અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/બળતાં પાણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 34: Line 34:
<br>
<br>
<center>&#9724;
<center>&#9724;
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/બળતાં-પાણી-બળવંતરાય-કલ્/ આસ્વાદ: બળતાં પાણી — બળવંતરાય કલ્યાણરાય ઠાકોર]
<br>
<center>&#9724;
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/બળતાં-પાણી-સર્જકપ્રતિભા/ આસ્વાદ: સર્જકપ્રતિભાનો ઉત્કૃષ્ટ આવિષ્કાર સાધતી રચના — ભાનુપ્રસાદ પંડ્યા]
<br>
{{HeaderNav2
|previous = બીડમાં સાંજવેળા
|next =એક બાળકીને સ્મશાન લઈ જતાં
}}

Latest revision as of 12:42, 20 October 2021


બળતાં પાણી

ઉમાશંકર જોશી

નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો;
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી.
ઘણું દાઝે દેહે, તપી તપી ઊડે બિંદુ જળનાં.
વરાળો હૈયાની પણ મદદ કૈં ના દઈ શકે.
જરી થંભી જૈને ઊછળી, દઈ છોળો તટ પરે
પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને.
અરે! જે પ્હાડોએ નિજ સહુ નિચોવી અરપિયું
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.

કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
ઉથાપી-લોપીને સ્વજનદુખને શાંત કરવું?
નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા!
પછી ત્યાંથી કો દી જળભર ભલે વાદળ બની,
વહી આવી આંહીં ગિરિદવ શમાવાનું થઈ ર્‌હે!
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?

૭-૫-૧૯૩૩
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૦૦)



ઉમાશંકર જોશી • બળતાં પાણી • કવિના સ્વમુખે કાવ્યપઠન:


આસ્વાદ: બળતાં પાણી — બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

આસ્વાદ: સર્જકપ્રતિભાનો ઉત્કૃષ્ટ આવિષ્કાર સાધતી રચના — ભાનુપ્રસાદ પંડ્યા