કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૭. મન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૭. મન| નિરંજન ભગત}} <poem> ક્યાંય આછોય તે એક તારો નથી એટલો ગગનમાં...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 14: Line 14:
જોયું મેં આજ આષાઢના ગગનને?
જોયું મેં આજ આષાઢના ગગનને?
કે પછી માહરા ગહન શા મંનને?
કે પછી માહરા ગહન શા મંનને?
૧૯૪૮
૧૯૪૮
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૪૦)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૪૦)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૬. ગ્રીષ્મમધ્યાહ્નમાં|૬. ગ્રીષ્મમધ્યાહ્નમાં]]
|next =[[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૮. તારલી|૮. તારલી]]
}}

Latest revision as of 10:43, 3 September 2021

૭. મન

નિરંજન ભગત

ક્યાંય આછોય તે એક તારો નથી
એટલો ગગનમાં ગાઢ અંધાર છે,
છેક છાયા સમો; તે છતાં કેટલો ભાર છે!
આભના ગૂઢ અંધત્વને ક્યાંય આરો નથી.

મેઘ પર મેઘના ડોલતા ડુંગરા
તે છતાં શાંત છે કેટલાં સ્પન્દનો!
અંતરે આંસુનાં નીરના કૈં ઝરા
તે છતાં મૌન છે કેટલાં ક્રન્દનો!

જોયું મેં આજ આષાઢના ગગનને?
કે પછી માહરા ગહન શા મંનને?

૧૯૪૮

(બૃહદ છંદોલય, પૃ. ૪૦)