કુંવરબાઈનું મામેરું/કડવું ૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કડવું ૧| રમણ સોની}}
{{Heading|કડવું ૧| }}


{{Poem2Open}}
{{Poem2Open}}
દરેક કડવાની શરૂઆતમાં જે નોંધ મૂકી છે એ આસ્વાદ-પ્રવેશ માટે  છે.
{{Color|Red|દરેક કડવાની શરૂઆતમાં જે નોંધ મૂકી છે એ આસ્વાદ-પ્રવેશ માટે  છે.}}<br>
[કાવ્યના આરંભે દેવ-સ્તુતિની પ્રાચીન પરંપરા હતી. કવિ ગુરુ,ગણપતિ સાથે શારદા – સરસ્વતીને પણ વંદેે છે. પછી, સમરું સુખદાયી સર્વદા-માં સ, અને મનમુદા કહું મામેરું મહેતા તણું...-એમાં મ – એવા ઉચ્ચાર-આવર્તનના સૂર સંભળાય છે. આવો વર્ણ-પ્રાસનો લય આખા કાવ્યમાં ઘણી વાર સંભળાશે. કાવ્યના કથનનોે એ વિશેષ છે.  
 
કાવ્યકથાના આરંભે નરસિંહ મહેતાનું પૂર્વજીવન – ગૃહત્યાગ, શિવસાધના, અને શિવની કૃપાએ કૃષ્ણ-રાસલીલા-દર્શન. ]
{{Color|Blue|[કાવ્યના આરંભે દેવ-સ્તુતિની પ્રાચીન પરંપરા હતી. કવિ ગુરુ,ગણપતિ સાથે શારદા – સરસ્વતીને પણ વંદેે છે. પછી, સમરું સુખદાયી સર્વદા-માં સ, અને મનમુદા કહું મામેરું મહેતા તણું...-એમાં મ – એવા ઉચ્ચાર-આવર્તનના સૂર સંભળાય છે. આવો વર્ણ-પ્રાસનો લય આખા કાવ્યમાં ઘણી વાર સંભળાશે. કાવ્યના કથનનો એ વિશેષ છે.}}
{{Color|Blue|કાવ્યકથાના આરંભે નરસિંહ મહેતાનું પૂર્વજીવન – ગૃહત્યાગ, શિવસાધના, અને શિવની કૃપાએ કૃષ્ણ-રાસલીલા-દર્શન. ]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 11: Line 12:
(રાગ કેદારો)
(રાગ કેદારો)
શ્રી ગુરુ, ગણપતિ, શારદા, સમરું સુખદાયી સર્વદા,
શ્રી ગુરુ, ગણપતિ, શારદા, સમરું સુખદાયી સર્વદા,
મનમુદા કહું મામેરું મહેતા તણું રે.{{space}}
મનમુદા<ref>મનમુદા = મનને આનંદ આપનારું </ref> કહું મામેરું<ref>મામેરું (મોસાળું) = કન્યાના માતૃપક્ષ તરફથી–મામાના ઘેરથી કરવામાં આવતી પહેરામણી </ref> મહેતા તણું રે.{{space}}{{space}} {{space}}
:::::: ઢાળ
:::::: '''ઢાળ'''
મામેરું   મહેતા  તણું    પદબંધ  કરવા  આશ.
મામેરું મહેતા  તણું    પદબંધ  કરવા  આશ.
નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ, જૂનાગઢમાં વાસ.{{space}} ૨
નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ, જૂનાગઢમાં વાસ.{{space}} ૨


Line 20: Line 21:


એક દહેરું દીઠું વન વિષે : અપૂજ શિવનું લિંગ;
એક દહેરું દીઠું વન વિષે : અપૂજ શિવનું લિંગ;
નરસિંહ મહેતે પૂજા કીધી,  અંતર માંહીં  ઉમંગ.{{space}}
નરસિંહ મહેતે પૂજા કીધી,  અંતર માંહીં  ઉમંગ.{{space}}




Line 26: Line 27:
કમલની પેરે લિંગ વિકાસ્યું, પ્રભુ પ્રગટ થયા તતખેવ.{{space}} ૫
કમલની પેરે લિંગ વિકાસ્યું, પ્રભુ પ્રગટ થયા તતખેવ.{{space}} ૫


કર્પૂરગૌર સ્વરૂપ શોભા, ઉમિયા તે ડાબે પાસ;
કર્પૂરગૌર<ref>કર્પૂરગૌર = ઉમિયા (પાર્વતી)નો કપૂર જેવો ગોરો દેહ </ref> સ્વરૂપ શોભા, ઉમિયા તે ડાબે પાસ;
જટા  માંહે  જાહ્‌નવી,  નીલવટ  ચંદ્રપ્રકાશ.{{space}}
જટા  માંહે  જાહ્‌નવી,  નીલવટ  ચંદ્રપ્રકાશ.{{space}}{{space}}


