ભાગનો વરસાદ’માં ગરીબગુરબાને ભાગે શું આવે છે તેની વાત પણ તારસ્વરે કરવામાં આવી છે. સાધનસંપન્ન લોકો પાણીને કેવી રીતે વાપરે છે? એમને માટે પાણી વૈભવનો પદાર્થ છે – પણ શ્રમજીવીને માટે પાણી જીવન છે. ઉચ્ચ વર્ગના લોકો જે કૂતરા પાળે તે ઉચ્ચ વર્ગના અને નીચલા વર્ગના લોકો કૂતરા પાળે તે નીચલા વર્ગના – આ ભયાનક વિષમતાનું આલેખન ‘કાળિયો’ કૃતિમાં જોવા મળશે. છેલ્લે કેટલી નમ્રતા, લઘુતા વ્યક્ત થાય છે?

‘ખમા! બાપા ખમા!
કાળિયો તો જનાવર
પણ તમે તો મનખાદેવ.
બાપડા કાળિયાને શી ખબર
અમારાથી શૂરાતન ના થાય?’

અહીં ગર્ભિત સૂર એવો પણ નીકળે છે કે સમાજના ઉપલા વર્ગને મન કૂતરામાં અને દલિત-પીડિતોમાં કશો જ ભેદ નથી! આપણે આશા રાખીએ કે આવનારાં વર્ષોમાં માનવતા વધુ ને વધુ મહોરી ઊઠશે.
*
જયેન્દ્ર શેખડીવાળાએ પરંપરાગત કાવ્યપ્રકારો તથા શૈલી આત્મસાત્‌ કર્યાં છે. સાથે સાથે પ્રગટ-અપ્રગટ અધ્યાત્મ તત્ત્વ પણ સ્થાન પામે છે –

દા.ત.

પાણી ઉપર ચાલે રે પડછાયા એણી પાર સમયના
ઉડંઉડા કરે ઉજાશો ઓ પારે રે નાભિવલયના

*

જયલા! સાત છલાંગે ઉકલ્યાં સાત સાત પાતાળ
નાભિનાળ વીંધી અને ખુદ પહોંચ્યા રસાતાળ
જયલા! જાણ, જાણતલ, જાણલ ઊગ્યાં, ઊગ્યાં બોલત્‌ સૂનત્‌ યે
વણભૂમિ વણઅવકાશાં અમે રોપ્યાં રન્ધરબીજ અનેક –

કોઈક રચનામાં કોરો કાગળ વાંચવાની વાત આવશે. કેટલીક કૃતિઓ વિલક્ષણ છે ‘પતનગાથા’માં પોતાના જન્મ પૂર્વેની અને જન્મની ઘટનાઓને સાવ જુદી રીતે આલેખાઈ છે.

કાષ્ઠપૂતળી પૂછે મારી સાલ ૧૯૫૨ ક્યાં છે?
કાષ્ઠપૂતળી પૂછે મારું ગામ શેખડી ક્યાં છે?
કાષ્ઠપૂતળી પૂછે મારી ડિમ્ભ રોપતી એ ક્ષણ ક્યાં છે?
કાષ્ઠપૂતળી પૂછે ક્યાં મારું પૂર્વજની ઓ પાર ઊભેલા
પૂર્વજનું સંધાન? અનુસંધાન?

એવી જ રીતે ‘ગર્ભસ્થ’ કવિતા જુઓઃ

અંધારા જળ વચ્ચે કાળા ઘોડા દોડે તબડક તબડક
ભેદ ભરી ઘટના મારામાં કોઈ જુઓ, ઉમેરી ઊભું...
નવ માસે અંધાર પ્રગટશે, જનમ કુંડળી વચ્ચે કાળો દીવો ઊગશે
કહેવાશે કે ઝળહળ શ્વાસે તેજનું ધાડું જઈ નગરી અંધેરી ઊભું.

આ પ્રકારની રચનામાં સહજ રીતે અતિવાસ્તવવાદી સંકેતો પ્રગટે છે, વળી સામાન્ય રીતે જન્મની ઘટના હકારાત્મક ભૂમિકાએ આલેખાય છે. અહીં નકારાત્મક ભૂમિકા છે. વળી આ રચનાની વિલક્ષણતા જોવા જેવી છે – દરેક કંડિકા વિસ્તરતા જતા પરિમાણવાળી છે. આદિ પુરુષની ગઝલમાં આદિ પુરુષ આદમ પણ હોઈ શકે અને કાવ્યનાયકનો પૂર્વજ હોઈ શકે કે કાવ્યનાયક પોતે પણ હોઈ શકે, અને એ પોતાના વ્યક્તિત્વની ખુમારી આ રીતે પ્રગટ કરે છે –

આ નભસ્‌ ગંગા બધી પડઘા છે મારા શબ્દના
કોઈ કાળે મેં મને કોઈ શ્લોક સંભળાવ્યો હતો.

આવી જ ખુમારી ‘છોતરું’માં પણ પ્રગટ થાય છેઃ

એક ક્ષણને આંતરી બ્રહ્માંડ સઘળાં આંતરું
ફૂંક મારું ને ઊડે એ જેમ ઊડતું ફોતરું.

આધુનિક કવિઓ એકલતાની ખાસ્સી વાતો કરે છે. જયેન્દ્ર શેખડીવાળા બે વિરોધી પરિમાણોને અડખેપડખે યોજે છેઃ

કોઈ અતળ સમુદ્રના તળિયા સમાન છું
જેમાં નથી વસતું કોઈ એવું મકાન છું...

ક્યારેક રૂપવિધાયક કલ્પના દ્વારા અસામાન્ય અભિવ્યક્તિ જોવા મળે છેઃ

ઝાંખો જોવા દેશ કિરણનો અંધારું સળગાવું
જમણા પગના અંગૂઠેથી પ્રગટાવું રે

પરથમ પગલું ઝાંખો જોવા દેશ.
પરંપરાઓને આત્મસાત્‌ કરીને નિજી અભિવ્યક્તિની મથામણ કવિની રચનાઓમાં જોવા મળે છેઃ આ અને આવા બીજા કવિઓથી સાંપ્રત કવિતા વધુ રળિયાત બની છે.
૦૦૦

પ્રતિપદાની તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ શનિવારની દ્વિતીય બેઠક : દરવિશ કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.