ઉમાશંકરનો વાગ્વૈભવ-૨/૧.એકાંકીઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with " {{Poem2Open}} ૧૯૩૨માં વીસાપુર જેલમાં તેમણે મોટી સંખ્યામાં નાટકો વાંચ્યાં...")
 
 
(17 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:


{{Poem2Open}}
૧૯૩૨માં વીસાપુર જેલમાં તેમણે મોટી સંખ્યામાં નાટકો વાંચ્યાં; એટલું જ નહિ, લખ્યાંયે ખરાં. એમનાં બાવીસ ગ્રંથસ્થ એકાંકીઓમાંથી સાત એકાંકીઓ ૧૯૩૨માં લખાયેલ છે.S<Ref>S આ એકાંકીઓ આ પ્રમાણે છે :
<br>
'''એકાંકીનું નામ'''{{Space}} '''લખ્યા તારીખ'''{{Space}}{{Space}} '''સંગ્રહનું નામ'''</br>
‘શહીદનું સ્વપ્ન’{{Space}} 29મી મે, 1 જૂન, 1932{{Space}} શહીદ{{Space}}</br>
‘સાપના ભારા’{{Space}} 12 જૂન, 1932{{Space}}{{Space}} સાપના ભારા{{Space}}</br>
‘બારણે ટકોરા’{{Space}} 19 જૂન, 1932{{Space}}{{Space}} સાપના ભારા{{Space}}</br>
‘ઊડણ ચરકલડી’{{Space}}   27 જુલાઈ, 1932{{Space}}{{Space}}  સાપના ભારા</br>
‘ખેતરને ખોળે’{{Space}}   2, ઑગસ્ટ, 1932{{Space}}{{Space}} સાપના ભારા</br>
‘શલ્યા’{{Space}}           7 ઑગસ્ટ, 1932{{Space}}{{Space}} સાપના ભારા</br>
‘વિદાય’{{Space}}   ઑગસ્ટ, 1932{{Space}}{{Space}} શહીદ</br></ref> આ વર્ષમાં તેમની આજ દિન સુધીની કારકિર્દીનાં કેટલાંક ઉત્તમ-વિશિષ્ટ એકાંકીઓ તેઓ આપે છે. ‘સાપના ભારા’ કે ‘બારણે ટકોરા’ જેવાં એકાંકી નાટકોની સિદ્ધિ–પ્રસિદ્ધિ સ્પષ્ટ છે.{{Poem2Close}}
{{Poem2Open}}
‘સાપના ભારા’નાં એકાંકીઓમાં વધુમાં વધુ મુક્ત રીતે ઉમાશંકરમાંનો કલાસર્જક પ્રગટ થઈ શક્યો છે. એમાં જે વિષયો એકાંકીઓ માટે ઉપાડ્યા છે તેની સાથે આ નાટ્યસર્જકનો લોહીનો સંબંધ હતો. ભાષા – તે બાજુની બોલી – એ, જે અનુભવજગત એમણે પસંદ કર્યું તેને માટેનું વધુમાં વધુ કામયાબ માધ્યમ હતું. ઉમાશંકર તેથી એમાં વધુમાં વધુ સઘનતાથી – તીવ્રતાથી એક સાચા કલાસર્જક તરીકે પ્રગટ થઈ શક્યા છે. ઉમાશંકરે આ નાટ્યલેખન વખતની (એટલે કે ૧૯૩૨-૩૩ના અરસાની) પોતાની મનોદશાનો નિર્દેશ કરતાં લખ્યું છે :
{{Space}}‘ગમે તેમ પણ એ વરસો એવાં હતાં કે જ્યાં નજર પડે ત્યાં મને એકાંકી દેખાતું; કોઈ પણ માર્મિક ઘટના એકાંકીના ઢાળામાં સહજપણે ઢળાઈ જતી ભાસતી.”X {{Poem2Close}}<Ref>
અન્યત્ર ‘કવિનો શબ્દ’માં ‘પ્રશ્નોત્તરી’ (પૃ. 234)માં પણ આ જ વાત તેઓ કહે છે : “ ’32-’33નો સમય મારા માટે એવો હતો કે હું નજર નાખું અને મને નાટક દેખાય.”</Ref>
{{Right|(શહીદ, ૧૯૫૧, પૃ. ૬)}}

Latest revision as of 13:14, 4 October 2021