છે રુંડમાલા,  સર્પ ભૂષણ,  વાઘાંબર,  ગજચર્મ;
છે રુંડમાલા,  સર્પ ભૂષણ,  વાઘાંબર,  ગજચર્મ;
Line 40: Line 41:
‘ધન્ય ધન્ય સાધુ,’ શિવ કહે, ‘તુને મુક્તિની છે આશ;’
‘ધન્ય ધન્ય સાધુ,’ શિવ કહે, ‘તુને મુક્તિની છે આશ;’
અખંડ  વ્રજમાં  ગયા તેડી  જ્યહાં કૃષ્ણ રમે છે રાસ.{{space}} ૧૦
અખંડ  વ્રજમાં  ગયા તેડી  જ્યહાં કૃષ્ણ રમે છે રાસ.{{space}} ૧૦
:::::: વલણ
:::::: '''વલણ'''
રાસમંડળ તણી રચના, લીલા શું વખાણે કવિ રે!
રાસમંડળ તણી રચના, લીલા શું વખાણે કવિ રે!
નરસૈયો કૃતાર્થ થયો, તેને કૃપા શ્રીશિવની હવી રે. {{space}} ૧૧
નરસૈયો કૃતાર્થ થયો, તેને કૃપા શ્રીશિવની હવી રે. {{space}} ૧૧
</poem>
</poem><br>
 


{{HeaderNav2
{{HeaderNav2
|previous = હસ્તલિખિતનું મુદ્રિત રૂપ
|previous = હસ્તલિખિતનું મુદ્રિત રૂપ
|next = કડવું ૨
|next = કડવું ૨
}}
}}<br>

Latest revision as of 14:04, 29 October 2021

કડવું ૧

દરેક કડવાની શરૂઆતમાં જે નોંધ મૂકી છે એ આસ્વાદ-પ્રવેશ માટે છે.

[કાવ્યના આરંભે દેવ-સ્તુતિની પ્રાચીન પરંપરા હતી. કવિ ગુરુ,ગણપતિ સાથે શારદા – સરસ્વતીને પણ વંદેે છે. પછી, સમરું સુખદાયી સર્વદા-માં સ, અને મનમુદા કહું મામેરું મહેતા તણું...-એમાં મ – એવા ઉચ્ચાર-આવર્તનના સૂર સંભળાય છે. આવો વર્ણ-પ્રાસનો લય આખા કાવ્યમાં ઘણી વાર સંભળાશે. કાવ્યના કથનનો એ વિશેષ છે. કાવ્યકથાના આરંભે નરસિંહ મહેતાનું પૂર્વજીવન – ગૃહત્યાગ, શિવસાધના, અને શિવની કૃપાએ કૃષ્ણ-રાસલીલા-દર્શન. ]


(રાગ કેદારો)
શ્રી ગુરુ, ગણપતિ, શારદા, સમરું સુખદાયી સર્વદા,
મનમુદા[1] કહું મામેરું[2] મહેતા તણું રે.                             ૧
ઢાળ
મામેરું મહેતા તણું પદબંધ કરવા આશ.
નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ, જૂનાગઢમાં વાસ.          ૨

ભાભીએ વજ્રવચન કહ્યું, મહેતાને લાગી દાઝ;
પરિત્યાગ કીધો ઘર તણો, મહેતો ગયા તપ કાજ.          ૩

એક દહેરું દીઠું વન વિષે : અપૂજ શિવનું લિંગ;
નરસિંહ મહેતે પૂજા કીધી, અંતર માંહીં ઉમંગ.          ૪


અપવાસ સાત મહેતે કર્યા, તવ રીઝ્યા શ્રી મહાદેવ;
કમલની પેરે લિંગ વિકાસ્યું, પ્રભુ પ્રગટ થયા તતખેવ.          ૫

કર્પૂરગૌર[3] સ્વરૂપ શોભા, ઉમિયા તે ડાબે પાસ;
જટા માંહે જાહ્‌નવી, નીલવટ ચંદ્રપ્રકાશ.                   ૬

છે રુંડમાલા, સર્પ ભૂષણ, વાઘાંબર, ગજચર્મ;
વાજે ડાક ડમરુ શંખ શિંગી, મહેતે દીઠા પરિબ્રહ્મ.          ૭

તવ નરસૈંયો જઈ પાયે લાગ્યો, મસ્તક મૂક્યો હાથ,
‘કંઈ માગ્ય વર, કૃપા કરું,’ એમ કહે ઉમિયાનાથ.          ૮

મહેતો કહે, ‘મહાદેવજી! હું માગું છું, સ્વામિન!
તમારું દર્શન પામિયો, (હવે) પામું વિષ્ણુનું દર્શન.’           ૯

‘ધન્ય ધન્ય સાધુ,’ શિવ કહે, ‘તુને મુક્તિની છે આશ;’
અખંડ વ્રજમાં ગયા તેડી જ્યહાં કૃષ્ણ રમે છે રાસ.          ૧૦
વલણ
રાસમંડળ તણી રચના, લીલા શું વખાણે કવિ રે!
નરસૈયો કૃતાર્થ થયો, તેને કૃપા શ્રીશિવની હવી રે.           ૧૧




  1. મનમુદા = મનને આનંદ આપનારું
  2. મામેરું (મોસાળું) = કન્યાના માતૃપક્ષ તરફથી–મામાના ઘેરથી કરવામાં આવતી પહેરામણી
  3. કર્પૂરગૌર = ઉમિયા (પાર્વતી)નો કપૂર જેવો ગોરો દેહ