કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩૫. સદ્ગત મુકુન્દભાઈ પારાશર્યને: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૫. સદ્ગત મુકુન્દભાઈ પારાશર્યને|}} <poem> જળ રે ઊંડાં ને પાછાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૭૯)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૭૯)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૪. જળની ઝીણી મહેક | |||
|next = ૩૬. માણસ એવા મળી ગયા | |||
}} |
Latest revision as of 09:27, 15 December 2021
૩૫. સદ્ગત મુકુન્દભાઈ પારાશર્યને
જળ રે ઊંડાં ને પાછાં નીતરાં
એવાં નવલાં નવાણ,
આંખ્યું રે મીંચાણી અડધી વાતમાં
સહેવી કેમ રે આ હાણ;
શું રે સંભારું, શું રે વીસરું?
જીરવ્યું ને જીવ્યા ઝીણી ખાંતથી
ચીંધ્યા મરમીના મુકામ,
અક્ષર આળેખ્યા શીળા તેજના
ભીતરે ભજીને શ્રી રામ
એક જ્યાં સંભારું, બીજું સાંભરે.
વાતું માંડી’તી મબલખ મૂલની
ભૂલી કેમ એ ભુલાય?
વેળા વેળાની વીતી છાંયડી
મીઠી લે’રખડી વાય,
મોતી સંચ્યાં રે મોંઘાં મૂલનાં.
તીરથ કર્યાની મંછા સેવતાં
તમને મળતાં કદીક,
સતનો સમાગમ આજે આથમ્યો,
થયા આંખથી અદીઠ.
ફૂલની સુવાસે જોયા જાણશું.
(જળમાં લખવાં નામ, પૃ. ૧૭૯)