ગુજરાતી નિબંધ-સંપદા/રઘુવીર ચૌધરી/પન્નાલાલ: Difference between revisions

No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પન્નાલાલ | રઘુવીર ચૌધરી}}
{{Heading|પન્નાલાલ | રઘુવીર ચૌધરી}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/4/41/ANITA_PANNALAL.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • પન્નાલાલ - રઘુવીર ચૌધરી • ઑડિયો પઠન: અનિતા પાદરિયા
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈ સુખી અને મનમોજી માણસ પોતાની જન્મતારીખ ઊજવે એટલી સ્વાભાવિકતાથી પન્નાલાલે પોતાની ષષ્ટિ ઊજવી હતી. શ્રી ઈશ્વર પેટલીકર અને મને એના મંત્રી થવાનો લાભ મળેલો. — આ મજાક નથી પણ હકીકત છે, એના સમર્થનમાં પન્નાલાલના જ શબ્દો નોંધવા ઠીક રહેશે.
કોઈ સુખી અને મનમોજી માણસ પોતાની જન્મતારીખ ઊજવે એટલી સ્વાભાવિકતાથી પન્નાલાલે પોતાની ષષ્ટિ ઊજવી હતી. શ્રી ઈશ્વર પેટલીકર અને મને એના મંત્રી થવાનો લાભ મળેલો. — આ મજાક નથી પણ હકીકત છે, એના સમર્થનમાં પન્નાલાલના જ શબ્દો નોંધવા ઠીક રહેશે.
Line 38: Line 53:
આઠમા દાયકામાં એમણે મુખ્યત્વે પૌરાણિક નવલકથાઓ લખી છે. શિવ-પાર્વતીને તો એ ભારત સમગ્રમાં અપૂર્વ અને અનન્ય કહે છે. એમની આ જાહેરાતનો વિરોધ કરવાની હિંમત ચાલતી નથી કેમ કે એમની એક રાજકીય આગાહી ઘણા સાહિત્યકારોની ઇચ્છા વિરુદ્ધ સાચી પડી છે. પૌરાણિક કથાઓમાં યુગને અનુરૂપ અર્થઘટન કરવાને બદલે એ અસલને નિરૂપવામાં માનતા. મૂળના કથાનકો પરથી ભાવના ખંખેરી નાખવા માગતા. એમને ચમત્કારોનો લેશમાત્ર બાધ નહોતો, કેમ કે, ‘એ યૌગિક શક્તિઓ હોય છે, આધ્યાત્મિક વાસ્તવિકતાઓ હોય છે.’ શ્રી અરવિંદનો યોગ એમને માટે પલાયન નથી. આપણું જીવન બે મૃત્યુઓ વચ્ચેના સમયગાળા જેવું છે. એને યોગ દ્વારા ઇચ્છા મુજબ લંબાવી શકાય એવી શ્રદ્ધાથી પન્નાલાલ આપણને સહુને અહંકેન્દ્રિત પુરુષાર્થવાદી કહીને પોતાને સમર્પણવાદી તરીકે ઓળખાવતા.
આઠમા દાયકામાં એમણે મુખ્યત્વે પૌરાણિક નવલકથાઓ લખી છે. શિવ-પાર્વતીને તો એ ભારત સમગ્રમાં અપૂર્વ અને અનન્ય કહે છે. એમની આ જાહેરાતનો વિરોધ કરવાની હિંમત ચાલતી નથી કેમ કે એમની એક રાજકીય આગાહી ઘણા સાહિત્યકારોની ઇચ્છા વિરુદ્ધ સાચી પડી છે. પૌરાણિક કથાઓમાં યુગને અનુરૂપ અર્થઘટન કરવાને બદલે એ અસલને નિરૂપવામાં માનતા. મૂળના કથાનકો પરથી ભાવના ખંખેરી નાખવા માગતા. એમને ચમત્કારોનો લેશમાત્ર બાધ નહોતો, કેમ કે, ‘એ યૌગિક શક્તિઓ હોય છે, આધ્યાત્મિક વાસ્તવિકતાઓ હોય છે.’ શ્રી અરવિંદનો યોગ એમને માટે પલાયન નથી. આપણું જીવન બે મૃત્યુઓ વચ્ચેના સમયગાળા જેવું છે. એને યોગ દ્વારા ઇચ્છા મુજબ લંબાવી શકાય એવી શ્રદ્ધાથી પન્નાલાલ આપણને સહુને અહંકેન્દ્રિત પુરુષાર્થવાદી કહીને પોતાને સમર્પણવાદી તરીકે ઓળખાવતા.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/જયંત પાઠક/ભયભરચક ત્રણ કોતર|ભયભરચક ત્રણ કોતર]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/રઘુવીર ચૌધરી/જયંતિ દલાલ|જયંતિ દલાલ]]
}}