અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વાડીલાલ ડગલી/વર્ષા પછી દલ સરોવર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સંધ્યાવાયુની મંદ ફરફરે સ્થિર દલ સરોવરમાં ભરત ચીતર્યું. વાયુનુ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|વર્ષા પછી દલ સરોવર|વાડીલાલ ડગલી}}
<poem>
<poem>
સંધ્યાવાયુની મંદ ફરફરે
સંધ્યાવાયુની મંદ ફરફરે
Line 23: Line 25:
લાવણ્યની ચણ ચણી રહી છે.
લાવણ્યની ચણ ચણી રહી છે.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = બાળકોના વૉર્ડમાં એક માતા
|next =સ્વામી આનંદ
}}

Latest revision as of 12:10, 21 October 2021

વર્ષા પછી દલ સરોવર

વાડીલાલ ડગલી

સંધ્યાવાયુની મંદ ફરફરે
સ્થિર દલ સરોવરમાં
ભરત ચીતર્યું.

વાયુનું આ જળશિલ્પ
કહી જાય છે કે અહીં સરોવર છે.

વર્ષાવેળાએ
હિમાલયમાં જામેલા નવા બરફ પર
જતા સૂર્યનો પ્રકાશ ચમકે છે.

હમણાં હજુ રૂમઝૂમ નાચતી હતી
તે પરીઓ સરોવરોમાં ચાલી ગઈ.

સરોવરકાંઠે
ભીંજ્યો દેહ સંકોચીને
એક કબૂરત બેઠું છે,
પાંખ જળ તરફ,
મોં ધરતી તરફ,
જતાં જતાં
એની ચાંચ
લાવણ્યની ચણ ચણી રહી છે.