ખારાં ઝરણ/મૃત્યુ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 23: | Line 23: | ||
શ્વાસને ‘ઈર્શાદ’ એક જ ડર હતો, | શ્વાસને ‘ઈર્શાદ’ એક જ ડર હતો, | ||
મોત પાછું ફાવશે તો શું થશે? | મોત પાછું ફાવશે તો શું થશે? | ||
<center>૨૬-૫-૨૦૦૭</center> | |||
</poem> | </poem> | ||
< | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કિનારે જઉં કે નદીમાં તરું | |||
|next = આભ અનરાધાર, નક્કી | |||
}} |
Latest revision as of 00:43, 2 April 2024
મૃત્યુ
હાથ એ લંબાવશે તો શું થશે?
ના કહ્યે ધમકાવશે તો શું થશે?
બેય પગ ચોંટી ગયા છે ભોંયમાં,
દ્વાર એ ખખડાવશે તો શું થશે?
હું નહીં ખોલી શકું કોઈ રીતે,
એને ઓછું આવશે, તો શું થશે?
ખુલ્લી બારીમાંથી કરશે હાથ એ,
ને તને બોલાવશે તો શું થશે?
હું ઘણો વખણાઉં છું આતિથ્યમાં,
ધૃષ્ટ એ લેખાવશે તો શું થશે?
આંખ મીંચાતી વખતનું સ્વપ્ન આ,
પાંપણો ભીંજાવશે તો શું થશે?
શ્વાસને ‘ઈર્શાદ’ એક જ ડર હતો,
મોત પાછું ફાવશે તો શું થશે?